Home Blog Page 1386

ગુજરાતના માથે સફેદ કલંક : મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું 350 કરોડનું ડ્રગ્સ, ATSએ 70 કિલો હેરોઈન સાથે ઝડપ્યું દુબઈથી આવેલું કન્ટેઇનર:

White stigma on Gujarat

  • ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન (Heroin) છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી સીએફએસ પરથી મળ્યું હતું.

70 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું :

ગુજરાત ATSની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતું. અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં  આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ગુજરાત એટીએસની ટીમ કરી રહી છે.

આ પણ વાંચો –

 

ફક્ત 1300 રૂપિયામાં થશે હવાઇ યાત્રા ! ફટાફટ કરો ટિકિટ બુક, અહીં જુઓ રૂટ અને ભાડું

0

Air travel will be for

  • હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે.

હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ (Beautiful space) ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે. તેના અંતગર્ત તમે 31 માર્ચ 2023 સુધી સફર કરવા માટે આ સેલમાં સસ્તા દરે ટિકીટ બુક કરાવી શકો છો. આવો જાણીએ વિસ્તારપૂર્વક.

અત્રે ઉલ્લેખનીય છે કે મલેશિયાના એરએશિયા ગ્રુપનો ભાગ છે. એરએશિયા ઇન્ડીયામાં ટાટા સન્સની 83.67 ટકાની ભાગીદારી છે. આ ઉપરાંત એરલાઇનમાં એરએશિયા ઇન્વેસ્ટમેંટ લિમિટેડ પાસે બાકી ભાગીદારી છે. એરલાઇને કહ્યું કે આ ઓફર અંતગર્ત સીટો સીમિત છે, એટલા માટે જલદી જ તમે પોતાનું બુકિંગ કરાવી લો. એટલું જ નહી આ ઓફર હેઠળ તમામ તારીખ ફ્લાઇટ્સ અથવા રૂટ્સ માટે ટિકિટ ઉપલબ્ધ નહી હોય. આ સિલેક્ટેડ રૂટ્સ અને ફ્લાઇટ માટે જ મળશે.

પહેલાં આવો, પહેલાં ઓફર મેળવો :

એરલાઇને જાણકારી આપી કે આ ઓફર ફક્ત એરએશિયા ઇન્ડીયાની 15 ઘરેલૂ ઉડાનો પર લાગૂ છે. એટલું જ નહી, આ એક લિમિટેડ ઇન્વેંટ્રી ઓફર છે, જેમાં આઓ-પહેલાં પાઓ’ આધાર પર ઉપલબ્ધ છે. NeuPass સભ્યો માટે ભાડું 1,300 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં બેસ ફેર, ટેક્સ એરપોર્ટ ચાર્જીસ પણ સામેલ છે. જોકે તેમાં કંવીનિએન્સ ફી અથવા એંસિલરી સર્વિસીઝ સામેલ નથી. એટલે કે હવે તમેઅ એકદમ સસ્તામાં હવાઇ યાત્રા કરી શકો છો.

જો તમે પણ સસ્તામાં હવાઇ યાત્રા કરવા માંગો છો તો તાત્કિલ ટિકિટ બુક કરાવી લો, કારણ કે એરએશિયાનું કહેવું છે કે કંપની આ ઓફરને કંપની પણ બંધ કરી શકે છે. તેના કોઇપણ પ્રકારના કેન્સલલેશન, ટૅર્મિનેશન અથવા સ્થગિત પર મુસાફરોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી હાનિના દાવા માટે જવાબદાર એરલાઇન્સ નહી હોય.

અત્યારે તાજેતરમાં જ એરએશિયાએ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી દેશના પાંચ મુખ્ય શહેરો માટે ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉડાનો આગામી પાંચ ઓગસ્ટથી શરૂ થશે. તેના અંતગર્ત લખનઉથી દિલ્હી, ગોવા, બેંગલુરૂ, કલકત્તા અને મુંબઇ માટે ફ્લાઇનું સંચાલન થશે. લખનઉથી આ શહેરો માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો –

 

12 જુલાઈ 2022, રાશિફળ : આ રાશિના લોકોને ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા 

12 July 2022, Horoscope Gujarat Guardian

 

મેષ :
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ :
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગ્યાથી સાચવવું.

