Home Blog Page 1400

રોહિતને T20ની કેપ્ટનશીપમાંથી મળી શકે છે રજા ! આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન !

0

Rohit can get leave

  • રોહિત શર્મા ટીમ ઈન્ડિયા : ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા પર કામનો બોજ ઘટાડવાની યોજના બનાવી રહી છે. તેને T20 ક્રિકેટની કેપ્ટનશીપથી હટાવી શકાય છે.:

નવી દિલ્હી

રોહિત શર્મા (Rohit Sharma) હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (Captain of Team India) છે. વિરાટ કોહલીની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ટૂંક સમયમાં T20 ક્રિકેટની કેપ્ટન્સીથી હટાવી શકાય છે. પસંદગીકારોએ નવા કેપ્ટન માટે એક ખેલાડીની પણ પસંદગી કરી છે.

રોહિતને T20ની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવશે :

હાલમાં જ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે રોહિત શર્માને ટી20 ટીમની કેપ્ટન્સીમાંથી આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારોએ તેની વાત સાંભળી છે. રોહિતના વર્કલોડને ઘટાડવા માટે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર આ મોટો નિર્ણય લઈ શકે છે. રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, પરંતુ કોરોનાના કારણે તે પ્રવાસની પ્રથમ મેચ રમી શકશે કે કેમ, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ ખેલાડી નવો કેપ્ટન બની શકે છે :

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ હાર્દિક પંડ્યાને T20 ક્રિકેટનો કેપ્ટન બનાવવાનું મન બનાવી લીધું છે. હાર્દિક પંડ્યા હાલમાં આયર્લેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પસંદગી સમિતિના એક સભ્યએ ઈનસાઈડસ્પોર્ટને જણાવ્યું, “અમે રોહિત શર્માને બદલવાની કોઈ ઉતાવળમાં નથી. પરંતુ તેની સાથે સાથે તેના વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે. તેથી જ હાર્દિક અમારી યોજનામાં છે કારણ કે ભવિષ્યમાં ઘણા ટૂંકા પ્રવાસો હશે અને તે અત્યારે ટેસ્ટ પ્લાનમાં નથી.

સેહવાગે આપ્યું મોટું નિવેદન : 

સેહવાગે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીના સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “T20માં નવા કેપ્ટન સાથે, રોહિત બ્રેક લઈ શકશે અને ટેસ્ટ અને ODI માટે ફ્રેશ થઈ શકશે. આનાથી તે વર્કલોડને મેનેજ કરી શકશે અને માનસિક થાકનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ખાસ કરીને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને.

આ પણ વાંચો –

રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ

The bodies of 46 people packed

  • અમેરિકાના ટેક્સાસના સૈન એન્ટોનિયોમાં મૃતદેહ ભરેલો એક ટ્રક મળ્યો છે. આ ટ્રેક્ટર-ટ્રેલરમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઘટના પર પોલીસે હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

અમેરિકા

એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા (America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ (Texas) શહેરની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકની અંદરથી 46 લોકોના મૃતદેહ (Corpses) મળી આવ્યા હતા જ્યારે અન્ય 16 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેક્ટર-ટ્રેલર ટેક્સાસના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સાન એન્ટોનિયોના નિર્જન (The desolation of San Antonio) રસ્તા પરથી મળી આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક મૃતદેહ ટ્રેલરની બહાર પડેલો હતો.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે. આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો મામલો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ટ્રક મળ્યો છે તે અમેરિકા અને મેક્સિકો સરહદ 250 કિલોમીટર છે.

સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. સીએનએન પ્રમાણે રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો –

 

 

 સોરી ઘણા સમયથી ડિપ્રેશનમાં છું…નહીં જીવી શકું, 17 વર્ષની સગીરાએ સુસાઇડ નોટ લખીને કર્યો આપઘાત

0

Sorry I have been depressed

  • રાજકોટમાં “ઘણા સમયથી ડિપ્રેશનમાં છું” કહીને એક 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં (Rajkot) 17 વર્ષીય આયુષી રાવલ નામની સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનારી સગીરાના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે અને સગીરા પિતા (Sagira’s father) સાથે રહીને અભ્યાસ કરતી હતી. આત્મહત્યા કર્યા પહેલાં સગીરાએ સ્યુસાઇડ નોટ (Suicide note) લખી હતી. જેમાં ડિપ્રેશનમાં આવીને પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટમાં સગીરાએ લખ્યું કે, “ઘણા સમયથી ડિપ્રેશનમાં છું, કોઇનો કંઇ વાક નથી, સોરી હું જીવી નહીં શકું.”

બીજી બાજુ શહેરના ગુલાબનગરમાં એક યુવાને આપઘાત કર્યો :

બીજી બાજુ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુલાબનગરમાં રહેતા રાહુલ ઉમેશભાઇ ચૌહાણ નામના 18 વર્ષના એક યુવાને પણ ગત રાત્રિએ પોતાના ઘરે પંખામાં સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે, પરિવારજનોને ખ્યાલ આવતા 108ને બોલાવાઇ પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.

રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલને મૃતક જાહેર કર્યો :

પોલીસ તપાસમાં મૂળ ઉત્તરપ્રદેશનો રાહુલ બે ભાઇઓમાં સૌથી નાનો હતો. તે ભાઇ અને માતા સાથે ઘર નજીક કરિયાણાની દુકાને બેસીને વેપાર કરતો હતો. ગઇકાલે મોટો ભાઇ દીપક ઘરે આવ્યો હતો અને રાહુલને બોલાવવા જતા તેના રૂમનો દરવાજો બંધ મળી આવ્યો. આથી દરવાજો ખટખટાવવા છતાં રાહુલે દરવાજો નહીં ખોલતા અંતે તેના ભાઇએ દરવાજો તોડી નાંખ્યો.

આથી, રૂમમાં રાહુલને લટકતી હાલતમાં જોતા જ 108 ને પરિવારે જાણ કરી. પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કર્યું. જો કે, રાહુલના આપઘાત પાછળના કારણથી પરિવારજનો અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે. આથી, પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

આ પણ વાંચો –

નેપાળના કાઠમાંડુમાં પાણીપુરીના વેચાણ પર રોક, આ બીમારીના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક

0

Ban on sale of Panipuri in Kathmandu

  • નેપાળના કાઠમાંડૂમાં હાલ ઘણી નવી બીમારીઓ દસ્તક આપી રહી છે. બીમારીને જોતા વિસ્તારમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નેપાળ

નગર પોલીસ પ્રમુખ સીતારામ હચેથુએ જણાવ્યા અનુસાર, શહેરમાં ભીડ-ભાડ વાળા વિસ્તાર અને કોરિડોરમાં ક્ષેત્રમાં પાણીપુરીના વેચાણ પર રોક લગાવવા માટે આંતરિક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘાટીમાં કોલેરાનો ખતરો વધી રહ્યો છે.

સાત કેસ સામે આવ્યા :

સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડૂમાં વધુ સાત લોકો કોલેરા સંક્રમિત હોવાની સાથે અત્યાર સુધી કોલેરાના રોગિઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે. મહામારી વિજ્ઞાન અને રોગ નિયંત્રણ વિભાગના નિર્દેશક ચુમાનલાલ દાસના જણાવ્યા અનુસાર, કાઠમાંડૂ મહાનગરમાં કોલેરાના પાંચ કેસની ઓળખ કરવામાં આવી છે અને ચંદ્રગિરી નગર પાલિકા અને બુધનિલકાંઠા નગર પાલિકામાં એક એક કેસ આવ્યા છે.

સંક્રમિતોની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિય ડિઝીઝ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. તે પહેલા રાજધાનીના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના પાંચ કેસ મળ્યા હતા. સંક્રમિતોમાં બેને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

આ પણ વાંચો –

 

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર

Gujarat-born business tycoon

  • શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ આયરલેંડના સૌથી ધનિક વ્યક્તિ હતા.

આયરલેંડ

શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Palonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Palonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, (Engineering, Construction,) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry) એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.

ગુજરાતમાં જન્મ બોમ્બેમાં નિધન :

પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે.

આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ :

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.

ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી :

શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.

આ પણ વાંચો –

  • ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

 

ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

0

Gujarat has become a hookah bar

  • રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા

અમદાવાદ

ગુજરાતનું (Gujarat) યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યું  છે. યુવાધન નશાના (Youth intoxication) ધુમાડામાં વહી રહ્યા છે. જો સમયસર લગામ લગાવવામાં નહિ આવે તો ગુજરાતનુ ભવિષ્ય બરબાદ થઈ જશે. અત્યાર સુધી અમદાવાદના કેટલાક કેફેની બહાર ડ્રગ્સ (Drugs) વેચાતુ હતું. ત્યારે હવે તો અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં હુક્કો પીવાનો (Drinking hookah) ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના એક ગાર્ડનમાં જાહેરમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માંડ 14-15 વર્ષના કિશોરો મણિનગર જેવા ભરચક વિસ્તારના એક ગાર્ડનમાં હુક્કો પીતા પકડાયા હતા. એક જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઇસનપુર આવકાર હોલ પાસે એક ગાર્ડન આવેલું છે. રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. ગાર્ડનમા આવતા અન્ય બાળકો પર તેની વિપરીત અસર પડે તેથી જાગૃત નાગરિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. લોકોના વઢવા પર તેઓ હુક્કો પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા.

જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેણે કહ્યુ કે, હુ દર રવિવારે મારા સંતાનોને લઈને અહી આવુ છું. અહી સ્મોકિંગ તો આસપાસ થતુ જ હોય છે. પહેલીવાર મેં અહી યુવકોને હુક્કો પીતા જોયા હતા. મેં તેમને ટોક્યા હતા. આ રવિવારે ફરીથી આવુ બન્યુ છે. આ વખતે મેં તેમનો વીડિયો ઉતાર્યો હતો. અમે ગાર્ડનમાં સંતાનોને રમાડવા માટે લઈ આવીએ છીએ ત્યારે તેઓ આવુ જુએ તો તેમના માનસ પર ખોટી અસર પડે. નાના બાળકો આ વિશે સવાલ પૂછે કે આ યુવકો શુ કરતા હતા, તો અમે શુ જવાબ આપવો.

એક જાગૃત યુવકે કહ્યુ કે, ગાર્ડનમાં છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે કેટલાક કિશોરો દ્વારા હુક્કો પીવાયો હતો. રવિવાર હોવાથી ગાર્ડનમાં ભીડ હતી, ત્યારે જ વચ્ચે આ કિશોરો હુક્કો પીતા હતા. લોકોના ટોકવા બાદ કિશોરો હુક્કો લઈને ભાગી ગયા હતા.

સમગ્ર મામલે ઈસનપુર પોલીસની બેદરકારી સામે આવી છે. જાહેરમાં આ રીતે હુક્કો પીવાય ત્યારે પોલીસ શુ કરતી હતી, આ વીડિયોને લઈને પોલીસ શુ કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો –

 

સુપ્રીમની રાહતથી શિવસેનાના બળવાખોરો ગેલમાં, હવે ફ્લોર ટેસ્ટની માગણીનો તખ્તો

0

Shiv Sena rebels in Gail

  • ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માગતી ઉદ્ધવ સરકારના હાથ સુપ્રીમમા હેઠા પડયા, ફ્લોર ટેસ્ટ માટે સ્ટે પણ ના મળ્યો .

મુંબઈ

શિવસેનાના (Shiv Sena) બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) આજે એક મોટી કાનૂની રાહત  રુપે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બ્રેક લગાવી દીધી છે. ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) દ્વારા બળવાખોરોને તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેની નોટિસનો જવાબ આપવાની મુદ્દત આજે સાંજે પૂર્ણ થતી હતી તે હવે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી લંબાવી આપી છે.

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ યોજવા પર પણ સ્ટે આપવાની માગણી કરતાં બળવાખોરોનું હવેનું પગલું રાજ્યપાલને ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે તેની રજૂઆત કરી ફ્લોર ટેસ્ટની માગણી કરવાનું રહેશે. ભાજપ પણ પોતાની સાથે ૧૭૦ ધારાસભ્યોના ટેકો હોવાના દાવા સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. બીજી તરફ શિવસેનાએ બળવાખોરો પર આક્રમણના ભાગરુપે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે પરંતુ રાઉતે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

બળવાખોરો પક્ષની મીટિંગમા નહીં આવ્યા હોવાથી તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગણી શિવસેનાના નવા દંડક તરફથી ડેપ્યુટી સ્પીકરને કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં ડેપ્યુટી સ્પીકરે બંડખોર ધારાસભ્યોને નોટિસ ફટકારી સોમવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

જોકે,ડેપ્યુટી સ્પીકરને તેમની કાર્યવાહીમાં આગળ વધતા અટકાવવા શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. બળવાખોરોને બહુ મોટી રાહત રુપે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે ડેપ્યુટી સ્પીકરની ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને તા. ૧૧ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્ય સરકારે ફ્લોર ટેસ્ટ પર સ્ટેની માગણી કરી હતી પરંતુ તે પણ ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે આવી કોઈ કાર્યવાહીમાં કશું ગેરકાયદેસર થયું છે તેમ જણાય તો ત્યારે કોર્ટનો સંપર્ક સાધી શકાય છે.  સાથે સાથે સુપ્રીમ કોર્ટે બંડખોર ધારાસભ્યોના જીવન, મુક્તિ અને મિલ્કતોના સંરક્ષણનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમના આ ચુકાદાથી બળવાખોરો ગેલમાં આવી ગયા હતા. બળવાખોરોના નેતા એકનાથ શિંદેએ આ નિર્ણયથી બાળા સાહેબ ઠાકરેના વિચારોની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે હાલ ધારાસભ્ય પદ બચી ગયું હોવાથી હવે પછીનાં પગલાં તરીકે બળવાખોરો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાની જાણ કરશે. ધારાસભ્યોએ ગુવાહાટીની હોટલમાં એક ઠરાવ કરી મહા વિકાસ આઘાડી સરકારને ટેકો પાછો ખેંચવાનું ઔપચારિક એલાન કર્યું હતું. આ ઠરાવની રાજ્યપાલને જાણ કરવાની સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરાશે. બીજી તરફ, ભાજપ પણ ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે અને પોતાને શિવસેનાના બળવાખોરો સહિત ૧૭૦ ધારાસભ્યોનો ટેકો છે તેમ જણાવી ફ્લોર ટેસ્ટની માગણી કરશે. સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપ્યો નથી અને આવા સ્ટે માટે હુકમ કરાવનું રાજ્યપાલની સત્તા હેઠળ હોવાથી રાજ્યપાલ વહેલી તકે તે દિશામાં નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમના ચુકાદાને પગલે ભાજપ દ્વારા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠક બાદ  ભાજપના નેતા સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ભાજપ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જ છે અને શિંદે તરફથી સમર્થન અંગે કોઈ પત્ર ભાજપને મળ્યો નથી.

આ વૈધાનિક લડાઈ વચ્ચે ઉદ્ધવ સરકારે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં હતાં અને તે બાકીના પ્રધાનો વચ્ચે વહેંચી દીધા હતાં. ઉદ્ધવ સરકારમાં હવે શિવસેના વતી ઉદ્ધવ પોતે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વયોવૃદ્ધ નેતા સુભાષ દેસાઈ એમ ચાર જ પ્રધાનો રહ્યા છે. તેમાંથી માત્ર આદિત્ય જ વિધાનસભ્ય છે જ્યારે બાકીના ત્રણેય વિધાન પરિષદના સભ્ય છે.

અન્ય એક ઘટનાક્રમ રુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પત્રાચાલ કૌભાંડ બાબતે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ મોકલાયા હતા. જોકે, રાઉતે આ બધું રાજકીય કાવતરું છે અને પોતે અલીબાગમાં એક કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે એમ સાફ સાફ જણાવી દીધું હતું.

રાજ્યમાં ઝડપભેર સર્જાઈ રહેલી રાજકીય ઘટનાઓ વચ્ચે શિવસેનાના કાર્યકરો અને બળવાખોર સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે. કોલ્હાપુરમાં બળવાખોર મંત્રી પાટિલ યાદ્રવરકર અને શિવસેનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતાં પોલીસે તેમને છૂટા પાડવા લાઠીચાર્જ કરવો પડયો હતો. થાણે સહિતના વિસ્તારોમાં પણ બળવાખોરોના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું.

આ પણ વાંચો –

 

49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલ

Millions of rupees

  • માસ્ટર માઈન્ડ “મુસ્કાન” : 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા

ઉતરપ્રદેશ :

સહારનપુરની (Saharanpur) મુસ્કાન (Muskan) પર 49થી વધુ બિઝનેસમેન, ડોક્ટર અને પ્રોફેશનલ્સને (Professionals) ફસાવીને લાખોની છેતરપિંડી (Fraud) કરવાનો આરોપ છે. મુસ્કાને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપને લોકો સુધી પહોંચવાનું માધ્યમ બનાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મુસ્કાન વિરુદ્ધ 2020 અને 2022માં બે વખત FIR દાખલ કરવામાં આવી છે. હાલ તે જામીન પર જેલની બહાર છે.

કાશીના ગોલા ઘાટ રામનગર ભીટીની રહેવાસી મુસ્કાન બે વર્ષ પહેલા સહારનપુર આવી હતી. અહીં આવ્યા બાદ તે બ્લેકમેલિંગના ધંધામાં લાગી ગઈ હતી. તેની ગેંગમાં 6 લોકો છે. જેમાં 2 યુવતીઓનો સમાવેશ થાય છે. નેટ પરથી મળેલા નંબરો દ્વારા તે લોકોને પ્રેમની જાળમાં ફસાવતી હતી. તેમનું રેકેટ સહારનપુરથી શરૂ થયું અને 4 મહિનાની અંદર મુઝફ્ફરનગર, શામલી, નજીબાબાદ, બિજનૌર, મેરઠ અને મુરાદાબાદ સહિતના ઘણા શહેરોમાં પહોંચ્યું. પોલીસ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં 49 થી વધુ લોકો ભોગ બન્યા છે.

25 નવેમ્બર 2020ના રોજ, થાણા મંડીમાં એક પ્રોપર્ટી ડીલર પ્રેમની જાળમાં ફસાઈ ગયો. તેની પાસે પૈસાની માંગણી કરી હતી. જો માંગ નહીં સંતોષાય તો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. વેપારી પકડાયો ન હતો. પોલીસની મિલીભગતથી તેના પર બળાત્કારનો ગુનો નોંધાયો હતો. આ પછી તેના પર છેડતી અને હનીટ્રેપનો કેસ પણ થયો. જોકે કોર્ટના આદેશ પર પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. 23 જૂન 2022ના રોજ પણ મુસ્કાનને ધરપકડ બાદ જામીન મળી ગયા હતા.

28 મે 2022ના રોજ અન્ય પ્રોપર્ટી ડીલરે SSPને ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, એક યુવતીએ તેના પુત્રને જીમમાં તેના પ્રેમ પ્રકરણમાં ફસાવી દીધો હતો. જે બાદ પૈસાની માંગણી કરી હતી. પૂરા થવા પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી હતી. જેનાથી તેનો પુત્ર ડરી ગયો હતો. દીકરાએ આખી વાત પિતાને કહી.

પુત્રએ જણાવ્યું કે, તે જીમમાં એક છોકરીને મળ્યો હતો. પછી પરસ્પર સંપર્ક વધવા લાગ્યો. એકાંત સ્થળે બોલાવ્યા. અહીં મને શર્ટ ઉતારવાનું કહ્યું. ત્યારપછી વાંધાજનક હાલતમાં મારી અનેક તસવીરો લેવામાં આવી હતી. આ પછી કોલ પર 8 લાખ રૂપિયા માંગ્યા. કેટલાક પૈસા પણ આપ્યા હતા. મુસ્કાનની ગેંગમાં આલિયા, તેના પતિ શાહજાદા અને માનવવરનો સમાવેશ થાય છે. તેમનું કામ ઈન્ટરનેટની મદદથી નવા લોકોના નંબર શોધવાનું છે. જેથી તેમને હનીટ્રેપમાં ફસાવી શકાય.

પોલીસ રેકોર્ડમાં શંખલાપુરીના શહઝાદ, આર્યનગરના નરેન્દ્ર, ખાતાખેડીના અકબર, પીકી ગામના સુભાષ, તાહિર, મુકાવિલ, નદીમ અને ગ્રીન સિટીના જુલ્ફાનને તેનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેમની પાસેથી કેટલી રકમની છેતરપિંડી થઈ છે તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. આ સમાચાર લખતી વખતે મુસ્કાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –

FASTag fraud fact check : જાણો કાર સાફ કરતી વખતે FASTagમાંથી પૈસા સાફ કરવાના વાયરલ વીડિયોનું સત્ય

0

FASTag fraud fact check

  • હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલની ચૂકવણી કરવા માટે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર તરફથી ફાસ્ટેગ (FASTag)ની શરૂઆત કરવામાં આવી હતી. ફાસ્ટેગની મદદથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ પ્લાઝા પર ઊભા રહ્યા વગર ટોલ ટેક્સની ચૂકવણી કરી શકાય છે. આ પરિસ્થિતિમાં ટોલ પ્લાઝા પર વધુ સમય સુધી રાહ જોવી પડતી નથી. હેકર્સ હવે ફાસ્ટેગ એકાઉન્ટ (Fastag account) પર નજર રાખી રહ્યા છે અને તેની ઉઠાંતરી કરી રહ્યા છે.

નવી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી :

ટોલ કલેક્શન સિસ્ટમમાં પહેલા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાઓ દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી સમગ્ર દેશમાં ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2014માં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (ફાસ્ટેગ) સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્કીમને વિસ્તારિત કરવામાં આવી હતી.

હેકર્સે હેક કરી સિસ્ટમ :

FASTag કોઈ ઓફિશિયલ ટેગ પાર્ટનર બેન્કમાંથી ખરીદી શકાય છે. વાહનો પર હવે FASTag લગાવવો જરૂરી છે. જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થઈએ તો સ્કેનર આ ફાસ્ટેગને સ્કેન કરી લે છે અને એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે. હેકર્સ હવે ખૂબ જ એક્ટીવ થઈ ગયા છે અને તેઓ ફાસ્ટેગમાંથી પણ પૈસા કાઢી રહ્યા છે.

અલગ જ મામલો સામે આવ્યો :

હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ વીડિયો કેટલો સાચો છે તેની પુષ્ટી gujaratguardian કરતું નથી.

આ પ્રકારે ચોરી થાય છે :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાળક કારને સાફ કરવાના બહાને કાચ સુધી પહોંચી જાય છે. ત્યાર બાદ બાળક પોતાનો હાથ કાચ પર લાગેલ ફાસ્ટેગ પર વારંવાર ફેરવી રહ્યો છે. જેના પરથી લાગે છે કે, બાળક કારને સાફ કરી રહ્યો છે, પરંતુ તે કાચ પર લાગેલ ફાસ્ટેગને સ્કેન કરીને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે.

ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે :

બાળકે હાથમાં ઘડિયાળ જેવું કોઈ ગેઝેટ પહેર્યું છે. આ એક સ્કેનર છે, આ સ્કેનરથી જેટલી વાર ફાસ્ટેગ પર ફેરવવામાં આવે છે, તેટલી વાર ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે. સ્કેનરમાં એમાઉન્ટ પણ ફિક્સ કરી દેવામાં આવે છે અને તે અનુસાર રકમ કપાવા લાગે છે. જ્યાં સુધીમાં મોબાઈલ ફોનમાં મેસેજ આવે ત્યાં સુધીમાં બાળક કાર સાફ કરીને ત્યાંથી જતો રહે છે.

જોકે FASTag NETC તરફથી આ મામલે એક ટ્વીટ કરીને જાણાવવામાં આવ્યું છે કે ફાસ્ટેગનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યુ છે કે, નમસ્તે, NETC FASTag વ્યવહારો ફક્ત સંબંધિત ભૌગોલિક સ્થાનોથી NPCI દ્વારા ઓનબોર્ડ કરાયેલા નોંધાયેલા વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે. કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહાર શરૂ કરી શકશે નહીં. તે એકદમ સલામત છે.

આ પણ વાંચો –

 

 

આ તારીખ પહેલા ભરી દેજો Income Tax નહીં તો ભરવો પડશે દંડ !  

0

Income Tax before

  • જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે.

જો તમે આવકવેરા (Income Tax)ના દાયરામાં નથી આવતા તો પણ ચોક્કસથી ITR ભરો. આપને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2021-22 (Financial Year 2021-22) અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની (Filing ITR) શરૂઆત 15 જૂન 2022થી થઈ ગઈ છે. જો તમે હજી સુધી રિટર્ન ફાઇલ (Return File) કર્યું નથી તો તેને છેલ્લી તારીખ (Last Date for ITR Filing) પહેલા ભરી શકો છો.

જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આવકવેરા ફાઇલિંગમાં સમસ્યાઓથી બચવા માંગતા હો તો પછી છેલ્લી ઘડીની રાહ જોશો નહીં.

આ તારીખ પહેલા ભરો રીટર્ન :

નાણાંકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે કોઈ પણ પ્રકારની લેટ ફી વગર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે. જો તમે સમયમર્યાદા પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પછી કલમ 234-એ હેઠળ અને આવકવેરાની કલમ 234-એફ હેઠળ તમારે દંડ સાથે ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે.

શું છે ડેડલાઇન ?

પર્સનલ એચયુએફ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે, જ્યારે ઓડિટની જરૂર હોય તેવા લોકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે. જ્યારે જે વ્યવસાયોને ટીપી રિપોર્ટની જરૂર હોય છે, તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2022 છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ રીટર્ન ફાઇલ કરો છો, તો પછી તેને ભરવામાં થોડી ઝડપ રાખવી જોઇએ.

લેટ ફાઇલ કરવા પર દંડ થશે :

જો તમે વિભાગ દ્વારા નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો. તો તમારે 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે. પરંતુ જો કરદાતાની કુલ કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તો રૂપિયા 1000ની પેનલ્ટી ફી ભરવાની રહેશે.

આ પણ વાંચો –