Home Blog Page 1208

બેંક ગ્રાહકોને RBI દ્વારા મોટી રાહત : હવેથી નહીં ખાવા પડે બેંકના ધક્કા, જાણો વિગત

0

Big relief to bank customers by RBI

  • બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે.

બેન્કિંગ સેક્ટરના (Banking sector) નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. હવે ફ્રેશ KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે.

વિડીયો આધારિત KYC :

આરબીઆઈએ 5 જાન્યુઆરી, 2023ના રોજ એક પ્રેસ રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

ઓનલાઈન થશે વેરિફિકેશન :

વાસ્તવમાં આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહક તેના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ અથવા પત્ર દ્વારા ફરીથી KYC કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આમાં બેંકની શાખામાં જવાની જરૂર નથી. જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, રાજ્યના 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી

0

Whether the cold will increase

  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા. ગતરોજની સરખામણીએ ઠંડીમાં આંશિક રાહત. ગાંધીનગર 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 10 ડિગ્રીએ પહોંચ્યો પારો.

ગુજરાતમાં (Gujarat) શિતલહર છવાઈ છે. સુસવાટા મારતા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરીજનો તો તીવ્ર ઠડીમાં ઠૂંઠવાઈ ગયા છે. કાતિલ ઠંડીને પગલે નલિયામાં (Nalia) 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે.

અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. તાલાળા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જૂનાગઢ-પાવાગઢમાં રોપ વે અને બેટ દ્રારકામાં ફેરી બોટ સતત બીજા દિવસે બંધ રખાયા છે.

 હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે.

ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ ૧.૮ અને ચુરુમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જયપુરમાં ૩.૮, અજમેરમાં ૩.૯, અલવરમાં ૧.૩, ચિત્તોડગઢમાં માઇનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે.

હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

Use onion peel in this way

  • ડુંગળીનો ઉપયોગ તો ઘણા કામોમાં કરવામાં આવે છે. પરંતુ તેની છાલના ફાયદા વિશે તમે કદાચ જ જાણતા હશો. ડુંગળીની છાલ ઘણી સ્કિન પ્રોબ્લમ્સને દૂર કરી શકે છે.

ડુંગળી (Onion) છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટસ (Antioxidants) જેવા ન્યુટ્રીએન્ટસ હોય છે.

જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગુલાબજળ સાથે :  

ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.

નાશપતી સાથે :

નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.

આ પણ વાંચો :-

 

06 જાન્યુઆરી 2023, રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…

06 January 2023, Horoscop

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
મોજશોખમાં વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ‌-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતી જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવાર‌માં ઉગ્રતા ટાળવી નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડા પીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

નઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

મકરઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતી જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

ફોનની ડિલીવરી ન કરવી Flip kartને ભારે પડી ! 12 હજારના મોબાઈલના બદલામાં કોર્ટે ફટકાર્યો આટલાં હજારનો દંડ

0

Not delivering the phone has hit Flipkart hard

  • Flipkart ખૂબ જ પોપ્યુલર ઈ-કોમર્સ કંપની છે. પરંતુ હવે કંપનીને પોતાના એક કન્ઝ્યુમરને દંડ આપવો પડશે. હકીકતે એક મહિલાએ Flipkartમાંથી 12,499 રૂપિયાનો ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને ફોનની ડિલીવરી ન મળી. તેણે તેના વિશે ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો.

ઓનલાઈન શોપિંગનું (Online shopping) ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ઓનલાઈન શોપિંગ કરવી સરળ હોવાની સાથે સાથે રિસ્કી પણ હોઈ શકે છે. ઘણી વખત યુઝર્સને અલગ ઓર્ડર પણ મળી જાય છે. જ્યારે ઘણા કેસમાં ઓનલાઈન સામાન ઓર્ડર કર્યા બાદ પણ સામાન નથી મળતો.

પરંતુ ઘણી વખત આવું કરવું ઈ-કોમર્સ (E-commerce) કંપનીને મોંઘુ પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગ્લોરની રહેવાસી મહિલાને હવે ફ્લિપકાર્ટ દંડ આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાએ 12,499 રૂપિયા મોબાઈલ ફ્લોપકાર્ટથી ઓર્ડર કર્યું હતું.

કસ્ટમર કેરથી પણ ન મળી મદદ :

પરંતુ તેમને ફોનની ડિલીવરી ન મળી. તેમણે તેના વિશે ઘણી વખત ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો. તેમને ઓર્ડર કરેલા ફોન પણ મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે તેના વિશે ફરિયાદ નોંધાવી.

તેના પર કન્ઝ્યુમર કોર્ટની તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટ મહિલાને મોબાઈલની કિંમત 12,499 રૂપિયા પરત કરે. તેના ઉપરાંત તેના પર 12 ટકા વાર્ષિક વ્યાજ પણ કંપની આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે કંપની 20 હજાર રૂપિયાનો ફાઈન અને 10 હજાર રૂપિયા લીગલ ખર્ચ માટે મહિલાને આપે.

કંપનીની બેદરકારી  :

બેંગ્લોર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું છે કે ફ્લિપકાર્ટે ટર્મ્સ ઓફ સર્વિસમાં બેદરકારી બતાવી છે અને અનએથિકલ પ્રેક્ટિસેસને ફોલો કરી છે. ઓર્ડરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફોનને ટાઈમલાઈન પર ડિલિવરી ન હોવાના કારણે કસ્ટમરને ફાઈનાન્શિયલ લોસ અને મેન્ટલ ટ્રામાથી પસાર થવું પડ્યું.

ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વગર ફોન ડિલિવરીએ જ મહિલા ઈન્સ્ટોલમેન્ટ આપતી રહી. કસ્ટમર કેરમાં સંપર્ક કર્યા બાદ પણ તેને કોઈ જવાબ ન મળ્યો. એવું પહેલી વાર નથી થયું તેના પહેલા પણ ઘણા કેસ આપણે જોઈ ચુક્યા છે. આ કારણે ઓનલાઈન શોપિંગ વખતે તમને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ, 18 હજાર કર્મચારીઓને નોકરીએથી કાઢી મૂકશે આ કંપની

The commotion in tech industries

  • Twitter-Meta બાદ હવે આ કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં..

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ (Microblogging platform) ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓ બાદ હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ જાહેર થયેલા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે સૌથી મોટી છટણી એમેઝોનમાં (Amazon) જોવા મળી શકે છે. જેમાં કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.

આ આંકડો છેલ્લી વખત જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ઘણો વધારે છે. તમને યાદ અપાવીએ કે થોડા સમય પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે.

અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે ? 

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રિપોર્ટમાંથી મળેલી માહિતી સાચી સાબિત થાય છે. તો તે કોઈપણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે.

એમેઝોન એ નવેમ્બરથી જ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે જ્યારે 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાનો મામલો સામે આવ્યો હતો. નવેમ્બરમાં કંપનીએ તેના ઉપકરણ વિભાગમાંથી કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા. જે પછી એક સ્ત્રોતે રોઈટર્સને જણાવ્યું કે, કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં હવે કોઈપણ વિરોધ પ્રદર્શન ભારે પડશે, પોલીસ પાસે આવ્યો પાવર

0

Any protest in Gujarat will be heavy now

  • The Code of Criminal Procedure (Gujarat Amendment) Bill : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને આપી લીલીઝંડી.

ગુજરાતમાં હવે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકાર સામે અવાજ ઉઠાવવો ભારે પડશે. કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને (Code of Criminal Procedure Bill) મંજૂરી મળી ગઈ છે. ચૂંટણી પહેલાં ગુજરાતના પાટનગરમાં અનેક સરકારી કર્મચારીઓ પોત પોતાની માંગો લઈને આંદોલન પર ઉતરી આવ્યા હતા. ગાંધીનગર (Gandhinagar) એ આંદોલન નગર હોય તેમ અલગ અલગ જગ્યાએ આંદોલનો ચાલી રહ્યાં હતા.

પોલીસ તંત્રએ ગાંધીનગરમાં 144ની કલમ લાગુ કરી હોવા છતાં પણ કોઈ અસર ન હોય તેમ લોકો એકઠા થતા હતા. હવે સરકાર સામે પ્રદર્શનમાં જોડાતા પહેલાં 100 વાર વિચાર કરજો કારણ કે હવે પોલીસ પાસે પાવર આવી ગયો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ.

જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે. ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મળી મંજૂરી મળી ગઈ છે. હવે સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું. જે બિલને લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે.

કલમ ૧૪૪ એ ભારતીય દંડ સંહિતાની ઈ.સ. ૧૯૭૩માં લાગુ પડાયેલી કલમ છે. જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત ખતરાના મામલાઓમાં તાત્કાલિક અસરથી તાકીદના પગલાં ભરવાની સત્તા આપે છે. કલમ ૧૪૪નો વ્યાપ વિશાળ છે છતાં તે મોટાભાગે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા માટે વપરાય છે.

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં CRPCની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને ૧૪૪મી કલમ લાગુ કરવાનો અધિકાર છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-૨૦૨૧ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ત્યારે ૧૪૪મી કલમને લગતા કોઈપણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતાં સૌથી મોટી રાહત થશે. અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં સમસ્યા ઉભી થતતી હતી.

આ પણ વાંચો :-

૦૩પત્નીવાલા પાકિસ્તાની વ્યક્તિએ ૬૦માં બાળકને જન્મ આપ્યો કહ્યું કે હજુ તો….

03 married Pakistani man gave birth to a child

  • ક્વેટાના ઈસ્ટર્ન બાયપાસ પાસે રહેતા ડોક્ટરે ચોથી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના માટે તેણે તેના મિત્રોની મદદ માંગી છે.

આ આધુનિક દિવસોમાં જ્યારે જીવનનિર્વાહની કિંમત વધારે છે. ત્યારે મોટાભાગના માતાપિતા એક નાનું કુટુંબ રાખવાનું પસંદ કરે છે. પરંતુ પાકિસ્તાનમાં (Pakistan) એક વ્યક્તિ 60મી વખત પિતા બન્યો છે અને તેને ભવિષ્યમાં વધુ બાળકો થવાની આશા છે. 50 વર્ષીય સરદાર જાન મોહમ્મદ ખાન ખિલજી (Sardar Jan Mohammad Khan Khilji) જેમણે તેમના પુત્ર હાજી ખુશાલ ખાનનું સ્વાગત કર્યું હતું. તેઓ પણ વધુ બાળકોની ઇચ્છા પૂરી કરવા માટે ચોથી વાર લગ્ન કરવા માંગતા હતા.

ખિલજીના 60મી વખત પિતા બનવાના સમાચાર માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પણ સામે આવ્યા હતા. જે પછી તે વાયરલ થયા હતા. આ પોસ્ટને @Shamshadnetwork દ્વારા કેપ્શન સાથે શેર કરવામાં આવી હતી, “ક્વેટાના રહેવાસી સરદાર જાન “સાઠમા” બાળકના પિતા બન્યા હતા. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના રહેવાસી સરદારજાન મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે તેમનું 60મું બાળક હતું. ગઈકાલે જન્મેલા જાને કહ્યું કે નવજાત બાળક એક પુત્ર છે અને તેનું નામ ખુશાલ રાખ્યું છે.

ક્વેટાના ઈસ્ટર્ન બાયપાસ પાસે રહેતા ડોક્ટરે ચોથી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના માટે તેણે તેના મિત્રોની મદદ માંગી છે. તે વ્યક્તિએ કહ્યું : “મેં મારા બધા મિત્રોને મારા ચોથા લગ્ન માટે છોકરી શોધવામાં મદદ કરવા કહ્યું છે.” ખિલજીને પુત્રો કરતાં વધુ પુત્રીઓ અને તેના સમગ્ર પરિવારને એક ઘરમાં રાખવાની ઈચ્છા હતી.

રસપ્રદ વાત એ છે કે, શમશાદન્યૂઝ દ્વારા શેર કરાયેલ ટ્વિટ અનુસાર, તેની ત્રણ પત્નીઓ હજુ પણ વધુ બાળકોને જન્મ આપવાની રાહ જોઈ રહી છે. “તેમના કહેવા પ્રમાણે, તેની ત્રણ પત્નીઓ હજુ પણ વધુ બાળકોને જન્મ આપવા તૈયાર છે. તેથી તે ચોથા લગ્નની શોધમાં છે. 50 વર્ષીય જાન ફેમિલી ડોક્ટર છે. તેમના નિવાસસ્થાન પર ક્લિનિક,” પોસ્ટનું કૅપ્શન વાંચો.

આ પણ વાંચો :-

ચાલતી ટ્રેનના ગેટ પર બેઠેલા સોનુ સુદની તસ્વીર વાયરલ, રેલવેએ આપી શીખામણ

0

The picture of Sonu Sud sitting

  • સોનુ સૂદ બોલીવુડના એક એવા એકટર છે. જેના પર લોકો જાન છીડકે છે. પરંતુ ચાહકોના મસીહા સોનુ સુદે (Sonu Sood) હવે કઇક એવું કર્યુ છે કે તેમને વખાણ નહી પણ ફટકાર મળી રહી છે.

જી હા સોનુ સુદે (Sonu Sood) થોડા દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. એકટરે આ વીડિયોમાં રેલવેથી તેમની નારાજગી વ્યકત કરી છે.

ટ્રેનમાં સોનુએ આ રીતે કરી સફર :

વાત જાણે એમ છે કે સોનુ સુદે 13 ડિસેમ્બરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સોનુ સુદ ખુબ ઝડપથી ચાલતી ટ્રેનના ગેટ પર બેસીને મુસાફરી કરે છે. સોનુ ગેટનું હેન્ડલ પકડીને પોતાની ટ્રેનમાં સફરને એન્જોય કરતા નજર આવ્યા હતા. પરંતુ તેમનું આ રીતે મુસાફરી કરવુ ઘણા લોકોને ઠીક ના લાગ્યું

રેલવેએ જતાવી નારાજગી :

સોનુના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઉત્તર રેલવેએ અભિનેતાને કડક સંદેશ આપ્યો છે. રેલવેનું કહેવું છે કે ટ્રેનના ફાટક પર બેસીને મુસાફરી કરવી ખૂબ જોખમી છે. સોનુના વીડિયોને રિટ્વીટ કરતા ઉત્તર રેલવેએ લખ્યું- પ્રિય સોનુ સાદુ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો.

ટ્રેનના ફૂટબોર્ડ પર બેસીને મુસાફરી કરવી જોખમી છે. આ પ્રકારનો વીડિયો તમારા ફેન્સને ખોટો મેસેજ મોકલી શકે છે. કૃપા કરીને આમ ન કરો! સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.

મુંબઈ રેલવેએ પોલીસની નિંદા કરી :

તે જ સમયે મુંબઈ રેલ્વે પોલીસના સત્તાવાર હેન્ડલ પર પણ સોનુ દ્વારા આ કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી. GRP મુંબઈએ ટ્વીટનો જવાબ આપ્યો અને લખ્યું- ફૂટબોર્ડ પર મુસાફરી એ ફિલ્મોમાં ‘મનોરંજન’નું સાધન બની શકે છે.

પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા

0

પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા

  • ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં (Gujarat)  સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ (Junagadh) ગિરનાર પણ ઠંડોગાર બન્યો છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. આ સતત વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે (Pavagadh Ropeway) સેવા પણ આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

જૂનાગઢ શહેરમાં હાડ થીજાવતો ઠંડો પવન :

જૂનાગઢ શહેરમાં 2 દિવસથી હાડ થીજવતી ઠંડીને કારણે ગિરનાર પર પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. નોંધનીય છે કે ઠંડા પવનને કારણે જન જીવન પર અસર પડી છે. જેને લઈ હવે લોકોએ ઠંડીથી બચવા તાપણા કરી રાહત મેળવી છે.

રાજ્યમાં પડતી હાડ થીજવતી ઠંડીને લઈ હવે પાવાગઢ રોપ-વે સેવાને લઈને પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, ગઈકાલે પણ પવનના કારણે રોપ-વે કેટલાક સમય સુધી બંધ રખાયો હતો. આ સાથે રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-