Home Blog Page 1216

27 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મહાદેવની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

27 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળ મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેવું અનુભવાય.

‌મિથુન
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભો મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃ‌શ્ચિક
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ-સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

ધન
આવક વધતા માનસિક‌ ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર
ગુરુ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની થતા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન
મિત્રોથી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉઘરાણી છૂટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી વિશેષ લાભ. સંતાનની પ્રગતી અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

વાયરસની બીકે ચીની કપલે શોધી કાઢ્યો ઉપાય, કોરોના પ્રૂફ છત્રીમાં પુરાઈને ઉપડ્યો ખરીદી કરવા

A Chinese couple found a solution

  • ચીનમાં લોકોના કોરાનાથી ફફડી ઉઠ્યાં છે અને પોતાની જાતને વાયરસથી બચાવવા માટે હવે લોકો જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. એક કપલે પણ અલગ ઉપાય શોધી કાઢ્યો.

કોરોનાના (Corona) કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. લોકો કોરાનાને દૂર રાખવા માટે જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. બહાર કોરોનાથી બચવા માટે એક ચીની કપલે અલગ ઉપાય શોધી કાઢ્યો છે.

કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું કપલ :

ચીનનું એક કપલ કોરોના પ્રૂફ છત્રમાં જોવા મળ્યું હતું. બજારમાં જ્યારે કપલ ખરીદી કરવા નીકળ્યું ત્યારે તેઓ કોરોના પ્રૂફ છત્રીમાં પુરાયા હતા અને તેની અંદર રહીને જ માલસામાનની ખરીદી કરી હતી.

ચાઈનીઝ કપલનો વીડિયો વાયરલ :

કોરોના પ્રૂફ છત્રીમાં ખરીદી કરી રહેલા ચાઈનીઝ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છત્રી પોલિથીનની મદદથી કપલને ચારે બાજુથી જમીન સુધી નીચે સુધી કવર કરી રહી છે.

દરમિયાન શોપિંગ સમયે કપલ પોલિથીન નીચેથી ઊંચકીને માલ લઈ રહ્યું છે. સાથે જ કપલની આસપાસના લોકો તેમને આ રીતે જોઈને ચોંકી ગયા હતા. ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :- 

Aadhaar Card માં અપડેટ કરવા માંગો છો મોબાઈલ નંબર, આ સરળ રીતે તરત થઈ જશે કામ

0

Want to update mobile number in Aadhaar Card

  • સરકારી કામકાજ માટે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. જેનું કામ લગભગ દરેક સરકારી કામો માટે થાય છે.

પરંતુ જો તમારો ફોન ખોવાઈ જાય અથવા નંબર સ્વિચ ઓફ થઈ જાય તો તમે તમારા આધાર કાર્ડ (aadhar card) પર મોબાઈલ નંબર (Mobile number) અપડેટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને સીધી છે જેને માત્ર થોડા જ સ્ટેપ્સમાં પૂરી કરી શકાય છે. ચાલો જાણીએ કે તમે આધાર કાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરી શકો છો.

  • આ સ્ટેપ્સ ફોલો કરીને મોબાઈલ નંબર અપડેટ કરો :
  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. જે આધાર કાર્ડ જારી કરવા માટે જવાબદાર સરકારી એજન્સી છે. અથવા વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  • આ પછી UIDAI વેબસાઇટ પર આવ્યા પછી ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Update Aadhaar Detail (Online)’ પસંદ કરો. આ તમને ‘Aadhaar Self Service Update Portal’ પર લઈ જશે જ્યાં તમે તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.
  • હવે ‘Aadhaar Self Service Update Portal’ પેજ પર ‘Update Your Address Online’ ટેબ પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર અને સ્ક્રીન પર પ્રદર્શિત સુરક્ષા કોડ દાખલ કરવાની જરૂર છે.
  • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર પર OTP (વન-ટાઇમ પાસવર્ડ) મેળવવા માટે “Send OTP” બટન પર ક્લિક કરો, જે હાલમાં તમારા આધાર કાર્ડ સાથે લિંક છે.
  • એકવાર તમને OTP પ્રાપ્ત થઈ જાય, તે દાખલ કરો અને તમારા આધાર એકાઉન્ટમાં લોગિન કરવા માટે “Login” બટન પર ક્લિક કરો.
  • હવે લોગ ઈન કર્યા પછી, તમે “મોબાઇલ નંબર” ફીલ્ડ પર ક્લિક કરીને અને અહીં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરીને તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકશો.
  • એકવાર તમે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરી લો, પછી તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારી રિકવેસ્ટ સબમિટ કરવા માટે “સબમિટ અપડેટ રિકવેસ્ટ” બટન પર ક્લિક કરો.
  • તમારી રિકવેસ્ટ સબમિટ કર્યા પછી, તમારે તમારી ઓળખ અને તમારા દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબરની ચકાસણી કરવા માટે સહાયક દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે.
  • ઓળખના પુરાવા તરીકે સ્વીકૃત દસ્તાવેજો અને મોબાઇલ નંબર UIDAIની વેબસાઇટ પર સૂચિબદ્ધ છે.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવાની તમારી વિનંતી પર UIDAI દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. એકવાર અપડેટ પૂર્ણ થયા પછી તમને તમારા નવા મોબાઈલ નંબર પર Notification મળશે.

આ પણ વાંચો :-

વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતો વીડિયો વાયરલ ! વિવાદ થતાં મચ્યો હડકંપ

0

Viral video of praying outside the Sanskrit department of Vadodara

  • શા માટે ધાર્મિક બાબતોને સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે? આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

ફરી એકવાર સંસ્કારનગરી વડોદરા (Sanskarnagari Vadodara) આવી છે વિવાદમાં. આ વખતે વડોદરા MS યુનિવર્સિટી ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતા યુવક યુવતી નો વીડિયો વાયરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે હાલ ભારે ઓહાપોહ મચ્યો છે. શા માટે ધાર્મિક બાબતોને (Religious Matters) સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે?

આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતાં ભારે હંગામો મચ્યો છે. ત્યારે સમગ્ર મામલે સંસ્કૃત વિભાગના ડીન ડો રામપાલ શુક્લ એ પોતાનો બચાવ કર્યો છે. ડો.રામપાલ શુક્લએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટના ક્યારે બની તેની અમને કોઈ જાણકારી નથી. અમારા ગેટની બહાર ઘટના બને તો અમને કઈ રીતે જાણકારી મળે. સંસ્થાના ગેટની બહાર કોણ શું કરે છે એની જાણકારી અમારી પાસે ક્યાંથી હોય.

વધુમાં આ વિવાદ અંગે ડો.શુક્લએ જણાવ્યુંકે, સંસ્થાના ગેટની બહાર નમાઝ પઢતો વીડિયો કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો અને એની પાછળ શું મનછા છે તે અંગે અમારી પાસે કોઈ જાણકારી નથી. અમને વિડીયો અંગે કોઈ માહિતી નથી. તેમ છતાં કોઈ પણ ધર્મ હોય તેની પુજા કે નમાજ નિશ્ચિત સ્થાને જ યોગ્ય લાગે. પુંજા કે નમાજ માટે જો કોઈ જ્ઞાન ન હોય તો જ્યાં ત્યાં થાય નહિ.

યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થીઓ એ નમાઝ અદા કરતા વિવાદ થયો હતો. ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિજિલન્સ ને જાણ કરાઈ હતી. વિજિલન્સની ટીમે બંને વિદ્યાર્થીઓને અટકાવ્યા હતાં. વિદ્યાર્થીઓ ના આઈ.કાર્ડ તપાસી કાર્યવાહી હાથ ધરાઇ છે. વિજિલન્સ અધિકારી ચંદન રાઠોડે જણાવ્યુંકે, નમાઝ નો વિરોધ નથી. અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. પરંતુ શૈક્ષણિક સંકુલની ગરિમા જાળવવી પણ એટલી જ જરૂરી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ના નિવેદન લેવાશે.

આ પણ વાંચો :-

 

બેન્ક ઓફ બરોડાની બંપર ઓફર, સસ્તામાં ઘર, દુકાન કે જમીન ખરીદવી હોય તો વાંચો અહેવાલ

0

Bank of Baroda’s bumper offer

  • જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય.

જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય. તમે 28 ડિસેમ્બર 2022ના રોજ સસ્તામાં મકાન ખરીદી શકો છો.

સમગ્ર ભારતમાં ગમે ત્યાં ખરીદી શકો છો પ્રોપર્ટી :

અત્રે જણાવવાનું કે બેંક ઓફ બરોડા મેગા ઈ ઓક્શન ઓફર લઈને આવ્યું છે. જેમાં તમે સસ્તામાં અનેક પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકો છો. આ અંગે બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ હરાજી હેઠળ તમે સમગ્ર ભારતમાં અચલ સંપત્તિ  ખરીદવા માટે બોલી લગાવી શકો છો.

કયા પ્રકારની પ્રોપર્ટી માટે લગાવી શકશો બોલી :

આ હરાજીમાં તમે મકાન, ઓફિસ જગ્યા, જમીન કે પછી પ્લોટ, ઔદ્યોગિક સંપત્તિ અને ફ્લેટ માટે અરજી કરી શકો છો. આ હરાજી સરફેસી અધિનિયમ હેઠળ કરવામાં આવશે જે સંપૂર્ણ રીતે પારદર્શક હશે.

BoB એ ટ્વીટ કરીને આપી માહિતી :

બેંક ઓફ બરોડાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું છે કે બેંક ઓફ બરોડાની મદદથી તમારું સંપત્તિ ખરીદવાનું સપનું સાકાર  કરો. તારીખ 28 ડિસેમ્બર 2022ના રોજ બેંક ઓફ બરોડાની મેગા ઈ ઓક્શનમાં ભાગ લો અને તમારા માટે ઉત્તમ સંપત્તિઓની પસંદગી કરો.

આ પણ વાંચો :-

ઈન્ડિયન રેલવેની સૌથી મોંઘી ટ્રેન : ટિકિટનું ભાડું સાંભળી ધબકારા વધી જશે, આવશે રાજા-મહારાજા જેવાં ઠાઠની ફિલિંગ

0

The most expensive train of Indian Railways

  • આ વાયરલ વીડિયો મહારાજા એક્સપ્રેસ ટ્રેનના સૌથી મોંઘા કોચનો છે જેની ટિકિટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

આપણા દેશમાં મોટાભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે એવામાં હાલ દેશની સૌથી મોંઘી ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનની અંદર વર્લ્ડ ક્લાસ લક્ઝરી (World class luxury) સુવિધાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ વાયરલ વીડિયો મહારાજા એક્સપ્રેસ ટ્રેનના (Maharaja Express Train) સૌથી મોંઘા કોચનો છે જેની ટિકિટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. મહારાજા નામની જેમ જ આ ટ્રેનમાં પણ એવી જ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે મહારાજા એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ભારતીય રેલવે પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ટ્રેન દેશના ચાર અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવે છે. તમે તેમાં મુસાફરી કરવા માટે કોઈ પણ ચારમાંથી એક માર્ગ પસંદ કરી શકો છો. જણાવી દઈએ કે આ યાત્રા 7 દિવસની હોય છે જેમાં આ લક્ઝરી ટ્રેનનો આનંદ માણી શકો છો.

ટિકિટની કિંમત આટલા લાખ રૂપિયા  :

મહારાજા ટ્રેનની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર આ ટ્રેનના દરેક કોચમાં મોટી વિન્ડો, કોમ્પ્લિમેન્ટરી મિની બાર, એર કન્ડીશનીંગ, વાઈફાઈ, લાઈવ ટીવી, ડીવીડી પ્લેયર સહિત અનેક લક્ઝરી સુવિધાઓ આપવામાં આવે છે. સાથે જ મહારાજા એક્સપ્રેસ ધ હેરિટેજ ઓફ ઈન્ડિયા, ટ્રેઝર્સ ઓફ ઈન્ડિયા, ધ ઈન્ડિયન પેનોરમા અને ઈન્ડિયન સ્પ્લેન્ડર નામના ચાર અલગ-અલગ પ્રવાસો ઓફર કરે છે અને આ ટ્રેનનું ભાડું 5 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધી છે.

કેટલા પ્રકારના કોચ છે :

મહારાજા એક્સપ્રેસમાં ચાર અલગ-અલગ પ્રકારના કોચ છે, જેમાં ડીલક્સ કેબિન, સ્યુટ, જુનિયર સ્યુટ અને પ્રેસિડેન્શિયલ સ્યુટનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ ટ્રેનમાં બે પ્રકારના પેકેજ આપવામાં આવે છે જેમાં એક 3 રાત અને 4 દિવસની છે અને બીજી 6 રાત અને 7 દિવસની છે. દરેક માટે અલગ ભાડું લાગુ પડે છે. વેબસાઈટ અનુસાર, આ ભાડું ડબલ ઓક્યુપન્સી પર પર્સન રીતે સસ્તું પડે છે.

આ પણ વાંચો :-

સોનાના ભાવમાં મોટો કડાકો, જાણો કેટલો ઘટ્યો ભાવ અને લેટેસ્ટ રેટ

0

A big crash in the price of gold

  • શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નગાળામાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળતા લોકો પણ સોનું અને ચાંદી ખરીદવા માટે અધીર્યા બનતા હોય છે. ત્યારે જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ.

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 23 ડિસેમ્બરના રોજ સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ જો કે હજુ પણ 10 ગ્રામના 54 હજારને પાર જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદીનો (Silver) ભાવ 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 415 રૂપિયા તૂટીને 54284 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીના ભાવ 189 રૂપિયા ઘટીને 67416 રૂપિયા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 54699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 54284 રૂપિયા સુધી આવી ગયું. આ જ રીતે શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

શું છે ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 413 રૂપિયા ઘટીને 54067 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 380 રૂપિયા ઘટીને 49724 રૂપિયા થયો છે.

આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 311 રૂપિયા ઘટીને 40713 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ આજે 243 રૂપિયા ઘટીને 31756 રૂપિયા થયો છે. આ ઉપરાંત 995 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 67416 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો :-

 

 

 

ફરી એક વાર વિવાદમાં ! રાહુલ ગાંધી કઈ દવા ખાય છે કે જેઓ ઠંડીમાં પણ ટી-શર્ટ પહેરે છે, ભાજપના દિગ્ગજ મંત્રીના સવાલ પર જુઓ કોંગ્રેસ નેતાનો મજેદાર જવાબ

0

Once again in controversy

  • રાહુલ સતત સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે જે સમાચારોમાં રહે છે. વાસ્તવમાં અગાઉ આ ટી-શર્ટની કિંમતને લઈને હોબાળો થયો હતો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Congress MP Rahul Gandhi) આજે ​​હરિયાણાના (Haryana) ફરીદાબાદમાં NHPC મેટ્રો સ્ટેશનથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી. આ મુલાકાત દરમિયાન રાહુલ સતત સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. જે સમાચારોમાં રહે છે. વાસ્તવમાં અગાઉ આ ટી-શર્ટની કિંમતને લઈને હોબાળો થયો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે રાહુલના આ ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે. તે જ સમયે હરિયાણાના કૃષિ પ્રધાન જેપી દલાલે રાહુલની ટી-શર્ટ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે દેશના હિતમાં રાહુલ ગાંધીએ સેનાને જણાવવું જોઈએ કે તેઓ કઈ દવા લે છે. જેના કારણે તેઓ ઠંડીમાં પણ ટી-શર્ટ પહેરે છે.

રાહુલની ફોર્મુલ્યા પૂછી :

કૃષિ મંત્રી જેપી દલાલ શુક્રવારે આદર્શ મહિલા કોલેજમાં 28માં રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં મુખ્ય અતિથિ હતા અને આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ઠંડીમાં ટી-શર્ટ પહેરવાની ફોર્મ્યુલા જણાવવી જોઈએ. દલાલે કહ્યું કે જો હિમાલય પર તૈનાત આપણા સૈનિકોને આ ફોર્મ્યુલા મળશે તો તેઓ દેશ માટે મોટું યોગદાન આપશે.

જેપી દલાલના નિવેદન પર જયરામનો જવાબ :

કહ્યું-કોંગ્રેસના નેતાની જાડી ચામડી છે. ભાજપના મંત્રીના સવાલનો જવાબ આપ્યો. શુક્રવારે ફરીદાબાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘તેની ત્વચા જાડી છે. તેથી જ તેમને ઠંડી લાગતી નથી. આનો મારે શું જવાબ આપવો? આ પહેલા પણ ભાજપે તેમના ટી-શર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના ફોટા સાથે લખ્યું હતું- ભારત દેખો 41 હજારનું ટી-શર્ટ. જેના પર વિવાદ થયો હતો.

માત્ર સફેદ ટીશર્ટમાં ભારત જોડો યાત્રા :

107 દિવસથી ટી-શર્ટમાં રાહુલ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ થયાને 107 દિવસ થઈ ગયા છે. ત્યારથી રાહુલે માત્ર સફેદ ટી-શર્ટ પહેરી છે. તેમની યાત્રા સવારે 6 વાગે શરૂ થાય છે. જ્યારે ઘણું ધુમ્મસ છે. તાપમાન ખૂબ નીચું રહે છે. હરિયાણામાં મુસાફરી કરતી વખતે, તેના નેતાઓ ભૂપિન્દર હુડ્ડા, રણદીપ સુરજેવાલા અને કુમારી સેલજા પણ જેકેટ અને મફલર પહેરેલા જોવા મળ્યા હતા, પરંતુ રાહુલ ફક્ત ટી-શર્ટમાં જ ચાલતા હતા.

આ પણ વાંચો :-

માત્ર પાંચ ક્રિકેટરોએ લૂટી લીધા 82 કરોડ, જાણો કોણ રહ્યાં 5 સૌથી મોંઘા ખેલાડી

0

Only five cricketers looted 82 crores

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 માટે થયેલી હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડી 3 સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ રહ્યાં. ત્યારબાદ એક ખેલાડી ઓસ્ટ્રેલિયા અને એક વેસ્ટઈન્ડિઝનો રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 (IPL 2023) સીઝન માટે મિની હરાજી કોચ્ચિમાં સમાપ્ત થઈ ગઈ છે. કહેવા માટે હરાજી નાની હતી. પરંતુ બોલી મોટી-મોટી લાગી છે. સેમ કરને જ્યાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા તો બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, નિકોલસ પૂરન પર પણ પૈસાનો વરસાદ થયો છે. આવો જાણીએ આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ….

સેમ કરન :

સેમ કરનને પંજાબ કિંગ્સે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવી ટીમ સાથે જોડ્યો છે. પ્રીતિ ઝિન્ટા અને નેશ વાડિયાની માલિકીવાળી ટીમે કુલ 18.50 કરોડ રૂપિયા સેમ કરન પર ખર્ચ્યા છે.

કેમરન ગ્રીન :

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડની બોલી લગાવીને ખરીદ્યો છે. તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

બેન સ્ટોક્સ :

બેન સ્ટોક્સ પર ચેન્નઈ સુપર કિંગ્સે મોટો દાંવ લગાવ્યો છે. ચેન્નઈએ વિશ્વ વિજેતા ખેલાડીને 16.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ત્રીજો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે.

નિકોલસ પૂરન :

આ કેરેબિયન વિસ્ફોટક બેટર પર કેએલ રાહુલની આગેવાનીવાળી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 16 કરોડ રૂપિયાનો વરસાદ કર્યો છે.

હેરી બ્રૂક :

પાકિસ્તાનની ધરતી પર ધમાલ મચાવનાર હેરી બ્રૂક પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ યુવા બેટર પર 13.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો :-

એમ.એ.પોલિટીકલ સાયન્સનો વિદ્યાર્થી અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાનો શિક્ષણક્ષેત્રે કંઈક કરવાનો થનગનાટ ભાજપને ચોક્કસ ગૌરવ અપાવશે..

M.A.Political Science student and State Education Minister

  • વિવેકાનંદનાં વિચારોથી રંગાયેલા અને યુવાની કાળથી જ ભાજપનો ભગવો લઈને ફરતાં પ્રફૂલ્લ પાનશેરિયાની અધ્યક્ષ સી.આર. પાટીલે કરેલી પસંદગી ‘કોહીનૂર’ પુરવાર થશે.
  • શિક્ષણ અને બાળકો તેમનો પહેલેથી જ મનગમતો વિષય હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વિચારો સાકાર કરવા માર્ગ મોકળો કરી દીધો.
  • સામાન્ય પગારદાર અને લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરતાં પ્રફૂલ્લ પાનશેરિયા બબ્બે વખત કોર્પોરેટર અને ધારાસભ્ય તરીકેની બીજી ટર્મ છતાં હજુ સુધી ‘બેદાગ’ રહ્યાં છે

મનગમતો વિષય, મનગમતુ કામ અને મનગમતુ જમવાનું મળે એટલે સ્વભાવિક માણસ ઉતાવળો બની જાય. સુરતનાં યુવાન ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા (State Education Minister Prafulla Pansheria) માટે આવું જ કહી શકાય. ભાજપની વિચારધારાને નખશીખ સમર્પિત પ્રફુલ્લ પાનશેરિયાને પાંચ વર્ષની બ્રેક બાદ ફરી ધારાસભ્ય અને મંત્રી તરીકેની તક મળી છે, ત્યારે કંઈક નવું કરવાનો થનગનાટ હોય એ સ્વભાવિક છે.

મૂળભૂત રીતે વિવેકાનંદની વિચારધારાથી પ્રભાવિત પ્રફુલ્લ પાનશેરિયા એક તરવરિયો યુવાન છે અને ભાજપ નેતાગીરીએ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી બનાવીને તેમના વિચારોને અનુરૂપ મંત્રી બનાવ્યા છે. ગુજરાતની વિચારધારાઓથી પરિચિત પ્રફુલ્લ પાનશેરિયા શિક્ષણક્ષેત્રે કંઈક નવું કરવામાં ચોક્કસ સફળ પુરવાર થવા સાથે ભાજપ સરકારને ગૌરવ અપાવશે. ખાસ કરીને પ્રાથમિક શાળાનાં બાળકો માટે ભારોભાર અનુકંપા ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયા માટે નિર્દોષ બાળકોનો પ્રેમ અને સહાનુભૂતિ સાથેનું શિક્ષણ તેમના મુખ્ય વિષયો છે.

લોકોને યાદ હશે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં સૌપ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ખાસ કરીને ગામડાંનાં બાળકોને શિ‌િક્ષત કરવા આહલેક જગાવી હતી અને શાળા પ્રવેશોત્સવ અને બેટી બચાવો અભિયાન હાથ ધર્યું હતું અને પરિણામરૂપે આજે ગુજરાતનાં સાક્ષરતાનાં દરમાં આશ્ચર્યજનક વધારો થયો છે. બલ્કે શિક્ષણની ભૂખ ઉઘડી છે અને આજે એવી સ્થિતિ છે કે, દરેક ઘરમાં સવાર પડેને બાળકો નિશાળે જતાં જોવા મળશે. અધ્ધવચ્ચેથી શાળા છોડી જવાનો દર ઘટીને લગભગ ‘ઝીરો’ થઈ ગયો છે. આની પાછળ ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ‘યશ’ આપી શકાય.

ભૂપેન્દ્ર પટેલની સરકારનાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ શિક્ષણને લઈને આક્રમક વલણ ધરાવે છે. શાળાઓ કે બાળમંદિરો કે ટ્યુશન ક્લાસીસમાં બાળકો ઉપર ગુજારવામાં આવતાં અત્યાચાર સામે તેઓ ભયાનક નફરત ધરાવે છે. પ્રફુલ્લ પાનશેરિયા એવું ઈચ્છે છે કે, બાળક સામે ચાલીને શાળાએ આવે તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને તેઓ એ દિશામાં કંઈક કરવા થનગની રહ્યાં છે.

મૂળભૂત રીતે આંદોલનકારી સ્વભાવના પ્રફુલ્લ પાનશેરિયા તેમના રાજકીય જીવનની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી રંગાયેલા રહ્યાં છે. ભાજપ જ્યારે સત્તામાં નહોતો ત્યારે પણ વિપક્ષે રહીને સુરતનાં મીની સૌરાષ્ટ્રમાં છાશવારે ભાજપનો ભગવો લઈને નીકળી પડતા હતા અને હાલ સુરતનું મીની હીરાબજાર ગણાતા વરાછા રોડનાં ચોકમાં ઉભા રહીને અનેક વખત આંદોલનો કર્યા હશે. ઘણી વખત બદલાતા સમય અને સંજોગોને કારણે તેમણે ભાજપ વિરોધી વિચારધારાનાં લોકોનો સામનો પણ કર્યો હતો અને લાંબા સંઘર્ષને અંતે તેઓ સુરત મહાપાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં અને વરાછા રોડ વિસ્તારમાં ભાજપનાં ગઢનાં કાંગરા વધુ મજબૂત કર્યાં હતાં.

બબ્બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ૨૦૧૨માં તેમને ધારાસભાની ટિકિટ આપવામાં આવી હતી અને સંગઠનનાં કામમાં જોતરી દેવાયા હતા. વચ્ચેનાં પાંચ વર્ષ બાદ ૨૦૧૭માં ફરી તેમને ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવતાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

પ્રફૂલ્લ પાનશે_રિયા

ભાજપ માટે ખરેખર તો પ્રફુલ્લ પાનશેરિયા ‘કોહીનૂર’ હીરો કહી શકાય. તેમણે યુવાની કાળમાં એટલા બધા સકારાત્મક કામો કર્યા છે કે, તેમના વિરોધીઓ પણ પ્રફુલ્લ પાનશેરિયા માટે એકપણ શબ્દ ઘસાતો બોલી શકે તેમ નથી.

એમબીએ સુધીનું ઉચ્ચ શિક્ષણ ઉપરાંત એમ.એ. (પોલિટીકલ સાયન્સ) અભ્યાસ કરતાં પ્રફૂલ્લ પાનશેરિયાએ પ્રિન્ટીંગ પ્રેસથી ધંધાની શરૂઆત કરી હતી. આજે પણ પાર્ટનર મફત શિરોયા સાથે વરાછા વિસ્તારમાં લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરે છે.

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પ્રફુલ્લ પાનશેરિયામાં પહેલેથી ‘હીર’ દેખાતુ હતું અને એટલે જ તેમણે વરાછા ઉપરાંત કામરેજ વિસ્તારને સાંકળતી અને પાંચ લાખ મતદારો ધરાવતી અત્યંત સંવેદનશીલ કામરેજ બેઠક માટે તેમની પસંદગી કરી હતી અને પ્રફુલ્લ પાનશેરિયાએ સી.આર. પાટીલનો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવ્યો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી પણ પ્રફુલ્લ પાનશેરિયાને મળ્યાં હતાં અને પીઠ થપથપાવી હતી.

‌શિક્ષણ અને બાળકો પ્રત્યે બેહદ લગાવ ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયાએ બે દિવસ પહેલાં સુરતની એક શાળામાં માસુમ વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને તાબડતોબ સસ્પેન્ડ કરાવ્યો હતો. દરમિયાન આજે બનાસકાંઠાનાં દાંતાની શાળામાં શરાબ પીને શાળામાં આવેલા શિક્ષક સામે તાબડતોબ આકરા પગલાં ભરીને તત્કાળ સસ્પેન્ડ કરાવી દાખલો બેસાડયો હતો.