Home Blog Page 1355

બિહારનાં રાજકારણમાં આવ્યો મોટો વળાંક , ભાજપ હાઇ કમાન્ડે લાલુ પરિવારને કર્યો ફોન 

0

Big turning point in Bihar politics

  • બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.

બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political upheaval) વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભાજપ હાઈકમાને પોતાના કટ્ટર વિરોધી આરજેડીના ચીફ લાલુ યાદવના (Lalu Yadav) પરિવાર સાથે વાતચીત કરી છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ત્યારે ભાજપ અને નીતિશકુમાર (Nitishkumar) વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે.

બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે. આ બધા વચ્ચે આરજેડીએ પોતાના તમામ વિધાયકોને કહ્યું છે કે આગામી 3-4 દિવસ પટણામાં જ રહે.

બીજી બાજુ આવો જ આદેશ કોંગ્રેસે પણ પોતાના વિધાયકોને આપ્યો છે. આરજેડીને લેફ્ટના ધારાસભ્યોનો પણ સાથ મળી રહ્યો છે. પરંતુ ભાજપ હાઈકમાન તરફથી લાલુ યાદવના પરિવારને કરાયેલા ફોને બધાને ચોંકાવી દીધા છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બિહારમાં મહારાષ્ટ્રવાળી ગેમ થવાની તૈયારી હતી. સીએમ નીતિશકુમાર માટે આરસીપી સિંહ એકનાથ શિંદે બનવાના હતા. પરંતુ તે પહેલા જ નીતિશકુમારે સ્થિતિ જાણી લીધી અને આરસીપી સિંહે જેડીયુથી અલગ થવું પડ્યું. કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા આરસીપી સિંહને જેડીયુ તરફથી ફરી રાજ્યસભા સભ્ય ન બનાવવા પાછળ પણ આ જ કારણ કહેવાઈ રહ્યું છે. ભાજપ સાથે વધેલી આરસીપી સિંહની નીકટતા જેડીયુને ગમી નહીં.

આ બધા વચ્ચે કોંગ્રેસની બિહાર શાખાએ રાજ્યમાં રાજકીય ફેરફારની અટકળો વચ્ચે એક ડગલું આગળ વધતા નીતિશકુમાર જો ભાજપ સાથે નાતો તોડે તો તે પરિસ્થિતિમાં તેમને બિનશરતી સમર્થનની જાહેરાત કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી (AICC) સચિવ અને પાર્ટી ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું કે તમામ પાર્ટી ધારાસભ્યોએ સર્વસંમતિથી નીતિશકુમારના ભાજપ સાથે નાતો તોડવાની સ્થિતિમાં અસ્તિત્વમાં આવનારા નવા સમીકરણનું સમર્થન કરવાનો સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત ! કન્ફર્મ ટિકિટ સાથે કેટલાંક MLAs કેસરિયા કરે તેવી શક્યતા

0

Signs of newness in Saurashtra

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરી શકે છે કેસરિયા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને (Saurashtra Congress) પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના MLA ગમે ત્યારે કેસરિયા (Saffron) કરી શકે છે.

17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત :

જણાવી દઇએ કે, તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક MLAs (ધારાસભ્યો) કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ ખેડવવા ભાજપની વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે.

નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ કેસરીયો ધારણ કરશે :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election) નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટાની મૌસમ પણ જામી છે. ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ ભાજપનો (BJP) કેસરીયો ધારણ કરશે.

ભાજપમાં જોડાનારા બે દિગ્ગજોએ CM સાથે કરી હતી મુલાકાત :

આ બંને નેતાઓએ 6 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને PM મોદીના નેતૃત્વમાં તેઓએ ભાજપમાં જોડાઇ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે આ બંને નેતાઓ 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

બે દિગ્ગજોએ PM સાથે પણ કરી હતી મુલાકાત :

એ સિવાય આ બંને નેતાઓએ દિલ્હીમાં PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો :-

 

મહોરમમાં માતમ છવાયો ! તાજિયા વીજવાયરને અડી જતા 15 ને કરંટ લાગ્યો, 2 યુવકોના કમકમાટીભર્યાં મોત

0

Mourning in Muharram

  • જામનગરમાં મહોરમની રાત્રે ઝુલુસમાં લોકોને વીજશોક લાગતા 15 લોકો દાઝ્યા, સારવારમાં 2 યુવાનોનાં મોત થતાં મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ.

