Home Blog Page 1189

મહિલા IPLને લઈને મોટું એલાન, જાણો ક્યારથી ક્યાં સુધી અને ક્યાં રમાશે ટૂર્નોમેન્ટ

0

Big announcement about women’s IPL

  • IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે મહિલા આઈપીએલની તારીખ જાહેર કરી દીધી છે.

2023ના વર્ષની મહિલા આઈપીએલની (Women’s IPL) તારીખ જાહેર થઈ છે. IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મહિલા આઈપીએલની તારીખની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં 4 થી 26 માર્ચની વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ રમાશે.

અરુણ ધુમલે કહ્યું છે કે પાંચ ટીમોની મહિલા પ્રીમિયર લીગ (WPL 2023)ની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની અંતિમ મેચ 26 માર્ચે રમાશે. તેમણે એ પણ માહિતી આપી છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈમાં રમાશે. મુંબઈની પણ એક ટીમ છે.

26 માર્ચે આઈપીએલની ફાઈનલ :

26 માર્ચે આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે. આઈપીએલ ચેમ્પિયન બનનાર ટીમને 6 કરોડનું ઈનામ આપવામાં આવશે.

કુલ પાંચ ટીમો રમશે :

2023ની મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો રમશે જેનું વેચાણ પણ થઈ ગયું છે. મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ એવું નામ આપવામાં આવ્યું છે. વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉનો સમાવેશ થાય છે. ઘણી મોટી કંપનીઓએ આ ટીમોને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે.

કઈ ટીમને કોણે ખરીદી :

પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.

 ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ રૂપિયા :

મહિલા આઈપીએલ 2023નો હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તે 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઈનામી રકમ રુપિયા 10 કરોડ નક્કી કરવામાં આવી છે. જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપ ટીમને 3 કરોડ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.

વાયકોમ-18 કંપનીએ જીત્યા મેચ દેખાડવાના રાઈટ્સ :

ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આગેવાનીવાળી વાયકોમ-18 કંપનીએ મહિલા આઈપીએલની મેચ દેખાડવાના રાઈટ્સ હાંસલ કર્યાં છે.

આ પણ વાંચો :-

પરિવારને જાણ કર્યા વગર બાઈક લઈને નિકળી ગયો 15 વર્ષનો છોકરો, બસની અડફેટે આવતા થયું મોત

0

A 15-year-old boy took a bike without informing

  • સગીર બાળકોને વાહન ચલાવવા આપી દેવું કેટલું ભારે પડી શકે છે તેવી ઘટના સુરતમાં સામે આવી છે. અહીં 15 વર્ષનો યશ નામનો છોકરો પરિવારને જાણ કર્યા વગર બાઈક લઈને નિકળી પડયો હતો. રસ્તા પર બસની ટક્કરે આવી જતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.

સુરતના પુણાગામ (Punagam of Surat) વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર દરેક માતાપિતા માટે પણ ચેતવણી સમાન છે. નાની ઉંમરમાં બાળકોને સ્કૂટર કે બાઈક (Scooter or Bike) ચલાવવા આપી દેવી કેટલી ભારે પડી શકે તેવી ઘટના બની છે.

સુરતના પુણા વિસ્તારમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય બાળક પિતાની બાઈક લઈને બહાર નિકળ્યો હતો. આ બાળક એક લક્ઝરી બસ સાથે અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત થયું છે. બાઇક ચલાવવાના શોખને કારણે આ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બાળકોને વાહન આપતા પહેલા માતા-પિતાએ ધ્યાન રાખવું જરૂરી :

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં એક 15 વર્ષનો છોકરો બાઇક લઈને રસ્તા પર નિકળી પડે છે. યુવાનીના જોશમાં આ યુવક ભરચક ટ્રાફિકમાં રફતારની મજા આ બાળકને ભારે પડી જાય છે. તે ધડાકાભેર બસ સાથે અથડાઈ છે અને તેનું ઘટનાસ્થળે મોત થઈ જાય છે.

આ ટક્કર એટલી ખતરનાક હતી કે બાળકનું મગજ પણ બહાર દેખાવા લાગે છે. આ બાળકનું નામ યશ છે અને તે નચિકેતા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે હજુ બાઈક શીખી રહ્યો હતો અને તેને લઈને આંટો મારવા નિકળી પડે છે.

સુરતના પુણા ગામની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ ટાંક એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરે છે. તે મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના વતની છે. મનીષ ભાઈએ સેકેન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. ત્યારે આ બાળક પિતાને જાણ કર્યા વગર બાઈક ચાલુ કરીને નીકળી પડયો હતો.

ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાતા તેનું મોત થયું છે. આ બાળક રેશ્મા સર્કલ તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પાસેથી પસાર થયો હતો ત્યારે લક્ઝરી બસની અડફેટે આવી ગયો હતો. બાળક બસમાં કચડાઈ ગયો હતો. ત્યારબાદ તેનું સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે શરૂ કરી તપાસ :

આ અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એસીપી પીકે પટેલે કહ્યુ કે બાળકની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે પરિવારને જાણ કર્યા વગર નિકળી ગયો હતો. ત્યારબાદ રસ્તામાં આ અકસ્માત થતાં બાળકનું મોત થયું છે. આ અકસ્માત બાદ બસનો ટ્રાઈવર ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીની મદદથી આ ડ્રાઈવરને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

07 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : સાંઈ બાબાની અસીમ કૃપાથી આ 7 રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

07 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ‌-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાયય નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે.‌ પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક….

Drinking more than this cup

  • ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.

દરેક ઉંમરના લોકો ચાના (Tea) શોખીન હોય છે. મોસમ ગમે તે હોય, ચા પીનારાઓની સંખ્યા હંમેશા વધુ હોય છે. તેને વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું (Popular Drink) ગણી શકાય. અબજો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. શિયાળામાં તો ચા પીવાનું ચલણ વધી જાય છે.

આ સિઝનમાં લોકો ચા એક વાર નહીં પણ ઘણી વખત પીતા હોય છે. કેટલાક લોકો તો ચાના વ્યસની બની જાય છે અને દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. જો કે ચાની વધુ પડતી આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાના વધુ પડતા સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણ કે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.

વધુ પડતી ચા પીવાની 4 આડઅસર :

-ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

-જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ.

-વધુ પડતી ચા પીવાના કારણે કેટલાક લોકોને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે. ચામાં રહેલું કેફીન તમારા ઊંઘના ચક્રને પણ અસર કરી શકે છે. ઊંઘવાના 6 કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘ બગડી શકે છે.

-સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.

આ પણ વાંચો :-

કેનેડાથી માત્ર 5000 રુપિયા લઈ ભારત આવી હતી આ અભિનેત્રી, બની ‘નંબર 1 આઈટમ ગર્લ’, હવે છે 39 કરોડની માલકીન

This actress who came to India from Canada

  • બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બોલીવૂડ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવી હતી. બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ બોલીવૂડમાં તેને ખૂબ જ કામ મળ્યું. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચોપ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરા ફતેહી (Nora Fatehi Dance Moves) નું નામ પહેલાન નંબર પર આવે છે. નોરા (Item Number in Movies) હવે ભારતની દિલબર ગર્લ બની ગઈ છે.

નોરા ફતેહીનો આજે  જન્મદિવસ છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1991ના રોજ કેનેડાના ક્યૂબેક શહેરમાં થયો હતો. આજે તે 31 વર્ષની થઈ ગઈ છે. આમ તો નોરા ફતેહી 2014 થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે પરંતુ તેને સફળતા 2018માં આવેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ગીત ‘દિલબર દિલબર‘ થી મળી. આ ગીત પછી  તે દર્શકોના દિલ પર છવાઈ ગઈ.

5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી :

તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નોરા કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા. પરંતુ આજે તે કરોડપતિ છે. એકવાર નોરાએ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં તેના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે ભારત આવી હતી ત્યારે તેની સાથે માત્ર 5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી. જોકે તે જે એજન્સીમાં કામ કરતી હતી. તેને અઠવાડિયાના 3000 રૂપિયા મળતા હતા. એ જ 3000 માં તેણે પોતાની દિવસનો ખર્ચ મેનેજ કરવો પડતો હતો.

નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે :

નોરાનો શરુઆતનો સમય ખરાબ અને સંઘર્ષમય પસાર થયો હતો પરંતુ આજે નોરા ફતેહી કરોડો રુપિયાની માલિકન છે. Oprice.com વેબસાઈટનું માનીએ તો 2022માં નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ નોરા ફતેહી એક પરફોર્મન્સના 40થી 50 લાખ ચાર્જ કરે છે.

સોશિયલ મીડિયામાં જાહેરાત માટે 5થી 7 લાખ રુપિયા ચાર્જ કરે છે. એક રિપોર્ટ અનુસાર ગુરુ રંધાવાના ગીત નાચ મેરી રાની માટે નોરાએ 45 લાખ રુપિયા લીધા હતા. નોરા ભારતમાં સૌથી વધુ ફી લેનારી ડાન્સર છે.

આ પણ વાંચો :-

લોન માટે વારંવાર ફોન આવતા યુવકે બેંક જઈને ન કરવાનું કરી દીધું, જુઓ વિડીયો 

0

The young man, who was repeatedly called for a loan, refused to go to the bank

  • ગુજરાતના (Gujarat) નડિયાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેંક (Bank) ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા બે યુવકોએ એક કર્મચારી સાથે મારપીટ કરી હતી.

આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Camer) કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે બેંકવાળા એટલા બધા ફોન કરતા હતા કે તેઓ પરેશાન હતા. તેથી જ તેમને પાઠ ભણાવવા માટે આ ઘટના કરવામાં આવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે તે બેંક ઓફ ઈન્ડિયાની (Bank of India) નડિયાદ-કપડવંજ (Nadiad-Kapadvanj) શાખામાં પોસ્ટેડ છે અને અહીં લોન ડેસ્ક સંભાળે છે. તેણે જણાવ્યું કે શુક્રવારે બપોરે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો યુવક શાળામાં આવ્યો અને સીધો તેની પાસે ગયો અને મારપીટ કરવા લાગ્યો.

દરમિયાન આ યુવક સાથે આવેલા પાર્થ નામના યુવકે પણ તેને લાતો અને મુક્કો માર્યો હતો. પોલીસે મનીષની ફરિયાદ પર કેસ નોંધીને સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. વીડિયોમાં આરોપીઓની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે આરોપીઓને બેંકમાંથી બોલાવવામાં આવી રહ્યા છે. તેઓને ઘર વીમા પોલિસીની કોપી જમા કરાવવા માટે સતત કહેવામાં આવતું હતું. પરંતુ આરોપીઓ તેને જમા કરાવતા ન હતા. પરંતુ બેંકના કર્મચારીઓને ધમકાવતા હતા. બીજી તરફ આરોપીએ જણાવ્યું કે તેણે બેંકમાંથી હોમ લોન લીધી હતી.

ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે તેણે તેની હોમ ઈન્સ્યોરન્સ પોલિસી જમા કરાવી નથી. તેણે કહ્યું કે બેંકવાળા એટલા ફોન કરી રહ્યા હતા કે તે નારાજ થઈ ગયો. તેણે બેન્કરોને પાઠ ભણાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો :-

રવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ : ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી, આ શખ્સને કહ્યું – થેન્ક યુ

0

Ravindra Jadeja got emotional

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja is the star player of the Indian cricket team) બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા પોતાના ઘુંટણની ઈજાથી ફીટ થઈ ગયા છે. તેમણે એનસીએમાં પ્રેક્ટિસ કરતા ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. જ્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલા નાગપુર ટેસ્ટ (Nagpur Test) માટે ટીમનો ભાગ બનવાના છે.

પરંતુ તે પહેલા તેમણે પોતાની ફિટનેસ અને રિહૈબમાં મદદ કરતા ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે એક સંદેશ મોકલ્યો છે અને પોતાની વાપસીને લઈને એક મોટુ નિવેદન જાહેર કર્યું છે.

Ravindra Jadejaએ મેચ પહેલા આપ્યું આવું નિવેદન :

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે. આ વચ્ચે તેમણે મેચ શરૂ થતા રહેલા એક મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું- “મેં ફરીથી ભારતીય જર્સી પહેરવા માટે ધન્ય છું. એનસીએ ટ્રેનર્સ માટે ધન્યવાદ કરૂ છું. તેમણે મને ખૂબ પ્રેરિત કર્યા છે. પરંતુ અહીં સુધી કે રવિવારે તેમણે રિહૈબ માટે કામ કર્યું અને મને દેશ માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યો છે.”

જાડેજાના ટેસ્ટ કરિયર રેકોર્ડ :

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાના ઘૂંટણની ઈજાના કારણે ટીમમાંથી બહાર હતા. તે એશિયા કપ બાદથી ટીમની બહાર હતા. આજ કારણે તે ટી20 વિશ્વ કપમાં પણ ટીમનો ભાગ ન હતા. જેની લોસ ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ફાઈનમાં 10 વિકેટની સાથે થયો હતો.  તેમની કમી ટીમ ઈન્ડિયાને તે સમયે ખૂબ વધારે લાગી હતી. ત્યાં જ તે પોતાની ઈજાથી એકદમ ફિટ થઈ ગયા છે અને વારસીને લઈને ઉત્સાહીત છે. ]

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓની હોળી સુધરી જશે, આટલા ટકા વધી શકે મોંઘવારી ભથ્થું, વધવાનું કારણે આવ્યું સામે

0

Holi of government employees will improve

  • કેન્દ્ર સરકાર માર્ચના પહેલા અઠવાડિયામાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવવાના છે. કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થું હાલના 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે સરકાર. આ અસર માટે નક્કી કરવામાં આવેલા ફોર્મ્યુલા હેઠળ મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) પૂરા 4 ટકાનો વધારો થઈ શકે છે.

શ્રમ મંત્રાલયના AICPI આંકડા પરથી વધી શકે 4 ટકા ડીએ :

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 4 જાન્યુઆરી અને 4 જુલાઈથી મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીએ)માં વધારો કરવાનો નિયમ છે. સરકાર દ્વારા હાલનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.  આ માટે એક ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે.

કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવાંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કરવામાં આવે છે. લેબર બ્યૂરો શ્રમ મંત્રાલયનો ભાગ છે.

નવું ડીએ 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે :

ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બર, 2022 માટે સીપીઆઇ-આઇડબલ્યુ 31 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. પરંતુ સરકાર ડીએમાં દશાંશ લેતી નથી. આવી સ્થિતિમાં, ડીએ ચાર ટકા પોઇન્ટ વધી શકે છે. તેને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.

નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએ વધારવાનો પ્રસ્તાવ મૂકશે એમ તેમણે જણાવ્યું હતું. તે તેની આવકની અસર વિશે પણ જણાવશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે.

હોળી પહેલા મળી શકે ડીએ વધારો :

મીડિયા રિપોર્ટ અનુસાર હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સરકાર કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે.

આ પણ વાંચો :-

1200 કરોડમાં વેચાય માત્ર આટલાં ફ્લેટ, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો

0

Only so many flats sold for 1200 crores

  • ગુજરાતમાં જંત્રીના ભાવ વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે.

ગુજરાતમાં જંત્રીના ભાવ (Prices of Machinery) વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની (Mumbai) ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે. વરલી વિસ્તારમાં (Worli area) તાજેતરમાં ૨૩ ફલેટ ૧૨૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડી- માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની નજીકના લોકો એમના સંબંધીઓ અને મિત્રોએ આ ફલેટ ખરીદ્યા છે. હાલ વરલીમાં એની બેસન્ટ રોડ પર બંધાઈ રહેલા થ્રી સિકસટી વેસ્ટના ટાવર- બીમાં આ ફલેટસ ખરીદાયા છે. જેને પગલે મુંબઈમાં આ રેકોર્ડબ્રેક નવો સોદો છે. 5000 ચોરસ ફૂટનો ફ્લેટનો ભાવ અહીં 75થી 80 કરોડ રૂપિયા ચાલે છે પણ સામટા 23 ફ્લેટની ખરીદીથી એક ફલેટ દીઠ અહીં 20 કરોડનો ફાયદો થયો છે. આમ ગુજરાતમાં 20 કરોડના ફ્લેટની કલ્પના મુશ્કેલ છે પણ અહીં એક ફ્લેટમાં 20 કરોડનો ફાયદો થતાં 1200 કરોડમાં એક સાથે 23 ફ્લેટ ખરીદાયા છે.

અધધ ભાવને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટો ઘડાકો થયો છે. ફલેટની ખરીદી માટે દામાણીના નજીકના વર્તુળો અને બિલ્ડર  વચ્ચે લાંબા અરસાથી વાતચીત ચાલતી હતી. ૪-૫ મહિના બાદ આ ડીલ ફાઈનલ થઈ હોવાનું મનાય છે. તમામ ફલેટસનું શુક્રવારે રજિસ્ટ્રેશન પાર પડયું છે. ગયા વર્ષે થ્રી સિકસ્ટી વેસ્ટના અમુક એપાર્ટમેન્ટ ૭૫થી ૮૦ કરોડમાં વેચાયા હતા.

મુંબઈના આ પ્રોજેક્ટમાં વેચાયેલા તમામ એપાર્ટમેન્ટ ૫૦૦૦ ચો. ફુટના છે. જેની કિંમતે અંદાજે ૫૦થી ૬૦ કરોડ રૂપિયા છે. સંબંધિત બિલ્ડર આ ૨૩ ફલેટ વેચીને એક કરોડ રુપિયાનું ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવશે તેમ જાણવા મળે છે. રિયલ એસ્ટેટના જાણકારોના મતે પ્રોપર્ટી મોટા ડિસ્કાઉન્ટમાં વેચાઈ છે.

કારણ કે એકી સાથે ૨૩ ફલેટનો સોદો થયો છે. બિલ્ડર પર ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવવા દબાણ હોય એટલે તેમણે સસ્તા ભાવે આ સામૂહિક ડીલ માટે સંમતિ દાખવી હોય એ શક્ય છે. જોકે એક સાથે થયેલી આ ડિલને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટી તેજી આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં જંત્રી મામલે પેચ ફસાયો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવો નિર્ણય લે છે તેની પર મોટો આધાર છે. દામાણી પરિવારે છેલ્લાં થોડા વરસોમાં કેટલીક મોટી પ્રોપર્ટી ડીલ કરી છે. રાધાકિશન અને એમના ભાઈ ગોપીકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં એક બંગલો ૧૦૦૧ કરોડ રૂ.માં ખરીદ્યો હતો.

આ પણ વાંચો :-

 કાળજું કઠણ રાખીને વાંચજો આ ઘટના, દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી

0

Read this incident carefully

  • દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું.

ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. વાઘોડિયાના ભાલીયા પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરા-દીકરીના લગ્નના (Son-daughter marriage) એકસાથે ઢોલ વાગવાના હતા. તેને બદલે પિતાના મોતના મરસિયા ગાવા પડ્યાં . દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો.

બન્યું એમ હતું કે, વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી અને દીકરાના એકસાથે લગ્ન લેવાયા હતા. બે દિવસથી ઘરની બહાર મંડપ બંધાયો હતો. લગ્નના ઢોલ ઘરની બહાર વાગી રહ્યા હતા. સોમવારે 6 ફેબ્રુઆરી 2023એ રાજુભાઈની દીકરીના લગ્ન હતા. તો રાજુભાઈએ દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા.

આજે સાંજે જ દીકરાના લગ્નનો વરઘોડો પણ નીકળવાનો હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું. ભાલીયા પરિવારના આ બધા પ્લાનિંગ વચ્ચે કુદરતે કંઈ બીજુ જ નક્કી કર્યુ હતું. તેમને ખબર ન હતી કે, તેમના પરિવાર પર એક મોટી આફત આવી પડશે.

લગ્નને બે દિવસ બાકી હતા અને રાજુભાઈ અને તેમનો આખો પરિવાર પત્ની, દીકરો અને દીકરી આદલવાડા વેવાઈના ઘરે લગ્ન માટે હાજરી આપવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમની રીક્ષાને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજુભાઈનું મોત નિપજ્યુ હતું. તો રીક્ષામાં સવાર તેમના પત્ની અને દીકરા-દીકરી ઈજાગ્રસ્ત થયા હતા.

આ જાણીને જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારના મોભી જ મોતને ભેટ્યા હતા.

પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરા દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી. ત્યાં પિતાની અર્થી ઉઠી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-