Home Blog Page 1362

અસલી ઠાઠ તો સુરતીઓનો, ભઈલું માટે બનાવડાવે છે 10 લાખની ‘ટુ ઈન વન’ રાખડી

0

Surti’s ‘two in one’ rakhi

  • આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે.

ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતું સુરત શહેરમાં (Surat city) હવે તહેવારોમાં પણ ચકળાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં રક્ષાબંધનનો પર્વ પણ ડાયમંડ અને ગોલ્ડ રાખડીઓથી (Diamond and Gold Rakhi) ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાલમાં જે રીતે ગોલ્ડના ભાવ ઘટ્યા છે. ત્યારે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સુરતના જ્વેલર્સ (Jewelers of Surat) દ્વારા ગોલ્ડ તથા ડાયમંડની રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડીઓની કિંમત રૂ.4,00,000 થી 10 લાખ સુધીની છે.

હાલ બજારમાં આ બંને રાખડીઓની સારી ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ રાખડી મલ્ટી પર્પઝ છે. કારણે તેને પેન્ડન્ટ અને લુઝ તરીકે પણ ભાઈ બાદમાં પહેરી શકે છે. ભાઈ અને બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર અવનવી રાખડીઓ બાંધતી હોય છે.

ત્યારે આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. જ્વેલરી શોપના માલિક દિપક ચોક્સી કહે છે કે, આ રાખડીઓની ખાસિયત એ છે કે રક્ષાબંધનના પર્વ બાદ તેને રક્ષાબંધન બાદ પેન્ડન્ટ અને હાથના લુઝ તરીકે પણ ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત આ રાખડીની ડિઝાઇન ખૂબ જ સુંદર અને આકર્ષણ રીતે બનાવવામાં આવી છે. હાલ રૂપિયા 4,00,000 થી લઈ 10 લાખ સુધીની રાખડીઓ ડિસ્પ્લે માં મુકવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જે રીતે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊંચું આવ્યું છે ત્યારે આ વખતે લેબગ્રોન ડાયમંડથી પણ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓરિજિનલ ડાયમંડ જેવો જ લુક જોવા મળી રહ્યો છે. મુંબઈથી સ્પેશિયલ યુવતીઓ પોતાના ભાઈ માટે ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ પસંદ કરવા સુરત આવી પહોંચી છે.

અહીં તેમને અવનવી અને સુંદર રાખડીઓ પણ જોવા મળી હતી. ગોલ્ડનો ભાવ ઓછો થતા હાલ ઇન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે બહેનો ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ વધુ પસંદ કરી રહી છે. આ રાખડીની ખરીદીથી તેમને જીવનભર બહેનની યાદ પણ આવતી રહેશે. હાલ તો માર્કેટમાં આ બંને રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ અને જોડી શકે છે ભાજપમાં 

0

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ અને જોડી શકે છે ભાજપમાં

  • કોંગ્રેસને ચૂંટણી પહેલાં લાગશે ઝટકો. પૂર્વ સાંસદ રાજુ પરમાર અને પૂર્વ મંત્રી નરેશ રાવલ છોડશે કોંગ્રેસ. બંને નેતાઓ જોડાઈ શકે છે ભાજપમાં.

આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે કપરા ચઢાણ બની રહેવાની છે. કારણ કે, એક તરફ ભાજપને ટક્કર, બીજી તરફ આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રી અને ત્રીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે કોંગ્રેસ.

કોંગ્રેસ હાલ એકસાથે અનેક મોરચે લડી રહ્યું છે. પરંતુ પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડવાની (Quit Congress) તૈયારીમાં છે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ (Former Home Minister Naresh Rawal) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર નારાજ થયા છે. પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને 17 ઓગસ્ટ ભાજપનો ખેસ પહેરશે. બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.

આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે. જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે.

મહત્વનું છે કે, રાજ્યસભાની 2019માં ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ કેસરીયો ધારણ કર્યો છે.

ભાજપ તરફ પલાયન કોંગ્રેસને ભારે પડી શકે છે :

કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી વલણ કોંગ્રેસને ભારે પડી શકે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદ અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. સાથે જ કોંગ્રેસ મોવડીઓ પણ ‘જતા હોય તો જવા દો’ એમ કહીને જાણે પોતે જ પક્ષની દશા બેસાડવા બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હજી પણ બે દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યાં છે. છતાં પક્ષને કંઈ પડી નથી. જો આવું ને આવુ ચાલતુ રહ્યું તો કોંગ્રેસ પોતાના જ નેતાઓનો વિશ્વાસ ગુમાવી દેશે.

નરેશ રાવલની નારાજગીનું કારણ શંકરસિંહ વાઘેલા :

કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી આંતરિક વિવાદ ઉભો થયો છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી નરેશ રાવલ નારાજ થયા છે.

રઘુ શર્માને પોતાનુ જ નિવેદન ભારે પડ્યું :

રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. સોમનાથની મુલાકાતમાં રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સટાસટી, ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા, PSI ઈજાગ્રસ્ત

Clash between police and raiding

  • કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે.

બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ (Rajkot) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot special operation group)ની સતર્કતાને કારણે લૂંટ, હત્યા સહિતની ઘટના બનતા અટકી છે. રાજકોટ શહેરના પોશ એરિયા સમાન અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-2માં રાજેશભાઈ પટેલ (Rajeshbhai Patel)ના મકાનમાં ત્રીજી તારીખના રોજ રાત્રિના અઢી વાગ્યા અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી.

ધાડપાડુ ગેંગના સભ્યો આ સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના લોકોને મળી હતી. ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજો ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા ગેંગના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

 સમગ્ર મામલે હાલ માલવીયા નગર પોલીસ મથકમાં આઇપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં સર્વે પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા.

ગેંગના સભ્યો દ્વારા પોતાની સાથે લાવવામાં આવેલા અણીદાર પથ્થર સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ફાયરિંગના બનાવવામાં ગેંગના બે જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો બાકીના બે જેટલા સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી છે.

પોલીસે ગુનાના કામે આરોપીઓ પાસે રહેલા ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. જ્યારે કે સમગ્ર બનાવમાં પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ફરિયાદી પરિવારે જણાવ્યું છે કે, ભગવાન દ્વારકાધીશ પર અમને ખૂબ મોટો ભરોસો છે.

પોલીસ તમારા માટે કાળિયો ઠાકર બનીને આવી હતી. જો પોલીસ ન આવી હોત તો અમારા ઘરે ન બનવાની ઘટના બની હોત. અમે સમગ્ર મામલે સીપી સાહેબ, ગૃહ મંત્રી સહિતનાઓનો આભાર માનીએ છીએ.

 પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. આરોપીઓ સીસીટીવીમાં ન આવે તે માટે ગુનાખોરીને અંજામ આપતા પૂર્વે કેટલાક સીસીટીવી ઢાંકી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે હાલ માલવીયા નગર પોલીસ મથકમાં આઇપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં સર્વે પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. આરોપીઓ સીસીટીવીમાં ન આવે તે માટે ગુનાખોરીને અંજામ આપતા પૂર્વે કેટલાક સીસીટીવી ઢાંકી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે ચોરી થતી અટકાવવાની સાથે સાથે બે આરોપીની ધરપકડ પણ કરી છે. બે આરોપી હાલ સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર

Oh my God ! If the plastic

  • ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું.

ફાર્મા પ્રોડક્ટસના (Pharma Products) પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું છે. ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક (Plastic) અને સમયાંતરે પ્રોડક્ટમાં આ પ્લાસ્ટિક ભળી જવા અંગેના સંશોધનની પેટન્ટને મંજૂરી મળી છે. ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટન્ટને મંજૂરી આપવામાં આવી

જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે રિસર્ચ કર્યું છે. ડો. કશ્યપ ઠુમર આ રિસર્ચ વિશે જણાવે છે  કે, 4 વર્ષની મહેનત અને પરિણામો બાદ અમને પેટન્ટ મેળવવામાં સફળતા મળી છે. પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો તેની વિવિધ આડ અસરો થતી હોય છે.

હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો થવાની શક્યતા રહે છે. પરિણામ જોયા છે એ મુજબ ફાર્મા પ્રોડક્ટસ અને રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો જરૂર કરતા વધારે ઉપયોગ ટાળવો જોઈએ, જેથી પ્લાસ્ટિક દ્વારા થતી આડ અસરોને ટાળી શકાય.

તેમણે ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેક્નિક (HPTLC) દ્વારા શોધ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ દવાનું પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો, એ પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટસમાં સમયાંતરે ભળી જાય છે. અને જો આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનીકથી જાણી શકાય છે.

આ રીસર્ચ માટે ડો ઠુમ્મર અને જીટીયુના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય એ હવે સમયની માંગ બની છે.

આ પણ વાંચો :-

અદાણીએ PNG ના ભાવ તોતિંગ વધારી દીધા, હવે 89.60 રૂપિયા વધુ ચૂકવવા પડશે

0

Adani has hiked PNG price

  • લોકોના બજેટ પર વધુ એક માર. અદાણી ગેસે અદાણી PNGના ભાવમાં 89.60 રૂપિયાનો કર્યો વધારો.

કમરતોડ મોંઘવારી (inflation) લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે Adani એ CNG ના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે અદાણીએ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી નવો ભાવ લાગુ પડશે.

અદાણી CNG બાદ હવે PNG પણ મોંઘું થયું છે. હવે તમને અદાણી ગેસના 89.60 રૂપિયા વધારે ચૂકવવા પડશે. અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયા થયો છે. હવેથી 1.60 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા ચૂકવવા પડશે.

અગાઉ જુલાઈમાં PNG માં અદાણીએ વધારો કર્યો હતો, ત્યારે ફરી ઓગસ્ટમાં ભાવવધારો લાગુ કર્યો છે. અગાઉ જુલાઈમાં અદાણીએ PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો. જુલાઈમાં અદાણી ગેસ દ્વારા 1.60 MMBTU સ્લેબમાં પણ 10 પોઇન્ટનો ઘટાડો કરી 1.50 MMBTU કરી નાંખ્યું હતું.

અદાણી CNG નો ભાવ 85.89 રૂપિયા થતા ધીરે ધીરે પેટ્રોલ – ડીઝલના ભાવ તરફ વધી રહ્યો છે આગળ તો હવે PNG માં ભાવવધારો થતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :

ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ

Gujju boy’s brilliant performance

  • કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

કોમનવેલ્થ ગેમ્સ 2022નું (Commonwealth Games 2022) આયોજન બર્મિંગહામ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં (Table tennis) ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1 થી હરાવ્યું છે. ભારત માટે ડબલ્સમાં હરમીત દેસાઈ (Harmeet Desai) અને સાથિયાન જ્ઞાનશેખરને (Sathiyan Gnanasekhar) દમદાર પ્રદર્શન કરી યોંગ ઇઝાક ક્વેક અને યુએન કોએન પેંગને હરાવ્યા.

મેન્સ સિંગલ્સની સરખામણીએ હરમીત દેસાઈએ સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તમને જણાવી દઈએ કે, હરમિત દેસાઈ ગુજરાતના સુરતનો રહેવાસી છે. હરમિત દેસાઈએ ગુજરાતની સાથે દેશનું નામ રોશન કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 11 મેડલ મળ્યા છે. જેમાં પાંચ ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટેબલ ટેનિસમાં હરમીતની જીતને માતાપિતાએ વધાવી હતી.

જોકે, હરમીત દેસાઈનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ નથી. પરંતુ અગાઉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ અને કોમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ જીતી ચુક્યો છે. ત્યારે ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈના ભાઇને આ રમતનો શોખ છે.

હરમિતના મોટા ભાઈએ શરુઆતમાં તેને ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ તેની રમત વિકસી અને તેને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી. વર્ષ 2019 માં તેને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. હરમીત આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન રમતમાં મેડલ જીત્યા છે.

આ પણ વાંચો :

દરરોજ ખાલી પેટ ગળી જાઓ લસણની બે કળીઓ, આ જીવલેણ બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે

Swallow two cloves of garlic

  • લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. લસણમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને તમામ રોગોથી બચાવવામાં મદદરૂપ હોય છે. અહીં જાણો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા.

આયુર્વેદમાં લસણને ઔષધી (Garlic is medicinal) ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન (Allicin) નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક (Beneficial) છે.

એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે. આવો જાણીએ લસણના તમામ ફાયદાઓ વિશે.

પેટની સમસ્યાઓ થાય છે દૂર :

આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લસણની બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે ગળવામાં આવે તો પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે :

લસણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારું શરીર તમામ રોગો સામે લડવામાં સક્ષમ બને છે. શરીરને ડિટોક્સિફાય કરવાથી તમારા શરીર અને તમારી ત્વચા બંનેને ઘણા ફાયદા થાય છે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે  :

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણ ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ લોહીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જેમને ડાયાબિટીસ નથી તેઓ રોજ સવારે લસણનું સેવન કરે તો ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.

આ પણ વાંચો :-

3 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ : બુધવારના રોજ આ 7 રાશિના જાતકો પર ગણેશજીની અસીમ કૃપા રહેશે, થશે ધનલાભ

3 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષ :
શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ :
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર કોસ્મેટીકસના ધંધામાં લાભ.

‌મિથુન :
વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા, આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાયએનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહ :
આર્થિક પાસુ મજબુત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગતિ. નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યા :
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા :
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિક :
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર :
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ :
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો માતૃસુખ વધે.

મીન :
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

હવે ગરબા રમવું મોંઘુ પડશે, સરકારે પાસ પર લગાવ્યો 18 ટકા GST

0

Now playing garba will be expensiv

  • રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે.

ગુજરાતીઓ (Gujarati) ગરબા પાછળ ઘેલા છે. ગુજરાતીઓના શ્વાસમાં ગરબા ધબકે છે. એવો કોઈ પ્રસંગ નહિ હોય જ્યાં ગુજરાતીઓ ગરબે ઝૂમતા ન હોય. કોરોનાના બે વર્ષ બાદ આખરે લોકોને નવરાત્રિ (Navratri) ઉજવવાનો મોકો મળી રહ્યો છે, પરંતુ અત્યારથી ઉત્સાહનો રંગ ફિક્કો દેખાઈ રહ્યો છે. કારણ કે, 2022 માં નવરાત્રિ તો ઉજવાશે, પરંતુ ગરબાના પાસ (Garbana Pass) પર GST લાગુ કરાયો. જેથી હવે ગરબા કરવુ મોંઘુ પડશે.

પાસ પરથી GST હટાવવા માંગણી કરી :

રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે. અને ડેઈલી પાસ 499 થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય. ત્યારે ગરબા ખેલૈયાઓમાં ટિકિટ વધવાના સમાચારથી નિરાશા જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરાય છે.

ત્યારે પાસના ભાવ વધવાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયા છે. એક તો બે વર્ષ બાદ તેઓને ગરબા આયોજનની તક મળી છે, તેમાં પણ જો ટિકિટના ભાવ વધુ હશે તો ખેલૈયાઓ પાસ ખરીદશે નહિ, જેથી તેમની આવક પર અસર પડશે. ત્યારે આયોજકો અને ખેલૈયાઓએ ગરબાના પાસ પરથી GST હટાવવા માંગણી કરી છે.

વડોદરામાં 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે. રાજકોટમાં 50,000થી વધારે ખૈલેયાઓ ગરબે ઘૂમે છે. અમદાવાદમાં 4થી 5 લાખ ખેલૈયોઓ ગરબે રમે છે. તો સુરતમાં પણ 1 લાખથી વધારે લોકો ગરબે ઝૂમે છે. આ તમામ લોકોને આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના વધુ રૂપિયા ચૂકવવા પડશે.

યુનાઈટેડ વેની ટિકિટ પર જીએસટી :

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બાદ હવે ગરબા રમવા પર 18 ટકા GST લાગ્યો છે. વડોદરામાં ગરબાના પાસ પર 18 ટકા GST લગાવાયો છે. યુનાઈટેડ વેના ગરબા આયોજકોએ પાસનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પાસની કિંમત પર GST લગાવ્યું છે. અંદાજિત 4100 રૂપિયાના પાસ પર 738 રૂપિયા GST વસૂલાય છે.

AAPનો જીએસટી પર વિરોધ :

ગરબાના પાસ પર જીએસટી લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ દર્શાવ્યો છે. AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ કે, ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની પરંપરાનું અપમાન છે. ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ.

કોંગ્રેસનો વિરોધ  :

ગરબાના પાસ પર GST લાગતાં વડોદરામાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. વડોદરા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 18 ટકા GST પાછો લેવા માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ચૂંદડી ઓઢી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ વિશે કહ્યુ કે, વડોદરા સંસ્કારી નગરી છે એ નગરીમા જ્યારે માતાનો તહેવાર, માતાજીની ભક્તિ કરવાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની ભાજપની સરકાર દ્વારા તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીની ભક્તિ અને આરાધના કરવા પર પણ જો તમે જીએસટી લગાવતા હોવ તો શું કહેવું.

આ પણ વાંચો :-

દિલ્હીમાં દેશી દારૂ વેચનારા તમામ દુકાનદારોને વધુ 2 મહિનાનું એક્સટેન્શન અપાયું

0

All shopkeepers selling country liquor in Delhi have been given an extension of 2 more months

  • શરાબ વેચનારાઓ અને શરાબના શોખીનો માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હી સરકારે રાજધાનીમાં દેશી દારૂ વેચતી બધી દુકાનોને વધુ બે મહિનાનું એક્સટેન્સન આપવાનો આદેશ જાહેર કર્યો છે.

કેજરીવાલ સરકારે (Kejriwal Govt) નવી આબકારી નીતિનો એક મહિનો વધારતા L-3/33 લાયસન્સ હેઠળ દેશી શરાબના (country liquor) વેચાણ માટે લાયસન્સ સમયગાળાને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે.

આબકારી વિભાગના મહાપ્રબંધક અજય કુમાર ગંભીરે તેની જાણકારી આપી છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં દેશી દારૂના સપ્લાય માટે L-3/33 લાયસન્સ વધુ બે મહિના માટે એટલે કે 1 ઓગસ્ટ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી રહ્યું છે.

L-3 લાયસન્સધારી જે પોતાની નોંધાયેલી બ્રાન્ડોની હાલની કિંમત પર વેચાણ કરવા માટે 01 ઓગષ્ટ 2022થી 30 સપ્ટેમ્બર 2022 સુધી બે મહિનાના આ વિસ્તારિત સમયનો લાભ ઉઠાવવા માટે ઈચ્છુક છે. તેઓએ બે મહિનાની ફી એટલે કે લાયસન્સ ફી, BWH ફી જમા કરાવવાની રહેશે. જોકે, આવા બિન-નવીનીકરણીય લાઈસન્સ ધરાવનાર કોઈપણ વ્યક્તિ તેના લાયસન્સના વિસ્તરણ માટે આવી ઓફર સ્વીકારવા માટે બંધાયેલો રહેશે નહીં.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ચાલી રહેલી ખાનગી દુકાનોનું લાયસન્સ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગયુ છે. તેને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે ખાનગી દારૂની દુકાનોને સપ્ટેમ્બર સુધી ખોલવાની અનુમતિ આપી દીધી છે. કારણ કે, સરકારી દારૂની દુકાનોને શરૂ થવામાં હજુ વધુ સમય લાગશે.

આ અગાઉ  શનિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વર્તમાન વિવાદ વચ્ચે દિલ્હી નવેમ્બર 2021થી પહેલા વાળી પોલિસી જ લાગુ કરશે. એટલે કે, દિલ્હીમાં ફરી સરકારી દારૂના કોન્ટ્રાક્ટ ચાલશે અને ખાનગી કોન્ટ્રાક્ટ બંધ થઈ જશે. પરંતુ આમ કરવા માટે કેબિનેટના આદેશની જરૂર પડશે અને તે માટે થોડો સમય લાગશે.

આ પણ વાંચો :-