જામનગરમાં (Jamnagar) મહોરમનો તહેવાર જોતજોતામાં દુખમાં ફેરવાયો હતો. મહોરમના તહેવારની રાતે વીજ કરંટ (Electric current) લાગવાની ગોઝારી દુર્ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જુલુસ સમયે વીજ કરંટ લાગતે 15 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં બે યુવકોના મોત નિપજતા મુસ્લિમ સમાજમાં (Muslim society) ગમમીની છવાઈ છે.

જામનગર શહેરના ધરારનગર વિસ્તારની ગત મોડી રાતે આ ઘટના બની હતી. ધરારનગરમાં સોમવારની રાતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો. જેથી નીચે કરંટ પ્રસરતા અંદાજે 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતરફી ફેલાઈ હતી. ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ ઘટનામાં 2 મુસ્લિમ યુવાનોના દુઃખદ ઘટનામાં કરૂણ મોત નિપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોંચ્યો હતો. હાલ 12 જેટલા યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ મહોરમની રાતે ગોઝારી ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો :-

સુરતના અમરોલી વિસ્તાર યુવક પોતાનો જન્મદિવસની ઉજવણી કરે તે પહેલાં જ કરપીણ હત્યા

Surat’s Amroli area youth murdered

  • ગુનાખોરીના નામે સુરતની ઓળખ હવે ઊભી થવા માંડી છે. સતત સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો છે તેમાં પણ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

સુરત (Surat)ના અમરોલી વિસ્તાર (Amroli Area)માં રહેતા યુવક જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા તેની હત્યા (Murder)ની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે મિત્ર સાથે થયેલા સામાન્ય અકસ્માત (Accident)માં સામેવાળા વ્યક્તિને મારવા ગયેલા મુકેશ નામના યુવકની સામે રહેલા યુવકોએ હત્યા (Amroli Murder) કરી નાંખતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

ગુનાખોરીના નામે સુરતની ઓળખ હવે ઊભી થવા માંડી છે. સતત સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો છે તેમાં પણ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા સુરતમાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો મુકેશ નામનો યુવક મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા જ હત્યા કરી નાખવામાં આવી હતી.

મુકેશના બે મિત્રો સાથે રાત્રે અમરોલી વિસ્તારમાં આવેલા આવાસ પાસેથી પસાર થતા હતા. જ્યારે છૂટું નામનો એક વ્યક્તિ ગાડી સાથે બે મિત્રો રાખી જઇ રહ્યો હતો. આ બાબતે ઝઘડો થયો હતો કે ઝઘડા બાદ છોટુ અને મુકેશના મિત્રો વચ્ચે સમાધાન થયું હતું.

પણ થોડીક વારમાં મુકેશના મિત્રો અન્ય મિત્રો સાથે છોટુને મારવા માટે પહોંચ્યા હતા ત્યાં  જ્યાં છોટુ સાથે મારામારી શરૂ થઈ હતી ત્યારે છોટુએ આવેશમાં આવી જઈ પોતાના સ્વરક્ષણ માટે એને મારવા આવેલા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન વચ્ચે આવી ગયેલા મુકેશ નામના યુવકને આ ઘાતક હથિયાર વાગી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. મુકેશ પરમાર નામના યુવકના મોતના સમાચાર મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા થવા પામી હતી.

જો કે હત્યાની ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનારા ચારમાંથી છૂટું નામના વ્યક્તિની પોલીસ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જો કે છૂંટુ સાથે રહેલા અન્ય ત્રણ લોકોની પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

‘તું ડર મત, તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે’ કહી યુવતીએ વેપારીના કપડાં કઢાવ્યાં પછી…

After saying ‘Tun dar mat, tera proof

  • યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર (Honeytrap hunting) બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી (Dating app) વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી ખેલ શરૂ કર્યો. પછી ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને બળાત્કારના કેસ (Rape cases) કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી હતી.

ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં દેખાતી સ્વરૂપવાન યુવતીનું નામ કવિતા નાયક છે. તેની સાથે રમેશ સુથારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને જણાએ પોતાના એક સાગરીત સાથે મળીને વેપારીને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતાં વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. 12 દિવસ પહેલા કવિતાએ વેપારીને મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા વેપારી ઘરે ગયો હતો.