મિથુન :
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહ :
સંતાન સંબંધી ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યા :
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા :
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચ‌િ‍ક :
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધન :
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ મિલકતથી લાભ.

મકર :
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભ :
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન :
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા  સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો –

યુનિફોર્મનાં પૈસા ન મળ્યા તો તલવાર લઈને નિશાળે પહોંચી ગયો પિતા, માસ્તરોને આપી દીધી ધમકી

0

If he did not get the money

  • બિહારના અરરિયામાં એક ગજબ કેસ સામે આવ્યો છે. સ્કૂલ યુનિફોર્મના પૈસા ના મળતા એક પિતા તલવાર લઇને પોતાના બાળકોના સ્કૂલે પહોંચી ગયો અને શિક્ષકોને ધમકાવવા લાગ્યો. જો કે, પોલીસે આરોપી પિતા પર FIR નોંધી છે.

જોકીહાટ SHO એ કહ્યું, શિક્ષકોને ધમકાવવાનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો અકબરના (Akbar) ગયા બાદ શાળાના મુખ્ય શિક્ષક મો. જહાંગીર આલમે જોકીહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી. મો. જહાંગીરે જણાવ્યું, શાળાની બાજુમાં જ અકબરનું ઘર છે. એક વર્ષ પહેલા તેણે શાળાના શિક્ષકો સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ. તો મિડ ડે મીલનો રાશનનો સામાન અને રૂપિયા બળજબરીપૂર્વક મંગાવ્યા કરે છે. એટલું જ નહીં, શાળામાંથી સામાનની ચોરી કરી માર્કેટમાં વેચી દે છે.

Image

શિક્ષકનો આરોપ, વેપારીના ખિસ્સામાંથી રૂપિયા લૂંટી લીધા :

શાળાના શિક્ષકે જણાવ્યું, આ મહિને પાંચ જુલાઈએ જીતુ ચોક પર સ્થિત સ્કૂલ વેન્ડર યાકુબની કરિયાણાની દુકાન પર ઈંડા ખરીદવા માટે હું ગયો હતો. આ દરમ્યાન અકબર ત્યાં પણ પહોંચી ગયો. અકબરે દુકાનના વેપારી પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરી. શિક્ષકે આરોપ લગાવ્યો, અકબરે વેપારીના ખિસ્સામાંથી રાખેલા રૂપિયા લૂંટી લીધા. આ સાથે ધમકી આપી ત્યાંથી ભાગી નિકળ્યો.

આ પણ વાંચો –

 

દિલ્હીમાં વીજળીની કિંમતમાં થશે વધારો, DERCએ આપી મંજૂરી, જાણો ક્યારથી ભાવ વધારો લાગુ થશે 

0

Electricity prices will go up in Delh

  •  વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

દેશમાં કોલસાની અછત (Lack of coal) અને સીએનજી ગેસના (CNG gas) ભાવમાં વધારાની અસર હવે વીજ ગ્રાહકો પર થવા જઈ રહી છે. DERCએ રાજધાનીમાં વીજળીની કિંમતમાં (The cost of electricity) વધારો કરવા સબંધી નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ વીજળીના કિંમતમાં વધારાની મંજૂરી DERCએ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના (Power Purchase Adjustment Cost) રૂપમાં આપી છે.

દિલ્હીની ત્રણ ખાનગી પાવર કંપનીઓ BSES યમુના, BSES રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન કંપની (TPDDL) ને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં વીજળીના દરો વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વધારો રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં 2થી 6%નો હશે.

BSES યમુના વિસ્તારમાં 6%, BSES રાજધાનીમાં 4% અને TPDDLના વિસ્તારોમાં 2% વીજળી ભાવોમાં વધારો થશે. વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોલસાની અછત અને ભૂતકાળમાં તેની વધેલી કિંમતોને કારણે પાવર જનરેશન દ્વારા વીજળીના દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને DERC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

શિન્ઝો આબેને કારણે મારી માતા કંગાળ બની એટલે હત્યા કરી

My mother became miserable

  •  જાપાનના પૂર્વ વડાપ્રધાનના હત્યારા યામાગામીની કબૂલાત. જાપાનમાં સંસદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, આબેના સત્તાધારી પક્ષને બહુમત મળવાનું એક્ઝિટ પોલનું અનુમાન.

જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની (Former Prime Minister Shinzo Abe) હત્યા કરનારા શખ્સે પોલીસ સમક્ષ હત્યા કેમ કરી તેને લઇને મોટા ખુલાસા કર્યા છે. આ હત્યારાએ જણાવ્યું હતું કે શિંઝો આબેને કારણે મારી માતા આર્થિક રીતે તંગદીલીમાં ધકેલાઇ ગઇ હતી. શિંઝો આબેને કારણે મારા ઘરની આર્થિક સ્થિતિ (Economic status) સાવ કંગાળ થઇ ગઇ હતી.

શિંઝો આબેના ૪૧ વર્ષીય હત્યારા તેત્સૂયા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે એક ધાર્મિક ગુ્રપને કારણે મારી માતાની આર્થિક સ્થિતિ નબળી પડી ગઇ અને તે દેવાદાર બની ગઇ હતી. હું મહિનાઓથી શિંઝો આબેની હત્યાનું આયોજન કરી રહ્યો હતો. આ માટે તેણે એક ૪૦ સેમીની બંદુક પણ તૈયાર કરી હતી. આ યુવકના પાડોશીએ સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે તે એકદમ ગુમસુમ અને શાંત રહેતો હતો, લોકોની સાથે બહુ જ ઓછી વાતો કરતો હતો.

એવા દાવા થઇ રહ્યા છે કે આ યુવકે પોલીસને જણાવ્યું છે કે શિંઝો આબેએ એક એવા ધાર્મિક સંગઠનનું સમર્થન કર્યુ હતું કે જેને દાન આપીને મારી માતા આર્થિક રીતે ભાંગી ગઇ હતી. બંદુકથી ગોળીબાર કરવાના આયોજન પૂર્વે બોમ્બથી હુમલો કરવાની પણ આ શખ્સે યોજના બનાવી હતી. તે અનેક કાર્યક્રમોમાં શિંઝો આબે પર હુમલાની તક જઇ રહ્યો હતો.

બીજી તરફ શિંઝો આબેના મોત બાદ જાપાન શોખમય બન્યું હતું, આ સ્થિતિ વચ્ચે રવિવારે જાપાનની રાજ્યસભા માટે ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન એક્ઝિટ પોલનો દાવો છે કે શિંઝો આબેના પક્ષને સહાનુભુતની કારણે બહુમત મળી શકે છે. સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૨૫ બેઠક સાથે બહુમત મળી શકે છે.

આ પણ વાંચો –

કોહલીએ Vivo સાથે છેડો ફાડ્યો ! જાહેરાતો પર લગાવવામાં આવી હાલ પૂરતી બ્રેક

0

Kohli breaks up with Vivo

  • કોહલીની ટીમે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે કંપની તપાસ હેઠળ છે અને તેથી તેની જાહેરાતોમાં કોહલીને દર્શાવવો યોગ્ય નથી. એટલા માટે કંપનીએ વિરાટ કોહલીને દર્શાવતી જાહેરાતોને હાલ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિરાટ કોહલીને ટીકાથી બચાવવાનો છે.

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo Mobiles સામે મની લોન્ડરિંગના (Money laundering) આરોપોની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, કંપનીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે સંબંધિત તેની જાહેરાતોને પ્રમોટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી ભારતમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે વિરાટ કોહલી સાથેની જાહેરાતો હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. કંપનીએ IPLની 2021 એડિશન પહેલા વિરાટ કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનાવ્યો હતો. આ પહેલા અભિનેતા આમિર ખાન અને સારા અલી ખાન કંપનીની જાહેરાતોમાં જોવા મળ્યા હતા.

કોહલીએ લીધો નિર્ણય :

વિવો મોબાઈલ્સના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી તપાસની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરાટ કોહલી સાથે સંબંધિત જાહેરાતો અને પ્રમોશન પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી રહી છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે કોહલીની ટીમ પણ તેનાથી આરામદાયક નથી. કોહલીની ટીમે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે કંપની તપાસ હેઠળ છે અને તેથી તેની જાહેરાતોમાં કોહલીને દર્શાવવો યોગ્ય નથી. એટલા માટે કંપનીએ વિરાટ કોહલીને દર્શાવતી જાહેરાતોને હાલ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિરાટ કોહલીને ટીકાથી બચાવવાનો છે.

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે આ યોગ્ય નિર્ણય છે. પેપ્સિકો અને હેવલેટ પેકાર્ડના ભૂતપૂર્વ માર્કેટિંગ હેડ અને બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ લોયડ મેથિયાસે જણાવ્યું હતું કે જો કોઈ કંપની તપાસ હેઠળ છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર જાણીતા વ્યક્તિત્વ છે, તો તે વ્યવસાયિક પ્રવૃત્તિને રોકવાનો યોગ્ય નિર્ણય છે. કોહલીની પહોંચ અને પ્રભાવ અપાર છે. આવી સ્થિતિમાં વિરાટ પર સવાલો પણ ઉઠી શકે છે કે તે એવી કંપનીને પ્રમોટ કરી રહ્યો છે જેની સામે તપાસ ચાલી રહી છે.

વિવો મની લોન્ડરિંગના આરોપો માટે તપાસ હેઠળ છે. EDએ છેલ્લા કેટલાક દિવસોમાં Vivoના 48 સ્થળો અને તેની સાથે સંકળાયેલી 23 કંપનીઓ પર દરોડા પાડ્યા છે. આ સાથે કંપનીના બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કંપનીએ તેની સામે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કંપનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે ED જાણીજોઈને તેના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ એપ્રિલ 2021માં કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. કોહલી ભારતમાં જાહેરાતો માટે સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. તે લગભગ 30 બ્રાન્ડને પ્રમોટ કરે છે.

આ પણ વાંચો –

ઓનલાઈન કરતા ઓફલાઇન ફૂડ સસ્તું ? યુઝરે Zomatoનું બિલ શેર કરી પર્દાફાશ કર્યો

0

Is offline food cheaper than online

  • લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા.

આજના સમય ખોરાક (Food), દવા (Medicine) અને રાશન (Ration)નો સમાન ફક્ત એક ક્લિક દૂર છે. વર્તમાન સમયે ઓનલાઇન ફૂડ (Online Food) ઓર્ડર કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. ઝોમેટો (Zomato) અને સ્વિગી જેવા પ્લેટફોર્મ્સ (Online Food delivery Platforms) યુઝર્સને ઘણી ઓફર્સ આપે છે. જેથી આવી સર્વિસ લોકોને કિફાયતી લાગે છે. પરંતુ, આ ઓફર્સ પછી પણ રેસ્ટોરન્ટ (Restaurant) અથવા હોટલમાં રૂબરૂ ગયા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું સસ્તું છે?

મુંબઈના એક વ્યક્તિએ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. તેને ઝોમેટો મારફતે ખાવાનું મંગાવવું મોંઘું પડ્યું છે. તેણે ઝોમેટો અને રેસ્ટોરન્ટમાંથી એક સરખું ખાવાનું મંગાવ્યું હતું અને બંનેના રેટમાં જે તફાવત જોવા મળ્યો હતો તે જોઈને તે ચોંકી ગયો હતો.

રાહુલ કાબરા નામના વ્યક્તિએ લિંક્ડઇન પર ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને બિલ મૂક્યા હતા. ઝોમેટો અને રેસ્ટોરન્ટના બિલમાં તફાવત જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. ઝોમેટોએ તો 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને પણ ફૂડ માટે 690 રૂપિયા લીધા હતા, જ્યારે રેસ્ટોરન્ટે તે જ ફૂડ માટે 512 રૂપિયા વસૂલ્યા હતા! આ બાબતે ઘણા યુઝર્સે ઝોમેટોની ઝાટકણી કાઢતી કોમેન્ટ્સ કરી હતી.

શું છે આખી વાત ?

લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા. 75 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ પણ ઝોમેટોનું બિલ 690 રૂપિયા થઈ ગયું. કાબરાએ આ જ સામાન જે રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોએ ડિલિવર કર્યો હતો ત્યાંથી ખરીદ્યો હતો, જેમાં કાબરાને માત્ર રેસ્ટોરન્ટમાં જ 512 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રીતે બંને બિલ વચ્ચેનો તફાવત 178 રૂપિયા હતો.

રાહુલ કાબરાએ ઉમેર્યું હતું કે, “ધારો કે, ઝોમેટો ફૂડ સર્વિસ પ્રોવાઇડરને વિઝીબલિટી અને વધુ ઓર્ડર લાવે છે. તો શું તેણે આટલી ઊંચી કિંમત લેવી જોઈએ?

પોસ્ટ આગની જેમ વાયરલ થઈ :

રાહુલ કાબરાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ પર 11,000 લાઈક અને 1,700 થી વધુ કોમેન્ટ આવી છે. બીજા ઘણા યુઝર્સે પણ એક સમાન પ્રોડક્ટની કિંમત ઉંચી બતાવવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા લૂંટ ચલાવવા આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મેનુ એક જ રાખવું જોઈએ અને તેમનો ચાર્જ અલગથી લેવો જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરી ઈન્દોરમાં સ્વિગી સાથેનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે. તેણે લખ્યું છે કે, હું નજીકની રેસ્ટોરન્ટમાંથી થાળી મંગાવવા માંગતો હતો. સ્વિગીએ 120 પ્લસ ડિલિવરી ચાર્જ તરીકે કિંમત બતાવી હતી. હું રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો, તેથી મેં તે થાળી રેસ્ટોરન્ટમાંથી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે જ થાળી 99માં ઉપલબ્ધ હતી. મેં સ્વિગીને તે જ ફૂડ માટે 40 ટકા વધુ એટલે કે, લગભગ 140 રૂપિયા ચૂકવ્યા હોત.

અન્ય એક યુઝરે ઉમેર્યું હતું કે, “ડોરડાશ જેવી યુએસ બેઝ્ડ ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ ખાદ્ય ચીજો માટે રેસ્ટોરાં જેટલી જ કિંમત જાળવી રાખે છે. જો કે, તેઓ અલગથી ડિલિવરી ફી લે છે. આ રીતે ત્યાં પારદર્શિતા છે અને ગ્રાહક જાણે છે કે તે શેના માટે વધુ ચૂકવણી કરે છે.

આ પણ વાંચો –

 

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : વિજય માલ્યાને આ કેસમાં 4 મહિનાની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો

Major Supreme Court verdict

  • સુપ્રીમ કોર્ટમાં આજે વિજય માલ્યાના કેસ પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિજય માલ્યાને (Vijay Mallya) અવમાનના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. તેની સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે દંડ ન ચુકવવાના કેસ પર બે મહિનાની વધારાની સજા પણ સંભળાવી છે. તેની સાથે વિદેશમાં ટ્રાંસફર (Transfer abroad) કરવામાં આવેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડીયામાં ચુકવવાનો આદેશ પણ આપ્યો છે.

વિજય માલ્યાને 2017માં જ સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, સજા હવે સંભળાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય માલ્યાએ અવમાનના માટે કોર્ટ સક્ષમ માફી માગી નથી. સુપ્રીમ કોર્ટે ભાગેડૂ વેપારીને 4 અઠવાડીયાની અંદર વ્યાજ સહિત 40 મિલિયન અમેરિકી ડોલર પાછા જમા કરાવવા માટે કહ્યું છે. આવા કરવામાં નિષ્ફળ રહેતા વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિજય માલ્યાને વધુમાં વધુ સજા આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ ન ફક્ત વિદેશી ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાને કોર્ટમાં ખોટી જાણકારી આપી છે, પણ તેણે 5 વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર પણ થયો નથી, બે હજારનો દંડ નહીં ભરવા પર વધારાની બે મહિનાની સજા આપવામાં આવશે.

આ પણ વાંચો –

આ ફિલ્મ મેકરની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ રવાના

0

The filmmaker could be arrested at any time, the Ahmedabad Crime Branch team left for Mumbai

  • અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્રના મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી ગઈ છે.

સોશ્યલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ (Post controversial pics) કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની પરેશાનીઓ વધતી નજર આવી રહી છે. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની (Avinash Das) ધરપકડ કરી શકે છે. અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની (Gujarat Police Crime Branch) એક ટીમ મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી પડી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કૈડરની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહ મંત્રી અમિતશાહ સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે.

અવિનાશ દાસે આ બધા મુદ્દે સેશન કોર્ટ સામે અગ્નિમ જમાનતની અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્નિમ જમાનતની અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી હતી. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે.

ગુજરાતમાં નોંધાયેલા આ કેસમાં ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની જમાનત નકારવામાં આવી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્ટીવ થઇ છે અને  ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે. જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો.

આ પણ વાંચો –