રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2 મોટી દુર્ઘટના : સુખોઈ 30 અને મિરાજ 2000 સહિત 3 વિમાનો ક્રેશ

Share this story

IAF Plane Crash

  • રાજસ્થાનના ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે.

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે. પિંગા રેલવે સ્ટેશન (Pinga Railway Station) પાસે ઉચ્ચૈન પોલીસ મથકના ગામ ચક નગલા બીજા પાસે સેનાનું વિમાન ક્રેશ (Airplane crash) થવાની સૂચના મળી રહી છે.

રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય સેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું છે. ફાઈટર જેટ શનિવારે સવારે ભરતપુરના સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા વિઝામાં ક્રેશ થયું હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાયલોટ અને વિમાનમાં સવાર અન્ય લોકો હજુ સુધી કંઈપણ શોધી શક્યા નથી.

પ્લેન ક્રેશ થતાની સાથે જ ચારે બાજુ કાટમાળ પથરાઈ ગયો છે. આ સમગ્ર વિસ્તાર રહેણાંક છે. પિંગોરા રેલ્વે સ્ટેશન નજીક ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ચક નાગલા બીજ પાસે આર્મી પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. જ્યાં સેનાનું આ વિમાન ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું છે. લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ પ્રશાસન લોકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્લેનમાં પહેલા આગ લાગી અને પછી પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થતાની સાથે જ ઘટના સ્થળની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પ્લેન ક્રેશ થયા બાદ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી છે.

મધ્ય પ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ :

મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. જ્યાં ટ્રેનિંગ ચાલી રહી હતી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયા નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.