Home Blog Page 1364

વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો છઠ્ઠો મેડલ

0

Achinta Shewli also won

  • કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

કોમનવેલ્થ ગેમ્સ 2022ના (Commonwealth Games 2022) ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી (Weightlifting) આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને (Boxer Nikhat Ziri) પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

અચિંતા શેઉલીએ અપાવ્યો ગોલ્ડ :

મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો (Achinta Sheuli Won Gold). જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે.

આ અગાઉ ગઈ કાલે મીરાબાઈ ચાનુ બાદ જેરેમી લાલરિનુંગાએ 67 કિલો કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલોનું વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન અને જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યા. જેરેમીએ કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં રેકોર્ડ 313 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો :-

સાવધાન ! માતાજી બનીને તમારા ઘરે ના પહોંચે આ મહિલા, ટોળકી તૈયાર જ બેઠી છે હશે તે પણ જશે

Caution! Don’t come to your

  • પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા.

એવી કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે. કંઇક આવું જ થયું છે રાજકોટમાં (Rajkot) જ્યાં એક કા ડબલ આપવાની લાલચમાં લોકોને છેતરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. ધાર્મિક વિધિના (ritual) બહાને ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપતી આ ટોળકીએ રાજકોટના એક વ્યક્તિ સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આ ટોળકીને પકડી પાડી છે.

રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાની સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ એક ટોળકી દ્વારા ડબલ રૂપિયા આપવાની લાલચ આપીને ઘરે આવીને ધાર્મિક વિધિના નામે રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરી હતી.

પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ ટોળકીની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે આજી ડેમ ચોકડી નજીકથી એક કારમાં સવાર આ ત્રણ શખ્સોને ધાર્મિક વિધિનો સામાન 11 લાખ રૂપિયા રોકડા પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં આ ત્રણેય શખ્સોના નામ લતા ઉર્ફે માતાજી જીતયા, ઇમ્તિયાઝ સિંધી, આકાશ શર્મા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શખ્સો તેના અન્ય સાથી સલીમ, શાન્તુજી ઠાકોર, ભરત અને જીવાભા સાથે મળીને ધાર્મિક વિધિની આળમાં બમણાં રૂપિયા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી હતી.

કઇ રીતે આચરતા છેતરપિંડી ?

પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા. જો કોઇ શિકાર તેના સકંજામાં આવી જાય તો તેના રૂપિયા ડબલ થઇ જશે તેવી લાલચ આપતા હતા. આ ટોળકી પહેલા ગ્રાહકને શોધતી હતી બાદમાં આ ટોળકી માતાજી પાસે મુલાકાત કરાવતી હતી અને માતાજી કહેશે તે પ્રમાણે વિધી કરવી પડશે તેવું કહીને તેના ઘરે લઇ જતી હતી.

જ્યાં જે તે વ્યક્તિને વિધી માટે બે મીટર સફેદ કાપડ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ગ્રામ ચવાણું, અઢીસો ગ્રામ પેંડા, બે પાણીની બોટલ, એક સીગારેટના પેકેટ, તૈયાર રાખવાનું કહેતા હતા. બાદમાં નક્કી થયા મુજબ જે તે વ્યક્તિના ઘરે આનંદ શર્માની ટેક્સીમાં માતાજી જતા હતા. ત્યાં પહોંચીને ઘરમાં વચ્ચે સફેદ કપડું રાખીને પહેલા તેમાં ગુલાબના ફુલો પાથરતા હતા અને પછી અગરબતી કરતા હતા અને જેટલા રૂપિયા ડબલ કરવા હોય તે ત્યાં મૂકીને તેને ચાંદલો કરતા હતા. પછી જે તે વ્યક્તિને એક વાસણ લાવવાનું કહીને થોડા સમય માટે બહાર જવાનું કહેતા હતા.

પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકીએ અત્યાર સુધીમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, થરાદ અને સુરતના વરાછા વિસ્તારમાં આ રીતે ૫૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જ્યારે ચાર સ્થળોએ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ તમામ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

હાલમાં પોલીસ આ ટોળકીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી રહી છે અને આ ટોળકીએ સૌરાષ્ટ્રમાં અન્ય કોને કોને શિકાર બનાવ્યા તે દિશામાં પુછપરછ કરી રહી છે. જ્યારે આ ગેંગના બાકીના ફરાર શખ્સોની પણ શોધખોળ કરી રહી છે. આપ પણ થઇ જજો સાવધાન અને રહેજો ખબરદાર શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ક્યાંક આવી ટોળકીના શિકાર ન બની જતા.

આ પણ વાંચો :

ઈડીએ સંજય રાઉતના ઘરેથી જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા, જાણો તમામ વિગત

0

ED seized Rs 11.50 lakh

  • ઈડીએ આજે સવારે શિવસેના નેતા સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. ઈડીને રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયા મળ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના અધિકારીઓએ રવિવારે મુંબઈમાં (Mumbai) પાત્રા ચાલ ભૂમિ કૌભાંડ (Patra Chal Bhoomi scam) મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના (Sanjay Raut) આવાસ પર દરોડા પાડી તેમને કસ્ટડીમાં લીધા છે. સંજય રાઉતના ઘરેથી ઈડીને 11.5 લાખ રૂપિયા મળ્યા છે. ઈડી શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉત પાસે તે પૈસાની જાણકારી માંગી રહી છે કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. ઈડીના એક મોટા અધિકારીએ (senior officer) જણાવ્યું કે સંજય રાઉત તે પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ પૈસાને સીઝ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે.

પરંતુ આ વચ્ચે સંજય રાઉતના વકીલે દાવો કર્યો કે તેમને ઈડીએ કસ્ટડીમાં લીધા નથી. સંજય રાઉતના વકીલે કહ્યું કે ઈડીને કેટલાક દસ્તાવેજ જોતા હતા અને અમને ફ્રેશ સમન્સ આપવામાં આવ્યું. તેને લઈને સંજય રાઉત નિવેદન નોંધાવવા ઈડીની ઓફિસે ગયા છે. ઈડીના અધિકારી સવારે સાત કલાકે સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા. આશરે 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કર્યા બાદ ઇડી અધિકારી તેને સાથે લઈ ગયા હતા.

પહેલા પણ થઈ હતી પૂછપરછ :

ઈડીએ આ વર્ષે 28 જૂને સંજય રાઉતને 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉતની એક જુલાઈએ ઈડીએ પૂછપરછ કરી હતી. ત્યારબાદ વધુ બે વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સંજય રાઉતે તપાસમાં સામેલ હોવાનો ઇનકાર કરતા સંસદના ચોમાસુ સત્રનું કારણ દર્શાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ઈડીએ આ મામલાની તપાસ હેઠળ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તે બે સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપથી ટાંચમાં લીધી હતી.

શું છે સમગ્ર મામલો ?

સંજય રાઉતની પત્ની વર્ષા અને સ્વપ્નાની પાસે અલીબાગમાં એક જમીન હતી જેને તેના સંયુક્ત નામથી ખરીદવામાં આવી હતી. ઈડીને શંકા છે કે સ્વપ્ના પાટકરના અલગ રહેતા પતિ સુજીત પાટકર દ્વારા ધરપકડ કરાયેલા કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલ કૌભાંડથી ડાયવર્ડ કરાયેલા પૈસાથી જમીન ખરીદી હતી. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે.

શું છે ઈડીનો આરોપ ?

એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાની માલિકીવાળા મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગ ભૂમિને અટેચ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ સંપત્તિઓને પ્રવીણ રાઉત દ્વારા ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદી હતી. તો સ્વપ્ના પાટકરના પરિસરોમાં હાલના સર્ચ દરમિયાન ઈડીને અલીબાગની જમીનના દસ્તાવેજ મળ્યા હતા. આ પહેલા ઈડીને આપેલા પોતાના નિવેદનમાં સ્વપ્નાએ જણાવ્યું કે તેના નામનો ઉપયોગ જમીન ખરીદવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર તેનો કોઈ માલિકી અધિકાર નથી અને ભૂમિ પાર્સલની માલિકી સંજય રાઉતના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ કૌભાંડ 1 હજાર કરોડથી વધુનું છે.

આ પણ વાંચો :

૦૧ ઓગસ્ટ ૨૦૨૨ રાશિફળ : 251 વર્ષ બાદ આ 6 રાશિના લોકો પર કૃપા વર્ષાવશે મહાદેવ – થશે ધનનો વરસાદ

0

01 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ‌ૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાયિ વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનીયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઈ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઈ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં પછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

૩૧ જુલાઈ ૨૦૨૨, આજનું રાશિફળ : માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

૩૧ જુલાઈ ૨૦૨૨, આજનું રાશિફળ : માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ‌ૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાયિ વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનીયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઈ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઈ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં પછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :

અર્પિતા મુખર્જીની 4 લક્ઝરી ગાડીઓ ગાયબ, મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા હોવાની આશંકા, ED તપાસમાં લાગી

0

Arpita Mukherjee’s 4 luxury cars missing

  • આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે.

શિક્ષક ભરતી કૌભાંડમાં (Teacher recruitment scam)આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee) ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની (Arpita Mukherjee)મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ (A luxury car) ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે.

ઇડી (Enforcement Directorate) આ આખાએ મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે આ દરમિયાન ઇડીએ અર્પિતાની એક મર્સિડીઝ કારને જપ્ત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ડાયમંડ સિટીથી જે કાર ગાયબ થઇ છે તેમાંથી બે કાર અર્પિતા મુખર્જીના નામે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઇડીએ અર્પિતાના એક ફ્લેટથી લગભગ 28 કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી કથિત સ્કૂલ ભરતી કૌભાંડમાં અર્પિતાની ધરપકડ કરી ચુકી છે.

સરકારી સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં થયેલા કથિત શિક્ષક ભરતી કૌભાંડ સમયે પાર્થ ચેટર્જી પાસે શિક્ષા વિભાગનો પ્રભાર હતો. આ પછી તેમની પાસેથી આ પ્રભાર લઇ લેવામાં આવ્યો હતો.

કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળાને મળી મંજૂરી, પરંતુ પશુ મેળો નહિ યોજાય

0

The famous swimming

  • બે વર્ષ બાદ યોજાશે સુરેન્દ્રનગરનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો, સરકારે મેળાના આયોજનને આપી મંજૂરી, લમ્પી વાયરસના ફેલાવાને જોતાં પશુ મેળો નહીં યોજાય.

બે વર્ષ કોરોના કહેર વચ્ચે ગુજરાતના લોકમેળાને (Lok Mela of Gujarat) પણ મંજૂરી અપાઈ ન હતી. ત્યારે આ વર્ષે લોકો લોકમેળાનો થનગનાટ માણવા તૈયાર છે. રાજકોટના (Rajkot) લોકમેળાને મંજૂરી અપાયા બાદ ગુજરાતના વધુ એક પ્રખ્યાત મેળાને મંજૂરી અપાઈ છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું (Bhatigal Lok Mela) આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા તરણેતરના મેળાને મંજૂરી આપી દેવાઈ છે.

2 વર્ષ બાદ વિશ્વ જગવિખ્યાત તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે. તમામ પ્રકારની મેળા અંગેની મંજૂરી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. જોકે, લમ્પી વાયરસનાં ચેપને ધ્યાને રાખીને એક નિર્ણય લેવાયો છે કે, તરણેતરરના મેળામાં પશુમેળો નહિ યોજાય.

દેશ વિદેશથી પર્યટકો આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઉમટતા હોય છે, ત્યારે આ વર્ષે વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. મેળાના આયોજન અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ક્યારે યોજાય છે તરણેતરનો મેળો :

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આ મેળો યોજાય છે. દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ મેળો યોજાય છે. રાજ્ય સરકારે આ મેળાને વર્લ્ડ ફેમસ બનાવ્યો. તેમજ અહી પશુ પ્રદર્શન હરીફાઈ યોજીને તેને ધબકતો કર્યો. પશુપાલન વિભાગ દ્વારા 2008 ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈનો પ્રારંભ કરવામા આવ્યો હતો.

આ પણ વાંચો :-

ભરતસિંહ સોલંકીનો વનવાસ પૂરો, ફરી સક્રિય રાજકારણમાં આવશે

0

Bharat Singh Solanki

  • ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.

ગુજરાતની રાજનીતિના (Politics) મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ (Bharat Singh Solanki) ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના (Madhav Singh Solanki) જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં જાહેરાત કરી છે. આ સાથે જ ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) પણ હાજર હતા. નોંધનીય છે કે, અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.

ભરતસિંહ સોલંકીના રાજકરણમાં સક્રિય થવાની જાહેરાત કરાયા બાદ આ મામલે પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભરતસિંહ સોલંકી પાર્ટીના સિનિયર નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાં બ્રેક લીધું હતું. તેઓ અમારા સિનિયર નેતા છે. રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. પાર્ટીએ ક્યારેય એમને રાજકારણથી દૂર થવા નહોતું કીધું.

થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમ માટે બ્રેક લીધો છે. જે બે-ત્રણ કે છ મહિનાનો હોઇ શકે છે.

બ્રેક લેતી વખતે તેમણે આ નિર્ણયને પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો હતો, નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો. તેમણે કહ્યું હતું કે, જે વાદલો ઉભા થયા છે તેને ઠરવા દેવા. હું સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું. સમાજના લોકો સાથે પ્રવાસ કરશે અને સામાજિક રીતે કામગીરી કરતો રહીશ.

આ પણ વાંચો :-

વિન્ડીઝ પ્રવાસની વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને આવ્યાં સારા સમાચાર, આ ઘાતક બોલર ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે

0

Good news for Team India

  • વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમનો મજબૂત ઓલરાઉન્ડર ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ફાસ્ટ બોલર ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો અને ઈજાના કારણે આઈપીએલ પણ રમી શક્યો ન હતો. ટી20 વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીની વાપસી ટીમ માટે સારો સંકેત હોઈ શકે છે. એક પૂર્વ ભારતીય ખેલાડીએ આ ખેલાડીની વાપસી અંગે માહિતી આપી છે.

આ ખેલાડી ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે :

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહર લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતા, પરંતુ હવે તે ટીમમાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ભારતીય સ્પિનર ​​અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના પુનરાગમનની માહિતી આપી છે. દીપક ચહર સાથેનો ફોટો શેર કરતા અમિત મિશ્રાએ લખ્યું, ‘ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર. દીપક ખૂબ જ જલ્દી ફિટ છે અને ટીમ ઈન્ડિયા અને CSK માટે રમવા માટે તૈયાર છે.’ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલા તેનું ફિટ હોવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

6 મહિના પહેલા ઈજા થઈ હતી :

29 વર્ષીય દીપક ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20I શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સે દીપકને મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે આખી સિઝન માટે IPLમાંથી બહાર હતો. ઈજા બાદ હવે તેનો પ્રયાસ ફરીથી ફિટનેસ મેળવવા અને ટી20 વર્લ્ડ કપ 2022ની પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

આ પણ વાંચો :-

હંમેશા આ પુરાવો સાથે રાખજો નહિતર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે 

0

Always keep this proof

  • PUC પ્રમાણપત્ર એક વર્ષથી જૂના વાહનો માટે માન્ય છે. કોઈપણ નવા વાહનને એક વર્ષ માટે પ્રદૂષણ પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. PUC જાળવવામાં નિષ્ફળતા 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરી શકે છે.

કેન્દ્રીય મોટર વાહન (Central motor vehicle) નિયમો 1989 હેઠળ ભારત સરકારે PUC (અંડર પોલ્યુશન કંટ્રોલ) પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. નોંધણી પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વીમા પોલિસીની જેમ આ PUC પ્રમાણપત્ર તમામ વાહનો માટે ફરજિયાત છે પછી તે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર.

PUC પ્રમાણપત્ર એક વર્ષથી જૂના વાહનો માટે માન્ય છે. કોઈપણ નવા વાહનને એક વર્ષ માટે પ્રદૂષણ પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. PUC જાળવવામાં નિષ્ફળતા 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરી શકે છે. આ દસ્તાવેજના મહત્વને ધ્યાનમાં રાખીને, અમે PUC પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજાવીએ છીએ.

PUC પ્રમાણપત્ર શું છે ?

પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતા વાહનો સળગતા વાયુઓના સ્વરૂપમાં ધુમાડો છોડે છે. જેમાં CO2, NOx જેવા હાનિકારક વાયુઓનો સમાવેશ થાય છે. તે દરેક માટે હાનિકારક હોઈ શકે છે. PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર અથવા વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર એ અધિકૃત પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રો દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે. જે વાહનમાંથી ઉત્સર્જનનું સ્તર દર્શાવે છે. આ કેન્દ્રો વાહનના ઉત્સર્જનનું પરીક્ષણ કર્યા પછી અને આ ઉત્સર્જન સરકાર દ્વારા નિર્દિષ્ટ સ્વીકાર્ય ધોરણોની અંદર છે તેની ખાતરી કર્યા પછી આ પ્રમાણપત્ર જારી કરે છે.

PUC પ્રમાણપત્ર આ રીતે બનાવી શકાય છે :

તમે સરકારી અધિકૃત પીયુસી કેન્દ્રો અને આરટીઓ જેવી અધિકૃત સંસ્થાઓ પાસેથી ઑનલાઇન અથવા ઑફલાઇન બનાવેલ માન્ય PUC પ્રમાણપત્ર મેળવી શકો છો. તમે તમારું PUC પ્રમાણપત્ર ઑફલાઇન અથવા ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો.

તમે આ રીતે PUC પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો :

સૌથી પહેલા તમારી કારને નજીકના PUC સેન્ટર પર લઈ જાઓ અને તેની તપાસ કરાવો. PUC ઓપરેટર એક્ઝોસ્ટ પાઇપનું નિરીક્ષણ કરશે અને વાહનનું ઉત્સર્જન સ્તર નક્કી કરશે. સેવા શરૂ કરવા માટે PUC કેન્દ્રને ચૂકવણી કરો. આ પછી, તમે પરિવહન સેવાની વેબસાઇટ પર જાઓ, જ્યાં તમે PUC પ્રમાણપત્રનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો અને તેની ફોટો કોપી પણ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :-