Home Blog Page 1333

મદદનીશને ડામ આપવાના, પેશાબ ચટાડવાના આક્ષેપો બાદ BJPના સસ્પેન્ડેડ નેતાની ધરપકડ

0

Suspended BJP leader arrested

  • આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી.

ઝારખંડમાં (Jharkhand) ઘરેલુ મદદનીશને પ્રતાડિત કરવાના આરોપસર સસ્પેન્ડેડ ભાજપના (Suspended BJP) નેતા સીમા પાત્રાની (Seema Patra) ધરપકડ કરી લેવાઈ છે. સીમા પાત્રા પર એવો આરોપ છે કે, તેમણે પોતાની ઘરેલું મદદનીશને ગોંધી રાખી હતી અને તેના સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર (treated cruelly) કરવામાં આવ્યો હતો.

સીમા પાત્રા ભાજપના મહિલા વિંગના રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્ય હતા. સાથે જ તેઓ બેટી બચાઓ-બેટી પઢાઓના રાજ્ય સંયોજક પણ હતા. જ્યારે તેમના પતિ મહેશ્વર પાત્રા એક સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી છે. સોશિયલ મીડિયામાં ઘરેલુ મદદનીશનો અત્યાચારનો આરોપ લગાવતો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

8 વર્ષથી આપવામાં આવી રહ્યો હતો ત્રાસ :

એવો આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી. પીડિત મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાનો છે અને તેણે પોતાને અનેક વખત ગરમ તવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.

પેશાબ ચાટવા કરાઈ હતી મજબૂર :

વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિત મહિલા હોસ્પિટલના ખાટલે સૂતી છે. તેના અનેક દાંત તૂટેલા છે અને તે સરખી રીતે બેસી પણ નથી શકતી. તેણે રડીને પોતાની પીડા વર્ણવતા જણાવ્યું હતું કે, તેના દ્વારા જીભ વડે જમીન સાફ કરાવડાવવામાં આવી હતી, પેશાબ ચાટવા મજબૂર કરવામાં આવી હતી અને તેના દાંત તોડી નાખવામાં આવ્યા હતા. ઝારખંડના ગુમલાની રહેવાસી 29 વર્ષીય પીડિતા આશરે દસેક વર્ષથી પાત્રા પરિવારના ત્યાં કામ કરી રહી હતી.

સીમાના દીકરાએ જ કરી પીડિતની મદદ :

વિવાદ બાદ ભાજપે સીમા પાત્રાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જાણવા મળ્યા મુજબ સીમાના દીકરા આયુષ્માને જ પીડિત સુનીતાની મદદ કરી હતી. આયુષ્માને સચિવાલયમાં પોતાના સાથે કામ કરતા મિત્ર વિવેકને આ અંગે જાણ કરી હતી અને વિવેકે રાંચી ડીસી સુધી વાત પહોંચાડી હતી. પોલીસે આ મામલે કન્ફર્મ થયા બાદ સુનીતાને રેસ્ક્યુ કરી હતી.

પુત્ર માનસિકરૂપે બીમાર હોવાનો દાવો :

બાદમાં સીમા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે સુનીતા સાથે આક્ષેપો થઈ રહ્યા છે તેવો કોઈ જ વ્યવહાર નથી કર્યો. ઉપરાંત સીમાએ પોતાનો દીકરો આયુષ્માન માનસિકરૂપે બીમાર હોવાનો અને તેણે ખોટા આરોપો લગાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

આ પણ વાંચો :

 

 

 

બાપ્પા રે…! ગણેશ ચતુર્થી પર મોટી દુર્ઘટના ! નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

0

Bappa Ray…! Big tragedy on Ganesh Chaturthi

  • નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે 2 યુવકોના મોત નિપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યાં છે.

કોરોના કાળ (Corona period) બાદ આવેલાં ગણેશ મહોત્સવને (Ganesh festival) ધામધૂમથી ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે, છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તમામ તહેવારોની ચમક ફિક્કી પડી ગઈ હતી. જો કે નડિયાદમાં (Nadiad) આજનો શુભ દિવસ પણ માઠા સમાચાર લઈને આવ્યો. ગણેશ પંડાલમાં (Ganesh Pandal) બનેલી એક દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધાં.

ગણેશ ચતુર્થીના દિવસે જ નડિયાદમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવકોના મોત થયા છે. હાલ બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. નડિયાદના પીજ રોડ આવેલી ગીતાંજલી ચોકડી નજીક આવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં આ ત્રણેય યુવાનો પંડાલમાં તાડપત્રી લગાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવારો પર અચનાક આભ ફાટી ગયું હતું.

ઉલ્લેખનીય છે નડિયાદના પીજ વિસ્તારમાં ગણશે ચતુર્થીના તહેવારની તાડમાર તૈયારી કરેલા યુવકોને વીજ કંરટ લાગ્યો હતો, આ લોકો પંડાલને શણગારવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનના 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી જતાં આ બનાવ બન્યો હતો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચો :-

વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું મોટું નિવેદન, કહ્યું, ‘તમામ 64 ઉમેદવારોને..

0

Opposition leader Sukhram Ratha

  • વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ (A political party) કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. જો હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.

મહત્વનું છે કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્યની ટિકિટ નહી કપાય તેમ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપ્યું. તો નેતા સુખરામ રાઠવાને લઇને હિંમતસિંહે નિવેદન આપતા જણાવ્યું કે તમામ ધારાસભ્યની કામગીરીનું મુલ્યાંકન થઇ રહ્યું છે. સંકલન થઇ થઇ રહ્યું છે નીતિ થોડા સમય બાદ જાહેર કરાશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો :-

આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો.

0

Bloody attack on

  • સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

સુરત વિધાનસભાની (Surat Assembly) ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા (Manoj Sorthia) પર લોહિયાળ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વોએ લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે.

ગુજરાતી સિંગરના મોત મામલે થયાં મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

0

A big revelation was made

  • વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના (Valsad District) પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. ત્યારે આ અંગે પારડી પોલીસ દ્વારા તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા (Vaishali Balsara) હોવાનું જાણવા મળ્યું હતું. પાર નદીના કિનારે મળેલી સિંગરની લાશ (Singer’s corpse) મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી.

પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. મહિલા સિંગરના મોત મામલે ડેથ રિપોર્ટમાં ગળે ટૂંપો દઈ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, પારડી પોલીસ અને સિટી પોલીસ સહિત અન્ય એક ટેક્નિકલ ટિમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. મૃતક મહિલા વૈશાલી બલસારા તેણીની મિત્ર બબીતા પાસે પૈસા લેવા ગઈ હતી. ત્યારબાદ વૈશાલીનો નંબર બંધ આવતો હતો.

વૈશાલીની બીજા દિવસે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા અજણાયા ઈસમોએ કરી હોવાને લઇ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બબીતાને આપેલ પૈસા પરત લીધા બાદ સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે. વૈશાલીના મોતને લઈ પોલીસે અલગ-અલગ ટેક્નિકલ તેમજ સીસીટીવી તેમજ મોબાઈલ ટેક્નિક તેમજ બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

31 ઓગસ્ટ બુધવારનું રાશિફળ – આ રાશિના જાતકોને થઇ શકે છે ધનલાભ, બસ આ વાતનું રાખજો ધ્યાન

August 31 Wednesday Horoscope  Gujarat Guardian

મેષઃ
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઈકાલ જેવી જ રહેશે. એમાં કોઈ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે, શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા યથાવત રહેશે. ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. બપોર બાદ આવકમાં ઘટાડો થતો જણાય તથા બપોર બાદ થોડી તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુનઃ
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહનસુખ, મિલક્ત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઈને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્કઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિણામે આનંદમાં વૃ‌દ્ધિ થાય. મિત્ર વર્તુળમાં વધારો, નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળતું જણાય.

સિંહઃ
દિવસની શરૂઆતમાં આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોર બાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યાઃ
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍નસંતોષીઓનો સામનો કરવો પડે. પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યુટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ-ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલાઃ
આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો. પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃશ્ચિકઃ
ગઈકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકાણો ટાળવા. જોકે સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રોથી લાભ મળતો જણાય. છતાં પણ માનસિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-કફનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્રે સફળતા. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભઃ
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે. આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીનઃ
બપોર સુધી દિવસ સારો છે. આવકમાં વધારો. પરિવારમાં શાંતિ. સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયતમાં અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

ગુલામ નબી આઝાદ બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ઝટકો : પૂર્વ DyCM સહિત ધડાધડ 60થી વધુ નેતાઓના રાજીનામાં 

0

Big blow to Congress party after Ghulam

  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) ‘કોંગ્રેસ’નું સમર્થન છોડી દીધું હતું. હવે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો આપતા જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

જમ્મુ કાશ્મીરના તારા ચંદ ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની, ડૉ. મનોહર લાલ શર્મા, ચૌધરી ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ, ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા કૉંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

અહેવાલો અનુસાર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આ તમામ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

શું કહ્યું ગુલામ નબી આઝાદે ? 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારાચંદ સહિત ઘણા મોટા નેતાઓના રાજીનામા પર ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા આવી છે. આઝાદે કહ્યું, “દરેક વ્યક્તિએ મારા માટે રાજીનામું આપ્યું છે. દરેક મારી સાથે છે. કોંગ્રેસને વધુ આંચકાઓનો સામનો કરવો પડશે.”

Gurgaon : લિફ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તેણે ગાર્ડને મારવાનું શરૂ કરી દીધું જુઓ વાયરલ વિડિયો | Gujarat Guardian

ગુલામ નબી આઝાદે શુક્રવારે જ આપ્યું હતું રાજીનામું :

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, 73 વર્ષીય ગુલામ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાના જોડાણને સમાપ્ત કર્યું. તેમણે પાર્ટીને “મોટા પ્રમાણમાં નાશ પામેલ” ગણાવી અને તેના સમગ્ર સલાહકાર ઉપકરણને “વિખેરી નાખવા” માટે રાહુલ ગાંધીની ટીકા કરી.

તેઓ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી શરૂ કરશે. ઘણા ભૂતપૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો સહિત એક ડઝનથી વધુ અગ્રણી કોંગ્રેસી નેતાઓ ઉપરાંત સેંકડો પંચાયતી રાજ સંસ્થા (પીઆરઆઈ) સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટરો અને જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓ આઝાદની પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી

0

This year, Meghraja will break

  • નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ વખતે ફરીથી નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે.

મહત્વનું છે કે કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ગુજરાતમાં નવરાત્રી (Navratri) યોજાવા જઇ રહી છે. ત્યારે આ વખતે નવરાત્રિના ઉત્સાહમાં કોરોના નહીં પરંતુ વરસાદ હવે વિલન બની શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાંતે આ વર્ષે છઠ્ઠા નોરતાથી છેક દશેરા (Dussehra) સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર) થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

અત્યારથી જ લોકોએ ગરબા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.

ગુજરાતમાં ફરી આગામી 4 દિવસ વરસાદ પડવાની સંભાવના :

અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં એકવાર ફરી આગામી 4 દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે સારો એવો વરસાદ :

રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

ગઇકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ કરી હતી પધરામણી :

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ બાદ ગઇકાલે રાજ્યમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે ડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.

શહેરના કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારે દુબઈનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યુ, આલિશાન મહેલ જેવા ઘરની તસવીર 

The Ambani family bought Dubai’s

  • દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે.

દુબઈમાં (Dubai) સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) માટે આ ઘર ખરીદ્યું છે.

સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે.

મળતી માહિતી મુજબ દુબઈનું આ ઘર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવ્યું છે. ડીલ સંલગ્ન જોડાયેલા લોકો સમુદ્ર કિનારે બનેલા આ આલીશાન મહેલ જેવા ઘરને દુબઈનું સૌથી મોંઘુ ઘર ગણાવી રહ્યા છે. જો કે આ ઘરની ડીલ કેટલામાં થઈ  તે હજુ ખુલાસો થયો નથી. દુબઈમાં બનેલું આ વિલા ખુબ જ સુંદર છે.

પામ જૂમેરાહ પર બન્યું છે ઘર :

અંબાણી પરિવારનું આ નવું ઘર દુબઈના પામ જૂમેરાહ બીચ પર બનેલુ છે. જેમાં તમામ સુખ સુવિધાઓ છે. આ આલિશાન ઘરમાં 10 બેડરૂમ છે. આ ઉપરાંત મહેમાનો માટે સારી વ્યવસ્થા પણ છે. તથા આઉટડોર અને ઈનડોર બંને સ્વિમિંગ પૂલ છે. સ્પોર્ટ્સ માટે પણ ખુબ સ્પેસ છે. અહીં પ્રાઈવેટ જમ અને થિયેટર પણ છે. :

અત્રે જણાવવાનું કે દુબઈ મોંઘી લાઈફસ્ટાઈલ માટે દુનિયા ભરના લોકોમાં મશહૂર છે. દુબઈ સરકાર પણ સતત તેનું પ્રમોશન કરી રહી છે. દુનિયાભરના અમીર લોકોને આકર્ષવા માટે યુએઈ સરકાર પણ લાંબા ગાળાના વિઝા આપીને અહીં રહેવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે.

એવું કહેવાય છે કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમ પણ અહીં આલિશાન મહેલ ખરીદી ચૂક્યા છે.

દુબઈનો જૂમેરાહ બીચ ખુબ ખાસ છે. અહીં ફારસની ખાડી અને લક્ઝી ઘરો શાનદાર લાગે છે. દુબઈમાં પામ જૂમેરાહ બીચનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. પામ જૂમેરાહ બીચ પર સ્પા, આલીશાન ક્લબ, રેસ્ટોરન્ટ અને સ્પા ઉપરાંત લક્ઝરી અપાર્ટમેન્ટ  ટાવર પણ છે.

મુકેશ અંબાણીએ દુબઈના સૌથી મોંઘા ગણાતા  ઘરને ઘરીદ્યુ છે. હાલ આ ઘરની કિંમત 80 મિલિયન ડોલર એટલે કે 639 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું – હવે સુનાવણી…..

0

All cases related to Gujarat

  • સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે.

સુપ્રીમ કોર્ટે મોટો (Supreme Court) નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ (Babri Masjid demolition) અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને (Gujarat riots) લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી.

એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે. જોકે પ્રશાંત ભૂષણે 2009 માં એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અને હાલના જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા.

આ કેસની પેરવી કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલે માફી માંગી લીધી છે. એટલા માટે બંને વિરૂદ્ધ કેસને બંધ કરવામાં આવે છે. તેમની આ માંગને જસ્ટિસ ઇન્દીરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચએ સ્વિકાર કરી લીધો છે.

પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલને નવેમ્બર 2009 માં નોટીસ જાહેર કરવામં આવી હતી. પ્રશાંત ભૂષણે તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મે તહેલકાને 2009 માં જે ઇન્ટરવ્યું આપ્યો હતો, તેમાં કરપ્શન શબ્દ કોઇ વિશેષ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો.

આ વાત મે વ્યાપક સંદર્ભમાં કહી હતી. તેનો સંબંધ નાણાકીય ભ્રષ્ટાચાર સાથે નથી. જો કોઇ જજ અથવા પછી તેમના પરિવારને તેનાથી દુખ પહોંચ્યું હોય તો માફી માંગુ છું. ‘પ્રશાંત ભૂષણે ઓગસ્ટ 2020 માં પોતાના નિવેદન પર માફી માંગી હતી.

આ પણ વાંચો :-