Home Blog Page 1148

ખાવાના શોખીન લોકોને અહીં પડશે મજા, દુનિયાના 7 સ્થળની દરેકે લેવી જોઈએ મુલાકાત

Food lovers will have fun here, 7 must-visit places in the world

  • કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે.

આજના આધુનિક યુગમાં ઘર કરતા બહાર જમવા જવાનો લકોમાં વધુ ક્રેઝ જોવા મળે છે. કેટલાક લોકોને ખાણી-પીણીનો ખુબ જ શોખ હોય છે. જેથી ખાવામાં માટે તેઓ અમુક ખાસ સ્થળની પણ મુલાકાત લેવા જતા હોય છે. પરંતુ કેટલાક એવા સ્થળ છે જે ખાવાના શોખીનો માટે જ બન્યા છે.

કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે અહીં કેટલીક એવી જગ્યા અંગે તમને જણાવીશું જ્યાં ખાવાના શોખીન લોકોએ એક વખત જરૂર જવું જોઈએ.

ટેસ્ટ એવો કે આંગણીઓ ચાટતા રહી જશો:

દુનિયાની કેટલાક સ્થળો પર્યટકો માટે હોટફેવરીટ હોય છે. આવા સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે તમે ફરવા જાઓ તે સ્થળે એક વખત ભોજનનો પણ ટેસ્ટ જરૂર કરવો જોઈએ. કેટલા સ્થળે ત્યાંની વાનગીઓનો સ્વાદ લીધા વગર તમારી યાત્રા અધૂરી રહેશે. જો તમે ફરવાની સાથે સાથે સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાવા માગતા હો તો દુનિયાના 7 એવા સ્થળ છે જ્યાં તમને બંને એકસાથે મળી રહેશે.

જાપાની ડિશ તમને કરશે દિવાના :

ટોક્યોનું જાપાન ફરવા જતા લોકોમાં ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે ખાણી-પીણીના શોખીન લોકો માટે પણ ટોક્યો ખુબ જ સારી જગ્યા છે. ટોક્યોમાં અનેક પ્રકારની રેસ્ટરન્ટ આવેલી છે. જેની ટ્રેડિશનલ ડિશ આરોગી તમે ત્યાંના ભોજનના દિવાના થઈ જશો.

બેંકોક-થાઈલેન્ડ પણ છે ખાસ :

જો તમે મોડર્ન ફ્યૂઝન ડિશનો સ્વાદ માણવા માગતા હો ત બેંકોક અને થાઈલેન્ડની તમારે મુલાકાત લેવી જોઈએ. અહીં તમે સ્ટ્રીટ ફૂડ અને ટ્રેડિશનલ થાઈ ડિશનો આનંદ લઈ શકો છો. જેમાં સ્પાઈસી કરીથી લઈને ડેઝર્ટ  સુધીની તમામ પ્રકારની ડિશ તમે આરોગી શકો છો.

ઈસ્તાનબુલમાં હોય છે અફ્લાતુન ભોજન :

ફૂડીઝ લોકોએ એક વખત ઈસ્તાનબુલ જરૂર જવું જોઈએ. તમે અહીં મિડલ ઈસ્ટર્ન અને મેડિટેરેનિયન ફ્લેવરનો સ્વાદ માણી શકશો. ઈસ્તાનબુલમાં એકથી ચડિયાતી એક સ્વાદિષ્ટ ડિશ તમે આરોગી શકો છો.

વર્લ્ડની બેસ્ટ રેસ્ટોરન્ટ :

ક્લાસિક ઈટાલિયન અને મોર્ડન અમેરિકન ડિશના સ્વાદની તમે મજા માણી શકો છો. ન્યુયોર્કમાં તમે દરેક ફ્લેવરના ભોજનનો સ્વાદ માણી શકો છો. તો રોમ રોમમાં પણ તમે ટ્રેડિશનલ પિઝાથી લઈને ક્લાસિક પાસ્તા સુધીની દરેક પ્રકારની સ્વાદિષ્ટ ડિશની મજા માણી શકશો.

કપલ્સમાં પેરિસ છે ફેવરિટ :

કપલ્સ માટે ફરવા જવા પેરિસ ફેવરિટ ગણાય છે. અહીં લોકોને દરેક પ્રકારના સ્વાદિત વ્યંજન ખાવા મળે છે. ક્લાસિક ફ્રેચથી મોર્ડન ફ્યૂઝન-ક્યુઝિન સુધીની દરેક પ્રકારની ડિશ ખુબ જ લોકપ્રિય હોય છે. તો શંધાઈ ભોજનના શોખીન લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીં તમે દરેક પ્રકારની ચાઈનીઝ ડિશનો પણ ટ્રેડિશન સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો :-

Breaking news ! અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી ! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો

0

Breaking news !

  • અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી.

અનેક આંદોલનો છતાં શક્તિપીઠ અંબાજીના (Shaktipeeth Ambaji) માઈભક્તો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભક્તોને હવે કદાચ ક્યારેય મોહનથાળ નહી મળે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આજે એક નિવેદન આપીને ગરમાવો લાવી લીધો છે. તેમણે જણાવ્યું કે અંબાજીમાં હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે.

અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી. પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે છે. મંદિરે નક્કી કર્યું છે કે હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.

ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી :

અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે. જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.

આ પણ વાંચો :-

12 માર્ચ 2023, આ પાંચ રાશિના જાતકો પર રહેશે માં ખોડિયારની વિશેષ કૃપા -જાણો આજનું રાશિ ભવિષ્ય

12 March 2023 Gujarat Guardian

મેષ
આજે દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળ તી જણાય. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતી થતી જણાય.

વૃષભ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન
આજે પણ આર્થીક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે, લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતા મન પ્રફૂલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતીથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ થતા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુક સેલરમાં ધંધામાં વધારે પ્રગતી થાય. માતા તથા પત્ની સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેન વધારે કરવી પડશે.

વૃશ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતી ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જૂની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

McDonald’s માં બાળકના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી જે કર્યું. ઘટના CCTV માં કેદ

0

A rat got into a kid’s pants 

  • Rat Crawls Kids Pants : મેકડોનાલ્ડ્સમાં કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય.

મેકડોનાલ્ડ્સમાં (McDonald’s) કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય. તેલંગણાના કોમપલ્લીના એસપીજીમાં મેકડોનાલ્ડ્સના ડાઈનિંગ એરિયામાં (Dining area) ટોઈલેટમાથી દોડીને આવેલો એક ઉંદર 8 વર્ષના બાળકના પેન્ટમાં ઘૂસી ગયું અને પછી તેને કરડી ખાધું.

આ ઘટના સમયે બાળકના માતા પિતા પણ તેની સાથે હતા. રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં 8 માર્ચના રોજ ઘટેલી કેમેરામાં કેદ થઈ ગઈ. પિતા પુત્રને બોવેનપલ્લી હોસ્પિટલ લઈ ગયા અને તેને રેબીઝ અને ટિટનેસની રસી અપાવી.

9 માર્ચના રોજ તે વ્યક્તિએ રેસ્ટોરન્ટ ચેનના મેનેજમેન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. એ વિચારવા પર મજબૂર કરી દીધા કે લોકોને આવા મલ્ટિનેશનલ ફૂડ કંપનીમાં પણ ખાતા પીતા ડરવું પડશે કે શું.

વીડિયોમાં એક ઉંદર રેસ્ટોરન્ટના ટોઈલેટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે અને ટેબલની નીચે તેના માટે જગ્યા શોધી રહ્યો છે. એ જ ટેબલ પર તે વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે બેઠો હતો. 8 વર્ષના બાળકના પિતાએ બાળકને પોતાની તરફ ખેંચ્યુ અને ઉંદરને ભગાડવાની કોશિશ કરી. પરંતુ ત્યાં સુધીમાં તો ઉંદર બાળકના પેન્ટમાં ઘૂસી ગયો હતો અને તેને કરડી ગયો હતો.

છોકરાના પગમાં ઘા હોવાનો દાવો કરતા પરિવારે કાયદાકીય કાર્યવાહી કરી છે. આગામી 3 દિવસ સુધી છોકરાને રેબીઝની રસીના બીજા બે ડોઝ આપવામાં આવ્યા. પિતાએ કહ્યું કે રેસ્ટોરન્ટના કર્મચારીઓ બેદરકાર હતા કારણ કે તેમણે ઉંદરને રોકવા માટે કશું વધુ કર્યું નહીં.

આ પણ વાંચો :-

ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ

Silent Heart Attack comes  

Silent Heart Attack : કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે. સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ વૃદ્ધો નહીં પરંતુ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ અટેક (Heart Attack) આવે છે અને તેમનું નિધન થઈ જાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેમને કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને હાર્ટ એટેક (Heart Attack) આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક (Silent heart attack) કહેવાય છે.

સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વધી રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાઈલેન્ટ હાર્ટ એટેક નોર્મલ હાર્ટ અટેક કરતાં કેવી રીતે અલગ હોય છે અને તેમાં બચાવ કેવી રીતે કરવો.

શું છે સાઈલેન્ટ હાર્ટ એટેક ? 

સાઈલેન્ટ હાર્ટ એટેકને સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારના લક્ષણ વિના આવે છે. એટલે કે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ વિના જ હાર્ટ એટેક આવી જાય છે. તેથી જ આ હાર્ટ એટેક વિશે જાણવું પણ મુશ્કેલ છે અને વ્યક્તિ કોઈ સારવાર કરે તે પહેલા જ તેનું નિધન પણ થઈ શકે છે.

કારણ કે તેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. સાઈલેન્ટ હાર્ટ અટેક ક્યારે આવે છે જ્યારે હૃદયમાં પહોંચતું રક્ત બ્લોક થઈ જાય જેના કારણે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે.

સાઇલેન્ટ હાર્ટ એટેકનો જોખમ કોને સૌથી વધારે ? 

સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ એ લોકોને સૌથી વધારે હોય છે જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધારે વજન જેવી સમસ્યાઓ હોય. ઘણી વખત કેટલાક રોગના કારણે પણ આર્ટિસ્ટ બ્લોક થઈ જાય છે અને સાઈલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હા સ્વાસ્થ્ય નિષ્ઠાંતો જણાવે છે કે ઘણી વખત લોકો હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી કે ગેસની સમસ્યા સમજીને ઈગ્નોર કરી દેતા હોય છે જે જીવલેણ સાબિત થાય છે.

આ પણ વાંચો :-

ભારત વર્લ્ડકપ જીતશે તો જાહેરમાં કપડાં ઉતારીશ, વિવાદિત નિવેદન બાદ રાતોરાત સ્ટાર બની પૂનમ પાંડે !

If India wins the World Cup 

Facts About Poonam Pandey : ભારતની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. ઘણીવાર પૂનમની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ જાય છે. જેના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. તસ્વીરો સિવાય પૂનમ તેના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. જેના કારણે તે ભારતની વિવાદાસ્પદ સેલેબ્સમાંની એક માનવામાં આવે છે.

Facts About Poonam Pandey : ભારતની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Actress Poonam Pandey) પોતાની બોલ્ડનેસને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. ઘણીવાર પૂનમની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ (Internet) પર આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ જાય છે. જેના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. તસ્વીરો સિવાય પૂનમ તેના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે.

જેના કારણે તે ભારતની વિવાદાસ્પદ સેલેબ્સમાંની એક માનવામાં આવે છે. તમારામાંથી ઘણા લોકોએ પૂનમ પાંડેનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ તેનાથી જોડાયેલા વિવાદો અને તથ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજના આર્ટિકલમાં અમે તમને પૂનમ પાંડે સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીશું..

કોણ છે પૂનમ પાંડે :

તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે પૂનમ પાંડે કોણ છે. તો અમે તમને જણાવીએ કે પૂનમ એક અભિનેત્રી અને મોડલ છે. જો કે પૂનમ આ દિવસોમાં બોલિવૂડમાંથી ગાયબ છે પરંતુ તેના સોશિયલ મીડિયા હેન્ડલને કારણે તે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ પૂનમ કંગનાના શો લોકઅપમાં જોવા મળી હતી. જે હાલમાં ખૂબ જ હાઈપ બનાવી રહી છે.

પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ દિલ્હીમાં થયો હતો. જણાવી દઈએ કે તેણે પોતાનું કરિયર એક મોડલ તરીકે શરૂ કર્યું હતું. જ્યાં તેને ઘણું નામ અને ખ્યાતિ મળી હતી. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે પોતાના સેમી ન્યૂડ વીડિયોને કારણે પહેલીવાર લાઈમલાઈટમાં આવી હતી.

આ પછી વર્ષ 2011માં પૂનમ પાંડે વર્લ્ડ કપ દરમિયાન હેડલાઈન્સમાં આવી હતી. જ્યારે તેણે નિવેદન આપ્યું હતું કે જો ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપ જીતશે તો પૂનમ તેમની સામે ન્યૂડ થઈ જશે. જો કે જીત્યા પછી પૂનમે આવું કંઈ કર્યું નથી.

સની લિયોની સાથે સરખામણી :

પૂનમની બોલ્ડ સ્ટાઈલને કારણે તેની સરખામણી અભિનેત્રી સની લિયોન સાથે કરવામાં આવી હતી. ફિલ્મ નશાના પ્રમોશન દરમિયાન પૂનમે પોતે આ વિશે વાત કરી અને કહ્યું કે ‘હું આ સરખામણીથી કંટાળી ગઈ છું, મને ખબર નથી કે લોકો મારી સરખામણી સની લિયોન સાથે કેમ કરે છે. હું અહીં અભિનય કરવા આવી છું અને લોકો મને માત્ર અભિનય કરતા જ જોશે. ફિલ્મના વિઝ્યુઅલ કલરફુલ છે. પરંતુ ફિલ્મમાં લવસ્ટોરી પણ છે. હું કોઈ એડલ્ટ સ્ટાર નથી. કૃપા કરીને મારી સરખામણી સની સાથે ન કરો.

No description available.આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા મળ્યા :

એક્ટિંગની સાથે પૂનમે આઈટમ ડાન્સમાં પણ હાથ અજમાવ્યો છે. જણાવી દઈએ કે પૂનમે સાઉથની ફિલ્મમાં એક આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા લીધા હતા. તે દરમિયાન પૂનમ ઘણી ફેમસ હતી. તેણે ખુદ મીડિયાને 5 કરોડના આઈટમ ડાન્સ વિશે જણાવ્યું હતું.

પૂનમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મને આ ફિલ્મમાં ડાન્સ માટે એટલા પૈસા આપવામાં આવ્યા છે. જેટલા પૈસા કોઈ હિરોઈનને ફિલ્મમાં કામ કરવા માટે આપવામાં આવતા નથી. જોકે પૂનમને આઈટમ ડાન્સ માટે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા કે નહીં તેના કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો :-

વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું

0

An arrow penetrated  

  • Arrow Penetrated Forehead : છોટાઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં વ્યક્તિના કપાળમાં તીર ઘૂસી ગયું. મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, 3 કલાક ઓપરેશન કરાયું.

વડોદરાની (Vadodara) સયાજી હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો. સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) એક યુવક કપાળમાં ખૂંપાયેલા તીર સાથે આવ્યો હતો. જે જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. મહાભારત-રામાયણમાં જેમ બાણવીરો નિશાન તાકતા તેમ તીર બરાબર કપાળની વચ્ચોવચ ભ્રમર પર ભોંકાયેલું હતું. જોકે સયાજી હોસ્પિટલના તબીબોએ 3 કલાક સર્જરી કરીને યુવકનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા કામના દિલીપભાઈ ધમાક પર તેમના પાડોશીએ હુમલો કર્યો હતો. પાડોશીએ તીર અને ધનુષથી હુમલો કરીને દિલીપભાઈના કપાળ પર બાણ ચલાવ્યુ હતું. અને સીધું તેમના કપાળમાં તીર ભોંક્યું હતું. ત્યારે ઘાયલ દિલીપભાઈને તીરની સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તબીબોએ તપાસ કરતા જોયું કે તીર દિલીપભાઈના આંખની ઉપર ભ્રમરમાં ઘૂસી ગયુ હતું. કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધીને સીધી મગજમાં ઇજા પહોંચાડી હતી. જેથી ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશન સફળ રહ્યું હતું.

લગભગ ત્રણ કલાકની સર્જરી બાદ દિલીપભાઈનો જીવ બચાવી લેવાયો હતો. સયાજી હોસ્પિટલના ડો.પાર્થ મોદી, ડોક્ટર અંકિત શાહ, ડો. વિનય અને ડો. શ્રુતિબ જુનેજાએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો :-

હોળી પર છેડતી અને સતામણીનો સામનો કરનાર જાપાની મહિલાએ ભારત છોડ્યું

0

Japanese woman leaves India  

  • હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો સામે આવ્યા બાદ..

Japanese woman harassed : હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં (Delhi) પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો (Harassment video) સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ જાપાની દૂતાવાસને (Japanese Embassy) પત્ર લખીને તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરી છે. ડીસીપીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાપાની દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા જાપાની પ્રવાસી છે જે રાષ્ટ્રીય રાજધાનીના પહાડગંજમાં રહેતી હતી અને હવે તે બાંગ્લાદેશ જવા રવાના થઈ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે, એક કિશોર સહિત ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ આ ઘટનાની કબૂલાત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, વિગતોની ખાતરી કરવા માટે વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો :

“પહેરગંજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ વિદેશી સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકને લગતી કોઈ ફરિયાદ અથવા કૉલ પ્રાપ્ત થયો નથી. જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે જેમાં છોકરીની ઓળખ અથવા ઘટના વિશે અન્ય કોઈપણ વિગતો સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરવામાં આવી છે,” પોલીસે જણાવ્યું હતું.

માથા પર ઈંડું ફોડ્યું :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પુરૂષોનું એક જૂથ એક મહિલા પર રંગ લગાવતા દેખાતું હતું, જે તેમની આસપાસ અન્કમ્ફર્ટેબલ લાગતી હતી. તેમાં એક પુરુષ તેના માથા પર ઈંડું મારતો પણ દેખાઈ છે.

ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી :

પોલીસે જણાવ્યું કે પકડાયેલા છોકરાઓ ડીપી એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ત્રણેય પહાડગંજ નજીકના વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે નક્કી કરવામાં આવશે. જો કોઈ હોય તો પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

Nails Cutting : આ 3 દિવસે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ ! બાકી થઈ જશો બરબાદ

Nails Cutting: Do not cut nails
  • Nail don’t Cutting Days : શું તમે જાણો છો કે અઠવાડિયાના 3 દિવસ એવા હોય છે જેમાં આપણને નખ ન કાપવાનું કહેવામાં આવે છે. છેવટે તે દિવસો કયા છે અને તે દિવસે નખ ન કાપવાનું કેમ કહેવામાં આવે છે. આજે અમે તમને આના કારણો જણાવીશું.

તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં નખ (Nail) ન કાપવા જોઈએ. આ સાથે આ દિવસે વાળ કાપવાની (Hair Cut) પણ મનાઈ કરવામાં આવે છે. આખરે બધા ઘરોમાં આવું કેમ બોલાય છે.

જ્યોતિષના મતે અઠવાડિયાના તમામ દિવસોનો અલગ-અલગ ગ્રહો સાથે સીધો સંબંધ હોય છે. જો આપણે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નખ કાપીએ તો તેનાથી ગ્રહદોષ થાય છે. આ જ કારણ છે કે આ 3 દિવસમાં નખ ન કાપવાનું કહેવામાં આવે છે.

મંગળવારે નખ કાપશો નહીં :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળનો સંબંધ રક્ત સાથે છે. આ જ કારણ છે કે મંગળવારે નખ કાપવાથી લોહી સંબંધિત વિકારો થઈ શકે છે. તેથી આ દિવસે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ.

પૈસાની ખોટ સહન કરવી પડશે :

ગુરુવારને દેવ ગુરુ બૃહસ્પતિની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. તે બુદ્ધિ, જ્ઞાન, શિક્ષણ અને શુભ કાર્યોનો કારક છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ. આ સાથે વાળ કાપવા અને શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ. આમ કરવાથી લોકોને ધનનું નુકસાન સહન કરવું પડી શકે છે.

કટોકટી શરૂ થશે :

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં શનિનો સંબંધ માણસના હાડકાં, સ્નાયુઓ અને કફ સાથે જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે લોકો શનિવારે નખ, વાળ અને દાઢી કાપે છે તેમને શનિ દોષનો સામનો કરવો પડે છે. આનાથી તેના જીવનમાં સંકટનો સમયગાળો શરૂ થાય છે.

આ પણ વાંચો :-

હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

0

Now this is not happening Gandhi’s Gujarat 

  • Gujarat Crime : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની (Prohibition of alcohol) મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ (Alcohol and drugs) એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે તેના આંકડા આપ્યા. ગુજરાતમાંથી કેટલું દારૂ અને ડ્રગ્સ પકડાયું તે અંગે ગુજરાત સરકારે (Gujarat Govt) વિધાનસભામાં આંકડા આપ્યા. જે આ મુજબ છે.

સરકારે વિધાનસભામાં કહ્યું કે ગુજરાતમાં અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભાની પ્રશ્નાતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ ઉપરથી 375 કરોડ 50 લાખનું હેરોઈન 75 કિલો પકડાયું છે. જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ દ્વારા 924 કરોડ 97 લાખની કિંમતનું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને એટીએસએ પકડી પાડ્યા છે. જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો.

તો સરકારે માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે. રાજ્યમાં ૩.૯૪ કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે.

આ પણ વાંચો :-