Home Blog Page 1193

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2 મોટી દુર્ઘટના : સુખોઈ 30 અને મિરાજ 2000 સહિત 3 વિમાનો ક્રેશ

0

IAF Plane Crash

  • રાજસ્થાનના ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે.

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે. પિંગા રેલવે સ્ટેશન (Pinga Railway Station) પાસે ઉચ્ચૈન પોલીસ મથકના ગામ ચક નગલા બીજા પાસે સેનાનું વિમાન ક્રેશ (Airplane crash) થવાની સૂચના મળી રહી છે.

રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય સેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું છે. ફાઈટર જેટ શનિવારે સવારે ભરતપુરના સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા વિઝામાં ક્રેશ થયું હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાયલોટ અને વિમાનમાં સવાર અન્ય લોકો હજુ સુધી કંઈપણ શોધી શક્યા નથી.

પ્લેન ક્રેશ થતાની સાથે જ ચારે બાજુ કાટમાળ પથરાઈ ગયો છે. આ સમગ્ર વિસ્તાર રહેણાંક છે. પિંગોરા રેલ્વે સ્ટેશન નજીક ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ચક નાગલા બીજ પાસે આર્મી પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. જ્યાં સેનાનું આ વિમાન ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું છે. લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ પ્રશાસન લોકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્લેનમાં પહેલા આગ લાગી અને પછી પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થતાની સાથે જ ઘટના સ્થળની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પ્લેન ક્રેશ થયા બાદ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી છે.

મધ્ય પ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ :

મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. જ્યાં ટ્રેનિંગ ચાલી રહી હતી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયા નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Pathan Movie : Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ

Pathan Movie

  • ભારે વિવાદ બાદ આજે 100 દેશની 2500 સ્ક્રિન પર એકસાથે રિલિઝ થઈ ફિલ્મ પઠાણ. હિંદુ સંગઠનોના વિરોધની શક્યતાના પગલે થિયેટરો પર ગોઠવાયો પોલીસનો ચાંપતો બંદોબસ્ત.

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પઠાણનો વિવાદ હજી શમ્યો નથી. ત્યારે ગુજરાતભરમાં પણ પઠાણ ફિલ્મ રિલીઝ થશે. અમદાવાદમાં (Ahmedabad) આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પઠાણ ફિલ્મ રિલીઝ થતા શહેરના તમામ થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના થલતેજ ખાતે આવેલા PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત મૂકાયો છે. આ વચ્ચે વહેલી સવારે લોકો આજે રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા પહોંચ્યા છે.

પઠાણ રિલીઝ થવા પર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે.

વિવાદોમાં ફસાયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બુધવારે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે ફિલ્મ રીલીઝ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તૈયારીઓ કરી છે. મલ્ટીપ્લેક્સની બહાર બંદોબસ્તની સાથે પોલીસે લોકોને અફવાઓથી ન દોરાવા અપીલ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે હવે પોતાનો વિરોધ આટોપી લીધો છે.

ટીઝર રિલીઝ થયા બાદથી જ સતત વિવાદમાં રહેલી પઠાણ ફિલ્મની રિલીઝ થવાની રાહ ખુલી ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના અમુક દ્રશ્યો અને સંવાદો પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રીલીઝ થઈ છે, ત્યારે વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મનો વિરોધ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સેન્સર બોર્ડની કામગીરી બાદ VHP એ વિરોધ બંધ કર્યો છે. સાથે જ ફિલ્મ જોવી કે નહીં તે અંગે લોકોને જ નિર્ણય લેવા કહ્યું છે. જો કે VHPએ ભલે પઠાણ ફિલ્મનો વિરોધ બંધ કર્યો છે પણ ફિલ્મ નિર્માતાઓ અને સેન્સર બોર્ડ સામે તેનો વાંધો યથાવત્ છે.

તો આ તરફ ફિલ્મ રીલીઝ થતા પહેલાં જ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. ફિલ્મ રીલીઝ થયા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ફિલ્મના બહાને કોમવાદી પરિબળો સક્રિય ન થાય તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મલ્ટિપ્લેક્સ, થિયેટર અને મોલની પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અફવાઓથી દોરાઈ ન જવાની તેમજ ફિલ્મને માત્ર ફિલ્મ તરીકે જોવાની પણ અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

કેન્દ્ર હા પાડે એટલી જ વાર : હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ, RTOના ધક્કા બંધ

0

Center says yes as many times as possible

  • રાજ્યમાં નવા વાહનના નંબર માટે રાહ નહીં જોવી પડે. જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે.

નવા વાહનની (New vehicle) નંબર પ્લેટને લઈને રાજ્ય સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે. ગ્રાહકોએ નવા વાહનની ખરીદી બાદ નંબર માટે રાહ જોવી પડશે નહીં. જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે. કેન્દ્ર સરકારની (Central Govt) મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયને અમલમાં મુકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન વ્યવહાર વિભાગ (Traffic Department) 15 દિવસની અંદર જ આ ઠરાવ બહાર પાડી શકે છે.

હાલ 8થી 10 દિવસનો લાગે છે સમય :

રાજ્યમાં વર્તમાન સમયમાં નવા વાહનની ખરીદી બાદ તેના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે ઓનલાઈ RTO કચેરી ખાતે મોકલવામાં આવે છે. જેની ચકાસણી કર્યા પછી RTO કચેરી નંબર ફાળવે છે અને આ નંબરની HSRP તૈયાર કરવા ગાંધીનગર સ્થિત નંબર પ્લેટ કંપનીમાં નંબરની યાદી મોકલી આપે છે. જે બાદ અહીં નંબર પ્લેટ તૈયાર થાય છે અને અહીંથી નંબર પ્લેટ આવ્યા બાદ વાહન માલિકોને જાણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 8થી 10 દિવસ જેટલો સમય લાગી જાય છે.

આ દિશામાં આગળ વધી રહ્યું છે RTO તંત્ર :

સાથે હાલ પસંદગીનો નંબર મેળવવા માટે RTOની એપ્લિકેશન કે વેબસાઈટ પર ઓનલાઈન સિસ્ટમની મદદ લેવી પડતી હોય છે અને પેમેન્ટ પણ કરવું પડતું હોય છે. ત્યારે હવે કાર ખરીદતી વખતે ગ્રાહકોને ડીલરને ત્યાં જ પસંદગીના નંબરથી લઈને ઉપલબ્ધ નંબરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેમને તરત જ મળી રહેશે. RTO તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે. સરકાર નંબર પ્લેટ બનાવવા માટેની સુવિધા પણ વધારવા જઇ રહી છે.

રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલુ :

આ નિર્ણય બાદ ગ્રાહકોને RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ નિયમ હેઠળ રેન્ડમાઈઝેશન ઉપરાંત પસંદગીના નંબર માટે પણ વાહનોના ખરીદારોને લાંબો સમય રાહ જોવી નહીં પડે. આ નિર્ણયના અમલ મુદ્દે રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલી રહી છે.

આ પણ વાંચો :-

Airtel એ તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હટાવ્યો આ સૌથી સસ્તો પ્લાન

Airtel gave a big blow to its customers

  • એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

એરટેલ કંપનીએ (Airtel Company) પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે. એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 99 રૂપિયાનું ટોક-ટાઈમ મળે છે. આમાં ગ્રાહકો પાસેથી કોલ માટે 2.5 રૂપિયા પ્રતિ સેકન્ડ વસૂલવામાં આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી (Validity) સાથે આવે છે. આ સાથે ગ્રાહકોને 200MB ડેટા પણ મળે છે.

એરટેલે ગયા વર્ષે નવેમ્બરથી અલગ-અલગ સર્કલમાં આ પ્લાન હટાવવાનું શરૂ કર્યું હતું. 99 રૂપિયાના પ્લાનની સામે હવે ગ્રાહકોએ 155 રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે.

એરટેલના 155 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે 1GB ડેટા પણ મળશે. આ સિવાય ગ્રાહકોને પ્લાનમાં 300 SMSનો લાભ પણ મળશે.

એરટેલના પ્રવક્તાએ જણાવ્યું કે ગ્રાહકોને સારો અનુભવ આપવાના અમારા ધ્યેય મુજબ, અમે 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે અને 155નો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ 1 GB ડેટા અને 300 SMS મળશે.

તમને જણાવી દઈએ કે 99 રૂપિયાનું રિચાર્જ કરાવતા ગ્રાહકોને માસિક 57 ટકા વધુ ચૂકવણી કરવી પડશે. જો કે કંપની માટે આનાથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વધારો થશે.

આ પણ વાંચો :-

જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો ? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત

0

Do you know Jaya Kishori’s real name?

  • જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનું નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે.

જયા કિશોરી (Jaya Kishori) દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર (Magnification Speaker) અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનુ નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) તેને ખોટી ગણાવી છે. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે લગ્ન વિશે જયા કિશોરીનો શું મંતવ્ય છે?

થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક ખાનગી ચેનલ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે ઘણી વાતો જણાવી. સાથે જ લગ્નને લઈ એક શરત પણ રાખી હતી. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.

જયા કિશોરી શરત એ છે કે જ્યાં તેમના લગ્ન થાય ત્યાં તેમના માતાપિતા પણ તેમની આસપાસ શિફ્ટ થઈ જાય. ખરેખર જયા કિશોરી તેમના માતાપિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માગતા નથી. તેણે એમ પણ કહ્યું કે તે કોલકાતામાં લગ્ન કરે તો સારું રહેશે. કારણ કે માતાપિતા પણ ત્યાં રહે છે.

જયા કિશોરીનો જન્મ જુલાઈ 1995માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને ‘કિશોરીજી’ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા છે. તેમની એક બહેન પણ છે. જેમનું નામ ચેતના શર્મા છે.

મીડિયા અહેવાલ અનુસાર જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનું કામ કથા વાચન અને મોટીવેશનલ સ્પીચ આપવું છે.

આ પણ વાંચો :-

લાઈટ ચાલુ રાખીને સુવાની ભૂલ ન કરતા થઈ જશો 4 બીમારીના દર્દી, એક ઉપાય

Don’t make the mistake of sleeping with the light on

  • રાતે લાઈટ ચાલુ રાખીને ઊંઘવાથી 4 બીમારી થઈ શકે છે તેવું એક સ્ટડીમાં જણાવાયું છે.

ઘણા લોકોને રાત્રે લાઈટ ચાલુ (Light on) રાખીને સૂવાની આદત હોય છે. આનું કારણ મોટાભાગના લોકોમાં અંધકારનો ડર છે. પરંતુ શું તમે જાણો છો કે સૂતી વખતે લાઈટ ચાલુ રાખવી તમારા સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે જે લોકો લાઈટ ચાલુ રાખીને સુતા હતા કે તેઓ યોગ્ય રીતે સૂઈ શક્યા નહોતા.

મગજના રેકોર્ડિંગ્સ દર્શાવે છે કે તેઓએ ખૂબ ઓછી ગાઢ નિંદ્રા લીધી હતી. આ સાથે તેના મેટાબોલિઝમ અને હાર્ટ પરની અસરો વધુ આશ્ચર્યજનક હતી. લાઈટવાળા રુમમાં સુવાથી ઈન્સ્યુલિન (Insulin) પ્રતિકારમાં પણ વધારો જોવા મળ્યો હતો.

જાડિયાપણું  :

મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ટીવી અથવા લાઈટ ચાલુ રાખીને સૂતા હતા તેમનામાં જાડાપણાનું જોખમ વધારે થયું હતું. આના પરથી કહી શકાય કે લાઈટમાં સુવાથી શરીરમાં ચરબી ચડે છે.

ડિપ્રેશન :

રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાથી ડિપ્રેશનનો ખતરો વધી શકે છે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી (Electronic devices) નીકળતી બ્લુ લાઈટની (Blue light) તમારા મૂડ પર સૌથી ખરાબ અસર પડે છે. પ્રકાશનો સંબંધ ઊંઘના અભાવ સાથે છે. જે મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું પેદા કરી શકે છે.

ડાયાબિટીસ :

સૂવાના સમયે લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધે છે અને ઈન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીઝનું જોખમ વધે છે.

હૃદયરોગ :

પ્રકાશ શરીરની ઘડિયાળમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે બાયોમેકેનિકલ ફેરફારો થાય છે. જેના કારણે લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝનો ખતરો રહે છે.

લાઈટ વગર ઊંઘ ન આવતી હોય તો શું કરવું :

જો તમે પ્રકાશ વગર સૂઈ ન શકતા હોવ તો સામાન્ય પ્રકાશને બદલે લાલ બલ્બ ચાલુ રાખવો વધારે સારો છે.
એવું જાણવા મળ્યું છે કે લાલ નાઈટ બલ્બ ઊંઘના હોર્મોન મેલાટોનિનને વધુ પ્રમાણમાં પેદા કરે છે જેનાથી ઊંઘ સારી આવે છે. તે ઉપરાંત ધીરે ધીરે લાઈટ બંધ કરીને સુવાની ટેવ પાડવી ફાયદાકારક છે.

આ પણ વાંચો :-

ગુજરાત કોંગ્રેસમાં પડ્યો મોટો ડખો, વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જાહેર કરતાં દિગ્ગજ ધારાસભ્ય નારાજ, પડી આટી

0

A big scandal in Gujarat Congress

  • ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત. અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ.

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઈને મહત્વના સમાચાર આવ્યા છે કે અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. કોંગ્રેસમાં એક તરફ પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડની (Suspend) કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિગ્ગજનેતઓની નારજગી સામે આવી રહી છે.

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર નારાજ :

કોંગ્રેમાં અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. વિગતો અનુસાર શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ થયા છે તેમજ કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને અસમંજસમાં છે. તમને જણાવી દઈએ કે અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે અને વિપક્ષ નેતાના કાર્યાલયને બદલે હાલ કોંગ્રેસ પક્ષની ઓફિસમાંથી કામગીરી કરશે.

કોંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો :

વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલી રહ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

25 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ :  સાંઈબાબાની કૃપાથી આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “સાંઈબાબા કી જય”

25 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જૂની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતાં સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુન
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્યજીવનમાં આનંદ જળવાય.

કર્ક
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગિતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહ
નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્ટમેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

કન્યા
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની‌ જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલા
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિક
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધન
માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જૂના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો.

મીન
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

તમે પણ નથી કરતાને વધારે પડતા ફળનું સેવન ? આ સમસ્યાઓનો વધી શકે છે ખતરો

Are you consuming too much fruit?

  • ફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં નેચરલ શુગર મળી આવે છે અને તેને દરરોજ ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વોની કમી પુરી થઈ જાય છે. પરંતુ વધારે માત્રામાં ફળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

જાડાયણુ, ડાયાબિટીઝ અને હાર્ટના દર્દીઓ (Diabetes and heart patients) માટે શુગરને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં એવા ઘણા લોકો છે જે દરરોજ વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરનું (White and refined sugar) સેવન કરે છે. વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સામાન્ય રીતે ગળ્યુ ખાવાની ક્રેવિંગ થવા પર હેલ્થ અને ડાયેટ એક્સપર્ટ્સ ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે.

ફાળોમાંથી મળે છે નેચરલ શુગર :

તમને જણાવી દઈએ કે ફાળો પણ શુગરનું પ્રમાણ મળી આવે છે પરંતુ તેમાં મળી આવતી નેચરલ શુગર હોય છે જેને ફ્રૂક્ટોઝ કહેવાય છે. એવામાં વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરની તુલનામાં ફળોમાં મળી આવતા શુગરને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

કોઈ પણ વસ્તુનું ન કરો વધારે સેવન : 

જોકે જે પ્રકારે અનહેલ્ધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું નુકસાનકારક સાબિત થાય છે એવી જ રીતે હેલ્ધી વસ્તુઓનું પણ વધારે પ્રમાણમાં સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને વધારે માત્રામાં ફળ કાવાના અમુક નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.

વધારે પ્રમાણમાં ફળ ખાવાના નુકસાન  :

અમુક ફળોમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય છે તો અમુકમાં ખૂબ જ વધારે કેલેરી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડાયાબિટીઝના લોકોના મામલામાં ખૂબ વધારે માત્રામાં ફળ ખાવાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ વધી શકે છે.

ત્યાં જ જો હેલ્ધી લોકોની વાત કરીએ તો ખૂબ જ વધારે માત્રામાં ફળોનું સેવન કરવાથી વજન વધવા અને જાડાયણાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

એક તરફ સફરજન અને બેરીઝ એવા ફળ છે જેમાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે સાથે ડ ફળ તમને પ્રાકૃતિક રીતે હાઈડ્રેટેડ રાખે છે. પરંતુ બીજી તરફ તેનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી તમારા શરીરમાં આગળ જઈને પોષક તત્વોની કમી અને ઘણા પ્રકારની બીમારીઓ પેદા થઈ શકે છે.

દિવસમાં કેટલા ફળ ખાવા માનવામાં આવે છે સુરક્ષિત? 

પોષણ અને આહાર નિષ્ણાંતો અનુસાર આદર્શ રીતે એક દિવસમાં ફળોને ફક્ત ચાર કે પાંચ સર્વિંગ જ લેવી જોઈએ. ફળોની સાથે જ ખૂબ જ શાકભાજી, હોલગ્રેઈન્સ, બીન્સ, પ્લાંટ બેસ્ડ પ્રોટીન અને મીટનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

મોહમ્મદ શમીને કોર્ટનો આંચકો, પત્ની હસીન જહાંને દર મહિને ચૂકવવું પડશે આટલું ભરણપોષણ, જાણો શું છે મામલો

Court shocks Mohammed Shami

  • મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી.

અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Fast bowler Mohammad Shami) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલુ હિંસાના આરોપોનો સામનો કરી રહેલા આ સ્ટાર ક્રિકેટરે હવે દર મહિને તેની પત્ની હસીન જહાંને (Wife Hasin Jahan) ભરણપોષણ આપવું પડશે. આ નિર્ણય અલીપુર કોર્ટના (Alipore Court) જજ અનિંદિતા ગાંગુલીએ આપ્યો છે.

હસીન જહાંએ દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી :

મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એવી શક્યતા છે કે હસીન જહાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં હસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીન જહાંના આરોપ બાદ મોહમ્મદ શમીને બીસીસીઆઈએ થોડા દિવસો માટે ટીમમાંથી બહાર કરી દીધો હતો. જો કે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો સાબિત ન થતાં BCCIએ તેને ટીમમાં પાછો લીધો હતો.

ખબર છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે પાંચ વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી છે. આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે તેની પત્નીને ઉશ્કેરવામાં આવી રહી છે. જ્યારે તેનો પરિવાર અને તે પોતે પણ વચ્ચે બેસીને આ મામલાને ખતમ કરવા માંગે છે. 2018થી અલગ થયા પછી પણ મોહમ્મદ શમી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની દીકરી વિશે પોસ્ટ કરતો રહે છે.

જ્યારે મોહમ્મદ શમી રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે હસીન જહાં પણ તેને મળવા ગઈ હતી. જો કે તે પછી પણ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમીના મોટા ભાઈ પર પણ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :-