Home Blog Page 1144

સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે મોટા ફેરફાર

0

If you are preparing for a government job

  • competitive exams gujarat : પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે?

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ભરતી માટેના એટલા પેપર ફૂટ્યા (Paper burst) છે કે ગુજરાત સરકારની છબી ખરડાઈ ગઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જાય છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓના (Student) અરમાનો પર પાણી ફરી વળે છે.

ત્યારે ફરી આવું ન થાય તે માટે ગુજરાત સરકાર (Gujarat Govt) હવે પાણી પહેલા પાળ બાંધવા નીકળી છે. પરીક્ષામાં પેપર ન ફૂટે તેવું મોડલ બનાવવા સરકારે તૈયારી આરંભી છે. સરકારી ભરતીની પરીક્ષા માટે હવે એક જ બોર્ડ બનાવવાની વિચારણા ચાલી રહી છે.

વિધાનસભામાં પેપર લીકનો કાયદો પસાર કર્યા બાદ સરકાર હવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર તમામ વિભાગોમાં ભરતી કરવા માટે એક જ કોમન ટેસ્ટ લેવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલ વિવિધ સંવર્ગના સરકારી ભરતી માટે અલગ અલગ બોર્ડ છે. તેને બદલે તમામને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

આગામી સમયમાં સરકાર મોટાપાયે સરકારી વિભાગોમાં ભરતી કરવાીન છે. ત્યારે આ ભરતીઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવાનું પ્લાનિંગ છે.

આ માટે એક આયોજન એવું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ભરતી બોર્ડ અને અન્ય બાબતોનું એક જ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા જ દરેક પ્રકારની ભરતી પ્રક્રિયા યોજવામાં આવશે. આ ઉપરાંત હાલ એવુ છે કે, સરકારી ભરતીમાં જ્યા જગ્યા પડે ત્યાં પરીક્ષા લેવામા આવે છે, તેના બદલે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનુ પ્લાનિંગ છે. જ્યા જગ્યા ખાલી પડે ત્યાં તાત્કાલિક ભરાઈ જાય.

હાલ સરકારે વિવિધ પ્રકારના એક્સપર્ટસ પાસેથી માહિતી મંગાવી છે. તેમના સૂચનોના આધારે બોર્ડ બનાવવામાં આવશે. આ માટે પ્રેઝન્ટેશન પણ કરવામા આવશે. મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે.

આ પણ વાંચો :-

ફ્રિજ બોમ્બની જેમ ફૂટશે ! ભૂલથી પણ ના કરો આ ભૂલો 

The fridge will explode like a bomb

  • તમારે ઘરમાં રાખેલા રેફ્રિજરેટરની સાથે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે આવું ન કરો તો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારે આવી કોઈ સમસ્યામાં ન પડવું જોઈએ.

Refridgerator Blast : જો તમે બેદરકારીપૂર્વક ફ્રિજનો ઉપયોગ કરો છો તો તેમાં જોરથી વિસ્ફોટ થઈ શકે છે કારણ કે તેમાં કેટલાક ભાગો એવા હોય છે જેની સાથે બેદરકારી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ઘરમાં રાખેલા રેફ્રિજરેટરની (Refridgerator) સાથે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.

જો તમે આવું ન કરો તો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારે આવી કોઈ સમસ્યામાં ન પડવું જોઈએ તે ધ્યાનમાં રાખીને અમે તમારા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ.

આ ટીપ્સ સાથે સુરક્ષિત રહો :

1. રેફ્રિજરેટરનો ઉપયોગ ક્યારેય એવી જગ્યાએ ન કરવો જોઈએ જ્યાં વીજળીની વધઘટ થતી હોય. હકીકતમાં, જો આવું થાય, તો રેફ્રિજરેટરના કોમ્પ્રેસર પર દબાણ વધી શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે.

