Home Blog Page 1276

શું ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન જશે ? કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું ? 

0

Will Team India go to Pakistan for Asia Cup

  • ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈવોલ્ટેજ ડ્રામાથી ભરપુર રહેતી હોય છે. આવતીકાલે રમાનારી મેચ પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપમાં ધીરેધીરે ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. હવે લીગ મેચ બાદ સિલસિલો રસ્કા-કસ્સી તરફ આગળ વધી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ (Indian team) પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન (Pakistan) સામે મેલબોર્ન ખાતે રમશે.

લાંબા સમયથી ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યાં હતાં. તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટેડિયમ ખિચોખિચ ભરેલું જોવા મળશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના એક નિવેદનથી ફરી એકવાર મામલો ચર્ચામાં આવ્યો છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન અંગે સવાલ પૂછ્યો. પ્રેસમાં રોહિતને ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતા રોહિતે કહ્યું કે મારું માનવું છે કે અમે વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ અને અમારે તેના પર જ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

રોહિત શર્માએ ખુબ સારી રીતે જવાબ આપતા કહ્યું કે આગળ શું થવાનું છે એની અમને ચિંતા નથી. એશિયા કપ અંગેનો અંતિમ નિર્ણય પણ બીસીસીઆઈ જ લેશે. અમે આ સમયે માત્ર વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ BCCIના સચિવ જય શાહે પહેલા જ કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

રોહિત શર્માએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેની ટીમના ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેણે કહ્યું કે પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય મેચના દિવસે મેલબોર્નના હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે અહીંનું હવામાન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે.

રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા અને કહ્યું કે તે લયમાં છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેલબોર્નની મેચ સંપૂર્ણ 40 ઓવરની હોય. પરંતુ જો ઓવર ઓછી થાય તો અમે તૈયાર છીએ. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો :-

આમળાના બનેલા આ હેર પેક સફેદ વાળને કરી દેશે છુમંતર ! જાણો ઘરે બનાવવાની યોગ્ય રીત

This hair pack made of amla will

  • વાળને પૂરતું પોષણ ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી સફેદ વાળને કાળા કરી શકો છો. જાણો કઈ રીતે…

સફેદ વાળની (white hair) ​​સમસ્યા લોકોમાં નાની ઉંમરે જ જોવા મળી રહી છે. ખરાબ-ખોરાક, પ્રદૂષણ વગેરેના કારણે વાળને નુકસાન થાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. સાથે જ વાળને પૂરતું પોષણ (Adequate nutrition) ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે.

કેટલાક લોકો મોંઘા હેર કેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો. જી હા અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેને અપનાવીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો.

આ રીતે કરો આમળાનો ઉપયોગ  :

સવારે ખાલી પેટે કરો સેવન  :

આમળાનું સીધું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તે તમારા શરીર અને વાળ બંનેને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે. તેથી જો તમે રોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરો છો તો તેનાથી તમારા વાળ કાળા થશે અને તમને સફેદ વાળથી છુટકારો મળશે.

આમળાનું હેર પેક બનાવો  :

વાળમાં તમે આમળાને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે. આને લગાવવા માટે આમળા પાઉડરમાં નારિયેળ તેલ, બદામ, સરસવનું તેલ મિક્સ કરો અને આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે.

આમળા અને ડુંગળીનો રસ :

આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં ફાયદાકારક છે. આને લગાવવા માટે ડુંગળીના રસમાં આમળા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે તેને વાળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે.

આ પણ વાંચો :-

સુરતમાં અડધી રાત્રે ડિમોલીશન ! પોલીસના કાફલા વચ્ચે દરગાહ અને મંદિરના દબાણો કરાયા દૂર

0

 Demolition at midnight in Surat

  • સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવા  મનપા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દરગાહ અને મંદિરનું ડિમોલિશન કરાયું છે.

રીંગરોડ સહારા દરવાજા (RingRoad Sahara Darvaja) પાસે ડિમોલિશનની કાર્યવાહી (Demolition proceedings) હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રિંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

દ્વારકા બાદ સુરતમાં ડિમોલેશન :

દ્વારકામાં ડિમોલિશનની કામગીરી સતત ચર્ચામાં હતી ત્યારે હવે આચનક રાત્રે સુરતમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું.

બ્રિજ પર ચડવાના નાકા પર મંદિર હતું. જ્યારે વર્ષો જુની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહનું ડિમોલીશન જે દરગાહ રસ્તાના વચ્ચે હતી. જ્યારે જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલની આગેવાની હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

VHP તથા બજરંગ દળ આવ્યું હતું મેદાને :

સુરતના રીંગરોડ સહારા દરવાજા વિસ્તારમાં આવેલ વર્ષો જુના બીબી ઉસ્માની અને હાજી યુસુફ દરગાહ સહિત મહાકાળી મંદિરને પણ મોડી રાત્રે સુરત મહાનગરપાલિકા દ્વારા છૂપી રીતે તોડી પાડવામાં આવ્યું હતું. ડીમોલેશન પહેલા રીંગરોડ પર લોકોની અવરજવર વધી હતી.

બેરીકેટ મુકીને અટકાવવામાં આવ્યા હતા. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બંને દરગાહ રિંગ રોડની વચ્ચે હતી જ્યારે મંદિર ફ્લાયઓવર બ્રિજ માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યું હતું. VHP તથા બજરંગ દળ મંદિર ન હટાવવાનો વિરોધ કરી રહ્યું હતું. અંતે શરત એવી હતી કે દરગાહ હટાવવામાં આવશે ત્યારે જ મંદિર હટાવવામાં આવશે. જેથી મોડી રાત્રે મંદિર તથા દરગાહ તોડી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો :-

કર્તવ્ય પથ એટલે ઈંટ-પત્થરનો માર્ગ નહીં ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવન માર્ગ  – મોદી

0

The path of duty is not a path

  • કર્તવ્ય પથનાં ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્લેક ગ્રેનાઈડથી બનેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પ્રતિમા બનાવનાર શિલ્પકારો સાથે પણ વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 9 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) પ્રતિમાનું અનાવરણ કરીને ‘કર્તવ્ય પથ‘નું (Kartavya patha) ઉદ્ઘાટન કર્યું હતું.

તેના નિર્માણ સાથે સંકળાયેલા કામદારો સાથે વાતચીત કરતા વડાપ્રધાને તેમના પ્રયાસો અને રાષ્ટ્રમાં યોગદાનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું, “કર્તવ્ય પથએ માત્ર ઈંટો અને પથ્થરોનો માર્ગ નથી. તે ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવંત માર્ગ છે.”

કર્તવ્ય પથની કાયાપલટ અને પુનઃવિકાસના કાર્યમાં રોકાયેલી એજન્સી, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે ખૂબ જ ચુસ્ત સમયમર્યાદામાં મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું. કર્તવ્ય પથનું કામ માર્ચ 2021 માં શરૂ થયું હતું અને તેનો પ્રથમ તબક્કો 26 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમયસર પૂર્ણ થયો હતો. પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ રૂ. 608 કરોડ છે અને તબક્કો-1 પૂરો થવા સાથે અત્યાર સુધીમાં રૂ. 522 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

કેટલીક જાણવા જેવી બાબતો :

ગ્રેનાઈટથી બનેલા વોકવેની કુલ લંબાઈ 16.5 કિમી છે. સેન્ટ્રલ રોડનું સંપૂર્ણ નવીનીકરણ, 300 સીસીટીવી કેમેરા, બેસવા માટે 422 પથ્થરની બેન્ચ, મલ્ટીપલ ટ્વીન સ્ટોન ડસ્ટબિન, સેવાઓ માટે લગભગ 165 કિલોમીટરની ભૂગર્ભ પાઇપલાઇન્સ અને ભારે વરસાદના પાણીના નિકાલ માટે 10 કિલોમીટરની ભૂગર્ભ ગટરોને મજબૂત અને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

નોંધનીય છે કે કર્તવ્ય પથને રાહદારીઓ અને ટ્રાફિકના નેવિગેશન માટે વધુ અનુકૂળ બનાવવામાં આવ્યો છે.  આમાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 8 મીટર પહોળા ચાર પદયાત્રી અંડરપાસ – બે જનપથ અને સી-હેક્સાગોન જંક્શન પર  આપવામાં આવ્યા છે.

આઠ ભૂગર્ભ જાહેર સુવિધા બ્લોક્સ અને છ વેન્ડિંગ પ્લાઝા હાલના વૃક્ષોને ધ્યાનમાં લઈને નાગરિક વપરાશકર્તાઓ અને પ્રવાસીઓ માટે આરામદાયક બનાવવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે. પાર્કિંગ ફેઝ-1માં 580 કાર અને 35 બસોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કર્તવ્ય પથની બાજુ પરનાં  ફૂટપાથ પર જ્યાં માટીઓ પડી રહેતી હતી ત્યાં ગ્રેનાઈટ વોકવે બનાવવામાં આવ્યો છે. કેનાલની બહારના વિસ્તારો કે જ્યાં પહોચવું શક્ય ન હતું ત્યાં વોકવે અને કાયમી પુલના માધ્યમ દ્વારા સુલભ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત કર્તવ્ય પથની નજીક આવેલાં ઘાસના મેદાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મોટાભાગના જાબુંનાં વૃક્ષોને જાળવી રાખવામાં આવ્યા છે અને વૃક્ષારોપણની આયોજનબદ્ધ વ્યૂહરચના દ્વારા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કુલ 90 એકર વિસ્તારમાં ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે.

એ પણ નોંધનીય છે કે CPWD એ લીકેજને રોકવા માટે નહેરોનું નવીનીકરણ કર્યું છે અને વધુમાં નહેરોમાં શુદ્ધ પાણીની ખાતરી કરવા માટે 60 એરેટર અને 28 ફિલ્ટરેશન ટાંકી સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

દીકરો હોય તો આવો ! ઘરકામમાં થાકી જતી માને જોઈ ન શક્યો, માત્ર 10 હજારમાં બનાવી મહિલા રોબોટ

0

Come if you have a son! Could robot

  • દીકરાથી માંને સતત કામ કરતી જોઈ રહેવાય નહીં તો શું કરે? પત્ની લઈ આવે? ના. રોબોટ પણ બનાવી શકે. ભારતના ભેજાબાજ દીકરાએ જુઓ કેવી કમાલ કરી.

ગોવાના (Goa) એક ડેલી વર્કરે તાજેતરમાં જ કમાલ કરી હતી અને તેણે તેની વિકલાંગ પુત્રી (Disabled daughter) માટે એક રોબોટ (Daily Worker Made Robot) તૈયાર કર્યો હતો. જે તેની સંભાળ રાખશે અને તેને ખવડાવશે પણ. તો હવે કેરળના એક 17 વર્ષના છોકરાએ તેની જબરદસ્ત પ્રતિભા બતાવીને એક મહિલા રોબોટ (17 Year Boy made lady robot) બનાવ્યો છે.

જે રસોડામાં તમામ કામ કરશે અને તેને ભોજન પીરસશે અને તેને પાણી આપશે. હકીકતમાં કિશોરને આ વિચાર તેની માતાની મદદ (Helping Mother) માટે કંઇક કરવા માટે આવ્યો હતો. હાલ તેના આ કમાલની વાહવાહી સોશ્યલ મીડિયા (Social Media)માં ખૂબ જ થઇ રહી છે.

કઇ રીતે આવ્યો રોબોટ બનાવવાનો વિચાર ?

આ શાનદાર કમાલ કરનાર છોકરાનું નામ મોહમ્મદ શિયાદ છે. જે કેરળના કન્નુર જિલ્લાનો રહેવાસી છે અને તે માત્ર 17 વર્ષનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રોબોટ બનાવવાનો વિચાર છોકરાને ત્યારે આવ્યો. જ્યારે કોરોના કાળ દરમિયાન તે પોતાની માતાને ઘરના કામકાજમાં મદદ કરવા અને તેની સંભાળ રાખવા માટે પ્લાનિંગ બનાવવા પર વિચાર કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે તે તેની માતાને મદદ કરવા માટે કંઈક કરવું જોઇએ.

10 હજાર રૂપિયામાં તૈયાર થયો રોબોટ :

આ પછી તેણે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન છોકરાને એક સ્કૂલ પ્રોજેક્ટ પણ મળ્યો અને તેણે આ પ્રોજેક્ટ હેઠળ આ રોબોટ બનાવ્યો. રોબોટ બનાવવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ શીટ, ફીમેલ ડમી, સર્વિંગ પ્લેટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છોકરાએ પોતે કહ્યું કે રોબોટમાં અલ્ટ્રાસોનિક સેન્સર છે. તે આ સેન્સર દ્વારા સંચાલિત અને નિયંત્રિત થાય છે. તેને બનાવવામાં લગભગ દસ હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો.

