Home Blog Page 1331

મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે વિરોધ, વકીલ મંડળે આજીવન માટે કર્યા સસ્પેન્ડ

Protest against the lawyer

  • સુરતના વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે મુશ્કેલી આવી ગઈ છે. તેઓને વકીલ મંડળે આજીવન માટે સસ્પેન્ડ કરી દીધા છે.

સુરતના વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં હવે વકીલ મંડળની (Bar association) મળેલી સામાન્ય સભામાં નિર્ણય  લેવાયો હતો કે સાજન ભરવાડ (Sajan Bharwad) તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ (Minesh Zaveri) પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે, ચૂંટણીના એપીસેન્ટરમાં એકાએક રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો

0

What is cooking in Saurashtra

  • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ… સવારે રાજકોટ, બપોરે સુરેન્દ્રનગર અને સાંજે સુરત જશે કેજરીવાલ. તો ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ રાજકોટમાં.

વિધાનસભાની ચુંટણી (Assembly elections) પહેલાં સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. એક તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) સૌરાષ્ટ્રમાં છે, પરંતું ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandavia) પણ રાજકોટમાં છે. ત્યારે એકાએક સૌરાષ્ટ્રમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે.

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 વાગે નીલ સિટી ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તો ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યની 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેજસ્વી સૂર્યાની 9 વાગે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઈક રેલી નીકળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સાંજે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના કાર્યક્રમમાં હાજરી આપશે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એકબાદ એક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય નેતાઓનો રાજ્યમાં ઝંઝાવતી પ્રવાસ જોવા મળ્યો છે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ દ્વારકા બાદ આજે સુરેન્દ્રનગરમાં જશે.

4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ધાટન કરશે. તો 5 સપ્ટેમ્બરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. આ બાદ બેક ટુ બેક 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :-

ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે આ 7 જગ્યાઓ છે બેસ્ટ, નહીં ખર્ચ કરવા પડે વધારે રૂપિયા, જુઓ લિસ્ટ

0

These are the best 7 places

  • ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે પણ પેરાગ્લાઈડિંગના શોખીન છો તો તમારે ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો વિશે જાણવું જોઈએ.

હવામાં ઉડવાનો શોખ કોને ન હોય પણ પાંખો વિના એ શક્ય નથી. તેમ છતાં તમે પેરાગ્લાઈડિંગ (Paragliding) દ્વારા તમે ઉડી શકો છો અને હવામાં તરતા રહેવાનો શોખ પૂરો કરી શકો છો.

આજકાલ પ્રયટક સ્થળો પર પેરાગ્લાઈડિંગનો ટ્રેન્ડ (The trend of paragliding) પૂરજોશમાં છે. જો તમે ફરવા જાવ અને પેરાગ્લાઈડિંગ ન કરો તો તમારું ફરવા જવાનું નકામું છે.

આ ખુલ્લા આકાશમાં ઉડવાની મજા તમને બીજા કોઈ એડવેન્ચરમાં નહીં મળે. એડવેન્ચર પ્રેમીઓએ પેરાગ્લાઈડિંગનો આનંદ લેવો જ જોઈએ. જો તમે પેરાગ્લાઈડિંગ કરવા જઈ રહ્યા છો તો જાણો કઈ જગ્યાએ તમારે પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ, જેથી તમારી મજા બમણી થઈ જાય.

પેરાગ્લાઈડિંગની કેટલી હોય છે ટિકિટ ? 

ભારતમાં દરેક સ્થળે પેરાગ્લાઈડિંગના ભાવ અલગ અલગ છે. તમારી રાઈડના સમય અને સ્થળના આધારે પેરાગ્લાઈડિંગનું ભાડું વસૂલવામાં આવે છે. પેરાગ્લાઈડિંગ ટિકિટની રેન્જ 1000 થી 5000 વચ્ચે છે.

વાગામોન, કેરેલા  :

વાગામોન પેરાગ્લાઈડિંગ માટે પ્રવાસીઓના પ્રિય સ્થળોમાંનું એક છે. વાગામોન કેરળનું એક સુંદર હિલ સ્ટેશન છે જે જમીનથી 3000 મીટર ઉપર છે. સુંદર પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે અહીં પેરાગ્લાઈડિંગ કરવાની મજા જ અલગ છે. વાગામોનમાં તમે 15-20 દિવસ સુધી આકાશમાં ઉડવાની મજા માણી શકો છો.

જોધપુર, રાજસ્થાન :

જોધપુર તેના શાહી મહેલની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોધપુરમાં 1500 ફૂટની ઊંચાઈએ પેરાગ્લાઈડિંગનો આનંદ લઈ શકાય છે. રાજસ્થાનની ગરમી બાદ આકાશની ઉંચી હવામાં ઉડવાની મજા જ અલગ છે.

પંચગની, મહારાષ્ટ્ર :

પંચગની મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. તે જમીનથી 1200 મીટરની ઉંચાઈ પર છે. પંચગનીનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. જો તમે પેરાગ્લાઈડિંગના શોખીન હોવ તો પંચગની મુલાકાત જરૂર લો.

આ પણ વાંચો :-

03 સપ્ટેમ્બર શનિવારના રોજ આ રાશિના જાતકોને થશે આર્થિક ધનલાભ- જાણો તમારી રાશી તો નથી ને…!

On September 03, Saturday Gujarat Guardian

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા ઝણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવાર‌માં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતીય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવા મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા, નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કીર શકાય. આવક જળવાય પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, અેક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Health Tips : રાતે ભોજન કર્યા પછી 10 મિનિટ સુધી કરો આ કામ, અનેક બીમારીઓથી બચી શકશો

Health Tips: Do this for 10 minutes

  • દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન (Damage to health) કરી શકે છે. સ્વસ્થ રહેવા માટે જેટલું જરૂરી ભોજન છે એટલું જ જરૂરી તેનું બરાબર પાચન થવું પણ છે. જો ભોજન બરાબર પચે નહીં તો અનેક ખતરનાક બીમારીઓ (A dangerous disease) થઈ શકે છે.

આથી રાતે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ સુધી ટહેલવું જરૂરી છે. જો તમે રોજ કસરત ન કરતા હોવ તો પણ ફક્ત 10 મિનિટની સેર તમને સ્વસ્થ રાખી શકે છે. રાતે ડિનર કર્યા બાદ ટહેલવાથી તમે ફીટ તો રહેશો જ સાથે સાથે આ સિવાય અન્ય હેલ્થ બેનિફિટ પણ થશે.

પાચનમાં કરશે મદદ :

હેલ્થ એક્સપર્ટર્સ કહે છે કે રોજ ટહેલવાથી પાચનશક્તિ સારી થાય છે. ડિનર બાદ સેર કરવાથી તમારા શરીરને વધુ ગેસ્ટ્રિક એન્ઝાઈમ બનાવવામાં મદદ મળે છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. રોજ ડિનર કરવાથી કબજિયાત જેવી બીમારીઓથી બચી શકાય છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે :

ડિનર બાદ ટહેલવાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને તમે એકદમ ફીટ રહો છો. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ રહે છે. આ ઉપરાંત રાતે ટહેલ્યા બાદ સારી ઊંઘ પણ આવે છે.

તણાવ ઘટે છે :

ડિનર બાદ સેર કરવાથી શારીરિક સમસ્યાઓ તો દૂર થાય છે જ પરંતુ સાથે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. પગપાળા ચાલવાથી એન્ડોર્ફિનને રિલીઝ કરવામાં મદદ મળે છે. જો તમે ડિનર બાદ થોડીવાર ચાલશો તો તમે તાજગી પણ મહેસૂસ કરશો.

રોગ સામે લડવાથી ક્ષમતા વધે છે :

રાતે ભોજન કર્યા બાદ ટહેલવાથી બોડીમાં રહેલા ઝેરી પદાર્થોનો નિકાલ થાય છે. તેનાથી બોડીના અંગો બરાબર કામ કરે છે. આ સાથે જ બોડીમાં એન્ટીબોડીઝ પણ બને છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે. એટલે કે રોજ ડિનર બાદ ટહેલવાથી કોવિડ-19 જેવા ચેપી રોગોથી બચી પણ શકાય છે.

આ પણ વાંચો :-

ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાતના આંદોલનકારી નેતા હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?

0

Gujarat Election 2022

  • વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) વર્ષ 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા જુદા જુદા નેતાઓ પોતાની વિધાનસભા બેઠક પાકી કરવા માટે રાજકીય ચોગઠાં ગોઠવી રહ્યા છે. આ દરમિયાન સૌ કોઈની નજર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ (Agitator leader) પર ટકી છે.

2017ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા બદલી છે.

અલ્પેશ ઠાકોર :

વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જોકે, અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા.

બીજેપી હાર્દિક પટેલને વિરમગામ અથવા ટંકારા પરથી ચૂંટણી લગાવી શકે :

અલ્પેશની જેમ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલની દોસ્તી પણ લાંબો સમય ન ચાલતા તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલને પાર્ટી હાર્દિકના માદરે વતન વિરમગામ અથવા તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ બંને નેતાઓ આંદોલન કરીને નેતા બન્યા છે અને બાદમાં પક્ષ પલટો પણ કર્યો છે. હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ બંને નેતાઓને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.

આ પણ વાંચો :-

સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગરનું મોત : નિવૈર સિંહનું ઓસ્ટ્રેલિયામાં નિધન

Another Punjabi singer

  • સિદ્ધુ મૂસેવાલા બાદ હવે વધુ એક પંજાબી ગાયકનું નિધન થયું છે.

‘માય ટર્ન’ (My turn) આલ્બમનું સોન્ગ ‘તેરે બિન‘ના (Tere Bin) સિંગર નિર્વૈર સિંહનું (Nirvair Singh) ઓસ્ટ્રેલિયામાં એક કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. પંજાબના લોકપ્રિય ગાયક નિર્વૈર સિંહ કુરાલીનો રહેવાસી હતા. આ સિંગરના લગ્ન પણ  (Australia) શિફ્ટ થયા પછી જ થયા હતા.

ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર,પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબર્ગ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત 30 ઓગસ્ટના રોજ થયો હતો.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્વૈર એક સેડાન કારમાં ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મેલબોર્ન પાસે તેમની કારને અચાનક અકસ્માત નડ્યો. આ ઘટના ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર બની હતી.

આ સમગ્ર મામલામાં 23 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને આરોપી બનાવવામાં આવ્યો છે. અકસ્માત બાદ નિર્વૈર જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારે એક જીપ સાથે પણ અથડાઈ હતી.

કઇ રીતે અકસ્માત નડ્યો ?

પોલીસના જણાવ્યા અનુસાર, ખોટી રીતે ડ્રાઇવિંગ અને ત્રણ વાહનો એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ ઘણા વર્ષો પહેલા પોતાની કારકિર્દી બનાવવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા.

આ પણ વાંચો :-

મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હાર્દિક પંડ્યાની તસવીર, કેપ્શન જોઈ બરાબરના ભડક્યા ફેન્સ

0

મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હાર્દિક પંડ્યાની તસવીર, કેપ્શન જોઈ બરાબરના ભડક્યા ફેન્સ

  • પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી, જેના કેપ્શનમાં શમીને ટારગેટ કર્યા હોવાનું માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) એશિયા કપની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટથી માત આપી છે. તે મુકાબલામાં મળેલી જીત બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળે છે. આ જ ફેન્સમાં એક નામ છે મોહમ્મદ શમીની (Mohammed Shami) પત્ની હસીન જહાં (Hasin Jahan). હસીને આ જીતની ખુશી મનાવતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. પરંતુ આ પોસ્ટ પર એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે.

હસીને કર્યા શમીને ટારગેટ  :

પાકિસ્તાન સામે જીત બાદ શમીની પત્નીએ હાર્દિક પંડ્યાની એક તસવીર શેર કરતા ટીમ ઇન્ડીયાને શુભકામના આપી છે. પરંતુ આ તસવીરનાં કેપ્શનમાં હસીને એક એવી વાત લખી છે, જેથી વિવાદ ઉભો થયો છે. તેમણે લખ્યું છે કે ‘શુભકામનાઓ. એક યાદગાર જીત, દેશને જીતાડવા માટે અમારા ટાઈગર્સને ખૂબ ખૂબ ધન્યવાદ.

આ તો થવાનું જ હતું, દેશની શાન, દેશની ગરિમા, ઈમાન્દારો, દેશભક્તોથી બચે છે, ન કે ક્રિમીનલ વુમનાઇઝર્સથી. આ પોસ્ટના કેપ્શનને જોઇને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે અહીં હસીન સ્પષ્ટ રીતે મોહમ્મદ શમીને જ ટારગેટ કરી રહી છે.

ફેન્સે લગાવી ક્લાસ  :

હસીનની આ પોસ્ટ પર મોહમ્મદ શમીનાં ફેન્સ ખૂબ જ નારાજ થઇ ગયા છે. શમીનાં ફેન્સ હસીનને કમેન્ટ બોક્સમાં ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે શમીએ આપણા દેશનું નામ ઉપર ઉઠાવ્યું છે.

જ્યારે ઘણા લોકો હસીનની આ કોમેન્ટ પર ગુસ્સો જતાવી રહ્યા છે. હસિનની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મોટેભાગે વિવાદ ઉભો કરી દે છે. ખાસકરીને શમીના ફેન્સનાં નિશાના પર હસીન જહાં હંમેશા રહે છે. :

નથી થયા બંનેના ડિવોર્સ  :

મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા લાંબા સમયથી પોતાની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલે છે પણ બંને વચ્ચે હજુ સુધી ડિવોર્સ થયો નથી. ૨૦૧૮માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીન જહાંએ લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ, ઘરેલું હિંસા જેવા આરોપો હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હસીન જહાંએ શમી અને તેમના ભાઈ સામે પણ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો :-

ખેલૈયાઓ ગરબે ઘૂમવા તૈયાર થઇ જાઓ, નવરાત્રીની ઉજવણીને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

0

Sportsmen get ready to roam around

  • ઓગસ્ટ મહિનો શરૂ થાય એટલે તહેવારોની શરૂઆત થઇ જાય. ત્યારે સપ્ટેમ્બરમાં ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર નવરાત્રીને લઇ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો.

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતા પોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી (Navaratri 2022). ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે (Gujarat Govt) મહત્વનો નિર્ણય કર્યો છે.

એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.

જાણો નવરાત્રીનું શું છે મહત્વ :

આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું.

બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

કાળજું કંપાવી દે તેવો અકસ્માત, પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ, જુઓ તસ્વીરો  

Shocking accident

  • મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા.

માં અંબાના (Maa Ambana) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના (Aravalli) માલપુરના (Malpur) કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી (Ambaji) જતાં પદયાત્રીઓને કચડ્યા હતા.

હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે અન્ય પદયાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાના સાથી પદયાત્રીઓના મોતથી ચારેતરફ રોક્કળ મચી ગઈ હતી.

5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે.

ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે.

અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

આ પણ વાંચો :-