2. ક્યારેક એવું બને છે કે જ્યારે તમે રેફ્રિજરેટરમાં બરફને જામવા દો છો અને તે સતત જામતો રહે છે, આવી સ્થિતિમાં તમારે દર થોડા કલાકે રેફ્રિજરેટર ખોલવાની કોશિશ કરવી જોઈએ, તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે અને તમને રાહત મળશે. તાપમાન પણ વધારી દેવું જોઈએ.

3. જો રેફ્રિજરેટરમાં કોઈ ખામી હોય, ખાસ કરીને કોમ્પ્રેસરના ભાગમાં તો તમારે તેને કંપનીના જ સર્વિસ સેન્ટરમાં લઈ જવું જોઈએ, કારણ કે કંપનીના ઓરિજનલ ભાગોની ગેરંટી છે. જો તમે લોકલ સ્પાર્ટ્સનો ઉપયોગ કરો છો, તો તે કોમ્પ્રેસરમાં વિસ્ફોટનું કારણ બની શકે છે.

4. જો તમે લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં કોઈ પણ વસ્તુ ન રાખતા હોવ પરંતુ તે સતત ચાલતું હોય, તો તમારે તેને ખોલતા પહેલા અથવા તેમાં કંઈપણ મૂકતા પહેલા તેને બંધ કરી દેવું જોઈએ અને પછી તેને ચાલુ કરવું જોઈએ કારણ કે તેમાં કોઈ વિસ્ફોટ થશે નહીં.

5. રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે તેના તાપમાનને ક્યારેય પણ સૌથી નીચા સ્તરે ન લાવો, તેના કારણે રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને વધુ પડતું દબાણ આવશે અને તે ખૂબ જ ગરમ થઈ જાય છે અને તે ફાટવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો :-

5 કલાકથી ઓછી ઊંઘ લેનારા થઈ જાય સાવધાન, ગમે ત્યારે સ્વર્ગે સિધાવશો !

Those who sleep less than 5 hours beware

  • Disadvantages of sleeping less : દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે. આ સિવાય ઓછી ઊંઘને ​​કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

જે લોકો દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમણે તુરંત જ સાવચેતી રાખવી જોઈએ. આમ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (હૃદય સંબંધિત બીમારીઓ)નું જોખમ વધી જાય છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં (European Heart Journal) પ્રકાશિત થયેલો એક નવો અભ્યાસ સૂચવે છે કે દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે અને પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) ના વિકાસ તરફ દોરી જાય છે. આ સિવાય ઓછી ઊંઘને ​​કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

પેરિફેરલ આર્ટરી ડિસીઝ શું છે?

પેરિફેરલ આર્ટરી ડિસીઝ ત્યારે થાય છે જ્યારે હાથ અને પગની ધમનીઓમાં પ્લેક જમા થવાને કારણે સાંકડી થઈ જાય છે. તે એથરોસ્ક્લેરોસિસના મુખ્ય લક્ષણોમાંનું એક છે, જેમાં ચરબીના થર પગ અને હાથોમાં લોહીના પ્રવાહને અવરોધે છે. પેરિફેરલ આર્ટરી ડિસીઝના લક્ષણોમાં નીચેના પગમાં નિષ્ક્રિયતા અથવા શરદી, પગમાં નબળી નાડી, નિતંબમાં પીડાદાયક દર્દ, પગની ચામડીનો રંગ બદલવો, પગ પરના ચાંદા જે સંપૂર્ણપણે મટતા નથી અને પગ પર વાળ ખરવા જેવા લક્ષણો છે.

6.50 લાખ લોકો પર સંશોધન કરવામાં આવ્યું :

અભ્યાસ બે ભાગમાં વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં સંશોધકોએ 650,000 સહભાગીઓમાં પેરિફેરલ ધમની બિમારીના જોખમ સાથે ઊંઘની અવધિ અને દિવસના નિદ્રાના જોડાણને સમજવાની કોશિશ કરી. બીજા તબક્કામાં, તેઓએ કુદરતી રીતે આનુવંશિક માહિતીનો ઉપયોગ રેન્ડમાઇઝ્ડ નિયંત્રિત ટ્રાયલ કરવા માટે કર્યો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછા કલાકોની ઊંઘ 53,416 પુખ્તોમાં પેરિફેરલ ધમની બિમારીનું જોખમ વધારે છે. અભ્યાસના લેખક ડૉ. યુઆને જણાવ્યું હતું કે પરિણામો સૂચવે છે કે રાત્રે ઓછી ઊંઘ લેવાથી પેરિફેરલ આર્ટરી ડિસીઝ થવાની સંભાવના વધી શકે છે.

હાઈ બીપી અને ડાયાબિટીસનું જોખમ  :

આ સિવાય ઘણા વધુ અભ્યાસો દર્શાવે છે કે જે લોકો દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ અને મેદસ્વીતા થવાની શક્યતા વધુ હોય છે. આ સ્થિતિઓ હૃદય રોગ માટેના તમામ મુખ્ય જોખમી પરિબળો જવાબદાર છે.

અપૂરતી ઊંઘથી શરીરમાં બળતરા થઈ શકે છે, જે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી, હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ઊંઘને ​​પ્રાથમિકતા બનાવવી અને દરરોજ રાત્રે 7-8 કલાકની સારી ગુણવત્તાની ઊંઘનું લક્ષ્ય રાખવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :-

23 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના વિષ્ણુજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

23 March 2023, Today’s Horoscope

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક‍્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતીથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતી બરકરાર રહેશે. સંતાન સાથએ વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતી થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતી-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતીષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાચવવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્ર વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં. આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

સુપરસ્ટાર ખેલાડીથી ગુજરાત ટાઈટન્સ નારાજ : IPLની શરૂઆતની મેચ રમવાનો કર્યો ઈનકાર

0

Gujarat Titans upset

  • ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારાજ છે.

IPL 2023 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 ટીમોની ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં IPL 2023ની વર્તમાન વિજેતા ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ પોતાના જ એક સ્ટાર ખેલાડીથી નારાજ છે.

ગુજરાત ટાઈટન્સ આ ખેલાડીથી નારાજ :

જણાવી દઈએ કે આ વાતના એ ખેલાડીએ પોતે જ કહી છે અને એ ખેલાડી છે ડેવિડ મિલર. ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારજ છે કારણ કે મિલર IPLની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. જો કે આ પાછળનું કારણ એ છે આ સમયે તે પોતાના દેશ સાઉથ આફ્રિકાની ટીમ સાથે નેધરલેન્ડ સામે રમશે.

સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ  :

નોંધીનીય છે કે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 31 માર્ચે બેનોનીમાં અને 2 એપ્રિલે વાન્ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સની છે. જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સામે રમશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ મેચ અમદાવાદમાં રમાશે.

સાઉથ આફ્રિકા માટે મહત્વપૂર્ણ મેચ :

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ યોજવવાનું અને એ માટે સીધા ક્વોલિફાય થવા માટે સાઉથ આફ્રિકા માટે આ બે મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં મિલર માટે આ બંને મેચમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જ તે IPLની શરૂઆતની મેચમાં ભાગ લઈ શકશે નહીં.

આ વિશે મિલરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એ કારણે ગુજરાતની ટીમ તેમનાથી નારાજ છે. અમદાવાદમાં મેચ રમવી તે પણ IPLની પ્રથમ મેચ એક મોટી વાત છે પણ હું તેમાં ભાગ નહીં લઈ શકું.

આ પણ વાંચો :-

 

VIDEO : તાપસીનું ‘પન્નુ’ ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો હાર, વીડિયો જોઈને..

VIDEO: Taapsee’s ‘Pannu’ turned 

  • બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ વખતે માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરતાં લોકોને તેમાં માતાનું અપમાન લાગ્યું છે.

બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) તાપસી પન્નુએ (Taapsee Pannu) માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરીને વિવાદમાં આવી છે. ખુદ તાપસી પન્નએ ફોટો શેર કરતાં લોકોને તેમાં માતા લક્ષ્મીના (Mother Lakshmi) અપમાનની ભાવના લાગી છે.

તસવીર શેર કરતાં તાપસીએ લખ્યું, લાલ રંગ મને ક્યારે છોડશે  :

તાપસી પન્નુએ તેની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે ‘લેક્મે ફેશન વીક‘ ઈવેન્ટના છે. આ ફોટા અને વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “આ લાલ રંગ મને ક્યારે છોડશે. આટલે સુધી તો બધુ બરાબર હતું પરંતું ચાહકોએ જેવો તાપસીનો નેકલેસ જોયો કે તરત જ તે ટ્રોલ થવા લાગી હતી.

ખરેખર આ ફોટોમાં તાપસી માતા લક્ષ્મીના નેકલેસ સાથે રેડ ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બોલ્ડ અને હાઈ ડીપ નેક ડ્રેસની વચ્ચે મા લક્ષ્મીનો હાર લટકતો જોઈને યુઝર્સ ભડક્યા હતા. યૂઝર્સ તાપસી પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

લોકોએ તાપસીને કરી મૂકી ટ્રોલ  :

તાપસીની આ પોસ્ટ પર યૂઝરે લખ્યું કે તમને હિન્દુ ધર્મનું અપમાન કરતા શરમ આવવી જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે, “આ શું બકવાસ છે, આવા કપડાં પહેરીને ભગવાનને રિલેશનલ જ્વેલરીમાં આમંત્રિત કરવું યોગ્ય નથી. ત્રીજા યુઝરે લખ્યું, ‘આવા અશ્લીલ ડ્રેસ પર માતા લક્ષ્મીના ફોટો સાથે જ્વેલરી પહેરવી તેનું અપમાન છે.

આ પણ વાંચો :-

Social Media પર સિક્કો જમાવવો હોય તો આ રીતે તમારા વીડિયોને લગાવો ચાર ચાંદ !

If you want to earn money  

  • Video Making : ઘણા લોકો સોશિયલ મીડિયા પર સતત વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ વીડિયોની ગુણવત્તા નબળી હોવાને કારણે એન્ગેજમેન્ટ ઉપલબ્ધ નથી અને તેનો ઉકેલ છે આ ધૂઆધાર ગેજેટ્સ.

વિડિયો મેકિંગ (Video making) માટે કેમેરા સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ આ સિવાય કેટલાક એવા ડિવાઈસ હોવા ખૂબ જ જરૂરી છે જે વીડિયોમાં જીવ ઉમેરી દે છે. જુઓ જાણીતા YouTubers પોતાના માટે મોંઘા ઉપકરણોનો ઉપયોગ કરે છે. પરંતુ એવા YouTubers કે જેઓ હમણાં જ શરૂઆત કરી રહ્યા છે તેઓને આટલા બધા સંસાધનો એકત્ર કરવાનું મુશ્કેલ લાગે છે.

આવી સ્થિતિમાં વિડિઓમાં જોરદાર ક્વોલિટી મળતી નથી. જો તમે પણ તમારા વીડિયોને પાવરફુલ બનાવવા માંગો છો અને તેમાં જીવ ઉમેરવા માંગો છો. તો આજે અમે તમને કેટલાક સસ્તા ડિવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા વીડિયોમાં પ્રોફેશનલ ક્વોલિટી લાવશે.

આ વાસ્તવમાં એક રિંગ લાઈટ છે જેનો ઉપયોગ વીડિયો બનાવતી વખતે થાય છે. આ સાથે. વિડિઓની ગુણવત્તા સુધારે છે. સાથે જ કેમેરા તમને શ્રેષ્ઠ રીતે કેપ્ચર કરી શકે છે. જો તમે પ્રોડક્ટ રિવ્યું કરી રહ્યાં છો. તો આ ઉપકરણ પ્રોડક્ટની ડિટેઈલિંગ દર્શાવવા માટે ખૂબ શક્તિશાળી સાબિત થઈ શકે છે. આ રીંગ લાઈટની કિંમત એમેઝોન પર માત્ર રૂ.349 છે. તે ડિમિંગ ફીચર સાથે આવે છે.

વાયરલેસ માઈક વડે વીડિયો બનાવવાનું ખૂબ જ સરળ બની જાય છે. આની મદદથી તમે નોઈઝ કેન્સલેશન સાથે ઓડિયો રેકોર્ડ કરી શકો છો. એટલું જ નહીં કેમેરાથી દૂર જઈને ઓડિયો પણ રેકોર્ડ કરી શકાય છે. આ ઉપકરણ તમારા વિડિઓમાં જીવ ઉમેરી શકે છે. જો કિંમતની વાત કરીએ તો વાયરલેસ માઈકની કિંમત 20,000 રૂપિયા સુધી જાય છે.

પરંતુ તમે તેને માત્ર 854 રૂપિયામાં ખરીદી શકો છો અને તેને તમારા ઘરે લઈ જઈ શકો છો. વાયરલેસ માઈકમાં જે વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો હોય તેનો જ અવાજ સંભળાય છે. આ માઈક આસપાસના અવાજને કેપ્ચર કરતું નથી. તેથી જ ઓડિયો ક્વોલિટી મજબૂત રહે છે.

આ પણ વાંચો :-

એકદમ ફૂલગુલાબી બની ગયું બેંગલુરુ.. સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

0

Bengaluru has become completely pink. 

  • દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે.

દક્ષિણ ભારતીય (South Indian) શહેર બેંગલુરુમાં (Bengaluru) અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ (Cherry blossom) જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની (Japan) યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમે પણ ખુશખુશાલ થઈ જશો.

વાત જાણે એમ છે કે બેંગલુરુના રસ્તાઓ આજકાલ પીંક ટ્રમ્પેટ્સ કે જે Tabebuia rosea કે પછી pink poui નામથી પણ ઓળખાય છે તેવા જે મૂળ તો દક્ષિણ મેક્સીકોમાં જોવા મળતા હોય છે તેવા ઝાડના ફૂલોથી છવાયેલા છે. આ ઝાડ પર સામાન્ય રીતે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સૂકા હવામાનમાં ફૂલો આવતા હોય છે.

જો કે આ ઝાડ પર ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ અને મેમાં પણ ફૂલો જોવા મળતા હોય છે. આ વૃક્ષોથી બેંગલુરુના રસ્તાઓ છવાયેલા છે અને તેના ગુલાબી ફૂલોથી રસ્તાઓ છવાઈ જતા એકદમ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જેમાં દરેકને પ્રકૃતિની સુંદરતા દેખાય છે. બેંગલુરુના આ ગુલાબી રંગથી સજાઈ જવાનો શ્રેય તબેબુઈયાના ફૂલોને આપવામાં આવી રહ્યો છે. જે દર વર્ષે વસંતની આજુબાજુ ખીલે છે. સોશિયલ મીડિયામાં હાલ બેંગલુરુના આ ગુલાબી વૃક્ષોની તસવીરો જોવા મળી રહી છે.

હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સાંજના સમયે શહેરમાં બહાર ફરવા નીકળતા હોય છે અને આ સુંદરતાને નીહાળીને તેને કેમેરામાં કેદ કરે છે અને પ્રકૃતિની સુંદરતાના સાક્ષી બને છે. ખરેખર આ જાપાન નહીં….પરંતુ ભારતનું બેંગલુરુ છે !

આ પણ વાંચો :-

Rajinikanth ની દીકરી ઐશ્વર્યાના ઘરમાં ચોરી, 18 વર્ષ જુની કામવાળી ચોરી ગઈ 100 તોલા સોનું અને…

Rajinikanth’s daughter  

  • Aishwaryaa Rajinikanth Jewellery Stolen : રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઇવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની (Superstar Rajinikanth) દીકરી અને ફિલ્મ ડિરેક્ટર એશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajinikanth) હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેના ઘરમાં થયેલી મોટી ચોરી. એશ્વર્યાના ઘરમાં 21 માર્ચે મોટી ચોરી થઈ છે. આ મામલે એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ ઘરમાં જ કામ કરતા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મંગળવારે સામે આવ્યું હતું કે રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઈવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા.

ચોરીના આ કેસમાં પોલીસે ઐશ્વર્યાની 18 વર્ષ જૂની કામવાળી ઈશ્વરીની ધરપકડ કરી છે. જેણે તેના ડ્રાઈવર વેંકટેશના કહેવા પર ચોરી કરી હતી. મહત્વનું છે કે ઈશ્વરી છેલ્લા 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરતી હતી અને ઐશ્વર્યાને તેના પર વિશ્વાસ હતો. એશ્વર્યા લોકરની ચાવી ક્યાં રાખે છે તે પણ કામવાળીને ખબર હતી. તે છેલ્લા ઘણા સમયથી લોકર ખોલીને એક એક કરીને સોના ચાંદીના ઘરેણા ચોરી કરતી હતી. ઘરેણા વેંચીને તેણે ઘર પણ ખરીદી લીધું હતું. આ મામલે ખુલાસો થયા બાદ પોલીસે તેના મકાનના દસ્તાવેજ પણ જપ્ત કરી લીધા છે.

એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ ગયા મહિને કરી હતી. ચોરાયેલા ઘરેણામાં એક ડાયમંડ સેટ, એક નવરત્ન સેટ, નેકલેસ, બંગડી અને જુનવાણી ઘરેણાનો સમાવેશ થાય છે. એશ્વર્યાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આ ઘરેણા તેણે છેલ્લી વખત 2019 માં પોતાની બહેન સૌંદર્યના લગ્નમાં પહેર્યા હતા ત્યાર પછી તેણે લોકરમાં રાખી દીધા હતા.

આ પણ વાંચો :-

Voter Id Aadhaar Link : સરકારે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધા

0

Voter Id Aadhaar Link 

  • જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું ન હોય તો સમય કાઢીને પહેલા કરાવી લો. કારણ કે કેન્દ્ર સરકારે મતદાર ઓળખ પત્રને આધાર સાથે જોડવા મામલે મોટી રાહત આપી છે. સરકારે વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા એક વર્ષ આગળ વધારી છે. સરકારનું આ પગલું અનેક લોકોને રાહત આપનારું રહેશે.

જે લોકોએ વોટર આઈડીને (Voter Id) આધાર સાથે લિંક કરાવ્યું છે તેમણે સારું કામ કર્યું છે અને જે લોકોએ હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી તેમના માટે કેન્દ્ર સરકારે સમયમર્યાદા આગળ વધારી છે. નાગરિકો પોતાના આધારને વોટર આઈડી  (Voter Id) સાથે ઓનલાઈન કે એસએમએસના માધ્યમથી પણ લિંક કરી શકે છે.

એક વર્ષ સમયમર્યાદા આગળ વધી :

મળતી માહિતી મુજબ સરકારે મતદાર ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ એક વર્ષ આગળ વધારીને હવે 31 માર્ચ 2024 સુધીની કરી છે. આ અગાઉ મતદાર ઓળખ પત્રને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આ વર્ષની હતી એટલે કે 1 એપ્રિલ 2023 સુધીની હતી. જો કે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવું એ સ્વૈચ્છિક છે.

એસએમએસ દ્વારા લિંક કરાવી શકો છો :

જો તમે ઈચ્છો તો તમારું વોટર આઈડી કાર્ડ તમે આધાર સાથે લિંક કરાવવા માટે ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક એસએમએસ મોકલવાનો રહેશે. તમારા આધાર કાર્ડમાં જે નંબર છે તેનાથી તમે 166 કે 51969 નંબર પર એક SMS મોકલી શકો છો. જેમાં તમારે ECLINK સ્પેસ ઈપીઆઈસી નંબર સ્પેસ આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ઉપર આપેલા નંબર પર સેન્ડ કરી લો.

ટોલ ફ્રી નંબર પર કરો કોલ :

લોકોની સગવડતા માટે કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબરથી પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સુવિધા આપી છે. આ માટે કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોમાં પોતાના કોલ સેન્ટર કોલ્યા છે. 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમે લિંક કરાવી શકો છો.

આ પણ વાંચો :-