 

રોબોટને આપ્યું નામ :

તેમણે કહ્યું કે રોબોટ તેની માતાને દરેક કામમાં મદદ કરે છે. તેણે આ રોબોટનું નામ પથુટી રાખ્યું છે અને તેણે તેને એક છોકરીના કપડા પણ પહેરાવ્યા છે. આ રોબોટ રસોડામાં પણ મદદ કરે છે અને ભોજનને ડાઇનિંગ હોલના ટેબલ પર પીરસી દે છે. આ ઉપરાંત પાણી પણ ભરી આપે છે. આ રોબોટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં દેખાયું એલિયન? રહસ્યમયી ચળકતી ચીજ દેખાતા લોકો કુતૂહલ સર્જાયું

0

Alien seen in Surendranagar

  • સુરેન્દ્રનગરમાં સાંજના સમયે આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો, ચળકતી ચીજ એક લાઈનમાં જતી જોવા મળી… લોકોમાં કુતૂહલ સર્જાયું

ગુજરાતનું આકાશ કુતુહલોથી (Sky Curiosities) ભરેલું છે. ગુજરાતના આકાશમાં ફરી એકવાર અજાયબ નજારો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) બગોદરા-લીંબડી (Bagodara-Limbdi) વચ્ચે રાત્રિ દરમિયાન અવકાશી નજારો જોવા મળ્યો હતો.

આકાશમાં એક લાઈનમાં ચમકતી ચીજ કેદ થઈ હતી. આ ચળકતી ચીજ આકાશમાં એકલાઈનમાં આગળ વધી રહી હતી. ત્યારે લોકોએ પોતાના મોબાઈલમાં તેનો વીડિયો બનાવ્યો હતો.

સુરેન્દ્રનગરના અવકાશમાં ચળકતી ચીજ જોવા મળી છે. જેથી સ્થાનિક લોકોમાં પણ કૂતુહલતા સર્જાઈ હતી. બગોદરા અને લીંબડી વચ્ચેના ગામોમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. જેથી કોઈ ખગોળીય વસ્તુઓ અને પદાર્થ હશે તેવી ચર્ચા લોકોમા શરૂ હતી.

મામલતદાર અને તંત્રની ટીમ દ્વારા અવકાશી નજારામાં કયો પદાર્થ હશે તે અંગે તપાસ કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં કચ્છમાં ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા.

જો કે સુરેન્દ્રનગરના આકાશમાં દેખાયેલ આ ચળકતી લાઈનબંધ ચીજ સેટેલાઈટ ટ્રેન હોવાનું પણ ચર્ચાય છે. દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે સ્ટારલિંક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત સેંકડો સેટેલાઈટ છોડવામાં આવ્યા છે. આ સેટેલાઈટ દુનિયાના અલગ અલગ ભાગમાં નરી આંખોથી જોઈ શકાય છે. તે આકાશમાં એક ટ્રેનની જેમ ઉડતા દેખાય છે.

આ પણ વાંચો :-

સુરત મનપાની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન, સિક્યુરિટી ગાર્ડને બચકું ભર્યું

0

AAP corporator Sejal Malviya hurled security

  • સુરત મનપાની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન… સભા ખંડમાંથી બહાર કઢાતા AAPના કોર્પોરેટરે સિક્યુરિટી ગાર્ડને બચકું ભર્યું હતું.

સુરતમાં મહાનગરપાલિકાની (Municipal Corporation in Surat) સામાન્ય સભામાં AAP ના કોર્પોરેટર સેજલ માલવિયા ભાન ભૂલ્યા હતા. AAP ના મહિલા કોર્પોરેટર સેજલ માલવિયાએ (Sejal Malviya) સિક્યુરિટી ગાર્ડને (Security guard) બચકું ભર્યું હતું. સામાન્ય સભામાંથી બહાર કઢાતા કોર્પોરેટર સેજલ માલવિયા રોષે ભરાયા હતા.

સભા ખંડમાંથી બહાર કઢાતા AAPના કોર્પોરેટર સેજલ માલવિયાને ગુસ્સો આવ્યો હતો. શાસક પક્ષ સાથેની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યા. સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થતા શાસક પક્ષના નેતાઓ નારાજ થયા હતા.

ભાજપે આ ઘટનાને વખોડી :

આપના મહિલા કોર્પોરેટર દ્વારા મહિલા સિક્યુરિટીને હાથમાં બચકું ભરવાનો મામલાને ભાજપે વખોડ્યો હતો. મહિલા કોર્પોરેટરની આ પ્રકારની હરકતથી નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશીબેને આ મામલાને વખોડયો.

તેમણે કહ્યું કે વિરોધ પક્ષમાં સંસ્કાર નથી. રાજા જેવા હોય તેવી પ્રજા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા હાલમાં જ વડાપ્રધાનના માતા વિશે નિંદનીય શબ્દ પ્રયોગ કરાયા હતા. જો ગોપાલમાં જ સંસ્કાર નથી તો બીજામાં કઈ રીતે સંસ્કાર આવે.

આ પણ વાંચો :-

ધનતેરસની રાતે ઘરમાં આ 5 જગ્યાઓ પર દીવા પ્રગટાવો, ધનની કમી દૂર થશે

On the night of Dhanteras, light lamps

  • ધનતેરસ દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 22 ઓક્ટોબર, શનિવારના રોજ ઉજવવામાં આવશે.

 

પૌરાણિક માન્યતાઓ (Mythology) અનુસાર જો તમે ધનતેરસના (Dhanteras) દિવસે કોઈ ચોક્કસ સ્થાન પર દીવો પ્રગટાવો છો તો તમારી આર્થિક પરેશાનીઓ (Financial distress) દૂર થઈ જાય છે. ચાલો જાણીએ કે ધનતેરસના દિવસે ક્યાં દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

-ધનતેરસની રાત્રે સ્મશાનમાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

-ધનતેરસનો તહેવાર સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા રૂમમાં દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

-ધનતેરસના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો)માં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કપાસની વાટને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. દીવો પ્રગટાવતી વખતે તેમાં કુમકુમ નાખો. તે જ સમયે, દીવો જમીન પર ન રાખો અને તેને ચોખા પર રાખો.

-ધનતેરસની સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો તો જીવનમાં ધનની કમી દૂર થાય છે.

-જો કોઈ પ્રકારની આર્થિક સમસ્યા હોય તો ધનતેરસની રાત્રે મોગરાના છોડ નીચે દીવો પ્રગટાવો. આમ કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે.

Disclaimer :

અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. વાચકો અથવા વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ. વધુમાં તેનો કોઈપણ રીતે ઉપયોગ કરવાની જવાબદારી વપરાશકર્તા અથવા વાચકની પોતે રહેશે.’

આ પણ વાંચો :-

Alpesh Thakor ની ધમકી : જાણો કેમ કહ્યું કે, આવજોને ચૂંટણી પત્યા પછી આ એજ અલ્પેશ ઠાકોર છે

0

Alpesh Thakor’s threat

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ગુજરાતમાં નેતાઓનો આંતરિક વિખવાદ પણ હવે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. પક્ષ ટિકિટ જાહેર કરે તે પહેલા નેતાઓ પોતાને ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે.

રાધનપુરની (Radhanpur) સીટ પરથી અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor) પરણાવવા માટે એલાન કરી દીધું છે. જેના કારણે ઠાકોર સમાજની અંદર ફાંટા પડી ગયા છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ (How many videos) બનાવીને જેમતેમ બોલે છે તે ને કહું છું આવજોને ચૂંટણી પત્યા પછી આ એજ અલ્પેશ ઠાકોર છું.

દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોર સમાજના એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જયાં તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે. આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે. મારા માટે ઘણા લોકોને અનેક સવાલ થતા હશે.

હું જ્યારે વ્યસન મુક્તિને લઈને નીકળ્યો ત્યારે લોકોએ મારી મશ્કરીઓ કરી હતી. એક લેબલ લાગી ગયું કે દારૂ એટલે આપણા સમાજવાળાએ બદલાવ થઈને રહ્યો. જ્યારે દારૂબંધીની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે આ દારૂ તો બંધ કરાવો છો તો આ બુટલેગરોનું શુ થશે? પરંતુ આજે સમાજના દીકરા દીકરીઓમાં ધંધા રોજગાર અને પ્રગતિની ભૂખ લાગી છે.

સમાજના કામ માટે રાજનીતિ પસંદ કરી :

રાજનીતિ એ માટે કરી કે આપણા સમાજને ફાયદો થાય દરેક સમાજના લોકોએ સરકારમાં બેઠેલા લોકોની મદદ લીધી છે. મેં રાજનીતિ એટલે પસંદ કરી કે સમાજના કામ થાય. હું આંદોલનમાંથી આવ્યો છું તો સમાજની મારી ઉપર વધારે અપેક્ષા છે. આ સમાજને સરકારની જરૂર છે.

મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે. સમાજની તકલીફો અને બદલાવ લાવવા માટે મથી રહ્યો છું. જે લોકો મને ગાળો દેતા હોય તો દે એની પરવાહ નથી. કેટલાક ફેસબુક, વોટ્સપ અને સોશિયલ મીડિયામાં બેઠા બેઠા લોકો જ્યારે કોઈની ચિંતા નથી કરી તેવો મારી ખામી કાઢી છે.

ચૂંટણીઓ આવી એટલે કુવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે. સાંજે 6-7 વાગ્યે તો એ ટુલ્લી થઈને ફરે છે. પણ એવા લોકો સમાજને ગુમરાહ કરવા અને અહિંત કરવાનું કાર્ય કરે છે.

અલ્પેશની ધમકી :

હું 2017ની ચૂંટણી રાધનપુરથી લડ્યો તો બધા લોકો ત્યાં આવી ગયા. 2019માં જે લોકો ઝોળીઓ ફેલાવતા હતા તે જ હવે મારા દુશ્મન થઈ ગયા. અલ્પેશ ઠાકોરના હારવાથી ગુજરાતના ઠાકોર સમાજનું કેટલું અહિંત થયું છે એ તમને ખબર છે. આજે પણ એ લોકો કહે છે અમે અલ્પેશ ઠાકોરને હરાવવા પહોંચી જઈશું. દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે.

દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે. ફક્ત ધારસભ્ય મંત્રી બનવું સપનું નથી પણ એવી જગ્યાએ મારા સમાજના લોકોને ત્યાં બેસાડવા છે જ્યાં તેમનું સપનું છે. મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ બનાવીને જેમ તેમ બોલે છે તેને કહું છું આવજો ને ચૂંટણી પત્યા પછી આ એ જ અલ્પેશ ઠાકોર છે.

ગુજરાતના ઇતિહાસમાં આ વખતે 150 સીટો ન આવે તો મને કહેજો. મને કહું છું સામા પવનને ન જતા. વા લોકોને કહેજો કે રાધનપુર અલ્પેશ ઠાકોરને હરાવવા ગયા હતા તો હજુ પણ જજો.

આ પણ વાંચો :-

સુરત મનપાએ કોર્પોરેશનના 149 કર્મચારીઓએ ખરીદ્યા ઈ-વ્હીકલ, જાણો શું છે ઈ-વ્હીકલ ખરીદવા પાછળનો ઉદેશ 

0

149 employees of Surat Municipal Corporation

  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઈલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે.

દિવાળી (Diwali) નિમિત્તે સુરત મહાનગરપાલિકાના 149 કર્મચારીઓએ ઈલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) ખરીદી કરીને સુરતને ઈલેક્ટ્રિક (Electric) વ્હીકલ સિટી બનાવવામાં સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશમાં લગભગ 18 થી 20 ટકા વાહનો પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કારણે છે.

પ્રદૂષણની અસર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સુરત મહાનગરપાલિકાએ ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સુરત શહેર માટે અલગ “સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021” થોડા સમય પહેલા જ અમલમાં મૂકી છે. અને સારી બાબત એ છે કે આ પોલિસીને ખુબ સારો સહકાર પણ મળી રહ્યો છે.

ઈ-વ્હીકલ પોલિસી લાગુ કરનાર સુરત દેશનું પ્રથમ શહેર છે :

સુરત શહેરને 01.01.2022 થી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશના પ્રથમ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહી છે.

તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 25 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત અને શરૂ પણ કર્યા છે જે તેનો એક પુરાવો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર્સ પાસેથી સીધું ડિસ્કાઉન્ટ મેળવીને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ આ અભિયાનમાં ભાગ લઈ શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓને ઈ-વાહન ખરીદવા માટે સસ્તી લોન આપશે :

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ માટે સુરત મહાનગરપાલિકા પણ ખુબ પ્રયત્નશીલ રહી છે. તેમના દ્વારા આ ઇનીસેટીવ અપનાવવામાં આવ્યું છે કે કોર્પોરેશનના કર્મચારીઓ પણ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઇલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 149 કર્મચારીઓએ દિવાળી નિમિત્તે ઈલેક્ટ્રિક વાહનોનું બુકિંગ કરીને શહેરમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને વડાપ્રધાનની હાકલ પર સુરતને દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવા માટે સહકાર આપ્યો છે.

પ્રદુષણ ઘટાડવા માટે શહેરીજનોને અમૂલ્ય યોગદાન આપવા અપીલ :

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેર ખટવાણી દ્વારા તમામ નાગરિકોને દિવાળીના આ અવસર પર ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. શહેરમાં વાહનોના કારણે ફેલાતું પ્રદૂષણ ઘટાડવા પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પણ ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કેવા અમીલ કરવામાં આવી છે.