Home Blog Page 1145

ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું ? અપનાવો આ રીત

0

What to do if the ticket

  • ભારતીય રેલવે દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ કરોડો લોકોને મુસાફરી કરાવે છે.

જે લોકો ટ્રેનમાં (Train) મુસાફરી કરે છે તેઓ ભારતીય રેલવેની તમામ સુવિધાઓથી પરિચિત હોવા જોઈએ. કેટલીક વખત માહિતીના અભાવે મુસાફરોને (Passengers) મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં ટિકિટ (ticket) ખોવાઈ જાય તો શું કરવું જોઈએ. આવો અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમે કઈ પ્રક્રિયાથી મુસાફરી કરી શકો છો.

મુસાફરી દરમિયાન TTE તમને બિલકુલ પરેશાન કરી શકશે નહીં. આ માટે તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં તમારે TTEનો સંપર્ક કરવો પડશે અને તેને IRCTC એપમાં કોચ અને બર્થનો સંદેશ બતાવવો પડશે.

આ સિવાય બીજો રસ્તો એ છે કે મુસાફરી પહેલા પેસેન્જરની મુસાફરીની વિગતો એટલે કે પીએનઆર સીટ નંબર, કોચ નંબર રેલવે સાઇડમાં મેસેજ કરવામાં આવે છે. તમે તે સંદેશો TTEને બતાવીને પણ મુસાફરી કરી શકો છો.

જો તમારી પાસે મોબાઈલ અને ટિકિટ બંને નથી. તો આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક TTE પાસે જવું પડશે. TTE તમને બીજી એક ટિકિટ બનાવી આપશે અને તમે તેની સાથે તમારી મુસાફરી પૂર્ણ કરી શકશો. આ માટે તમારે TTEને 50થી 100 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-

ભરઉનાળે ગુજરાતમાં અહીં વરસ્યો ધોધમાર વરસાદ, પૂર આવતા નદી-નાળા છલકાયા, જુઓ ક્યાં કેવો માહોલ

0

Heavy rains here in Gujarat during Bharunal

  • રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસવાનું ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ છે તો અમરેલી (Amreli) અને રાજકોટમાં માવઠાએ માઝા મુકી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ :

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજપડી,ઘાંડલા,ભમ્મર,ચીખલી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઘાંડલાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. કમોસમી વરસાદને લઇ નદી નાળા છલકાયા છે.

કમોસમી વરસાદનો કહેર યથાવત :

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના ઉતરાણ, વરાછા અને કાપોદરામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે.

4 દિવસ કમોસમી વરસાદની આગાહી :

ગુજરાતમાં આજથી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહી થાય. અમદાવાદમાં સાંજ બાદ વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો :-

દાળ-ભાત ખાવામાં ગુજરાતીઓ શૂરા, આ મહેણું ભાગ્યું ! આ કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

0

Gujaratis started eating dal and rice

  • ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે.

દેશમાં પહેલીવાર સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) અંડરમાં આવતી નવયુગ કોલેજને આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ કર્યા બાદ અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ વિદ્યાર્થીઓને ત્રણેય શાખામાં ભારતી માં મદદરૂપ થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે એ માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા VNSGUએ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ કર્યા છે.

યુનિવર્સિટીએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે નવયુગ કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નિયમ 2020 મુજબ સુરત VNSGUમાં 250 કરતા વધારે કોર્ષની માન્યતાઓ આપી છે. જેને કારણે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1 કરોડ 40 લાખ લોકોને સ્કિલ અને રોજગારીમાં પરિવર્તન થાય તેના ભાગરૂપે આ કોલેજ નવયુગ કોમર્સ કોલેજ સુરતની અંદર અગ્નિપથ યોજનાની અંદર વધારે વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

આ કોર્સમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે.આ કોર્સમાં 80 ટકા જેટલું પ્રેક્ટીકલ હશે અને 20 ટકા જેટલું થિયરી હશે. તેમજ કોલેજ દ્વારા અલગ અલગ સેનાના જવાનોને સંપર્ક કરીને એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે થકી કોર્સ કરનાર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.

તે ઉપરાંત આ કોર્સના લીધે દક્ષિણ ગુજરાતના લોકો જે રીતે ભારતીય સૈન્યમાં ઓછા લોકો જાય છે. તે રીતે આ કોર્સ કરવાને કારણે આપ મેળે લોકોને લાભ થશે. આ કોર્સ માટે 3600 રૂપિયા જેટલી ફીસ રાખવામાં આવી છે. જો ફેરફાર કરવાનું હશે તો કોલેજ આ કોર્સની અંદર ફેરફાર પણ કરી શકશે.

આ પણ વાંચો :-

સાવ ઓછા બજેટમાં શાનદાર ફોન લેવો હોય તો આ રહ્યાં સૌથી શ્રેષ્ઠ 5 વિકલ્પો

Here are the best 5 options

  • iQOO Z7 5G : iQOO એ ભારતમાં 20 હજારથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ iQOO Z7 5G છે. ફોન મિડ રેન્જ કેટેગરીમાં આવે છે અને પાવરફુલ ફીચર્સ સાથે આવે છે.

તેમાં MediaTek ડાયમેન્સિટી 920 પ્રોસેસર, 90HZ રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે, 64MP પ્રાઈમરી કેમેરા અને ઘણી આકર્ષક સુવિધાઓનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ iQOO Z7 5G ની કિંમત અને ફીચર્સ..

iQOO Z7 5G price in India :

iQOO Z7 5Gના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. તો ત્યાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે.

iQOO Z7 5G offers :

ફોન પર લોન્ચ ઓફર પણ છે. ફોન પર બેંક કાર્ડ ઓફર પણ છે. HDFC અને SBI કાર્ડ ધારકોને 1500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. ડિસ્કાઉન્ટ પછી, 6GB મોડલ રૂ.17499માં ઉપલબ્ધ થશે જ્યારે 8GB રેમ મોડલ રૂ.18499માં ઉપલબ્ધ થશે.

iQOO Z7 5G Specifications :

iQOO Z7 5G ને 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.28-ઇંચ AMOLED ડિસ્પ્લે મળે છે. ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 920 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત FuntouchOS 13 સ્કિન આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે.

iQOO Z7 5G Camera :

iQOO Z7 5G માં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 64MP પ્રાથમિક કેમેરા અને 2MP સેકન્ડરી લેન્સ ઉપલબ્ધ છે. પાછળ 16MP સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે.

iQOO Z7 5G Battery :

iQOO Z7 5G માં 4500mAh બેટરી છે જે USB Type-C પોર્ટ પર 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન બે રંગ વિકલ્પો (પેસિફિક નાઇટ અને નોર્વે બ્લુ) સાથે આવે છે.

આ પણ વાંચો :-

22 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ 7 રાશિના જાતકોને નહિ નડે વિઘ્ન

22 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ-બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતી. નોકરીમાં બઢતી, પ્રગતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભ
દિવસ દરમિયાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતી થતી જણાય. દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુન
સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતીથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્ક
બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહ
પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યા
સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલા
આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિક
આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધન
સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો. શક્ય બને.

મકર
ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ-બગીચાની શોભા વધે. ધન પ્રાપ્‍તી થાય. સત્તા, હોદ્દો, માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભ
બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ બપોર બાદ આનંદ. ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીન
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

આ પણ વાંચો :-

Diesel Price : ડીઝલ પર મોટું અપડેટ, વધ્યા આટલા રૂપિયા, ચેક કરો નવા ભાવ

0

Diesel Price 

  • Diesel Price Update : ઈંધણના ભાવમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર સામાન્ય લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તો અનેક અન્ય સામાનના ભાવમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય તો લોકોના ખિસ્સા ઉપર પણ તેની અસર થતી હોય છે.

ઈંધણના (Fuel) ભાવમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર સામાન્ય લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના (Diesel) ભાવમાં વધારો થાય તો અનેક અન્ય સામાનના ભાવમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવ ઓછા થાય તો લોકોના ખિસ્સા ઉપર પણ તેની અસર થતી હોય છે. જયારે ડીઝલના ભાવ અંગે હવે એક મોટું અપડેટ આવ્યું છે.

ડીઝલની નિકાસ :

સરકારે ડીઝલની નિકાસ પર લાગનારા અપ્રત્યાશિત લાભ કર (Windfall Profit Tax) માં વધારો કરતા તેને એક રૂપિય પ્રતિ લીટર કરી દીધો છે. જ્યારે ઘરેલુ સ્તર પર ઉત્પાદન થતા ક્રૂડ ઓઈલ પર ટેક્સમાં કાપ મૂકાયો છે. સરકાર તરફથી આ જાણકારી 20 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશમાં આપવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે ઓએનજીસી જેવી તેલ ઉત્પાદક કંપનીઓના ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર લાગનારી ડ્યૂટીને 4400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 3500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી છે.

ટેક્સ :

ડીઝલ નિકાસ પર કર 0.50 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને એક રૂપિયો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરમાં કોઈ ફેરફાર કરાયો નથી. જે હજુ પણ શૂન્ય છે. આદેશમાં કહેવાયું છે કે નવા કરના દરો 21 માર્ચથી પ્રભાવમાં આવશે. જમીન અને સમુદ્રના પેટાળમાંથી કાઢવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રોસેસ કરીને તને પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણ જેવા અલગ અલગ ઈંધણોમાં ફેરવવામાં આવે છે.

અપ્રત્યાશિત લાભ કર :

ગત ચાર માર્ચે સરકારે ડીઝલની નિકાસ પર લાગતા અપ્રત્યાશિત લાભ કરમાં કાપ કરતા 0.50 રૂપિયા પ્રતિ લીટર કરવાની સાથે જ વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરને શૂન્ય કરી દીધો હતો. સરકારે ગત વર્ષ જુલાઈમાં પહેલીવાર ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર અપ્રત્યાશિત લાભ કર લગાવ્યો હતો.

આ પણ વાંચો :-

‘જી રહે થે હમ’.. સલમાનના અવાજમાં રિલીઝ થયું ફિલ્મનું નવું ગીત, લોકો કરી રહ્યા છે ટ્રોલ

‘Jee Reah Te Hum’.. New song released  

  • સલમાન ખાનની આવનાર ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનની ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ Jee Rahe The Hum રિલીઝ કરવામાં આવ્યું છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાને (Bollywood actor Salman Khan) 30 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર વર્ચસ્વ જમાવ્યું છે. હવે તે વધુ એક નવી બ્લોકબસ્ટર આપવાની તૈયારી કરી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના ખાસ અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને સલમાન ખાનની આવનાર ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ Jee Rahe The Hum રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતે આ ગીત ગાયું છે.

લગભગ આઠ વર્ષ પહેલાં સલમાન ખાને ‘મૈં હું હીરો તેરા‘ સાથે તેની શાનદાર ગાયકીનું પ્રદર્શન કર્યું હતું અને બ્લોકબસ્ટર ગીત આપ્યા પછી હવે સલમાન ખાન અમલ મલિક સાથે એક નવા ગીત સાથે પાછો ફર્યો છે.

ઈદ પર રિલીઝ થશે ફિલ્મ  :

સલમા ખાન દ્વારા નિર્મિત કિસી કા ભાઈ કિસી કી જાનનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. સલમાન ખાનની ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ ભરપૂર જોવા મળશે અને આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :-

MLA લખેલી થાર ગાડીઓનો માંડવી બીચ પર ત્રાસ, સ્ટંટ કરીને મુસાફરોને કરે છે પરેશાન

0

Thar cars written by MLA harass passengers  

  • Thar Stunt Video : કચ્છના માંડવી બીચ પર ગાડીઓના સ્ટંટથી લોકોને હાલાકી. MLA લખેલી 3 થાર ગાડીથી સ્ટંટ કરતો વીડિયો વાયરલ. નંબર પ્લેટ વગરની ગાડીઓથી નબીરાઓએ કર્યા સ્ટંટ. નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ મૂકી રહ્યા છે જોખમમાં.

Kutch Mandavi Beach : કચ્છનો માંડવી બીચ ગુજરાતનું ફેવરિટ ટુરિઝમ સ્પોટ (Favorite tourism spot) છે. તે ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક છે જ્યાં બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ હાલ માંડવી બીચ (Mandavi Beach) પર આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે ત્રણ થાર ગાડીઓ તેમની આસપાસ ફર્યાં કરે છે. માંડવી બીચ પર ત્રણ થારના સ્ટંટથી પ્રવાસીઓ પરેશાન બન્યા છે. ખાસ વાત તો એ છે કે નંબર પ્લેટ વગરની થાર ગાડીઓ (Thar Car) અહી સ્ટંટ કરી રહી છે.

કચ્છના માંડવી બીચ પર આજકાલ એક નજારો જોવા મળી રહ્યો છે. જેમાં નંબર પ્લેટ વગરની ત્રણ થાર ગાડી દરિયા કિનારે સ્ટંટ કરતી દેખાઈ રહી છે. કેટલાક નબીરા થાર ગાડી લઈને સ્ટંટ કરતા હોવાનું ચર્ચાય છે. ત્યારે નબીરાઓના આ સ્ટંટથી બીચ પર ફરવા આવતા લોકોમાં પરેશાની પેદા થઈ રહી છે.

એક તરફ માંડવી એ કચ્છનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે. અહીંના રમણિય દરિયા કિનારા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ રજાના દિવસોમાં કે ઉનાળાના દિવસોમાં બીચ પર લોકોની ભીડ જામતી છે. ત્યારે આ થાર ગાડીઓ લોકોને પરેશાન કરે છે. ચર્ચા છે કે થાર ગાડીઓ પર એમએલએ (ધારાસભ્ય) લખેલું છે. જોખમી રીતે જીપ ચલાવીને પ્રવાસીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

આ જીપમાં બે લાલ રંગની અને એક કાળા રંગની હતી. અને તેના પર એમએલએ લખેલી પ્લેટ હતી. નોંધનીય છે કે બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પણ આ ઘટના અંગે પોલીસ અજાણ હોય તેવુ લાગી રહ્યું છે. આ પ્રકારના સ્ટંટ બીચ પર જોખમી બની શકે છે. પોલીસે આ ઘટનામાં તપાસ કરી જવાબદાર જીપ ચાલકો સામે પગલા ભરવા જોઈએ એવું જાગૃત નાગરિકોનું માનવું છે.

આ પણ વાંચો :-

92 વર્ષની ઉંમરમાં પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે આ બિઝનેસમેન, 66 વર્ષની મહિલા સાથે સગાઈની કરી જાહેરાત

The businessman, who is about 

  • મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેમણે સગાઈની જાહેરાત કરી છે. આ વખતે તે 66 વર્ષની મહિલાની સાથે લગ્ન કરશે. બન્નેએ પોતાના રિલેશનને લઈને નિવેદન જાહેર કર્યા છે. મર્ડોકે જણાવ્યું કે તે પ્રપોઝ કરતી વખતે કેટલા ગભરાયેલા હતા.

મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોકે (Media tycoon Rupert Murdoch) 5મી વખત લગ્ન કરવાની જાહેરાત કરી છે. પોતાના જ પાર્ટનર એન લેસલી સ્મિથ (Ann Leslie Smith) સાથે તેમણે સગાઈની જાહેરાત કરી છે. લેસલી પોલીસ અધિકારીઓના કાઉન્સલિંગનું કામ કરતી હતી.

ઈવેન્ટમાં મળ્યા હતા  :

લગ્નની જાહેરાત લોકો માટે ચોંકાવનારી એટલા માટે છે કારણ કે મર્ડોકની ઉંમર 92 વર્ષ છે. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ વખતે 66 વર્ષના લેસલીને મળ્યા હતા. તેમણે પોતાના પ્રકાશનોમાં આ વાત જણાવતા કહ્યું, “મને પ્રેમમાં પડવાથી ડર નથી લાગતો. પરંતુ હું જાણતો હતો કે આ મારો છેલ્લો પ્રેમ હશે. આ સારૂ હશે, હું ખુશ છું.”

જણાવી દઈએ કે ગયા વર્ષે જ પોતાની ચૌથી પત્ની જેરી હોલથી તેઓ અલગ થયા છે. ત્યાં જ લેસલી સ્મિથને લઈને તેમણે જણાવ્યું કે તે પ્રપોઝ કરવી વખતે ગભરાયેલા હતા. લેસલીની વાત કરીએ તો તેમના પતિનું મોત થઈ ચુક્યું છે. તે એક ગાયક અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ હતા.

સંબંધને લઈને લેસલી સ્મિથે શું કહ્યું? 

મર્ડોકની સાથે સંબંધને લઈને લેસલીએ કહ્યું, “અમારા બન્ને માટે આ ભગવાનની ગિફ્ટ છે. અમારી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. હું છેલ્લા 14 વર્ષથી વિધવા છું. મારા પતિ પણ રૂપર્ટની જેમ જ બિઝનેસમેન હતા. આ કારણે હં તેમની ભાષા બોલી શકું છું. અમારા વિચારો પણ એક જેવા છે.”

મર્ડોકને પહેલા ત્રણ લગ્નથી છ બાળકો છે. તેમણે કહ્યું, “અમે બન્ને જીવનનો બીજો ભાગ એક બીજાની સાથે પસાર કરવા માટે ઉત્સુક છીએ.”

આવતા વર્ષે કરશે લગ્ન  :

મીડિયા અહેવાલ અનુસાર, મર્ડોક અને લેસલી આવતા વર્ષે લગ્ન કરશે. લગ્ન બાદ બન્ને કેલિફોર્નિયા, મોંટાના, ન્યૂયોર્ક અને બ્રિટનના અલગ અલગ સ્થાનો પર જીવનની મજા ઉઠાવશે. તે પહેલા મર્ડોકના લગ્ન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ અટેન્ડેન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ મૂળના પત્રકાર એના માન અને ચીની મૂળની વ્યવસાયી વેંડી ડેંગની સાથે થયા હતા.

પહેલી પત્નીઓ સાથે ક્યારે થયા લગ્ન ? 

  • પહેલા લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે થયા હતા જે 1967 સુધી ચાલ્યા.
  • બીજા લગ્ન 1967માં એના માન સાથે થયા અને 1999 સુધી ચાલ્યા.
  • વર્ષ 1999માં ત્રીજા લગ્ન વેંડી ડેંગ સાથે થયા અને 2013માં બન્નેનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.
  • 2016માં મોડલ જેરી હોલ સાથે ચોથા લગ્ન કર્યા. બન્ને 2022માં અલગ થયા.

આ પણ વાંચો :-

કિરણ ખેરને ફરી થઈ ગંભીર બીમારી : હાલમાં જ બ્લડ કેન્સરને આપી હતી મ્હાત

Kiran Kher has suffered a serious  

  • વર્ષ 2021માં કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હતું. તેમાંથી સાજા થયા બાદ હાલ કિરણ ખેર કોરોના સંક્રમિત થઈ છે.

કોવિડ 19 રોગચાળાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે પણ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે.  આપણે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી સમયે ઘણા લોકો સંક્રમિત થયા હતા અને આ વાયરલની ઝપેટમાં બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) આવી ગયા હતા. હાલ કોરોના ફરી માથું ઊંચકાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

કિરણ ખેર કોરોનાથી સંક્રમિત થઈ :

જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કિરણ ખેર (Kiran Kher) કોરોનાથી સંક્રમિત થઈ છે. અને કિરણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી લખ્યું હતું કે ‘હું કોરોના સંક્રમિત થઈ છું એટલે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને તેનો ટેસ્ટ કરાવવો જોઈએ.’ જણાવી દઈએ કે જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ ખૂબ જ ચિંતિત છે.

નોંધનીય છે કે કિરણ ખેર બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરની પત્ની અને અભિનેતા સિકંદર ખેરની માતા છે.

કિરણ ખેરને થયું હતું બ્લડ કેન્સર  :

જણાવી દઈએ કે વર્ષ 2021માં કિરણને મલ્ટિપલ માયલોમા જે બ્લડ કેન્સરનો એક પ્રકાર હોવાનું નિદાન થયું હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિરણનું કેન્સર હવે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે એવામાં હાલ એમના કોવિડ પોઝિટિવના સમાચાર મળ્યા પછી તેના ચાહકો તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા ચિંતિત છે.

આ પણ વાંચો :-