Home Blog Page 1170

શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા એકવાર વાંચી લેજો આ રીપોર્ટ

Are you thinking of buying a Mahindra car?

  • સ્કોર્પિયોથી લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગી છે. પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી. જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યુ છે.

Mahindra Scorpio and Thar Pending Order : દેશની અગ્રણી કાર ઉત્પાદક મહિન્દ્રાને (Mahindra) ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌથી વધુ વાહનો વેચવાના મામલે કંપની હાલમાં ચોથા સ્થાને છે. તેની સ્કોર્પિયોથી (Scorpio) લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગેલી છે.

પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો તમે પણ મહિન્દ્રાનું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર જરુર વાંચી લેજો આ રીપોર્ટ..

મહિન્દ્રાએ તેની કારની પેન્ડિંગ ડિલિવરી અને બુકિંગનુ સ્ટેટસ જાહેર કર્યુ છે. ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટ અનુસાર, Mahindra Scorpio-N, XUV700 અને Thar જેવી SUVનું વેચાણ તેજ ગતિએ ચાલુ છે. જો કે, કંપની હજુ પણ માંગ અને પુરવઠા સાથે તાલ મિલાવવામાં અસમર્થ છે. જેના કારણે પેન્ડીંગ ઓર્ડર વધી રહ્યા છે. મહિન્દ્રા પાસે હાલમાં 2.66 લાખ વાહનોના ઓર્ડર પેન્ડિંગ છે.

સ્કોર્પિયો માટે 1.19 લાખ પેન્ડિંગ ઓર્ડર :

રિપોર્ટ અનુસાર, કંપનીની તમામ SUVમાં સ્કોર્પિયોની સૌથી વધુ માંગ છે. કંપની પાસે બે મોડલ છે – Scorpio N અને Scorpio Classic. મહિન્દ્રા હાલમાં બંને SUV માટે દર મહિને લગભગ 16,500 બુકિંગ લઈ રહી છે. ગયા વર્ષે જૂનમાં લોન્ચ કરાયેલ સ્કોર્પિયો-એન એક નવું મોડલ છે. જ્યારે સ્કોર્પિયો ક્લાસિકને જૂની સ્કોર્પિયોને અપડેટ કરીને લાવવામાં આવી છે. બંને SUVના મળીને 1.19 લાખ ઓર્ડર પેન્ડિંગ છે.

આ મહિન્દ્રાના કુલ પેન્ડિંગ બુકિંગના લગભગ 40 ટકા છે અને સ્કોર્પિયો-એન માટે સૌથી લાંબો વેઈટીંગ પીરીયડ છે. અહેવાલો અનુસાર SUVના કેટલાક વેરિયન્ટ્સ માટે વેઈટીંગ પીરીયડ એક વર્ષથી વધુ છે.

XUV700 અને થાર માટે પણ ભારે રાહ જોવાઈ રહી છે :

XUV700 વિશે વાત કરીએ તો દર મહિને લગભગ 10,000 યુનિટ બુક થઈ રહ્યા છે. તેનો વેઇટિંગ પીરિયડ થોડો ઓછો થયો છે પરંતુ હજુ પણ તેના 77,000 યુનિટ પેન્ડિંગ છે. તેવી જ રીતે થાર એસયુવી એક મહિનામાં લગભગ 4,600 બુકિંગ મેળવે છે. આશરે 37,000 ગ્રાહકો હજુ પણ તેમની થારની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યા છે.

આ સિવાય બોલેરો અને બોલેરો નીઓ માટે દર મહિને 10,000 થી વધુ બુકિંગ થઈ રહ્યા છે. XUV300 અને

ઈલેક્ટ્રિક SUV દર મહિને લગભગ 9,300 બુકિંગ નોંધાવી રહી છે.

આ પણ વાંચો :-

બજરંગ દળના કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ, ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે પર કર્યું હતું આ કારનામું

0

A case of violation of public notice was filed against

  • રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી ઠેર ઠેર જગ્યા એ થઈ હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા આ દિવસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં (Gandhinagar) બજરંગ દળ દ્વારા વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બજરંગ દળના કાર્યકરોએ હાથમાં લાકડી લઈને યુગલોને ભગાડ્યા હતા. ત્યારે આ મામલે બજરંગ દળના (Bajrang Dal) સંયોજક સહિત કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની (Valentine’s Day) ઉજવણી કરી રહેલા અને એકાંત માણી રહેલા કપલ્સને દોડાવી અને ગાર્ડનમાંથી ભગાડ્યા હતા. ત્યારે વિડીયોમાં દેખાતા કાર્યકરો બાબતે બજરંગ દળના ગણપતસિંહ વાઘેલાની પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી.

બજરંગ દળના કાર્યકરો પૈકી ગાંધીનગરના સંયોજક શક્તિસિંહ ઝાલા તેમજ હિતેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહ રહેવર, ભાર્ગવ સચિનભાઇ પટેલ અને કેયુર દિપકકુમાર જાની હોવાનુ સામે આવ્યું હતું.

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો :

સેક્ટર 7 પોલીસે બજરંગ દળના કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ લઈ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે વેલેન્ટાઇન ડે દિવસની ઉજવણી માટે ભેગા થયેલ છોકરા-છોકરીઓને ધમકાવી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએથી ભગાડ્યા હતા. ત્યારે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેમના વિરુદ્ધ ઈપીકો કલમ 143 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એકાંત માણી રહેલા કપલ્સને કર્યા પરેશાન :

બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન્સ ડે ના દિવસે ગાંધીનગરના સેન્ટ્ર વિસ્ટા ગાર્ડનમાં હોબાળો કર્યો હતો. મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચેલા કાર્યકર્તાઓએ એકાંતની પળો માણી રહેલા કપલ્સને દોડાવી દોડાવીને બહાર કાઢ્યા હતા. યુવકો અને યુવતીઓ બજરંગ દળના કાર્યકર્તાઓ આવતા ભાગ્યા હતા.

સમગ્ર ગાર્ડનમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન કે જે ગુજરાત વિધાનસભાની સામે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કાયદા જ્યાં બનતા હોય છે તે જ વિધાનસભાની સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો :-

યુવકે લગ્ન બાદ ગુગલ સર્ચ કરતાં થયો ઘટસ્ફોટ, પત્ની કુખ્યાત ડોન નીકળી

0

After the marriage, the young man did a Google

  • શાદીડોટકોમ પર મળેલી ‘સુશીલ’ મહિલા સાથે લગ્ન કરવા ભારે પડ્યા. લગ્નના છ મહિના બાદ ગુગલ સર્ચ કરતાં ભાંડો ફૂટ્યો. યુવકે જેની સાથે લગ્ન કર્યા તે કુખ્યાત ડોન હોવાનું સામે આવ્યું.

આધુનિક સમયમાં મેટ્રોમોનિયલ વેબસાઈટોમાંથી (Matronial Websites) જીવનસાથીની પસંદગી કરતા લોકો જીવનસાથીની પસંદગી પૂર્વે જો સંપૂર્ણ જાણકારી ન મેળવે તો તેના કેવા ખરાબ અંજામ આવી શકે તેનો લાલબત્તી સમાન કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. શાદી ડોટ કોમ (Shaadi.com) પરથી જીવનસાથીની પસંદગી કરતા લોકો પોરબંદરના યુવાનની સાથે બનેલા આ બનાવને જોઈને સબક લે તે જરુરી છે.

ત્યારે પોરબંદરના (Porbandar) આ યુવાનના જીવનમાં ખળભળાટ મચાવતો કિસ્સો તમને પણ ચોંકાવશે. પોરબંદરના મારાજબાગ પાસે રહેતા લોહણા યુવક વિમલ કારીયા (Vimal Kariya) પણ આવા જ લગ્નના કારણે હાલ પછતાય રહ્યો છે. શહેરના માણેકચોક શાક માર્કેટમાં (Vegetable Market) બટેટાનું વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા વિમલ કારીયા લગ્ન કરવા માંગતા હોવાથી તેઓ શાદી ડોટ કોમમાં જીવનસાથીની શોધમાં હતા.

 આપવીતી જણાવતા વિમલ કારીયાએ જણાવ્યુ હતુ કે, મને રીટાએ એવું જણાવ્યું હતું કે, હું 13 વર્ષથી માત્ર નાળીયર પાણી પીને નવરાત્રી રહું છું. અવારનવાર તે વીડિયો કોલથી ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શનો કરાવી મને ધાર્મિકતા બતાવી મને ફસાવ્યો હતો. લગ્ન માટે તે આસામના ગોહાટીથી ફ્લાઈટ વડે અમદાવાદ આવી હતી ત્યાર બાદ વિમલ તેને પોરબંદર લાવી અહીં પોરબંદરના આર્યસમાજમાં વિધીવિધાન સાથે લગ્ન કર્યા હતા. જે માટે લગ્ન ફોટોગ્રાફથી લઈને લગ્ન સર્ટિફીકેટ તમામ વસ્તુ વિમલ પાસે છે.

લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી

0

London Se Aya Shiv Bhakta

  • લંડન મેટ્રોપોલિટી પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ શિવ ભક્ત છે અને તેઓ ખાસ મહાશિવરાત્રીના પર્વના ઉપ્લક્ષમાં સુરત આવ્યા છે.

તેઓએ સુરતના ઓખેશ્વર મહાદેવમાં (Okheshwar Mahadev) જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. એટલું જ નહીં તેઓએ ગૌમાતાની પણ પૂજા કરી જણાવ્યું હતું કે ભારતની ધાર્મિકતા અને આધ્યાત્મિકતા આખા વિશ્વને શાંતિ અને વિશ્વાસનો સંદેશ આપે છે.

મહાશિવરાત્રિના (Mahashivratri) મહાપર્વને બે દિવસ બાકી છે ત્યારે દેશભરમાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ લંડન મેટ્રોપોલિટી પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ (Simon Owens) કે જેમનાથી અપરાધીઓ થરથર કાંપે છે. તેઓ મહાશિવરાત્રી પર્વ પહેલા સુરત પહોંચ્યા છે. તેઓ અહીં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.

યુકેથી હીરો કાઉન્સિલના ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સ (ડેપ્યુટી લેફ્ટનન્ટ) ચીફ સુપરિન્ટેન્ડેન્ટ (મેટ્રોપોલિટન પોલીસ લંડન) છે. તેઓએ સુરતમાં આયોજિત ગુરુવર વિશ્વબંધુના સાનિધ્યમાં ઓખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય મહારુદ્ર યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.

મંદિર પ્રાંગણમાં એક વિદેશી પોલીસ ઓફિસરને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોઈ લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સિમોન ઓવેન્સે શિવ મંદિરમાં માત્ર પૂજા અર્ચના જ નહીં. પરંતુ મંદિરમાં ગોમાતાની પણ પૂજા કરી હતી.

જે રીતે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા. તેને જોઈ કોઈ પણ કહી શકશે નહીં કે તેઓ લંડન પોલીસ ઓફિસર છે. ભારતીય પરંપરા મુજબ તેઓએ ગૌ માતાની આરતી ઉતારી અને તેમને હાર પણ પહેરાવ્યો હતો.

સુરત શહેરના ઓખેશ્વર મહાદેવ મંદિર, શિવધામ યોગ આશ્રમ, દાંડી રોડ, ભેસાણ ખાતે યોજાનાર મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. 14મી ફેબ્રુઆરી મંગળવારથી 18મી ફેબ્રુઆરી શનિવાર સુધી (મહાશિવરાત્રિ) દરમિયાન ઓખેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ શાંતિ માટે મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્થળે મહારુદ્ર યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યજ્ઞશાળાનું નિર્માણ સ્વસ્તિક પ્રતીકના આકાર પર કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

15 મિનિટ સુધી વોશિંગ મશીનમાં તડપતું રહ્યું બાળક, માતા ઘરમાં જ શોધતી રહી… પછી જે થયું તે જાણી ચોંકી જશો

0

The baby was stuck in the washing machine for 15 minutes

  • બાળકની માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા અને પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે દર્શાવે છે કે જો તમારા પર ઉપરવાળાનું કૃપા હોય તો કોઈ તમારુ કંઈ બગાડી શકે નહી. આ ઘટના દોઢ વર્ષના બાળકની છે. આ બાળક વોશિંગ મશીનમાં (Washing machine) સાબુમાં પાણીમાં પડ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળક આશરે 15 મિનિટ સુધી સાબુના પાણીમાં તડપતું રહ્યું હતું.

બાળકની માતાએ જ્યારે તેને વોશિંગ મશીન અંદર જોયું તો તેને ઝડપથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચી હતી. સાબુના પાણીમાં 15 મિનિટ સુધી રહેવાથી બાળકની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. 7 દિવસ સુધી બાળક કોમામાં રહ્યું અને આ દરમિયાન તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. 7 દિવસ બાદ બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

12 દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ હતું બાળક :

આ તરફ બાળકની તબિયતમાં સુધારો આવ્યા બાદ પણ 12 દિવસ સુધી વોર્ડમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વસંત કુંજના ફોર્ટિસ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે બાળક એકદમ સ્વસ્થ છે.

શું કહ્યું ડોકટરે ? 

આસમગ્ર મામલે ડૉક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના લોકો જ્યારે બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બાળક ભાનમાં નહોતું. બાળક કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતું નહોતું. બાળક ઠંડુ પડી ગયું હતું અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ડૉક્ટરે જણાવ્યું કે, બાળકનો કલર ફરી ગયો હતો. ન તો પલ્સ ચાલુ હતી અને ન તો બીપી.

શું કહ્યું બાળકની માતાએ ?

બાળકની માતાએ જણાવ્યા મુજબ આશરે 15 મિનિટ સુધી તે વોશિંગ મશીનની અંદર હતું અને મશીનનું ઢાંકણુ ખુલ્લું હતું. બાળકના માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા હતા. પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું.

ડૉક્ટરનું કહેવું છે કે, બાળક 15 મિનિટથી ઓછા સમય સુધી વોશિંગ મશીન અંદર રહ્યું હશે નહી તો તેનો જીવ ન બચી શકત. ડૉક્ટરે એમ પણ કહ્યું કે, બાળકનો જીવ બચી જવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ વાંચો :-

ટીવી ડિબેટ બાદ સ્વામી પ્રસાદ મોર્ય અને મહંત રાજૂ દાસ વચ્ચે મારામારી, જય શ્રી રામના નારાથી મામલો બીચક્યો ? VIDEO વાયરલ

0

Fight between Swami Prasad Maurya and Mahant Raju Das

  • લખનઉમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ વચ્ચે માથાકૂટ બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

લખનઉમાં (Lucknow) પૂર્વ મંત્રી અને સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (SP leader Swami Prasad Maurya) તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ (Mahant Raju Das of Yodhya’s Hanuman Garhi) વચ્ચે વિવાદ થયો હતો. તેઓ ગોમતીનગર સ્થિત હોટેલ તાજમાં ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. જે બબાલ મારામારી સુધી પહોંચી ગઈ હતી. જો કે આ મામલે રાજુ દાસ ફરિયાદ નોંધાવવાનો દાવો કર્યો હતો.

ખાનગી ચેનલના કાર્યક્રમ બાદ બબાલ :

એક ખાનગી ચેનલ દ્વારા સવારથી જ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જે દરમિયાન પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને મહંત રાજુ દાસ પણ બપોરે કાર્યક્રમમાં અહીં પહોંચ્યા હતા. જે મામલે પ્રાથમીક વિગત અનુસાર મહંત રાજુ દાસ તેમના સમર્થકો સાથે લોબીમાં હતા. ત્યારે સત્ર પૂરું કર્યા પછી સ્વામી પ્રસાદ મૌર્ય તેમના સમર્થકો સાથે હોટેલમાંથી બહાર નીકળવાના હતા ત્યારે રાજુ દાસે મૌર્યને જઈ તે દિશામાં આગળ વધતા જય શ્રી રામના નારા લાગ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા સ્વામીના સમર્થકોએ રાજુ દાસનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન મામલો બીચકતા લોકો ઉશ્કેરાઈ ગયા અને મારામારી શરૂ થઈ હતી. સ્વામીના સમર્થકોએ મહંતને માત્ર માર્યો જ નહીં પરંતુ તેની પાઘડી પણ ઉતારીને ફેંકી દેવામાં આવી હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. બીજી તરફ વિવાદ શરૂ થતાં સ્વામી પ્રસાદ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ મહંત અને તેમની સાથે હાજર લોકોને માર માર્યો હતો. ત્યાર બાદ સ્ટાફના લોકો અને પોલીસ કર્મચારીઓ મામલો માંડ થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :-

SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ આટલાં રૂપિયા લાગશે ચાર્જ, જાણો બીજી બેંક કેટલો વસૂલે છે

0

SBI card has given a big boost

  • જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ હોય તો આ ખબર તમારા કામની છે.

એસબીઆઈએ (SBI) ક્રેડિટ કાર્ડધારકોને (Credit card holders) મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. એસબીઆઈ કાર્ડે યૂઝર્સને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે હવે તેણે 99 રૂપિયા + ટેક્સની જગ્યાએ 199 રૂપિયા + ટેક્સ આપવો પડશે.

એસબીઆઈમાં આ ફેરફાર 15 માર્ચ 2023થી લાગૂ થશે. આ અગાઉ એસબીઆઈ કાર્ડ  દ્વારા નવેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી વધારીને 99 રૂપિયા + ટેક્સ કરવામાં આવી હતી.

બીજી બેંક પણ વસૂલે છે ચાર્જ :

ICICI બેંક પોતાના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી 1 ટકા પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. પ્રોસેસિંગ ફી 20 ઓક્ટોબર 2022થી લાગૂ થઈ ચૂકી છે. એચડીએફસી બેંકે ક્રેકિડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ્સને 500 સુધી સીમિત કરી દીધુ છે. મહિનાના બીજા રેન્ટલ પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન અમાઉન્ટનો 1 ટકો + ટેક્સ લાગૂ થાય છે.

બેંક ઓફ બરોડા પણ 1 ફેબ્રુઆરી 2023થી ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ફી વસૂલે છે. 2 માર્ચ 2023થી આઈડીએફસી ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ચાર્જ આપવો પડશે. કોટક મહિન્દ્રા બેંકે 15 ફેબ્રુઆરી 2023થી  કેટલીક શરતો હેઠળ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની 1 ટકો + ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઉપરાંત થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પણ લગાવે છે ચાર્જ :

અનેક ભાડૂઆતો પેટીએમ, ક્રેડ, નો બ્રોકર, પેઝેપ, રેડ ઝિરાફ, મોબિક્વિક, ફોનપે જેવા પ્લેટફોર્મ્સ પર રેસિપિએન્ટના ઓપ્શનમાં મકાન માલિકનું  બેંક અકાઉન્ટ કે યુપીઆઈ ડિટેલ નાખે છે અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. જો કે આ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવા પર કન્વીનીયન્સ ફી લે છે.

  • Mobikwik- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2.36 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ
  • PhonePe- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2 ટકાનો એકસ્ટ્રા ચાર્જ
  • Paytm- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 1.75 ફીનો એકસ્ટ્રા ચાર્જ

આ પણ વાંચો :-

માત્ર 1949 રૂપિયાનો નાનો કેમેરા, ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખશે

A small camera priced at just

  • ઈન્ફ્રારેડ કેમેરા રાતના સમયે પણ સારી રીતે વીડિયો રેકોર્ડ કરે છે. અને લોકો ઘરે તેનો ઉપયોગ કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરી શકે છે. આજ કારણ છે કે આ કેમેરાની ડિમાન્ડ ઘણી વધારે છે.

વાઈફાઈ કેમેરા (WiFi camera) આજકાલ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. જોકે તેમાંથી મોટાભાગના કેમેરાની કિંમત ઘણી વધારે હોય છે અને આજ કારણ છે કે લોકો તેને ખરીદી શકતા નથી. જેનાથી લોકો પોતાના ઘરે સસ્તા કેમેરા લગાવી દે છે. જેમાં દિવસ દરમિયાન તો બધું વીડિયોમાં દેખાય છે પરંતુ રાતના સમયમાં જે અંધારુ જરૂરિયાત કરતાં વધારે હોય છે. તે સમયે વીડિયોમાં કંઈપણ દેખાતું નથી.

જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. આવું તમારી સાથે  ન થાય તે માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માર્કેટમાં કયા એવી સીસીટીવી કેમેરા છે જે એચડી ક્વોલિટીમાં વીડિયો બનાવે છે. આવા જ એક સીસીટીવી કેમેરા છે જે આકારમાં ઘણો નાનો છે અને આજ કારણે તે ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકાય છે અને તેને અલગથી ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત પડતી નથી.

કયો છે કેમેરા :

જે કેમેરા વિશે અમે વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં સીપી પ્લસનો ફૂલ એચડી સ્માર્ટ વાઈફાઈ કેમેરા છે. જે આકારમાં અત્યંત નાનો છે અને તમે તેને ટેબલથી લઈને ફ્રીજ પર ગમે ત્યાં રાખી શકો છો. આ કેમેરાની રેન્જ ઘણી સારી છે અને તે ફૂલ એચડી વીડિયો રેકોર્ડ કરે છે. ખાસ વાત એ છે કે આ કેમેરાની મદદથી તમે 360 ડિગ્રી પર વીડિયો રેકોર્ડ કરી શકો છો સાથે જ તેને લાઈવ પણ જોઈ શકો છો.

આ કેમેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બંને તરફથી વાતચીત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ મોશન સેન્સરની સાથે આવે છે અને જેવી કોઈ હલચલ થાય છે તે એક્ટિવ થઈ જાય છે. વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ  થઈ જાય છે. કેમ કે અનેક વખત ચોરની ગતિવિધિ પણ આવી જ હોય છે. એવામાં આ દમદાર ફીચર છે.

આ કેમેરા કેટલો મોટો છે :

જો વાત કરીએ કેમેરાના આકારની તો તે લગભગ 11 સેન્ટીમીટર લાંબો છે અને લગભગ 9 સેન્ટીમીટર પહોળો છે. જેનાથી તમે સમજી શકો છો કે તે કેટલી જગ્યા રોકતો હશે. તે વજનમાં એકદમ હળવો છે. પરંતુ તેની બોડી ઘણી મજબૂત છે. જેનાથી જો તે પડી જાય તો તેની બોડી પર કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. કેમેરા શાનદાર હોવાના કારણે ગ્રાહક તેને માત્ર 1949 રૂપિયાનો ખર્ચ કરીને પોતાના ઘરે લાવી  શકો છો.

તમને જણાવી દઈએ કે આ કેમેરામાં અનેક અન્ય ફીચર્સ પણ છે. આ ફીચર્સનો ઉપયોગ તમે એપની મદદથી કરી શકો છો. જો તમે અંધારામાં પણ રેકોર્ડિંગ કરવા ઈચ્છો છો તો આ કેમેરા નાઈટ વિઝનની સાથે આવે છે. જેની મદદથી તમે ગાઢ અંધારામાં પણ લોકોની દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.

આ પણ વાંચો :-

પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું ! સામાન્ય લોકોને મોટી રાહત આપવાના મૂડમાં મોદી સરકાર

0

Petrol-diesel will be cheaper! Modi government

  • Petrol-Diesel price: જો બધુ બરાબર રહ્યું તો સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં એકવાર ફરી રાહત મળી શકે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Prices) રાહત મળવાની આશા છે. ભારત સરકાર કેટલાક ઉત્પાદકો પર ટેક્સ ઘટાડી શકે છે. રિટેલ ફુગાવાને (Retail Inflation) ને ઘટાડવામાં મદદની આરબીઆઈની ભલામણ પર સરકાર આ નિર્ણય લઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. પરંતુ કોઈ નિર્ણય ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ લેવામાં આવશે. જાન્યુઆરી 2023માં ભારતનો વાર્ષિક રિટેલ ફુગાવાનો દર વધીને 6.52 ટકા રહ્યો છે. તે ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો.

વધી શકે છે ખાવાની વસ્તુના ભાવ :

આ મામલામાં જાણકારી રાખનાર એક સીનિયર સૂત્રએ કહ્યું- ફુડ ઈન્ફ્લેશન (Food Inflation) ઉચ્ચ રહી શકે છે. દૂધ, મકાઈ અને સોયાબીન ઓયલની કિંમતોમાં આવનારા સમયમાં મોંઘવારીની ચિંતા વધારી શકે છે. સોર્સે કહ્યું- સરકાર મકાઈ જેવા ઉત્પાદકો પર આયાત શુલ્ક ઘટાડવા તરફ જોઈ રહી છે. તેના પર 60 ટકા બેસિક ડ્યૂટી છે. નાણામંત્રાલય અને આરબીઆઈએ તેના પર હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

ફ્યૂલ પર પણ ઘટી શકે છે ટેક્સ :

ફ્યૂલ પર ટેક્સ (Tax on Fuel)ને ફરી ઘટાડી શકાય છે. ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતો (Crude Oil Prices) પાછલા મહિને ઘટીને અને હવે સ્થિર છે. બુધવારે બપોરે બ્રેન્ડ ઓયલ ફ્યૂચર્સ ઘટાડા સાથે 84.32 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ફ્યૂલ કંપનીઓએ ઘટેલી આયાત કિંમતોનો ફાયદો હજુ સુધી ગ્રાહકોને આપ્યો નથી કે કંપનીઓ હજુ સુધી પોતાની જૂની ખોટને ભરપાઈ કરવામાં લાગેલી હતી.

ભારત તેલને આયાત કરે છે :

ભારત પોતાની તેલ જરૂરીયાતના બે-તૃતિયાંશથી વધુ આયાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડાથી પંપ ઓપરેટર્સ પર રિટેલ ગ્રાહકો માટે કિંમતો ઘટાડવાનો દબાવ વધશે. તેનાથી મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો :-

સુરતમાં ઘરોમાંથી કાદવ બાદ નીકળ્યું ફીણ વાળું પાણી ! 72 કલાકથી કારણ જાણવા તંત્રના ધમપછાડા

0

Foamy water came out after the mud from the

  • સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા.

શહેરના વરાછા રોડની વિઠ્ઠલ નગર સોસાયટીમાં (Vitthal Nagar Society) મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી (Metro operations) દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા.

જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.

સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે ફીણ વાળું પાણી કયા કારણોસર નીકળે છે તેને લઈને મેટ્રો વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સોસાયટીના બે મકાનોને પણ સીલ કરાયા હતા.

મકાનમાં મેટ્રોનિક અધિકારીઓની કામગીરી દરમિયાન ફરી સીલ કરેલા મકાન માટે ફીણ વાળું પાણી નીકાળવાનું શરૂ થયું હતું. હાલ ફીણ વાળું પાણી ક્યાંથી નીકળે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મેટ્રોના દિલ્હી મુંબઈથી પણ ટેકનિકલ ટીમ સુરત આવી પહોંચી છે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આ મેટ્રોની કામગીરી દરમિયાન લીકેજ ક્યાંથી થયું છે અને તેની પાછળનું શું હોઈ શકે છે.

કારણ કે હજુ તો મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર હજુ કેટલાક કિલોમીટર સુધી આ સુરંગ ખોદવાની હોવાથી તો આવનારા દિવસોની અંદર બીજું કોઈ મોટું નુકસાન ના થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-