જે બાદ 28મી જુલાઈએ કવિતાએ ફરી વેપારીને મેસેજ કરીને પતિ સુરત શહેર જતા રહ્યા છે તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. 29 મી જુલાઈએ વેપારી યુવતીના ઘરે ગયા હતા. ત્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે સમયે અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલ વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી. બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હતી.

વેપારીએ અત્યારે પાંચ લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી વેપારીએ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને નીકળી ગયા હતા.

પહેલી ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર વેપારીને એક મેસેજ આવ્યો હતો, જેમાં તું ડર મત તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ રહા હૈ, તેવું જણાવીને ફરિવાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં બંને આરોપીઓ ફરિવાર પૈસાની માંગ કરે તેવો ડરનાં આધારે તેઓએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે પોલીસે કવિતા નાયક નામની યુવતી અને રમેશ સુથારની ધરપકડ કરી આ ગુનામાં સામેલ ભાવેશ નામના આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે. સાથે આ ટોળકીએ આ રીતે અન્ય કોઈ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલી યુવતીની પ્રાથમિક તપાસમાં તેનો પતિ સેસન્સ કોર્ટમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વેપારીએ જે ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા તે કવિતાના પતિના ખાતામાં જ ટ્રાન્સફર થયા હોય ત્યારે તે આ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, બાકી વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા

0

Farmers who reached Gandhinagar

  • ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા.

ગાંધીનગર સચિવાલય (Gandhinagar Secretariat) ખાતે આજે કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા નર્મદા નિગમની (Narmada Corporation) જમીન શાખાનો સામાન ઉઠાવીને લઇ જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા. જે જોઈ શાખાના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, આ મામલે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તેઓ આ સમાન કેમ લઇ જઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

ત્યારે આ મામલે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને અમારું વળતર મળ્યું નથી. વર્ષ 1986 થી 225 રૂપિયા અમારું વળતર ચૂકવવાનું બાકી છે. અમે બે વખત વોરંટ લઇને આવ્યા પરંતુ નર્મદા નિગમે અમે અમારું વળતર ચૂકવ્યું જ નહીં. તેથી અમે ફરી આવ્યા અને અમારા બાકી વળતરના બદલામાં ઓફિસનો સામાન લઇ જઈ રહ્યા છીએ.

જોકે, આ મામલે ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે, 1988 માં વડોદરાના અભોળ ગામની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે જમીનનું વળતર પ્રતિ વારે આપવા નક્કી કરાયું હતું. હાઈકોર્ટે 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. પરંતુ સંપાદન ખાતાએ 1400 રૂપિયા ચૂકવ્યા હતા અને 225 રૂપિયા આપ્યા ન હતા તેથી કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો :-

વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ‘લસણ’ની જાહેરાત, ભડક્યા કિસાન સંગઠનો, નોંધાવ્યો વિરોધ

Advertisement of ‘Garlic’

  • જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે.

આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના (Iran) મૌલવીયોએ આઈસક્રીમ ખાતી એક મહિલાની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી (South Korea) એક એવી જાહેરાત સામે આવી છે જેના પર બબાલ મચી ગઈ છે. આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું કર્યું કે કિસાનો (of farmers) ભડકી ગયા અને સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.

લસણની ક્વોલિટી દેખાડવા આવી જાહેરાત :

હકીકતમાં આ મામલો દક્ષિણ કોરિયાનો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ જાહેરાતનો મુખ્ય ઉદેશ્ય લસણની ક્વોલિટી જણાવવાનો હતો, પરંતુ હવે તે અન્ય કારણોને લીધે ચર્ચામાં છે. જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે હતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે.

ભડકેલા કિસાન સંગઠનોએ કરી કાર્યવાહીની માંગ :

આ જાહેરાતને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવી છે. વીડિયોમાં એક મહિલા લસણનું માસ્ક લગાવેલા એક વ્યક્તિની સાથે જોવા મળે છે. ત્યારબાદ લસણની ક્વોલિટી જણાવતા મહિલા ‘વેરી થિક’ અને ‘હાર્ડ’ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે ઘણા કિસાન સંગઠનોએ કહ્યું કે આ જાહેરાતમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને એક સેલ્શુઅલ ઓબ્જેક્ટની રીતે રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

09 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : ગણેશજીની કૃપાથી આ ૬ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકશે

09 August 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ :
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર કોસ્મેટીકસના ધંધામાં લાભ.

મિથુન :
વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા, આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાયએનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

‌સિંહ :
આર્થિક પાસુ મજબુત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગતિ. નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યા :
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા :
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિક :
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર :
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ :
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો માતૃસુખ વધે.

મીન :
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

હવે કૂતરો પાળનારે આપવો પડશે Dog Tax ! આ નિયમ જાણી લેજો નહીં તો ડોગીનો શોખ ખવડાવશે જેલની હવા !

0

Now dog owners have to pay

  • તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉઝ ટેક્સનું નામ તો સાંભળ્યું હશે અને આમાંથી એક ટેક્સ ભર્યા પણ હશે. પરંતુ શું તમે પાલતુ શ્વાન રાખવા માટે ટેક્સ ભર્યો છે. પ્રયાગરાજમાં શ્વાન પાળતા લોકોએ આપવો પડશે ડોગ ટેક્સ.

એવું કહેવાય છે કે તણાવને ઓછો કરવા લોકો પાલતુ શ્વાન (pet dogs) પાળતા હોય છે. તેની સાથે સમય વિતાવવાથી તમારી એકલતા થોડીક અંશે હળવી થઈ શકે છે. પરંતુ શ્વાનને પાળવાનું પણ હવે લોકોને ભારે પડી રહ્યું છે. તમે પણ વિચાર કરતા હશો કે આમાં શું સમસ્યા હશે. અત્યાર સુધી તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, ઇલેક્ટ્રિસિટી ટેક્સ (Electricity Tax) અને આવા ઘણા ટેક્સ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે પાલતુ શ્વાનને પાળવા માટે ટેક્સ આપવો પડશે.

જી હાં, પ્રયાગરાજના શ્વાન પ્રેમી લોકો માટે આ ખરાબ સમાચાર આવ્યા છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શ્વાન પાળવાના શોખીન ધરાવતા લોકોએ હવે ‘ડોગ ટેક્સ’ આપવો પડશે. પ્રયાગરાજમાં ડોગ ટેક્સની વસૂલાત માટે ટીમો બનાવવામાં આવી છે, જે શ્વાન માલિકો પાસેથી સર્ચ કરીને ‘ડોગ ટેક્સ‘ વસૂલ કરી રહી છે. એટલું જ નહીં, જો તમે શ્વાન રાખ્યો હોય અને કોઈને કાને ખબર ન પડે તેવું વિચાર્યું હોય તો મૂંઝવણમાં ન રહેશો, મહાપાલિકાના બાતમીદારો તેની માહિતી કોર્પોરેશનના સંબંધિત વિભાગને મોકલશે અને આવી સ્થિતિમાં તમારે નુકસાની ચૂકવવી પડશે. તમારા શ્વાનને જપ્ત કરવામાં આવી શકે.

નગર નિગમે જ્યારથી શ્વાન ટેક્સ લાદવાની જાહેરાત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં 500થી વધુ શ્વાનના માલિકોએ પ્રતિ શ્વાન દીઠ વાર્ષિક 690 રૂપિયા જમા કરાવ્યા છે. ડોગ ટેક્સ જમા કરાવવા પર તમને એક બેજ મળશે, જેમાં તમારા કૂતરાનો રજીસ્ટ્રેશન નંબર રેકોર્ડ કરવામાં આવશે. આટલાથી વાત નથી ખતમ થતી. વાર્ષિક 690 રૂપિયા ન ભરનાર શ્વાનના માલિકોએ 5000 રૂપિયાનો દંડ ચુકવવો પડશે. હવે તમને થશે કે 690 જેવી રકમ કોઈ મોટી વાત નથી.

આપને એ પણ જણાવી દઈએ કે આ ટેક્સ ભરવા પહેલા શ્વાન માલિકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેનો ચાર્જ છે 1000 રૂપિયા. જો આ રજિસ્ટ્રેશન કરવામાં ન આવે તો 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. શ્વાનના કરડવાથી લોકોમાં રેબિઝ વાયરસ ન ફેલાઈ તે માટે તેમનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્વાનને ગળામાં પહેરાવા માટે ડોગ ટેગ પણ અપાશે જે તેમને ફરજિયાત પહેરવું પડશે.

નગર નિગમ અધિનિયમની કલમ કહે છે કે જો તમે શ્વાન રાખો છો તો શ્વાનની ઓળખ અને રસીકરણની સાથે શ્વાનના કરવેરા નિયમોનું પણ પાલન કરવું પડશે. જેઓ એક કરતા વધુ સ્વાન રાખે છે, તેમના માટે ડોગ ટેક્સ મોટી સમસ્યા ઉભી કરી રહ્યો છે. ઘણી વખત ઘણા સામાન્ય અને ગરીબ લોકો બેઘર અને નિરાધાર શ્વાન લાવે છે અને તેમની સંભાળ રાખે છે.

પરંતુ આ નિયમ પછી પ્રશ્ન ઉભો થયો છે કે શું લોકો આ ટેક્સ ભરશે કે નહીં. શ્વાનોના શોખીન વંશિકા ગુપ્તા કહે છે કે આ નિયમ બાદ હવે શેરીના તમામ શ્વાનો માટે ખાવા પીવાનું પણ બંધ થઈ જશે. મનપાએ તેના પર પણ વેરો વસૂલવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

સુરત બાદ હવે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેલગામ, પઠાણી ઉઘરાણી કરી ઢોર માર મારતા યુવક ઇજાગ્રસ્ત

After Surat, now in Surendranagar

  • ગઇકાલે સુરતમાં વ્યાજખોરના ત્રાસથી શેરબજારના એક દલાલે આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવકને માર માર્યો.

રાજ્યમાં ધીરે-ધીરે વ્યાજખોરોનો ત્રાસ (Harassment of usurers) વધી રહ્યો હોય એવું સતત લાગી રહ્યું છે. કારણ કે હજુ તો ગઇકાલે જ સુરતમાં શેરબજારના એક દલાલે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો. ત્યારે હજુ તો એ ઘટના શમી નથી ત્યાં તો હવે સુરેન્દ્રનગરના લીંબડીમાં (Limbdi) વ્યાજખોરો બેફામ બન્યા છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં પૈસાની ઉઘરાણીમાં એક યુવકને ગોંધી રાખી માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. વ્યાજખોરોએ આ યુવકને માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આથી, યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, આ મામલે યુવકની પત્નીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. આથી, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં માર માર્યો હોવાનો યુવકનો આક્ષેપ :

વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો લીંબડી રાવળ વાસમાં રહેતા યુવકને વ્યાજખોરે તેના એક મિત્રની મદદથી માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુવક મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં ઢોરની જેમ માર માર્યો હોવાનો ઘાયલ યુવકે આક્ષેપ કર્યો હતો. લીંબડી શહેરના રાવળવાસમાં રહેતા સરફરાજ સિપાહીએ 8 મહિના પહેલા એક વ્યક્તિ પાસેથી રૂ. 5,000 અઠવાડિયે 10 ટકાના વ્યાજે લીધા હતા.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

થોડો સમય બધું સમુસૂતરું ચાલ્યું હતું. સરફરાજે 4થી 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. વ્યાજે લીધેલા રૂ. 5 હજાર સામે 10,000 વ્યાજ પણ ભરી દીધું હતું. પરંતુ છેલ્લા 2-3 મહિનામાં મજૂરી નહીં મળતાં સરફરાજ વ્યાજની રકમ આપી ન હોતો. આથી, વ્યાજખોરોએ સરફરાજના ઘરે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી.

વ્યાજખોર સરફરાજને બાઈકમાં બેસાડી ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો :

રવિવારે જ્યારે સરફરાજ બજારમાં ખરીદી કરી રહ્યો હતો એ દરમ્યાન વ્યાજખોર તેના મિત્ર સાથે ત્યાં આવી ચડ્યો હતો. સરફરાજને બાઈકમાં બેસાડી એઈટીઆઈ નજીક ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો હતો. જ્યાં સરફરાજને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું. આથી ઘાયલ સરફરાજને સા૨વા૨ અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

બાદમાં આ ઘટનાની જાણ થતાં જ ખુદ પોલીસ ટીમ પણ હોસ્પિટલે દોડી આવી હતી. જ્યાં સરફરાજે પોલીસને જણાવ્યું હતું કે, ’40 ટકા વ્યાજ ભરતો હોવા છતાંય ઢોરની જેમ મને માર માર્યો હતો.’ લીંબડી પોલીસે સરફરાજનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :-