Home Blog Page 1199

ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિ.ની મહિલા સાથે કર્યા બીજા લગ્ન, ભાણિયાએ ખોલી નાખી પોલ

Don Dawood Ibrahim married a Pakistani woman for the second time

  • ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે.

ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Don Dawood Ibrahim) અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે (Alisha) પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે. તેણે તેની પહેલી પત્નીને તલાક આપીને બીજીવાર નિકાહ કર્યા છે. જો કે નિકાહ કઈ મહિલા સાથે કર્યા તેના નામનો ખુલાસો તેણે કર્યો નથી.

અલીશાહ ઈબ્રાહિમ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. દાઉદના ભાણીયા અલીશાહે NIA ની પૂછપરછમાં જણાવ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીના ડિફેન્સ એરિયામાં છૂપાયેલો છે અને બીજા લગ્ન કર્યા છે. NIA એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંબંધ રાખવાના મામલે મુંબઈમાં મોટા પાયે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક લોકોના નિવેદનો લેવાયા હતા. આ જ કડીમાં અલીશાહ ઈબ્રાહિમ પારકરનું તે સ્ટેટમેન્ટ પણ હાથ લાગ્યું છે જે તેણે એનઆઈએની પૂછપરછમાં આપ્યું હતું.

પઠાણ પરિવારમાંથી આવે છે :

દાઉદની આ બીજી બેગમ પાકિસ્તાનના જ એક પઠાણ પરિવારમાં આવે છે. જો કે NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમે એવું કહે છે કે બીજા લગ્ન કરવા માટે તેણે પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ આવું બિલકુલ નથી.

NIA ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન સાથે મારી મુલાકાત જુલાઈ 2022માં દુબઈમાં થઈ હતી. ત્યારે મને દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની વિશે ખબર પડી હતી. અલીશાહના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન જ દરેક તહેવારે અવસરે ભારતમાં બેઠેલા સંબંધીઓ સાથે વોટસએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે.

અત્રે જણાવવાનું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ પણ અલીશાહની પૂછપરછ કરી હતી. ત્યારે અલીશાહે જણાવ્યું હતું કે મને અનેક લોકોથી જાણવા મળ્યું છે કે મામા દાઉદ ઈબ્રાહિમ અને પત્ની મહેજબીનના પાંચ બાળકો છે અને બધા પાકિસ્તાનમાં જ રહે છે.

આ પણ વાંચો :-

18 જાન્યુઆરી 2023, રાશિફળ : આ રાશિના લોકોને ગજાનંદની કૃપાથી તણાવનો અંત આવશે, આર્થિક સ્થિતિમાં થશે સુધારો

January 18, 2023, Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જૂના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવ‌ી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુન
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતું જણાય.

કર્ક
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થથી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્‍તી માટે સારો દિવસ. પત્ની સાથે આનંદ, આરોગ્ય જળવાય.

સિંહ
થોડી માનસિક અશાંતી રહે, શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યા
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતી અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલા
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ કરવાનું થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોરબાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિક
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધન
માનસિક અશાંતી રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સ ફલતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકર
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતીથી કામ લેવું.

મીન
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનીના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

હેલમેટ પહેરવાનું ચાલુ કરી દેજો : ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નિયમોનું અમલીકરણ કરો…

0

Start Wearing Helmets

  • ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર (Two wheeler) ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ (Helmet) પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.

ટ્રાફિક નિયમો મૂદ્દે હાઈકોર્ટે કરી ટકોર :

એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. કેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.

લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા ?

ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ‘  ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ‘ હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ. હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’

શું છે નિયમ ?

મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર નથી અથવા ISI માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-

પાક. ટીમના કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતાં ઝડપાયો, સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો ચેટ અને વીડિયો લીક થયા

Crop. Team captain Babar Azam caught cheating

  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફ્લોપ કેપ્ટનશીપના કારણે ચર્ચામાં છે.

હવે તે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર પોતાની ટીમના જ એક સાથી ક્રિકેટરની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે અફેર કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કેટલાક ચેટ અને વીડિયોના (Chat and Video) આધારે લગાવાઈ રહ્યો છે. હાસમાં આ આરોપો પર કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી.

બાબર આઝમના ચેટિંગના વીડિયો વાઈરલ :

બાબરના જે પર્સનલ ચેટ અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં કંઈ ખોટું નથી દેખાઈ રહ્યું, પરંતુ આરોપ લાગી રહ્યા છે કે તે સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડને એવા મેસેજ કરી ચૂક્યો છે કે જો તે તેની સાથે વાતચીત ચાલુ રાખશે તો ટીમમાં તેના બોયફ્રેન્ડને સ્થાન મળતું રહેશે. આ સાથે બાબરનું અમુક રેકોર્ડિંગ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. આ બધું ફેક છે કે ઓરિજિનલ તે સ્પષ્ટ નથી. પરંતુ હાલમાં બાબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અગાઉ પણ યૌન શોષણનો આરોપ લાગ્યો હતો :

નોંધનીય છે કે આ પહેલા નવેમ્બર 2020માં બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તેને લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે આ વાયદાથી 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો.

આ આરોપ બાબરની કોલોનીમાં રહેતી એક મહિલાએ જ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે સ્કૂલના સમયથી જ સારા મિત્રો હતા અને આ દરમિયાન 2010માં બાબરે તેને પ્રપોઝ કર્યું હતું. જોકે બાદમાં બાબરને આ આરોપોથી ક્લીન ચીટ મળી ગઈ હતી.

આ પણ વાંચો :-

એકલા હાથે આ 5 ભારતીય પ્લેયર્સ પલટી શકે છે આખી IND vs NZ વનડે સિરીઝનું પાસું, જુઓ લિસ્ટ

0

These 5 Indian players can single-handedly

  • ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા તેના નવા મિશન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ મેચની ODI સીરીઝ રમવાની છે અને એ પછી ટીમ ઈન્ડિયા T20 સીરીઝ પણ રમશે.

આ સાથે જ આપણે બધા જાણીએ છીએ કે સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને T20I સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ સાથે જ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમની કમાન સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

1. શુભમન ગિલ :

ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે એ લિસ્ટમાં પહેલા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું નામ આવે છે. અઆપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં કુલ 58 રન બનાવ્યા હતા. તે જ સમયે ગિલે ODI સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 127 રન બનાવ્યા છે.

2. સૂર્યકુમાર યાદવ :

બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ છે આવે છે. શ્રીલંકા સામેની T20 સીરિઝમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી મેચમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે ત્રણ મેચની T20 સીરિઝમાં કુલ 170 રન બનાવ્યા હતા.

3. હાર્દિક પંડ્યા :

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે, જેણે શ્રીલંકા સામેની T20 સીરીઝમાં કુલ 45 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ લીધી. આ સાથેજ એમને ODI સીરિઝ બે મેચ રમી રહ્યા હતા ત્યારે પંડ્યાએ 50 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. ભલે પંડ્યાએ આ સીરિઝમાં કંઈ ખાસ કર્યું નથી પણ તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 માં ટીમની કમાન સોંપવામાં આવી છે.

4. ઉમરાન મલિક :

આ યાદીમાં છેલ્લા નંબર પર ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. જણાવી દઈએ કે ઉમરાને શ્રીલંકા સામેની T20 અને ODI સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેને T20 સિરીઝમાં કુલ 7 વિકેટ લીધી હતી. આ સાથે જ ODI સિરીઝમાં ઉમરાને બે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી.

5. કુલદીપ યાદવ :

આ લિસ્ટમાં કુલદીપ યાદવનું નામ ચોથા નંબર પર છે. કુલદીપ યાદવે શ્રીલંકા સામેની વનડે સીરિઝની બે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી અને એ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર બોલિંગ કરીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને કુલદીપ યાદવથી ખતરો હોઈ શકે છે.

આ પણ વાંચો :-

કાર ખરીદવી થશે મોંઘી : Maruti Suzukiનો ગ્રાહકોને મોટો ઝટકો ! Altoથી લઈને Brezzaમાં કર્યો ભાવ વધારો..

0

Buying a car will be expensive

  • મારુતિ સુઝુકીએ તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કર્યો છે અને આ નવી કિંમતો જે ગઈ કાલે એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થઈ ગઈ છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) આજે તેના વાહનોમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ (Ex-Showroom) કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવી કિંમતો  ગઈ કાલથી એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થશે. જો કે કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવવધારો અલગ અલગ મોડલ પ્રમાણે અલગ હશે.

જો કે મારુતિ સુઝુકીએ હજુ સુધી એવી કોઈ માહિતી શેર કરી નથી કે કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે. જણાવી દઈએ કે આ ભાવ વધારો કંપનીના વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. મારુતિ સુઝુકી વ્હીકલ લાઈનઅપમાં હાલમાં સૌથી સસ્તી અલ્ટોથી ગ્રાન્ડ વિટારા જેવા વાહનોનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી સાથે જ ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી બ્રાન્ડ્સે પણ જાન્યુઆરી મહિનાથી તેમના વાહનોની કિંમતો વધારવાની યોજના બનાવી છે.

આ સાથે જ આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા વાહન કંપનીઓએ ઈનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો હતો. જો કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને દર વર્ષે મોટાભાગના વાહન ઉત્પાદકો વર્ષની શરૂઆતમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરે છે. આ સિવાય સેમિકન્ડક્ટરનો પુરવઠો, સપ્લાય ચેઈન વગેરે પણ વાહનોની કિંમતમાં આવતા આ વધારાનું એક મુખ્ય કારણ છે. આ સતહે જ તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી હરિયાણામાં નવી ફેક્ટરી પણ તૈયાર કરી રહી છે.

હાલમાં જ ટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં (Auto Expo) મારુતિએ તેની પહેલી ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર eVX સમક્ષ રજૂ કરી હતી અને આ ઉપરાંત કંપનીએ આ મોટર શોમાં તેની બહુપ્રતિક્ષિત ઓફરોડિંગ SUV Jimny 5- ડોરનું પણ અનાવરણ કર્યું છે. જણાવી દઈએ કે આ SUV પણ ટૂંક સમયમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય મારુતિ સુઝુકીએ ઓટો એક્સપોમાં (Auto Expo) તેની નવી SUV Fronx પણ રજૂ કરી છે, જેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર..

0

Congress finally woke up from sleep

  •  કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષ નેતા. શૈલેશ પરમારને કોંગ્રેસે પક્ષના ઉપનેતા બનાવ્યા.

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને (Amit Chavda) વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે.

છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતીને પણ એક વિરોધ પક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ મામલે કોંગ્રેસમાં પણ હવે ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલાયું હતું. પરંતું આ વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયું છે.

ગઈકાલે હાઈકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઈએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતું નથી.

માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ તે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સમજાતું ન હતું. એવી પણ રજૂઆત થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં, આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનું કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ.

આ પણ વાંચો :-

ટાટાના હાથ પડતાં જ ચેતનવંતી બની એર ઈન્ડીયા ! એકઝાટકે ખરીદશે 500 વિમાન

0

Air India became Chetanvanti as soon as Tata’s hands fell

  • કોરોનાકાળ બાદ હવાઈ મુસાફરોની માંગને લઈ એર ઈન્ડિયા દ્વારા 500 નવા વિમાનના ઓર્ડર કરવામાં આવી શકે છે.

કોરોના કાળ બાદ હવાઈ ​​મુસાફરોની (Air passengers) સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ઉડ્ડયન ક્ષેત્રે ચેતનવંતા પ્રાણ પુરાયા છે. ત્યારે હવાઈ મુસાફરીની વધતી સંખ્યાને પગલે એર ઈન્ડિયા (Air India) દ્વારા એકી સાથે 500 નવા વિમાન ઓર્ડર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જેને લઈને ટાટા જૂથ (Tata Group) અન્ય એરલાઈન્સના દબદબાને પડકારી શકે છે.

ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે :

એરલીઝ કોર્પના ચેરમેન સ્ટીવન ઉદ્વાર હેજીએ એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આવી રહ્યા છે જે બેકફૂટ પર હતી. પરંતુ હવે પોઝીટીવ ટ્રેન્ડ નજર આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે, જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે જેમાં A320neos, A321neos and (Boeing) 737 MAXs નો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત, 100 વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર અપાશે. જેમાં (boeing) 787s, 777X, (air bus A350s અને 777 freighters સમાવેશ થઈ શકે છે. જો કે આ ડીલ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય :

મહત્વનું છે તે ટાટા ગ્રુપએ એર ઈન્ડિયાનું શુકણ સંભળ્યાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વધારાને લઈને કામ કરી રહ્યું છે. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટાટા કંપની તેની ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. એર ઈન્ડિયામાં ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો ધરાવશે.

હાલ સિંગાપોર એરલાઇન્સ ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. મહત્વનું છે કે ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય જમાવવા માંગે છે. વિલીનીકરણના બાદ એર ઈન્ડિયા એરક્રાફ્ટની સંખ્યા અને હિસ્સાની દ્રષ્ટિએ બીજી નંબરની એરલાઈન બની જશે. મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.

આ પણ વાંચો :-

17 જાન્યુઆરી 2023, રાશિફળ : વિષ્ણુજીની કૃપાવર્ષાથી આ રાશીના લોકોને મળશે સફળતાના માર્ગ

January 17, 2023, Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બંને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વદ્ધિ થાય.

મિથુન
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્ક
દિવસ દરમિયાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

‌સિંહ
થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. કાર્ય સફળતા મળતી જણાય.

કન્યા
નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઈ-બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલા
જુસ્સો, ચાણક્ય નીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ-પ્લાસ્ટિકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃ‌શ્ચિક
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઈ શકાય. બેન્કીંગ, શિક્ષણ, ઈન્કમટેક્સ, સેલ્સટેક્સના ધંધાવાળા માટે પ્રગતિ.

ધન
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકર
આનંદની અનુભૂતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભ
ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃદ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીન
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન આવી ગયું

Chief Minister Bhupendra Patel has

  • જેવો સંગ તેવો રંગ : ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહના સતત સહવાસને પગલે શાંત, સરળ ભૂપેન્દ્ર પટેલ અનુભવી, કુશળ રાજનેતા બની ગયા.
  • ગાંધીનગરમાં ભૂતકાળની નરેન્દ્ર મોદીની સરકારની અનુભૂતી થઈ રહી છે. કામ સિવાય કોઇ વાત નહીં અને અધિકારીઓ પણ લાઈન ઉપર આવી ગયા.
  • લોકોને શંકા હતી કે મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ કઇ રીતે સરકાર ચલાવશે? પરંતુ લોકોની શંકા ભૂપેન્દ્ર પટેલે ખોટી ઠેરવી.
  • નવી સરકારની રચના બાદ દિલ્હી રવાના થતા પૂર્વે વડાપ્રધાન મોદીએ આપેલી ચેતવણી હજુ પણ ઘણાના કાનમાં પડઘાયા કરતી હશે.
  • રીઢા રાજકારણીઓ, વચેટિયાઓને નસેનસથી ઓળખતા મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનની ઢાલ મુખ્યમંત્રી માટે સૌથી મોટુ સુરક્ષા ચક્ર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે કારભાર સંભાળ્યો ત્યારે બધાને એક વાતનો ડર હતો કે મૃદુ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ નવી સરકારનું સુકાન અસરકારક સંભાળી શકશે કે કેમ? કારણ કે લોકોને ભૂપેન્દ્ર પટેલની વહિવટી ક્ષમતા સામે શંકા નહોતી પરંતુ સ્વભાવગત તેઓ આકરા થઈ શકે તેમ નહીં હોવાથી લોકોને એક એવી આશંકા હતી કે ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ બહુમતવાળી સરકારને કઇ રીતે ચલાવી શકશે પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારનો પ્રારંભ અને વિતેલા એક માસના સમય જોતા ગાંધીનગરમાં બધુ જ બદલાઈ ગયું છે.

થોડા ઘણા અંશે ભૂતકાળની નરેન્દ્ર મોદીનાં સમયના વહિવટની અનુભૂતિ થઈ રહી છે. મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન દેખાઈ રહ્યું છે. જાણે સચિવાલયની લોબી અને ઓફિસોમાં નરેન્દ્ર મોદીની હાજરીનો અહેસાસ થઈ રહ્યો છે. બધુ જ સમયસર એજન્ડા પ્રમાણે અને શિસ્તબદ્ધ ચાલી રહ્યું છે. સનદી અધિકારીઓને પણ ચોક્કસ સંદેશો મળી ગયો છે કે હવે મુખ્યમંત્રીને ઊંધા ચશ્મા પહેરાવી શકાશે નહીં. નક્કી કરેલા કાર્યક્રમ અને આપવામાં આવેલી સમય મર્યાદા પ્રમાણે કાર્યાલયો ધમધમી રહ્યા છે. ઇચ્છા પડે ત્યારે આવતા અને ઇચ્છા પડે ત્યારે નીકળી જવાનું હવે અધિકારીઓ માટે શકય નથી.

મંત્રીઓ માટે પણ ચોક્કસ નિયમો બનાવાયા છે. કોઇ મંત્રીની ઓફિસમાં ‘ડાયરા’ જોવા મળતા નથી અને વચેટિયાઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પ્રત્યેક મંત્રીની કામગીરી ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સીધી નજર રાખી રહ્યું છે. મંત્રી પોતાના મતવિસ્તારમાં જઇને શું કરે છે તેનો પણ હિસાબ રાખવામાં આવે છે અને વળી સચિવાલયમાં એકથી વધુ વખત આંટાફેરા મારતા લોકો અને મુલાકાતીઓની પણ વિશેષ નોંધ રાખવામાં આવે છે. ‌
વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે લાગતું હતું કે ભૂપેન્દ્ર પટેલ કેરટેકર એટલે કે રખેવાળ સરકારના મુખ્યમંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલ પણ આક્રમક મિજાજના દેખાતા નહોતા. કદાચ ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ એવું માનતા હશે કે તેઓ ખરેખર વચગાળાની સરકારના મુખ્યમંત્રી છે અને એટલે જ બધુ અનિર્ણાયક સ્થિતિમાં ચાલતુ હતું.

પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે બાજી પોતાના હાથમાં લઇને દાખવેલી આક્રમકતા અને નિર્ણાયક ટાર્ગેટ હાંસલ કરવાના દૃઢ નિર્ધારને પગલે પક્ષના ભલભલા લોકો થથરી ગયા હતા. પક્ષનો એક પણ આગેવાન મોદી અને શાહના નિર્ણય સામે બોલવા રાજી નહોતા. ઘણા લોકો તો ખાનગીમાં ભાજપની નિર્ણાયક બહુમતિ સામે પણ શંકા વ્યક્ત કરતા હતા. ખુદ ભાજપના લોકો ૧૦૦થી ૧૧૦ બેઠકો મુકી રહ્યા હતા પરંતુ મોદી-શાહની જોડીએ રાજકીય પંડિતોને ધરાર જુઠ્ઠા પાડવા સાથે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ખુદ વડાપ્રધાન મોદીએ પોતાનો રેકોર્ડ પણ તોડીને વધુ બેઠકો હાંસલ કરી હતી.

ખેર, ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક આવ્યા હતા. અને દિવસો સુધી સાથે રહેવાની તક મળી હતી. આ સમય દરમિયાન ઘણું બધું બદલાયું હતું. ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલાવા સાથે ભૂપેન્દ્ર પટેલમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું હતું. એક સમયે મોઢા ઉપર મરક મરક હાસ્ય અને મોઢામાં ફલેવરવાળી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલના સ્વભાવ અને વહેવાર બન્ને બદલાયા છે. અને હવે ભૂપેન્દ્ર પટેલ ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારના વડા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સરકારને ગેરમાર્ગે દોરીને પોતાનું ધાર્યુ કરાવવામાં માસ્ટર હોવાનું મનતા અધિકારીઓ અને પક્ષના ખેલાડી આગેવાનો, હોદ્દેદારોને પણ મેસેજ મળી ગયો છે કે હવે ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળના ભૂપેન્દ્ર પટેલ નથી.

ભૂપેન્દ્ર પટેલના બદલાવા પાછળ ખરેખર તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું પીઠબળ અને ‘ગુરૂમંત્ર’ કારણભૂત છે. ગુજરાતમાં નવી સરકારની રચના બાદ ગાંધીનગરથી રવાના થતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ચોક્કસ ગાઇડલાઇન આપવા સાથે ‘સખત’ શબ્દોમાં કેટલીક સુચનાઓ આપી હતી. આ સુચનાની આકરી ભાષાએ કેટલાક મંત્રીઓને પણ પરસેવો પડાવી દીધો હતો. વડાપ્રધાન મોદીએ વિમાનમાં પગ મુકતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભા ઉપર હાથ મુકીને પોતે પડખે હોવાનો ભરોસો અપાવ્યો હતો અને ચોક્કસ પરિભાષા સાથે સરકાર ચલાવવા આદેશ આપ્યો હતો. નરેન્દ્ર મોદીનો આદેશ ગણો કે ‘ગુરૂમંત્ર’ ની ગુજરાત સરકારના વહિવટમાં અક્ષરસર અનુભૂતી થઈ રહી છે.

મંત્રીઓ અને સચિવોને ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે અને રોજેરોજનો હિસાબ પુછવામાં  આવે છે. સરકારને હવે વિપક્ષ કે પક્ષના નારાજ લોકોની ચિંતા નથી. વડાપ્રધાન સહિત ભાજપનું નેતૃત્વ હવે ગુજરાતમાં પ્રચંડ બહુમતિના નશામાં ડૂબી જવાને બદલે ભાજપ સરકારને લોકપ્રિય સરકાર બનાવવા ઇચ્છે છે અને એટલે જ નવી સરકારના પ્રારંભથી જ મંત્રીઓ અને પક્ષના હોદ્દેદારો નેતાઓને રાજ્યભરમાં દોડતા કરી દીધા છે. સરકાર ઇચ્છે છે કે રાજ્યના કોઇપણ ખૂંણામાંથી સરકાર સામે નારાજગીની વાત સંભળાવવી જોઇએ નહીં. લોકોને ગાંધીનગર સુધી દોડાવવાને બદલે સ્થાનિક કક્ષાએ જ લોક પ્રશ્નોનો ઉકેલ આવી જવો જોઇએ.

ભાજપ નેતૃત્વની વ્યાખ્યામાં ભૂપેન્દ્ર પટેલ બીલકુલ ફીટ બેસી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ આશ્ચર્યજનક બદલાયા છે. તેમના ચહેરા ઉપરનું મરક મરક હાસ્ય યથાવત છે પરંતુ નિર્ણયમાં ચોક્કસ કઠોરતા અને પારદર્શિતા દેખાઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કામકાજ માટે આવતા પ્રત્યેક મુલાકાતીને પુરતો સમય આપવા સાથે લાગતા વળગતા અધિકારીઓને હાજર રાખીને લોકોની સમસ્યા, પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળની માફક હવે મુખ્યમંત્રીના પી.એ.ના ટેબલ ઉપર ડાયરા કે ભલામણોનો દોર જોવા મળતો નથી. આ બધુ જોયા પછી એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે કરેલી શરૂઆત લાંબો સમય યથાવત સ્થિતિમાં જાળવી રાખવામાં આવશે તો લોક પ્રશ્નોની લાંબી લાઇનો ઓછી થવા સાથે વચેટિયા એટલે ‘લાયઝનર’ કદાચ જોવા નહીં મળે.
મુખ્યમંત્રીની બાજુમાં જ બેસતા અગ્રસચિવ કૈલાસનાથનની સક્રિયતામાં પણ વધારો દેખાઈ રહ્યો છે. પીઢ અનુભવી અને રાજકીય આગેવાનો અને લોકોની માનસિકતાને ખૂબ જ નજીકથી ઓળખી જતા કૈલાસનાથન મુખ્યમંત્રીની ઢાલ બનીને કામ કરી રહ્યા છે. ખોટા ઇરાદાઓ લઇને આવતા રાજકીય આગેવાનો અને સચિવાલયમાં પડ્યા પાથર્યા રહેતા લોકોનો પડછાયો દૂર કરવા માટે કૈલાસનાથનુ નામ માત્ર કાફી છે.

આ પણ વાંચો :-