Home Blog Page 1339

રેલવેમાં નોકરી મેળવવા ઘડ્યો હોલીવુડ જેવો માસ્ટર પ્લાન પણ છેલ્લો કોઠો ભેદી ન શક્યો

0

Even a Hollywood-like master plan

  • દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

ભારતીય રેલવેમાં (Indian Railways) નોકરી મેળવવી કરોડો યુવાનોની સપનું હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

તેનો ફાયદો ઉઠાવીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીપુરા ખાટેના ટી.સી.એસ સેન્ટર ખાતે રેલવેમાં ખલાસીના પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યાં બાદ એડમિટ કાર્ડ ચકાસી, બારકોડ સ્કેન કરી તેઓના ફોટા તથા આઈડી ચેક કરી, મેટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રેનિંગ કરી સેન્ટર ખાતે મોકલાયા હતા. ત્યારે બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો.

પરીક્ષાર્થી મનીષ પ્રસાદના બદલે રાજ્યગુરૂ ગુપ્તા પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી (રાજયગુરૂ ગુપ્તા) એ મનીષ પ્રસાદના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠા ઉપર ચોંટાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પરંતુ સેનીટાઇઝરથી ચેક કરતાં ચામડી નિકળી ગઇ હતી. અને આખરે આ ડમી પરીક્ષાર્થી બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનનો છેલ્લો કોઠો ભેદવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ડમી વિદ્યાર્થીની ચાલકી જોઇને નિરક્ષકો સહિત ચોંકી ગયા હતા.

આ સમગ્ર ઘટના પગલે સુરક્ષા એજન્સીઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મનીષ પ્રસાદ અને રાજ્યગુરુ ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમજ ચામડીને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે મનીષપ્રસાદ અને રાજયગુરુ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એક મીડિયેટર મારફત બંનેનો ભેટો થયો હતો. ત્યારબાદ મનીષ પ્રસાદના ડાબા હાથના અંગૂઠાની ચામડી કાઢી રાજયગુરુ ગુપ્તાના ડાબા હાથે ચોંટાડાઈ હતી. જોકે પરીક્ષામાં ડમી ઉમેદવાર દ્રારા પરીક્ષામાં બેસવા માટે કોઇ ડીલ થઇ હતી કે કેમ અં અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન આવશે ગુજરાતના પ્રવાસે, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

0

The Prime Minister will

  • ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પક્ષોનાં દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે.

સરકાર દ્વારા અનેક કામોના લોકાર્પણ (Launch of works) કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 27 અને 28 ઓગસ્ટે વતન ગુજરાતમાં આવશે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન મોદી કચ્છના ભુજમાં (Bhuj of Kutch) સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

શું છે સ્મૃતિવન ?

ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી હતી. ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો.

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

ભૂકંપનો અનુભવ કરાવશે થિયેટર :

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ થિયેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળશે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

ડિજીટલ મશાલથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ :

રાજ્યમાં 2001ના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલાકાતીઓ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને ગેલેરીમાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ :

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

ઝઘડામાં ઉપરાણું લેનાર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો, સમાધાન બાદ આરોપીએ છરી મારી દીધી

It was the turn of the young man

  • પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police station)ની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના દિવસે ચાલીના નાકે બે લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પરેશ નામના યુવકે એક વ્યક્તિનું ઉપરાણું લેતા બીજા દિવસે આરોપીએ પરેશને છરીના ઘા મારી જાહેરમાં હત્યા (Ahmedabad murder case) કરી નાખી હતી. આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

શહેરના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને એક નાનોભાઈ પરેશ (Paresh Thakor) પણ હતો. રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોર (Balram Thakor)ને ત્યાં જ રહેતા હિમાંશુ ઉર્ફે ભેમો રાવત (Himanshu Rawat)ની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને કહ્યું હતું કે ચાલીના નાકે તું ગાળા ગાળી ન કર.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ચાલીના અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બીજા દિવસે પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશભાઈ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી હિમાંશુ ખુલ્લી છરી હાથમાં રાખીને ત્યાંથી ભાગીને દેવજીપુરા તરફ જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-

Gold Silver Price Today : સોનાની કિંમતોમાં ઘટાડો, ખરીદવું હોય તો છે મોકો

Gold Silver Price Today

  • જે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.07 ટકા ઘટીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે.

આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકાના ઘટાડા અને ચાંદી 0.13 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જો કે સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate) :

આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.07 ટકા વધીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,380 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4811 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

સોનાની શુદ્ધતાના માપદંડ :

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ? અહીં દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ થયું

0

Will there be another Lathtakan

  • બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

વડોદરા (Vadodara) શહેરના ચાપડ ગામે રહેતા 21 વર્ષે ભૌતિક પરમારના દેશી દારૂ પીવાથી આંખોની જોવાની ક્ષમતા ઘટ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં (Rural areas) પણ હજુ પણ દેશી દારૂનો (Country liquor) વેચાણ થઈ રહ્યું છે. જેને લઇને દેખાડો કરતી પોલીસ પર પણ સવાલ ઊભા થયા છે.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યારબાદ જે થયું તેને સૌ કોઈને દોડતા કરી દીધા.

ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આંખોની રોશની ગુમાવી જેથી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ પોલીસ કાર્યવાહીના ડરે ભૌતિક અધૂરી સારવાર છોડી પોતાના ઘરે પરત ફર્યો હતો.

ભૌતિક સાથે બનેલી આ ઘટનાએ તેના પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે. ભૌતિકની માતાએ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, દેશી દારૂના દુષણે સમાજને ખોખલું કરી નાંખ્યું છે. ભૌતિક સાથે બનેલી આ ઘટના સમાજ માટે સાવચેતીનો દાખલો છે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

સમાજમાં એવા કેટલાય યુવાનો છે જે દેશી દારૂના રવાડે ચડી પોતાના પરિવારને વેર વિખેર કરી નાખ્યાં છે. ત્યારે તેમને શહેર પોલીસને દેશી દારૂનું દૂષણ દૂર કરી ઠેર-ઠેર ચાલતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી.

મહત્વનું છે કે ચાપડ ગામના ભૌતિક પરમાર સાથે બનેલી ઘટનાએ ચાપડ ગામ સહિત મીડિયાને દોડતું કરી દીધું છે, ત્યારે ઘટનાને કલાકો વીત્યા છતાં પણ માંજલપુર પોલીસ હાલ ઘાઢ નિંદ્રામાં છે. પોલીસ દ્વારા હજી પણ આ ઘટનાને ચોપડે ચઢાવવામાં આવી નથી. જે શહેર પોલીસ પોતાની ફરજને લઈને કેટલી ગંભીર છે એ સૂચવી જાય છે. શહેર પોલીસના બૂટલેગરો પરના ચાર હાથ યુવાઓને દેશી દારૂના દૂષણના કારણે અર્થીના ચાર હાથના માર્ગે ધકેલી રહી હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઈલેક્શન-2022 !  ભાજપનાં નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસનાં નેતા સાથે બેઠક બાદ કર્યું મોટું એલાન, કહ્યું હું ચૂંટણી લડવાનો જ છું અને…

0

BJP leader Sombhai Patel made

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણને લઇને મોટા સમાચાર.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના (Congress) જૂના જોગી એવા સોમા ગાંડા પટેલ (Soma Ganda Patel) ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા હતા.

જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

સોમા પટેલ સાથે વાતચીત દરમિયાન તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.

 સોમા પટેલનો રાજકીય ઇતિહાસ :

  • 1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
  • 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
  • 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
  • 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
  • 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
  • 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
  • સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
  • 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
  • સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
  • લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
  • પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
  • 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
  • 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
  • 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
  • કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
  • 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
  • 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
  • મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા છે.

આ પણ વાંચો :-

Sonali Phogat Last Video : મોતની ગણતરીની પળો પહેલા સોનાલી ફોગાટે શેર કર્યો હતો પોતાનો આ અંતિમ વીડિયો

Sonali Phogat Last Video

  • સોશિયલ મીડિયા સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું.

સોશિયલ મીડિયા સ્ટાર (A social media star) અને ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને (Sonali Phogat) ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું. એવું કહેવાય છે કે સોનાલી પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર્સ સાથે ગોવા ગયા હતા અને મોતની ગણતરીની પળો પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો વીડિયો શેર કર્યો હતો.

સોનાલી ફોગાટનો અંતિમ વીડિયો :

ટિકટોકથી જાણીતા થયેલા સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહેતા હતા અને પોતાના એકથી એક ચડિયાતા અને શાનદાર વીડિયો અને તસવીરો શેર કરતા રહેતા હતા. સોનાલી ફોગાટે મોતની ગણતરીની પળો પહેલા પોતાનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો.

આ વીડિયોની વાત કરીએ તો સોનાલી ફોગાટ ગુલાબી પાઘડી પહેરીને બોલીવુડના રેટ્રો સોંગ ‘રૂખ સે જરા નકાબ હટા દો’ પર રીલ બનાવતા અને એક્સપ્રેસ આપતા જોવા મળે છે. આ વીડિયોમાં સોનાલી ખુશીથી દોડતા પણ જોવા મળે છે.

આ જુઓ સોનાલી ફોગાટની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ :

સુંદર તસવીરો પણ શેર કરી હતી :

મોત પહેલા સોનાલીએ પોતાની ખુબસુરત સેલ્ફીઓ પણ ફેન્સ સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ હવે આ પોસ્ટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિની કામના કરતા કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

સોનાલી ફોગાટ વિશે  :

સોનાલી ફોગટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે અને ખેતીવાડી સંભાળે છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર એકમાં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી.

એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જોડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ‘અમ્મા’માં નવા શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-

શું હાઈવે પરથી હટાવી દેવાશે ટોલ-પ્લાઝા ? ગડકરીએ સરકારના નવા પ્લાનનું કર્યું એલાન 

0

Will the toll-plaza be removed from the highway

  • ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે. જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે.

હાઇવે પરથી ટોલ-પ્લાઝા (Toll-Plaza) હટાવી દેવાને લઈ નીતિન ગડકરીએ મોટુ એલાન કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પરના ટોલ પ્લાઝાને દૂર કરવાની યોજના પર આગળ કામ કરી રહી છે. ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે.

જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે, આ સ્કીમનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સંક્રમણને સરળ બનાવવા માટે કાયદાકીય સુધારા પણ કરવામાં આવી રહ્યા છે.

ગડકરીએ જનવ્યું હતું કે. 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમાં અલગ-અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધા ખાતામાંથી કપાશે.

અમે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છીએ. જોકે અહી એક સમસ્યા છે – કાયદા હેઠળ ટોલ પ્લાઝા છોડનાર અને ચૂકવણી ન કરનાર વાહન માલિકને દંડ કરવાની કોઈ જોગવાઈ નથી.

આપણે તે જોગવાઈને કાયદામાં લાવવાની જરૂર છે. અમે તે કાર માટે જોગવાઈ લાવી શકીએ છીએ જેમાં આ નંબર પ્લેટો નથી. આ માટે અમારે બિલ લાવવું પડશે.

આ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં રસ્તાઓ અને હાઈવેને સુધારવા માટે સતત કામ કરી રહી છે. લોકોને સુવિધા આપવા માટે આવા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે, જે પ્રવાસ દરમ્યાન સમય બચાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આનાથી મોટા શહેરો વચ્ચેનું અંતર અને સમય ઘટશે.

શું કહે છે સરકારી ડેટા

સરકારી ડેટા અનુસાર હાલમાં લગભગ રૂ. 40,000 કરોડના કુલ ટોલ કલેક્શનમાંથી લગભગ 97 ટકા FASTags દ્વારા થાય છે. બાકીના 3 ટકા FASTags નો ઉપયોગ ન કરવા બદલ સામાન્ય ટોલ રેટ કરતા વધારે ચૂકવે છે. FASTags સાથે ટોલ પ્લાઝાને પાર કરવામાં વાહન દીઠ આશરે 47 સેકન્ડનો સમય લાગે છે. 260 થી વધુ વાહનો પ્રતિ કલાક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન લેન દ્વારા પ્રક્રિયા કરી શકાય છે જ્યારે મેન્યુઅલ ટોલ કલેક્શન લેન દ્વારા પ્રતિ કલાક 112 વાહનો છે.

FASTags ના ઉપયોગથી દેશભરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક હળવો થયો છે, તેમ છતાં ટોલ પ્લાઝા પર ભીડ છે. FASTags સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ છે જે 16 ફેબ્રુઆરી, 2021થી ફરજિયાત બનાવવામાં આવી હતી. ઓછા સંતુલન વપરાશકર્તાઓ ફી પ્લાઝા લેનમાં પ્રવેશ કરે છે. પરિણામે પ્રક્રિયામાં લાંબો સમય આવે છે. ઈન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓ પણ વિલંબનું કારણ બને છે.

આના બે કારણો છે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) રીડર અને ટેગનું ભંગાણ અને વપરાશકર્તાઓ દ્વારા FASTagsનો અયોગ્ય ઉપયોગ. આ તરફ અહેવાલ મુજબ ગડકરીએ કહ્યું કે. પરીક્ષણોએ દર્શાવ્યું છે કે, કેમેરા લગભગ 10 ટકા નંબર પ્લેટ ચૂકી જાય છે, કારણ કે તેમાં નવ શબ્દો અને સંખ્યાઓથી વધુ ફીડિંગ છે.”

તેમણે કહ્યું કે FASTag અને GPS ટોલ સાથેના નવા પ્રોજેક્ટ્સ પરંતુ આવી સિસ્ટમો કરી શકે છે. અમલ કરવામાં આવશે. ભારત જેવા દેશમાં લઘુત્તમ આવકની ખોટ સુનિશ્ચિત કરવા માટે અમને એક કરતાં વધુ સિસ્ટમની જરૂર પડશે.

આ પણ વાંચો :-

દાયકાઓ પહેલાં દારૂનો ધંધો કરતી અમીના બાનુ અમદાવાદની ડ્રગ્સ ડીલર બની, D-ગેંગને લઈ ચોંકાવનારો ખુલાસો

Decades ago, Amina Banu

  • અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા.

ગુજરાતને ડ્રગ્સના રવાડે (Drug addiction) ચઢાવવાનો છેલ્લા ઘણા સમયથી કારસો રચાઇ રહ્યો છે. દરિયાકાંઠેથી તથા શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. હાલ એટીએસ દ્વારા વડોદરામાં દરોડા પાડીને ડ્રગ્સનું શંકાસ્પદ રો મટિરિયલ (Raw material) જપ્ત કરવામાં આવ્યુ.

તો બીજી તરફ ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદમાં મહિલા ડ્રગ્સ ડીલરની (Female drug dealer) ધરપકડ કરવામાં આવી. જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.

અમીના બાનુને ડી ગેંગ સાથે ઘરેબો :

અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જે અમીના બાનુ ડી ગેંગ સાથે ઘરેબો ધરાવતી હોવાનો ખુલાસો થયો છે.

મુંબઇના ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન :

જી, હા અમીના બાનું મુંબઇના ઘણા ડ્રગ્સ માફિયાઓ સાથે પણ સંપર્ક હોવાનો પણ ખુલાસો થયો છે.  છેલ્લા બે વર્ષથી તે  ડ્રગ્સના ધંધામાં ફરીથી એક્ટિવ થઇ હતી. ડ્રગ્સ લેનારા લોકો અમીના બાનુ સાથે કોડવર્ડમાં વાત કરતા હતા. અઢી અને પાંચ જેવા શબ્દોનો ગ્રાહકો ઉપયોગ કરતા હતા. જો કે તે 1980થી 1990 દરમિયાન અમીના દારૂનો ધંધો કરતી હતી.

અમદાવાદની પહેલી મહિલા ડ્રગ્સ ડીલર :

ઉલ્લેખનીય છે કે  અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. પોલીસે બાતમીને આધારે  અમીના બાનુ તથા તેના સાગરિતોની  ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડિલર છે અને 100 જેટલા  ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસની મીટિંગની વાત લીક ? એક્ટિવ થઈ જાઓ નહિંતર AAP પતાવી નાખશે!

0

Congress meeting leaked ?

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો….

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનું (Congress) આ ચૂંટણી પ્રત્યે વલણ ફિક્કુ જોવા મળી રહ્યું છે.

તેવામાં કોંગ્રેસને વધુ એક્ટિવ રાખવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે પતાવી નાખશે.

કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ થવા ટકોર :

અહેવાલો પ્રમાણે અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે હતા ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે લઠ્ઠાકાંડથી લઈ અનેક એવા મુદ્દા પર કોંગ્રેસની ઠીલી નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલો મોટો લઠ્ઠાકાંડ થયો છતા કોંગ્રેસ તરફથી જોઈએ એટલા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા નહોતા.

ગેહલોતે કાર્યકર્તાઓના કામની વિગતો માગી :

અશોક ગેહલોતે વધુમાં તમામ કાર્યકર્તાઓના કામની વિગતો માગી હતી. વળી જે જે સક્રિય નથી અથવા બરાબર કામ નથી કરી રહ્યા તેમને ઠપકો પણ આપ્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે આ બેઠક દરમિયાન કયા નેતાઓ તેમને મળશે એની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીથી સતર્ક રહેવા જણાવ્યું :

ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા જેવી રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એનાથી ભાજપમાં નવાજુની થવા લાગી છે. આમ આદમી પાર્ટીની બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત મહિલાઓ મુદ્દે મોટી જાહેરાતોના પગલે હવે ભાજપ સામે આમ આદમી પાર્ટી ઉભી રહી ગઈ છે.

નોંધનીય છે કે કોંગ્રેસનું આ ચૂંટણીમાં વલણ થોડુ નબળું હોવાથી અશોક ગેહલોતે મોટાપાયે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો આવી રીતે જ રહેશો તો અન્ય પાર્ટીઓ પતાવી નાખશે.

આ પણ વાંચો :-