Home Blog Page 1162

Real vs Fake Gram Flour : જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન ! આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો..

Be careful if you are eating Bhajiya

  • Gram Flour Test : ચણામાંથી ચણાનો લોટ એટલે કે બેસન તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા. ખાસ કરીને ચોમાસામાં ભજીયા  ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે.

ચણામાંથી (Chickpeas) ચણાનો લોટ એટલે કે બેસન (Besan) તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા (Fritters). ખાસ કરીને ચોમાસામાં ભજીયા  ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે.

પણ જો તમને ખબર પડે કે ભજીયા જેનાથી બનતા હોય છે તે ચણાનો લોટ ભેળસેળિયો કે નકલી છે તો શું કરો. આજકાલ બજારમાં ભેળસેળ ચરમસીમાએ છે અને બેસન પણ તેમાંથી બાકાત નથી. અમે તમને એક સરળ ટ્રિક બતાવીશું જેનાથી તમે અસલી અને નકલી બેસનની ઓળખ સરળતાથી કરી શકશો.

બેસનમાં કેમ થાય છે ભેળસેળ :

કોઈ પણ ખાવા પીવાની ચીજમાં ભેળસેળનો અસલ હેતુ વધુમાં વધુ નફો કમાવવાનો હોય છે પરંતુ આવા નફાખોર વેપારીઓ એવું નથી વિચારતા કે આ રીતે ભેળસેળ કરવાથી તેની ગ્રાહકો પર કેવી અસર પડે છે. કેટલાક લોકો તેમાં મકાઈનો લોટ તો કેટલાક લોકો ઘઉનો લોટ ભેળવી દેતા હોય છે.

આ રીતે કરો ઓળખ :

1. હાઈડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ :

નરી આંખે કદાચ તમારા માટે બેસન કે ચણાના લોટમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ બનતું હોય પરંતુ આજકાલ પેકેટ અને ખુલ્લા બેસન એમ બંનેમાં ખુબ ભેળસેળ થતી જોવા મળે છે.

જેની ઓળખ કરવા માટે હાઈડ્રોક્લોરિક એસિડનો ટેસ્ટ કરવામાં આવે છે. તમે એક વાટકીમાં 2થી 3 ચમચી બેસન લઈ લો અને પાણી  ભેળવીને પેસ્ટ તૈયાર કરો. તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ નાખો અને થોડીવાર રાહ જુઓ. જો બેસનનો કલર લાલ થઈ જાય તો સમજી જવું કે આ ભેળસેળનું પરિણામ છે.

2. લીંબુની મદદ  લો :

લીંબુ તો લગભગ બધાના ઘરમાં હોય છે. તેની મદદથી પણ તમે નકલી કે અસલી બેસનની ઓળખ કરી શકશો. આ માટે બસ એક નાનકડો પ્રયોગ કરો. એક વાસણમાં 3 ચમચી બેસન લો અને તેમાં એટલો જ લીંબુનો રસ ભેળવો.

હવે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ પણ ભેળવો. લગભગ 5 મિનિટ રહેવા દો અને પછી જુઓ કે જો બેસનનો રંગ ભૂરો કે લાલ થઈ જાય તો સમજી જાઓ કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિએ કહ્યું- ‘તે બદલાઈ ગઈ હોય

0

21-year-old daughter-in-law

  • Kota News: યુવકે ફરિયાદ નોંધાવી દીધી છે. પરંતુ ત્યારબાદ પણ તે પત્નીને સાથે રાખવા માટે તૈયાર છે. તેને ખ્યાલ હતો કે પિતાની આદત ખરાબ છે. તે પત્નીને પણ પિતાથી દૂર રહેવાનું કહેતો હતો.

રાજસ્થાનના (Rajasthan) બુંદી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આવો મામલો જેણે માત્ર સંબંધોને તોડી નાખ્યા. પરંતુ ઘણા પરિવારોને કાળો કરી નાખ્યો છે. એક 60 વર્ષીય વ્યક્તિ તેની જ 21 વર્ષની પુત્રવધૂ સાથે ભાગી ગયો. જેણે પણ આ સાંભળ્યું તે કહેવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. આ બહુ ખોટું થયું છે. આ મામલે પતિએ તેની પત્ની અને પિતા વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ પણ નોંધાવી છે.’

મારા પોતાના પિતા મારી પત્નીને લઈ જશે, વિચાર્યું ન હતું’

હવે પુત્રએ પોતે જ તેના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેના જ પિતાએ તેની પત્નીનું અપહરણ કર્યું છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી બંનેનો પત્તો લાગ્યો નથી. આ મામલો વેલેન્ટાઈન ડે વિશે કહેવામાં આવી રહ્યો છે.

પતિએ કહ્યું કે મેં મારી પત્નીને કોઈ સમસ્યાનો સામનો કરવા દીધો નથી. તેની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો. તે ખુશ રહેવા માટે મજૂરી પર જતો હતો. પરંતુ મારા પિતા અને પત્ની વચ્ચે શું ચાલી રહ્યું હતું તે જાણી શકાયું નથી. પત્ની પણ થોડા દિવસ બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું. પણ કોણ જાણે બંને ભાગી જશે. આટલું જ નહીં બંનેને મારી બેબી ગર્લ પણ છે.

‘હું મારી પત્નીને કહેતો હતો કે પિતાથી દૂર રહે :

યુવકે ફરિયાદ નોંધાવી છે પરંતુ તે પછી પણ તે તેની પત્નીને રાખવા તૈયાર છે. યુવકે કહ્યું કે તે જાણતો હતો કે તેના પિતાની આદત ખરાબ હતી. તે તેની પત્નીને પણ કહેતો હતો, તેમનાથી દૂર રહો. પપ્પા અમને સતત ધમકાવતા હતા. પરંતુ અમે વિચાર્યું ન હતું કે આટલું મોટું કામ થશે.

પોલીસ સ્ટેશન ઓફિસર અરવિંદ ભારદ્વાજે જણાવ્યું કે યુવકે તેના પિતા અને પત્નીની ફરિયાદ નોંધાવી છે. અમે ગુમ થયાની ફરિયાદ નોંધી છે. જેની શોધ ચાલી રહી છે. આ લોકો ભાગી ગયા છે કે ક્યાંક ગયા છે તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો :-

Video Viral : બળદ ગાડુ લઈને જતા ખેડૂતે કહ્યું – ‘આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ’, સનીએ કહ્યું- મૈં..

Video Viral

  • Sunny Deol : સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક બળદગાડા વાળો પશુઓ માટે ભૂસો લઇને જઇ રહ્યો હતો. ત્યારે એક ખેડૂત સની દેઓલને કહે છે કે, આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ, ત્યારે સની દેઓલ તેને રિપ્લાય આપતા કહે છે કે મેં વો હિ હું.

Sunny Deol: હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર એક ખેડૂત સાથેનો સની દેઓલનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત (farmer) રસ્તા પર બળદ ગાડુ લઈને જઈ રહ્યો હોય છે. અચાનક ત્યાં સની દેઓલ આવી જાય છે. તે ખેડૂત થોડીવાર ઉભો રહે છે. સની તેની સાથે વાત કરવા જાય છે. તો ખેડૂત કહે છે કે, અરે આપ તો સની દેઓલ (Sunny Deol) જૈસે લગતે હો…ત્યારે પછી સની દેઓલ કહે છેકે, મૈં વો હી હૂં…

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’નું રાહ જોવામાં આવી રહી છે.

26મી જાન્યુઆરીના રોજ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી હતી. હાલ અહમદનગરમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યાંથી સની દેઓલે એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક બળદગાડા વાળો પશુઓ માટે ભૂસો લઇને જઇ રહ્યો હતો. ત્યારે એક ખેડૂત સની દેઓલને કહે છે કે, આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ, ત્યારે સની દેઓલ તેને રિપ્લાય આપતા કહે છે કે, મેં વો હિ હું.

સની દેઓલ વધુમાં તેને કહે છે કે તેણે પંજાબની યાદ આવી ગઇ. હવે આ વીડિયો સોશિયલા મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ પોસ્ટમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે- અહમદનગરમાં ગદર શૂટ દરમિયાન. આ સાથે જ તેણે હાર્ટ ઇમોજી પણ એડ કરી હતી.

ફિલ્મ ‘ગદર 2’ ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ લઈ જશે અને સિક્વલમાં તારા સિંહ અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ ફરશે. ફિલ્મમાં તેમના પુત્રનો રોલ કરી રહેલા બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ગદર 2001માં રિલીઝ થઇ હતી. તે સમયે ફિલ્મની સ્ટોરી, ઉત્કૃષ્ઠ અભિનય અને શાનદાર એક્શન સીનના કારણે આ ફિલ્મ છવાઇ ગઈ હતી. હવે એક વખત ફરીથી અનિલ શર્મા ગદરની સિક્વલ લઈને આવી રહ્યા છે.

આ ફિલ્મના શૂટિંગના વીડિયો જેમ-જેમ સામે આવી રહ્યા છે, ફેન્સની એક્સાઈટમેન્ટ વધી રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે પણ તારા સિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગાંધીના ગુજરાતમાં જીવતેજીવ સમાધિ લેવા મજબૂર બન્યા ખેડૂતો, અચ્છે કે બુરે કયા દિવસોના સંકેત છે આ ?

0

Farmers were forced to take

  • Gujarat Farmer Protest : ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા. ધોરાજીના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી કે, જો જણસીના પૂરા ભાવ નહિ આપે તો ઈચ્છા મૃત્યુ આપે.

ખેડૂતોને (Farmer) જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટના ધોરાજીના (Dharaji) ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો. જેમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ગળા સુધીની સમાધિ લઈને પોતાનો રોષ પ્રગટ કર્યો. ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ (Affordable price) મળી રહ્યા નથી.

ખેડૂતોએ બેનરો સાથે સરકાર પાસે માગ કરી છે કાંતો જણસીના પુરતા ભાવ આપો, અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર સુધી પોતાની વાત પહોંચે તે માટે આ ખેડૂતોએ સમાધિ લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમા જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો અને સરકાર જણસીના ભાવ પુરતા આપો નહીંતર ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી.

ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કરેલ અને એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. પણ ખેડૂતોની કોઈપણ જણસીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. તેથી પોષણક્ષમ ભાવ નહી મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ અને ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો.

ખેડૂતોએ પોતાની રજૂઆત કરતા કાગળ પર એવુ લખાણ કર્યુ કે સરકાર કાતો જણસીના ભાવ પુરા આપે નહી તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર પણ કરેલ. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર સુધી ખેડૂતોની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ હતો.

આ પણ વાંચો :- 

06 માર્ચ 2023, આજનું રાશિફળ : સૂર્યદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકો ધંધામાં પાર કરશે સફળતાના શિખરો

06 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણી શીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

વૃષભ
માનસિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ. આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા તાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.

મિથુન
નિખાલસ અને ચારિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહનસુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્ક
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઊભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ-ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્ર‌ગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃશ્ચિક
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકર
શાંતિનો અનુભવ થાય. નાના ભાઈ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ :
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન :
માનસિક સ્વસ્થતા જળવાય આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

રાજકોટના માલધારી યુવાન સાથે ચોંકાવનારી ઘટના, સિગારેટ ફૂંકતા જ ગયો અવાજ 

0

A startling incident with a Rajkot

  • રાજકોટમાં અજાણ્યાએ આપેલી સિગારેટ પીવાથી માલધારી યુવાનનો અવાજ જતો રહ્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સિગારેટ (Cigarettes) ફૂંકવાને કારણે પણ કોઈનો અવાજ જતો રહે છે આવી એક ઘટના બની છે. રાજકોટના પડધરીમાં સિગારેટ પીવાને કારણે માલધારી સમાજના એક યુવાનનો અવાજ ચાલ્યો હતો. યુવાને કોઈ અજાણ્યાએ આપેલી સિગારેટ (Cigarettes) પીધી હતી જે પછી તેની સાથે આવું બન્યું હતું. ઘટનાના ત્રણ દિવસ થવા છતાં હજુ સુધી યુવકનો અવાજ પાછો આવ્યો નથી.

ડોક્ટરોની તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સિગારેટ પીવાને કારણે યુવકનો અવાજ કેવી રીતે ગયો. તો ત્યાં જ આ ઘટના સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ તે અજાણી વ્યક્તિને પણ શોધી રહી છે. જેની સિગારેટથી પીડિત યુવકે કશ માર્યા હતા.

અજાણ્યાએ ઢોર ચરાવી રહેલા યુવાનને સિગારેટ ફૂંકવા આપી  :

રાજકોટના ગીતાનગરમાં કિશન જેરામભાઈ ચારણ રાબેતા મુજબ બપોરે ઢોર ચરાવી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા એક અજાણ્યા વ્યક્તિએ કિશન સાથે વાત કરવાના બહાને રોકીને સિગારેટ સળગાવી હતી. અજાણ્યાએ કિશનને સિગારેટ ઓફર કરી.

કિશનમાં પણ સિગારેટ પીવાની તલબ ઉપડી અને તે ફૂંકતાં જ તે બેભાન થઈને રોડ પર ઢળી પડ્યો હતો અને આ દરમિયાન પેલો ત્યાંથી પોબારા ગણી ગયો હતો. લોકોએ જાણ કરતાં પોલીસ આવીને કિશનને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

 

ભાનમાં આવતા ખબર પડી કે અવાજ ગયો :

હોસ્પિટલમાં ભાન આવ્યું ત્યારે તેને ખબર પડી કે તે બોલી શકતો નથી અર્થાત તેનો અવાજ જતો રહ્યો છે. પરિવારજનો પણ કિશનની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા.

કિશનને સિગારેટ આપનાર અજાણ્યાની શોધખોળ :

આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે યુવાનને સિગારેટ આપનાર અજાણ્યો કોણ હતો? તેની પોલીસે શોધખોળ શરુ કરી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકને કોઈ મજાક કરવા માટે સિગારેટ પીવડાવી હતી કે પછી બીજું કોઈ કારણ છે. તપાસ દરમિયાન યુવક સાથે લૂંટની પણ કોઈ ઘટના ન બનતા મામલો વધુ ગૂંચવાયો છે.

આ પણ વાંચો :-

બોસ.. એકવાર ગુજરાતના આ શહેરમાં જરૂરથી રમવા આવજો ધૂળેટી, જીંદગીભર યાદ રહેશે

0

Once come to this city of Gujarat

  • Holi 2023 Celebration : ગુજરાતનુ એક ગામ એવુ છે. જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની પણ હોળી રમાય છે.

કોણ કહે છે કે ધૂળેટી (Dhuleti) માત્ર રંગોથી જ રમી શકાય છે. એકબીજા પર માત્ર રંગો જ છાંટી શકાય છે. ગુજરાતનુ એક ગામ એવુ છે. જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની (Vegetables) પણ હોળી રમાય છે.

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા યોજાય છે. જેમાં લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે. અને જેને જુત્તું વાગી જાય એનો બેડો પાર થઇ જાય એવી માન્યતા છે. જેને જુત્તુ વાગે એનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે એવું માનવામાં આવે છે જેથી અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે.

જો કે, સમય જતા છેલ્લા થોડા વર્ષોથી ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ સ્થાન લીધું છે. એટલે કે, હવે એક બીજા ઉપર જૂતા નહિ પણ રિંગણા, ટામેટા, બટેકા મારવામાં આવે છે. 150 થી પણ વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા જોવા પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે.

હોળીના પર્વે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા :

હોળી પર્વે મહેસાણાના વિસનગર નજીક આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે. અને તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે અંગારા પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે.

હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે. અંગારા પર ચાલતા લોકો જરા પણ દાજતા નથી.

આ પણ વાંચો :-

05 માર્ચ 2023 નું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે માં ખોડિયારની કૃપા, ઘરમાં થપાશે શાંતિ

Horoscope of 05 March 2023

મેષ
નાણાકીય બાબતો માટે અનુકૂળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારું રહેશે.

વૃષભ
લાગણીશીલતાનું પ્રમાણ વધતું જણાય. સંબંધના ખેંચાણને કારણે ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુન
ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલના ધંધામાં લાભ. ધંધામાં ઓચિતિ સારી તક આવે..

કર્ક
વિચારવાયુનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્્ય સારું રહેશે. દામ્પત્યસુખમાં આનંદ વર્તાય.

સિંહ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યા
આવકનું પાસુ મજબૂત બને છે. ગણતરીપૂર્વકના આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલા
આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઈચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃશ્ચિક
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઈબહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જંગમ મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધન
મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની તબિયત સાચવવી. દામ્પત્યજીવનમાં ગુસ્સો ટાળવો.

મકર
માનસિક સ્થિરતા જળવાય. સામાજિક કાર્યોમાં સમય પસાર થાય. માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાનસુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઈજા થાય તો સાવધાની જરૂરી.

કુંભ
માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઈ તવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગોથી સાચવવું.

મીન
આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો :

Old Pension Scheme : મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે લાગૂ કરી જૂની પેન્શન યોજના ! જાણો કેવી રીતે મળશે ફાયદો

0

Old Pension Scheme

  • જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો.

જૂની પેન્શન યોજનાની (Old Pension Scheme) ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ (central employee) માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય (Ministry of Personnel) તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો. પસંદગીના કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં (Old Pension Scheme) જવાનો કે પછી હાલની વ્યવસ્થામાં રહેવાનો એમ બંને પ્રકારના વિકલ્પ મળશે.

કટ ઓફ ડેટ :

સરકારે આ માટે કટ ઓફ ડેટ 22 ડિસેમ્બર 2003 નક્કી કરી છે. તેનો અર્થ એ થયો કે તમને તે પહેલા સરકારી નોકરી મળી હશે તો તમે જૂની પેન્શન યોજનામાં સામેલ થઈ શકશો. ત્યારબાદ નોકરી મેળવનારાઓએ નવી પેન્શન યોજનામાં જ રહેવું પડશે.

કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ આ માટે લાયક કર્મચારીઓ 31 ઓગસ્ટ 2023 સુધીમાં જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગૂ કરાઈ છે.  છત્તીસગઢ સરકારે પણ કેન્દ્રની જેમ નવી અને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે.

કયા કર્મચારીઓને મળશે લાભ :

કેન્દ્ર તરફથી બહાર પડેલા નોટિફિકેશન મુજબ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ એવા કર્મચારીઓ જ પસંદ કરી શકે છે જેમમણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની અધિસૂચિત કરાયેલા તારીખ (22 ડિસેમ્બર 2003) પહેલા વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો પર નોકરી મેળવી હોય. આ કર્મચારીઓ કર્મચારી કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) OPS માં સામેલ થવાને પાત્ર છે.

જો પછી નોકરીમાં જોડાયા હોવ તો :

જો તમે 22 ડિસેમ્બર 2003 પછી નીકળેલી ભરતીમાં સરકારી નોકરી મેળવી હોય તો જૂની પેન્શન સ્કીમનો ફાયદો મળશે નહીં. તમે નવી પેન્શન વ્યવસ્થા ઉપર જ રહેશો.

ક્યાં સુધી કરી શકશો અરજી?

જો તમે જૂની પેન્શન યોજના (OPS)નો વિકલ્પ પસંદ કરવાને પાત્ર હોવ તો 31 ઓગસ્ટ 2023 સુધીમાં આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

કયા કર્મચારીઓને મળશે ફાયદો :

2003 પહેલા કેન્દ્ર કરકારના મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. નવોદય વિદ્યાલય જેવી કેટલીક સંસ્થાઓમાં જ જૂની પેન્શન સ્કીમ લાગૂ નહતી. આવામાં આ નિર્ણયનો ફાયદો નવોદય જેવી સંસ્થાઓમાં 2003 પહેલા જોઈન કરનારા કર્મચારીઓને થશે. જે પહેલેથી જ નવી પેન્શન સ્કીમ હેઠળ હતા.

આ પણ વાંચો :-

લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, મુંબઈમાં ખરીદ્યું ઘર હવે આ દિવસે કરશે લગ્ન

Another Bollywood couple ready

  • Hrithik Roshan Saba Azad Wedding : હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે.

ઋત્વિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેને એક સાથે ડિનર ડેટ પર સ્પોટ થયા. આ પહેલી વખત થતું જ્યારે ઋત્વિક રોશન અને સબા એકબીજાનો હાથ પકડીને મીડિયા સામે જોવા મળ્યા. ત્યાર પછી તેમની મિત્રતા ધીરે ધીરે રિલેશનશિપમાં (Relationship) બદલી ગઈ. હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે.

છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઋત્વિક રોશન અને સબા લગ્ન કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ત્યારે સામે આવ્યું છે કે આ બંને આ વર્ષમાં જ લગ્ન કરી લેશે.

ઋત્વિક રોશન અને સભા આઝાદી સાથે મળીને મુંબઈના જુહુ વર્સોવા લીંક રોડ ઉપર મકાન પણ ખરીદ્યું છે. બંને જણા લગ્ન કર્યા પછી આ ઘરમાં શિફ્ટ થઈ જશે. જોકે એ વાત તો નક્કી છે કે ઋત્વિક રોશન સબા સાથે આ વર્ષમાં જ લગ્ન કરશે પરંતુ બંનેએ પોતાની લગ્નની ડેટ જાહેર કરી નથી પરંતુ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ઋત્વિક અને સબા લિવિંગ રિલેશનશિપમાં રહે છે.

ઋત્વિક અને સબા ભલે જાહેર કરે નહીં પરંતુ ચર્ચાઓ છે કે બંનેના લગ્ન નવેમ્બરમાં થવાના છે. તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બંનેના લગ્ન ઈન્ટિમેટ વેડિંગ હશે. જેમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોને જ બોલાવવામાં આવશે.

ઋત્વિક રોશનના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. ઋત્વિક સુઝેનને જોઈને જ તેના પ્રેમમાં પડી ગયો હતો. ઋત્વિક રોશનના કરિયર ની શરૂઆત જ હતી અને તેણે સુઝેન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી થોડા જ સમયમાં તેઓ બે દીકરાના માતા-પિતા બન્યા.

પરંતુ બંનેના લગ્ન જીવનમાં 14 વર્ષ પછી સમસ્યા થઈ અને બંને અલગ થઈ ગયા. વર્ષ 2012માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. ત્યારથી બંને ઘણા વર્ષ સુધી સિંગલ હતા. પરંતુ હવે ઋત્વિક રોશન સબાની ડેટ કરે છે જ્યારે તેની એક્સ વાઈફ સુઝેન અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચો :-