Home Blog Page 1366

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા બચશે જ નહીં…: રાજ્યપાલના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો

0

If Gujarati-Rajasthan leaves

  • મહારાષ્ટ્રના ગવર્નરે કહ્યું , મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નીકળી જશે તો મુંબઈ પાસે પૈસા બચશે નહીં.

મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો (Bhagat Singh Koshiari) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને (Gujaratis and Rajasthanis) જશે તો મુંબઈ પાસે પૈસા પણ બચશે નહીં. બાદમાં મુંબઈને આર્થિક રાજધાની તરીકે નહીં ઓળખાવી શકાય.

રાજ્યપાલે કાર્યક્રમને સંબોધિન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું :

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યરી મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકનું નામ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ પર રાખવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્ર અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.

આ દરમિયાન કોશ્યારીએ કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકશે નહીં.

શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો :

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તેણે લખ્યું, મહારાષ્ટ્રમાં BJP પ્રાયોજિત મુખ્યમંત્રી મરાઠી માણસ અને શિવ રાયનું અપમાન કરવા લાગ્યા. જો આ વાત સાંભળીને પણ સ્વાભિમાન પર નીકળેલું જૂથ ચૂપ રહેશે તો શિવસેનાનું નામ ન લેશો. CM શિંદેએ ઓછામાં ઓછું રાજ્યપાલની નિંદા કરવી જોઈએ. આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.

આ પણ વાંચો :-

ખેડૂતે અપનાવ્યો અદભુત કીમિયો, માત્ર 500 રૂપિયામાં 10 વિઘા જમીનમાં વાવણી, જાણો કેવી રીતે કામ કરે છે આ કીમિયો 

0

Amazing chemistry adopted by farmer

  • ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

ડીઝલના (Diesel) ભાવો વધતા એક ખેડૂતે ખેતી માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે મોંઘવારીમાં (inflation) ખેતી કરવી વધુ મુશ્કેલ બની છે ત્યારે એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણીએ આ નવતર પ્રયોગ વિશે…

ભાણવડ તાલુકાના રોજીવાળા ગામના ખેડૂત ભીમશીભાઈ પીપ્રોતર ખેતીમાં  ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

 ભાણવડ તાલુકાના રોજીવાળા ગામના ખેડૂત ભીમશીભાઈ પીપ્રોતર ખેતીમાં  ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

મોટરસાયકલ (બાઈક)  દ્વારા આ ખેડૂત હાલ ખેતી કરી રહ્યો છે જેને લઈ આ ખેડૂતને આવતો ખર્ચ ઘટ્યો છે. ટ્રેકટરથી ખેતી કરે તો 10 વિઘામાં 3000 રૂપિયા સુધી જે ખર્ચ આવે તેની જગ્યાએ આ મોટરસાઇકલના (બાઈક) પ્રયોગથી 10 વિઘા ની ખેતીમાં માત્ર 500 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોય છે.

ખેડૂતને 10 વિઘા જમીનમાં ટ્રેક્ટર વડે વાવણી કરતાં  3000 જેટલો ખર્ચ થતો હોય છે. જ્યારે આ મોટરસાઈલથી 10 વિઘામાં ખેતીનો ખર્ચ માત્ર 500 રૂપિયા જ થાય જેને લઈ સીધો ખેડૂતને 2500 રૂપિયા જેટલી બચત કરી શકે છે.

ખેડૂતે અપનાવેલો આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ આ નવતર પ્રયોગ હાલ આઅપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે.

આ પણ વાંચો :-

અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટ પર EDના દરોડા, 29 કરોડ રોકડ અને 5 કિલો સોનું જપ્ત

0

ED raids another flat of Arpita Mukherjee

  •  પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં છે.

બુધવારે EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં (Teacher recruitment scam) ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના (Partha Chatterjee) નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ઘરે પણ દરોડા પાડ્યા હતા. EDને અર્પિતાના આ ઘરમાંથી પણ નોટોનો ખજાનો મળ્યો છે. EDએ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા જેમાં 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના (Gold jewelry) અને બિસ્કિટ (Biscuit) પણ મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ EDએ અર્પિતાના અન્ય એક ઘર પર દરોડા પાડ્યા હતા જેમાં તપાસ એજન્સી દ્વારા 20.9 કરોડ રૂપિયા રોકડા અને તમામ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીના બંને ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.

આ અગાઉ બુધવારે સાંજે તપાસ એજન્સીઓની ટીમ કોલકાતાના બેલઘારિયા વિસ્તારમાં અર્પિતાના ઘરે પહોંચી હતી અને ફ્લેટની ચાવી ન હોવાને કારણે અધિકારીઓ તાળુ તોડીને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. તાળુ તોડ્યુ અને તપાસ અભિયાન દરમિયાન સાક્ષી પણ બોલાવવામાં આવ્યા હતા. અર્પિતા મુખર્જીના આ ઘરમાંથી જંગી રોકડ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા.

બેંકના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને નોટોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDને તિજોરીઓમાંથી રોકડ પણ મળી આવ્યા હતા.

બીજા ઘરમાંથી પણ જંગી રકમ મળ્યા બાદ નોટોની ગણતરી કરવા માટે 4 બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા. 5 કાઉન્ટીંગ મશીન લગાવવામાં આવી હતી. ટોલીગંજમાં અર્પિતાના ઘરની જેમ અહીંના બેલઘરિયા ટાઉન ક્લબ હાઉસ સ્થિત ફ્લેટના વોર્ડરોબમાં પણ નોટોના બંડલ ભર્યા હતા. અહીં નોટોના બંડલ મળવાની ખબર બાદ ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી.

પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓના અધિકારીઓ દ્વારા ધરપકડ બાદ પાર્થ ચેતર્જીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેમની સતત શિક્ષણ ભરતી કૌંભાડ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. EDનું કહેવું છે કે, અર્પિતાના ઘરમાંથી મળેલું ધન શિક્ષણ ભરતી કૌંભાડ દ્વારા કમાવામાં આવેલી રકમ છે જે પાર્થ ચેટર્જીની છે.

આ પણ વાંચો :-

બરવાળા કેમિકલકાંડમાં ફરી મોટી કાર્યવાહી, એક ઝાટકે અનેક પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

0

Big action again in the Barwala

  • આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

બરવાળા કેમિકલકાંડમાં (Barwala Chemicalkand) આજે ફરી એકવખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બરવાળા કેમિકલકાંડમાં એસપી સહિતના અધિકારીની બદલી અને સસ્પેન્ડ બાદ આજે વધુ કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ સહિતના પોલીસકર્મીની (policeman) બદલીનો ગંજીપો ફરી એકવાર ચીપાયો છે.

આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

ગૃહ વિભાગની મોટી કાર્યવાહી :

ઉલ્લેખનીય છે કે, બોટાદ કેમિકલકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર ગાજ પડી હતી. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી હતી, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.

SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી હતી.

ગૃહવિભાગે કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રી સંઘવીના બદલે મંગળવાર મોડીરાતના 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં વિગતે ચર્ચા કરાઈ હતી. જે બાદ વહેલી સવારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચાલતા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં સીએમ સાથે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતગાર કર્યા હતા. જે બાદ તમામ પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતાં લોકો માટે ખુશ ખબર, પશ્ચિમ રેલવેએ કર્યું મોટું એલાન

0

Good news for people traveling

  • રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ (Amrit Mohotsav) હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. વધુમાં રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનનું ટાઈમટેબલ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ અમદાવાદ થી મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેન માત્ર  ભરૂચ અને સુરત સ્ટેશન પર જ રોકાશે . આ સાથે વંદે ભારત અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્તાહામાં 6 વખત ચાલશે. આમ હવે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ વિશ્વસ્તરીય પ્રવાસ અનુભવની સાથે પ્રવાસીઓ અને તેમા પણ ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલરોને આરામદાયી પ્રવાસની સગવડ પૂરી પાડશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શું હશે નવી સુવિધાઓ ?

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  બેઠકો પર પુશબેકની સુવિધા હશે. દરેક કોચની એર કંડીશનિંગ સિસ્ટમને બેક્ટેરિયા મુક્ત બનાવવામાં આવી છે. તેમજ ટ્રેનમાં કલાઇમેટ કંટ્રોલ,વીજળી અને આવશ્યક સિસ્ટમોની દેખરેખ માટે સેન્ટ્રલાઇઝ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ઈમરજન્સીની સ્થિતિમાં, મુસાફરોને સરળતાથી બહાર કાઢવા માટે 4 ઇમરજન્સી બારીઓ છે. પૂરથી બચવા માટે ટ્રેનના નીચેના ભાગને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું છે.

વંદે ભારતના દરેક કોચમાં 4 ડિઝાસ્ટર લાઈટો છે જ્યારે કોચની તમામ લાઇટ ફેલ થશે, ત્યારે આ ઈમરજન્સી લાઇટની જરૂર પડશે. આ સાથે પાવર આઉટેજ થયા બાદ 3 કલાક સુધી વેન્ટિલેશન સિસ્ટમની સુવિધા છે. દરેક કોચમાં હવે 2 ને બદલે 4 ઇમર્જન્સી પુશ બટન છે.

આ પણ વાંચો :-

ઇન્કમ ટેક્સ રિટર્નના નિયમોમાં મોટો ફેરફાર ! જાણો નાણા મંત્રાલયનો આ આદેશ

0

A big change in the rules

  • ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીક નજીક છે. જો તમે પણ ટેક્સ ભરો છો તો આ સમાચાર ખુબ જ જરૂરી છે. નાણા મંત્રાલયે ટેક્સ ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જાણી લો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન.

જો તમે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ (Income tax) રિટર્ન ભર્યું નથી તો તાત્કાલીક ભરી દો. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ છે. જોકે, સોશિયલ મીડિયાથી (Social media) લઇને તમામ જગ્યાઓ પર તારીખને આગળ વધારવાની માંગ ઉઠી રહી છે પરંતુ સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો ઇન્કાર કર્યો છે. એટલે કે હવે તમારે ગમે તેમ કરીને 31 જુલાઈ પહેલા ઇન્કમ ટેક્સ ફાઈલ કરવું પડશે.

જો તમે પણ ટેક્સ પેયર છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમમાં ફરેફરા કર્યો છે. નાણા મંત્રાલયે વધારે લોકોને ટેક્સ બ્રેક્ટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વધાર્યો છે.

નાણા મંત્રાલયે જાહેર કર્યા આદેશ :

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નાણા મંત્રાલયે એક નોટિસ જાહેર કરી જાણકારી આપી હતી. આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ અલગ ઇન્કમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના વ્યાપમાં લાવવામાં આવી શકે છે. આ નવા નિયમ 21 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે.

જોણો શું કહે છે નવા નિયમ ?

નવા નિયમ અનુસાર, જો કોઈ વેપારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇન્કમ 60 લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઈલ કરવું પડશે. જો કોઈ નોકરીયાત વ્યક્તિની આવક વર્ષના 10 લાખ રૂપિયાથી વધારે છે તો તેમણે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. TDS અને TCS ની રકમ એક વર્ષમાં જો 25,000 રૂપિયાથી વધારે છે ત્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, 60 વર્ષથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે TDS+TCS ની લિમિટ 50,000 રૂપિયા રાખવામાં આવી છે.

બેંક ડિપોઝિટ પર પણ લાગશે ITR  :

નવા નોટિફિકેશન અનુસાર, બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ 1 વર્ષમાં 50 લાખ અથવા તેનીથી વધારે છે, તો આવા ડિપોઝિટર્સને પણ તેમનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. 21 એપ્રિલથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે નવા ફેરફારથી ઇન્કમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વશે અને વધુમાં વધુ લોકો ટેક્સ નેટમાં લાવવામાં આવી શકાશે.

આ પણ વાંચો :-

 

૩૦ જુલાઈ 2022, રાશિફળ : દાદા હનુમાનજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

30 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ જળવાય. પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર પ્રેમની ભાવના મજબૂત થાય. નવા રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. નવા રોકાણો બપોર પછી કરવા. ભાગ્યનો સાથ મળશે.

વૃષભઃ
પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરી શકાય. લોખંડ, એન્જિનિયરિંગના ધંધામાં વિશેષ સફળતા મળતી જણાય. પાચનશક્તિ મંદ પડે. મિત્રો સાથે આનંદ વધે.

મિથુનઃ
ધગશ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવહારિક બુદ્ધિને કારણે યોગ્ય નિર્ણય લઈ શકાય. દરજી, ફોટોગ્રાફી એસ્ટેટ, વીજળીના સામાનને લગતા ધંધામાં વિશેષ લાભ. ખભાના દુઃખાવા તથા તાવથી પરેશાની રહે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. સિદ્ધાંતવાદી વલણને કારણે અપ્રિય થવાય. નાણાકીય આવક જળવાય.  પરિવારમાં શાંતિ રહે. હયાત રોકાણોથી લાભ, નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય બળવાન.

સિંહઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. કપડા, અનાજ, કરિયાણા, દવા તથા ઠંડા પીણાના વેપારમાં વિશેષ લાભ. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણથી લાભ સંભવે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય.

કન્યાઃ
માતૃસુખમાં વધારો થાય. માતાનું આરોગ્ય જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. એકાઉન્ટ્સ, વકીલ, હોટલના ધંધામાં વિશેષ પ્રગતિ થતી જણાય. આંખની તથા માથાના દુઃખાવોથી સાવચેતી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. હાથમાં આવેલી તક સરી જતી જણાય. ખોટું લાગે એવા પ્રસંગોનું નિર્માણ થાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ  બહેનોના પ્રશ્નો ઉકેલાતા જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવા. ભાગ્યનો સાથ મળતો નથી. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પ્રેમીપાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
બપોર બાદ માનસિક ચિંતા હળવી થાય. આવકનું પ્રમાણ વધે. પરિવારમાં શાંતિનું પ્રમાણ જળવાય. સ્થાવર જંગમ મિલકતોથી લાભ મળતો જણાય. વડીલો સાથે મતભેદ ટાળવા, શરદી-ખાંસી, કફથી સાવચેતી જરૂરી.

મકરઃ
માનસિક પરેશાની વધે. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત સાચવવી. આંખની કાળજી જરૂરી. આવક જળવાય. પરંતુ બપોર બાદ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ જળવાય.

કુંભઃ
સંતાન સુખમાં વધારો થાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને માટે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતમાંથી આવકનું પ્રમાણ જળવાય. નવું વાહન મિલકતની ખરીદી શક્ય બને.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. પોતે જ સાચા એવી ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

આ પણ વાંચો –

વિવાદિત ધારાસભ્યની ચીમકી, ‘ચૌદમું રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’

0

Controversial MLA’s quip

  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું.

ફરી એકવાર વડોદરાના (Vadodara) ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી (An outrageous statement) કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને (Cattle breeders) ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું. તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે જણાવ્યું હતું, એટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.

તેમણે જે કોઈ પણ અધિકારીઓ હોય અને કામ ના કરતા હોય તો ચૌદમું રતન દેખાડવાની અને જો ના દેખાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં એવી ધમકી આપી હતી. તેઓએ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવો એક વીડિયો મધુ શ્રીવાસ્તવનો પાદરામાં વાયરલ થયો હતો.

નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો :-

 

બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન

0

Hemkhem pulled out

  • પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

ધાંગધ્રા તાલુકાના (Dhangdhra Taluka) ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી (Baby girl in a bore) બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને (Army squad) પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

લમ્પી વાયરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસે કર્યો ઘટસ્ફોટ, ‘ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાય છે’

0

Big scam in lumpy virus exposed

  • લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) જોવા મળ્યો છે. અત્યાર સુધી 15 જિલ્લામાં લમ્પી વાઈરસે પગ પેસરો કરી દીધો છે. લમ્પીના ખતરાને લઈને સરકાર દ્વારા રાજ્યના અમરેલી, બનાસકાંઠા (Banaskantha), ભાવનગર સહિત રાજ્યના 15 જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. મૂંગા પશુઓને આ રોગમાથી ઉગારી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ (Congress alleged) લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.

લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિક્રમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ મામલે તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે.

લમ્પી વાઈરસનો સામનો કરવા માટે વેક્સિનનો જથ્થો ન હોવાથી વેક્સિનમાં પાણી નંખાય છે. એટલું જ નહીં, બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લીપ પણ બહાર આવી છે. તબીબો વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ હાલ જાહેર કરવામાં આવી છે. પરંતુ કથિત ઓડિયો ક્લીપની Gujarat Guardian પુષ્ટી કરતું નથી.

આજે લમ્પી વાઈરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસ દ્વારા ઘસ્ફોટ કરાયા છે. લમ્પી વાયરસમાં ગાયોને અપાતી વેક્સિનમાં વેક્સિનની જગ્યાએ પાણી ભરી પશુ વિભાગ દ્વારા વેક્સિન આપવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને મનપાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા આ મામલે મોટા ઘસ્ફોટ કર્યો છે. જેમાં લમ્પી વાઇરસ મામલે તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા છે.

વેક્સિનમાં બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઈ છે. જેમાં મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબો સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરી છે.

ઓડિયો ક્લિપમાં વેકસીન જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેકસીન બોટલમાં પાણી નાખવાનો આક્ષેપ થયો છે. વિક્રમ માડમે મીડિયાને ઓડિયો કલીપ આપી છે. મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબ ડો.એચ.એમ.સોલંકી સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરાઇ છે.

આ પણ વાંચો :-