HomeSurat Cityસુરતમાં મધરાતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાથી મચી અફરાતફરી; કલાકો સુધી ફાયર...

સુરતમાં મધરાતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાથી મચી અફરાતફરી; કલાકો સુધી ફાયર બ્રિગેડની જહેમત

Date:

Related stories

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત...

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા...

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...
spot_img

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાત બાદ લાગેલી ભીષણ આગે ભારે અફરાતફરી સર્જી હતી. માર્કેટના ઉપરના માળોમાં આગની જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને પગલે ફાયર વિભાગે મેજર/બ્રિગેડ કોલ જાહેર કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે ખસેડ્યા હતા.

ફાયર કંટ્રોલ રૂમને રાત્રે આશરે 12:52 વાગ્યે આગ અંગેનો પહેલો કોલ મળ્યો હતો. ત્યારબાદ ત્રણ ફાયર સ્ટેશનમાંથી શરૂઆતની ટીમો રવાના કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા ફાયરકર્મીઓને માર્કેટના ચોથા અને પાંચમા માળે આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો જોવા મળ્યો હતો. આગની તીવ્રતા વધતા વધારાના ફાયર ટેન્ડરો પણ બોલાવવામાં આવ્યા હતા.

માર્કેટના માળની ઊંચાઈ સામાન્ય કરતાં વધારે હોવાથી આગ આશરે 30 મીટરની ઊંચાઈ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય ફાયરફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદર ધુમાડો એટલો ગાઢ હતો કે ફાયરકર્મીઓ માટે દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ હતી. જરૂરી સલામતી સાધનો સાથે જવાનોને અંદર મોકલી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આગને કારણે માર્કેટમાં રાખવામાં આવેલો કાપડનો મોટો જથ્થો અને તૈયાર માલને નુકસાન થયું હતું. ખાસ કરીને કોમન પેસેજમાં રાખવામાં આવેલા કાપડ અને અન્ય સામાનને કારણે ફાયરકર્મીઓને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ચારેય તરફથી બંધ બિલ્ડિંગમાં ધુમાડો ભરાતા બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી.

સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.તાજા એહવાલ અનુસાર કોઈ જાનહાનિ થાય નથી.

Subscribe

Latest stories

spot_img