Home Blog Page 1202

શરદીની સિઝનમાં ઉઠાવવો છે ગરમીનો આનંદ ? તો આજે જ ફાઇનલ કરો આ હોટ ડેસ્ટિનેશન

0

Enjoy the heat in the cold season

  • શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કુંડની ખાસિયત એ છે કે તેનું પાણી શિયાળામાં પણ ગરમ રહે છે.

જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી ધીરે ધીરે જોર જમાવી રહી છે એવામાં ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હશે અને જો તમે પણ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આપણો ભારત દેશ એ ફરવા માટે એક રસપ્રદ પ્રવાસ સ્થળ છે કારણ કે આપણા દેશમાં ઉનાળામાં ઠંડી અને શિયાળામાં (Winter) ગરમીનો અનુભવ થઈ શકે છે.

હાલ ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ઠંડી સતત તબાહી મચાવી રહી છે અને જો તમે આ સિઝનમાં ઉનાળાની મજા માણવા માંગતા હોય તો ભારતના આ ગરમ પાણીના કુંડની મુલાકાત લેવી જોઈએ. શિયાળામાં ફરવા જવા માટે આવા ઘણા ગરમ પાણીના કુંડ (Hot water tank) ભારતમાં તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. છે જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે. જણાવી દઈએ કે આ તમામ કુંડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ફરવા માટે એક સારી જગ્યા છે.

પનામીક, નુબ્રાવેલી :

આપણે બધા જાણીએ છીએ કે લેહ એ ભારતનો સૌથી ઠંડો પ્રદેશ છે પણ તમે અહીં હાજર પનામિક નામના ગરમ કુંડ ડેસ્ટિનેશનની મુલાકાત લઈ શકો છો.જણાવી દઈએ કે આ કુંડ લગભગ 10442 ફૂટની ઉંચાઈ પર હાજર છે અને અહીંના નજારા મનને મોહી લે છે.

મણિકરણ :

હિમાચલ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક મણિકરણ ગામ પણ ગરમ પાણીના કુંડ માટે ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઠંડીમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. આ સિવાય કુંડ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

અત્રી કુંડ :

આ સિવાય ઓડિશામાં પણ એક આઆવો કુંડ આવેલ છે. ઓડિશાનો અત્રી કુંડ પણ તેના ગરમ પાણી માટે પણ લોકો વચ્ચે ઘણો પ્રખ્યાત છે. જણાવી દઈએ કે આ કુંડ ભુવનેશ્વરથી લગભગ 40 કિમીના અંતરે આવેલ છે અને એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રીની આસપાસ રહે છે.

ખીર ગંગા :

આ સિવાય હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રખ્યાત ગરમ પાણીનો કુંડ આવેલ છે અને એવું કહેવાય છે કે આ કુંડનું પાણી 12 મહિના સુધી ગરમ રહે છે. ખીર ગંગા કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં આવેલ છે.

આ પણ વાંચો :-

મલાઈકા અરોરા ને યોગ કરતી જોઈને લોકો થયા બેકાબૂ, Video એ સોશિયલ મીડિયામાં આગ લગાવી

People went wild after seeing Malaika Arora doing yoga

  • બોલિવૂડની દિવા મલાઈકા અરોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં મલાઈકા અરોરાનો (Malaika Arora) વર્કઆઉટ વીડિયો જોયા પછી ઘણા લોકોને પરસેવો આવવા લાગ્યો અને લોકો પણ અભિનેત્રીથી પ્રેરિત પણ થયા છે.

મલાઈકા અરોરા (Malaika Arora) તેના શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ના કારણે લોકોનું ધ્યાન આકર્ષિ રહી છે. શોના પ્રોમો જોયા બાદ લોકો એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે મલાઈકાના વર્કઆઉટ વીડિયોએ (Workout Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે.

વીડિયો જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો :

આ વીડિયો જોયા બાદ ઘણા લોકો અભિનેત્રીના દિવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે મલાઈકાનું નામ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં સામેલ છે. આ વીડિયો જોયા પછી લોકો સમજી જશે કે ફિટ બોડી જાળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પહેલા તમે પણ જુઓ આ વિડિયો..

મલાઈકા અરોરા ફિટનેસને લઈને હંમેશા એલર્ટ રહે છે. સોશિયલ મીડિયા પર તેના જિમ લુક્સની ઘણી વાર ચર્ચા થાય છે. અભિનેત્રી ઘણીવાર જીમની બહાર મેકઅપ વગર જોવા મળે છે. આ વીડિયોમાં મલાઈકા અરોરાનો બોડી શેપ જોઈને ઘણા લોકો ચોક્કસપણે ફિટનેસ માટે વર્કઆઉટ અને યોગા કરવાનું મન બનાવી શકે છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો મલાઈકાની પ્રશંસાના પુલ બાંધતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ ફાયર ઈમોજી મોકલ્યા અને ઘણા લોકો મલાઈકાની દિનચર્યા પૂછતા જોવા મળ્યા. અભિનેત્રીએ લોકોને સોમવારે (સોમવાર મોટિવેશન) ફિટ રહેવાની સલાહ આપી હતી અને સ્વાસ્થ્યના મામલે સાવધ રહેવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-

ચાલતી ટ્રેનમાં કિન્નરોએ મહિલાની ડિલીવરી કરાવી, બાળકને આશીર્વાદ આપી હાથમાં રૂપિયા પણ આપ્યા

0

In the moving train, Kinnaro delivered the woman

  • હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી. તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી.

કિન્નરો (Kinnaro) દ્વારા ટ્રેનમાં મહિલાની ડિલીવરી કરાવાની ઘટના સામે આવી છે. આ ઘટના જસીડીહથી (Jasidih) ટ્રેન ઉપડ્યા બાદ ઝાઝા સ્ટેશન પહોંચવાની વચ્ચે થઈ હતી. કહેવાય છે કે ટ્રેનમાં પૈસા માગનારા કિન્નર જો તે ડબ્બામાં ન આવ્યા હોત. જેમાં મહિલા સવાર થઈને મુસાફરી કરી રહી હતી અને પ્રસવ પીડાથી પરેશાન હતી. તો તેની મુશ્કેલીઓ વધી જાત. પણ કિન્નરો પહોંચ્યા બાદ લેબર પેનથી (Labor pen) પરેશાન મહિલા અને તેના પતિને મદદ મળી ગઈ અને કિન્નરોએ માનવતાની મિસાલ રજૂ કરતા મહિલાની સેફ ડિલીવરી કરાવી હતી.

હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના (Howrah Patna Shatabdi Express) એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી. મહિલા લેબર પેનથી પરેશાન થઈ રહી હતી. પ્રસવ પીડીથી પરેશાન મહિલાની મદદ માટે ઘણી વાર સુધી કોઈ આગળ આવ્યું નહીં. જ્યારે તે ડબ્બામાં કોઈ મહિલા મુસાફર નહોતું. ત્યારે ટ્રેન સિમુલતલા પહોંચતા કિન્નરોને એક ટોળી તે ડબ્બામાં આવી અને તેમણે આ મહિલાની ડિલીવરી કરાવી હતી.

કિન્નરોએ દેખાડી હિમ્મત :

પૈસા માગવા માટે ડબ્બામાં પહોંચેલા કિન્નરોને જ્યારે ખબર પડી કે મહિલા પ્રસવ પીડાથી પરેશાન છે તો તેમણે સમય વેડફ્યા વિના મહિલાને ટ્રેનના ડબ્બામાં વોશરુમમાં લઈ ગયા અને ત્યાં ડિલીવરી કરાવી. પ્રસવ બાદ મહિલા અને તેનું બાળક બંને સ્વસ્થ્ય છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્રેનમાં સવાર જે મહિલાની પ્રસવ કરવાનો નિર્ણય કર્યો તે શેખપુરાની રહેવાસી છે અને તે પોતાના પતિ સાથે હાવડાથી લખીસરાય જઈ રહી હતી. પ્રસવ કર્યા બાદ તમામ કિન્નર ઝાઝા સ્ટેશન પર ઉતરવા લાગ્યા હતા.

ટ્રેનની ઘટનાનો વીડિયો વાયરલ :

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કિન્નરોએ પ્રસવ બાદ ગરીબ દંપતીને રૂપિયા આપીને મદદ પણ કરી જેનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રસવ કરનારી કિન્નર ટ્રેનની બોગીમાં બેઠેલા મુસાફરો ખાસ કરીને મહિલાઓને સંભળાવી રહી હતી કે એક મહિલા કેવી રીતે દર્દથી પીડાતી હતી અને કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું. વીડિયોમાં તમામ કિન્નરો બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા હતા કે ભણી ગણીને તે ડોક્ટર બને અને આવી રીતે મુસીબતમાં ફસાયેલા લોકોના જીવ બચાવી તેમની મદદ કરે.

આ પણ વાંચો :-

ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિ.ની મહિલા સાથે કર્યા બીજા લગ્ન, ભાણિયાએ ખોલી નાખી પોલ

Don Dawood Ibrahim married a Pakistani woman for the second time

  • ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે.

ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Don Dawood Ibrahim) અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે (Alisha) પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે. તેણે તેની પહેલી પત્નીને તલાક આપીને બીજીવાર નિકાહ કર્યા છે. જો કે નિકાહ કઈ મહિલા સાથે કર્યા તેના નામનો ખુલાસો તેણે કર્યો નથી.

અલીશાહ ઈબ્રાહિમ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. દાઉદના ભાણીયા અલીશાહે NIA ની પૂછપરછમાં જણાવ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીના ડિફેન્સ એરિયામાં છૂપાયેલો છે અને બીજા લગ્ન કર્યા છે. NIA એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંબંધ રાખવાના મામલે મુંબઈમાં મોટા પાયે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક લોકોના નિવેદનો લેવાયા હતા. આ જ કડીમાં અલીશાહ ઈબ્રાહિમ પારકરનું તે સ્ટેટમેન્ટ પણ હાથ લાગ્યું છે જે તેણે એનઆઈએની પૂછપરછમાં આપ્યું હતું.

પઠાણ પરિવારમાંથી આવે છે :

દાઉદની આ બીજી બેગમ પાકિસ્તાનના જ એક પઠાણ પરિવારમાં આવે છે. જો કે NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમે એવું કહે છે કે બીજા લગ્ન કરવા માટે તેણે પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ આવું બિલકુલ નથી.

NIA ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન સાથે મારી મુલાકાત જુલાઈ 2022માં દુબઈમાં થઈ હતી. ત્યારે મને દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની વિશે ખબર પડી હતી. અલીશાહના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન જ દરેક તહેવારે અવસરે ભારતમાં બેઠેલા સંબંધીઓ સાથે વોટસએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે.

અત્રે જણાવવાનું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ પણ અલીશાહની પૂછપરછ કરી હતી. ત્યારે અલીશાહે જણાવ્યું હતું કે મને અનેક લોકોથી જાણવા મળ્યું છે કે મામા દાઉદ ઈબ્રાહિમ અને પત્ની મહેજબીનના પાંચ બાળકો છે અને બધા પાકિસ્તાનમાં જ રહે છે.

આ પણ વાંચો :-

18 જાન્યુઆરી 2023, રાશિફળ : આ રાશિના લોકોને ગજાનંદની કૃપાથી તણાવનો અંત આવશે, આર્થિક સ્થિતિમાં થશે સુધારો

January 18, 2023, Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જૂના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવ‌ી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુન
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતું જણાય.

કર્ક
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થથી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્‍તી માટે સારો દિવસ. પત્ની સાથે આનંદ, આરોગ્ય જળવાય.

સિંહ
થોડી માનસિક અશાંતી રહે, શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યા
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતી અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલા
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ કરવાનું થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોરબાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિક
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધન
માનસિક અશાંતી રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સ ફલતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકર
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતીથી કામ લેવું.

મીન
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનીના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

હેલમેટ પહેરવાનું ચાલુ કરી દેજો : ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નિયમોનું અમલીકરણ કરો…

0

Start Wearing Helmets

  • ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર (Two wheeler) ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ (Helmet) પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.

ટ્રાફિક નિયમો મૂદ્દે હાઈકોર્ટે કરી ટકોર :

એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. કેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.

લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા ?

ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ‘  ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ‘ હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ. હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’

શું છે નિયમ ?

મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર નથી અથવા ISI માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-

પાક. ટીમના કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતાં ઝડપાયો, સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો ચેટ અને વીડિયો લીક થયા

Crop. Team captain Babar Azam caught cheating

  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફ્લોપ કેપ્ટનશીપના કારણે ચર્ચામાં છે.

હવે તે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર પોતાની ટીમના જ એક સાથી ક્રિકેટરની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે અફેર કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કેટલાક ચેટ અને વીડિયોના (Chat and Video) આધારે લગાવાઈ રહ્યો છે. હાસમાં આ આરોપો પર કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી.

બાબર આઝમના ચેટિંગના વીડિયો વાઈરલ :

બાબરના જે પર્સનલ ચેટ અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં કંઈ ખોટું નથી દેખાઈ રહ્યું, પરંતુ આરોપ લાગી રહ્યા છે કે તે સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડને એવા મેસેજ કરી ચૂક્યો છે કે જો તે તેની સાથે વાતચીત ચાલુ રાખશે તો ટીમમાં તેના બોયફ્રેન્ડને સ્થાન મળતું રહેશે. આ સાથે બાબરનું અમુક રેકોર્ડિંગ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. આ બધું ફેક છે કે ઓરિજિનલ તે સ્પષ્ટ નથી. પરંતુ હાલમાં બાબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અગાઉ પણ યૌન શોષણનો આરોપ લાગ્યો હતો :

નોંધનીય છે કે આ પહેલા નવેમ્બર 2020માં બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તેને લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે આ વાયદાથી 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો.

આ આરોપ બાબરની કોલોનીમાં રહેતી એક મહિલાએ જ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે સ્કૂલના સમયથી જ સારા મિત્રો હતા અને આ દરમિયાન 2010માં બાબરે તેને પ્રપોઝ કર્યું હતું. જોકે બાદમાં બાબરને આ આરોપોથી ક્લીન ચીટ મળી ગઈ હતી.

આ પણ વાંચો :-

એકલા હાથે આ 5 ભારતીય પ્લેયર્સ પલટી શકે છે આખી IND vs NZ વનડે સિરીઝનું પાસું, જુઓ લિસ્ટ

0

These 5 Indian players can single-handedly

  • ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા તેના નવા મિશન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ મેચની ODI સીરીઝ રમવાની છે અને એ પછી ટીમ ઈન્ડિયા T20 સીરીઝ પણ રમશે.

આ સાથે જ આપણે બધા જાણીએ છીએ કે સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને T20I સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ સાથે જ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમની કમાન સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

1. શુભમન ગિલ :

ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે એ લિસ્ટમાં પહેલા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું નામ આવે છે. અઆપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં કુલ 58 રન બનાવ્યા હતા. તે જ સમયે ગિલે ODI સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 127 રન બનાવ્યા છે.

2. સૂર્યકુમાર યાદવ :

બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ છે આવે છે. શ્રીલંકા સામેની T20 સીરિઝમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી મેચમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે ત્રણ મેચની T20 સીરિઝમાં કુલ 170 રન બનાવ્યા હતા.

3. હાર્દિક પંડ્યા :

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે, જેણે શ્રીલંકા સામેની T20 સીરીઝમાં કુલ 45 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ લીધી. આ સાથેજ એમને ODI સીરિઝ બે મેચ રમી રહ્યા હતા ત્યારે પંડ્યાએ 50 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. ભલે પંડ્યાએ આ સીરિઝમાં કંઈ ખાસ કર્યું નથી પણ તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 માં ટીમની કમાન સોંપવામાં આવી છે.

4. ઉમરાન મલિક :

આ યાદીમાં છેલ્લા નંબર પર ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. જણાવી દઈએ કે ઉમરાને શ્રીલંકા સામેની T20 અને ODI સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેને T20 સિરીઝમાં કુલ 7 વિકેટ લીધી હતી. આ સાથે જ ODI સિરીઝમાં ઉમરાને બે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી.

5. કુલદીપ યાદવ :

આ લિસ્ટમાં કુલદીપ યાદવનું નામ ચોથા નંબર પર છે. કુલદીપ યાદવે શ્રીલંકા સામેની વનડે સીરિઝની બે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી અને એ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર બોલિંગ કરીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને કુલદીપ યાદવથી ખતરો હોઈ શકે છે.

આ પણ વાંચો :-

કાર ખરીદવી થશે મોંઘી : Maruti Suzukiનો ગ્રાહકોને મોટો ઝટકો ! Altoથી લઈને Brezzaમાં કર્યો ભાવ વધારો..

0

Buying a car will be expensive

  • મારુતિ સુઝુકીએ તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કર્યો છે અને આ નવી કિંમતો જે ગઈ કાલે એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થઈ ગઈ છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) આજે તેના વાહનોમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ (Ex-Showroom) કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવી કિંમતો  ગઈ કાલથી એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થશે. જો કે કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવવધારો અલગ અલગ મોડલ પ્રમાણે અલગ હશે.

જો કે મારુતિ સુઝુકીએ હજુ સુધી એવી કોઈ માહિતી શેર કરી નથી કે કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે. જણાવી દઈએ કે આ ભાવ વધારો કંપનીના વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. મારુતિ સુઝુકી વ્હીકલ લાઈનઅપમાં હાલમાં સૌથી સસ્તી અલ્ટોથી ગ્રાન્ડ વિટારા જેવા વાહનોનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી સાથે જ ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી બ્રાન્ડ્સે પણ જાન્યુઆરી મહિનાથી તેમના વાહનોની કિંમતો વધારવાની યોજના બનાવી છે.

આ સાથે જ આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા વાહન કંપનીઓએ ઈનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો હતો. જો કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને દર વર્ષે મોટાભાગના વાહન ઉત્પાદકો વર્ષની શરૂઆતમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરે છે. આ સિવાય સેમિકન્ડક્ટરનો પુરવઠો, સપ્લાય ચેઈન વગેરે પણ વાહનોની કિંમતમાં આવતા આ વધારાનું એક મુખ્ય કારણ છે. આ સતહે જ તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી હરિયાણામાં નવી ફેક્ટરી પણ તૈયાર કરી રહી છે.

હાલમાં જ ટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં (Auto Expo) મારુતિએ તેની પહેલી ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર eVX સમક્ષ રજૂ કરી હતી અને આ ઉપરાંત કંપનીએ આ મોટર શોમાં તેની બહુપ્રતિક્ષિત ઓફરોડિંગ SUV Jimny 5- ડોરનું પણ અનાવરણ કર્યું છે. જણાવી દઈએ કે આ SUV પણ ટૂંક સમયમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય મારુતિ સુઝુકીએ ઓટો એક્સપોમાં (Auto Expo) તેની નવી SUV Fronx પણ રજૂ કરી છે, જેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર..

0

Congress finally woke up from sleep

  •  કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષ નેતા. શૈલેશ પરમારને કોંગ્રેસે પક્ષના ઉપનેતા બનાવ્યા.

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને (Amit Chavda) વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે.

છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતીને પણ એક વિરોધ પક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ મામલે કોંગ્રેસમાં પણ હવે ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલાયું હતું. પરંતું આ વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયું છે.

ગઈકાલે હાઈકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઈએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતું નથી.

માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ તે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સમજાતું ન હતું. એવી પણ રજૂઆત થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં, આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનું કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ.

આ પણ વાંચો :-