Home Blog Page 1142

Video Viral : પંડયા પર પિત્તો ગયેલો હતો અને આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી..

0

Video Viral

  • WATCH VIDEO : ચાલુ મેચમાં જાણી જોઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પીચ પર જઈને વિરાટ કોહલીને ધક્કો માર્યો. પછી તમને શું લાગે છે આપણો કોહલી કંટ્રોલમાં રહેતો હશે. જે પછી બબાલ થઈ એ આખા ગામે જોઈ. ખુબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો. આ પહેલાં પંડયા જોડે ચાલુ મેચમાં મેદાન પર બાખડયો હતો કોહલી…

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચેની વન-ડે સિરિઝમાં આ વખતે કોઈકને કોઈક કારણોસર વિરોટ કોહલીનું (Virat Kohli) નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે. પહેલાં મેદાન પર હાર્દિક પંડયાએ (Hardik Panday) કોહલી જોડે ખરાબ વર્તન કર્યું. કેપ્ટન બન્યા બાદ ચાલુ મેચમાં પંડયા કોહલી જોડે બાખડયો અને આ બબાલનો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે વિરાટનો પંડયા પર તો પિત્તો ગયેલો જ હતો ત્યાં તો નવી બબાલ ઉભી થઈ.

ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ પીચ પર જઈને જાણી જોઈને કોઈ કારણ વગર સામે ચાલીને વિરાટને ધક્કો માર્યો. હવે મગજ તપેલું હોય અને કોઈ સામે ચાલીને આવી સડી કરે તો આપણો કોહલી પછી કંટ્રોલમાં રહે…? પછી જે બબાલ થઈ એ આખા ગામે જોઈ. વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે વીડિયો….

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા અને 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમને બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતે શ્રેણી પણ 1-2થી ગુમાવી દીધી છે.

આ મેચમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની અડધી સદીની ઈનિંગ રમી હતી. જો કે કોહલી તેની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સાથે અથડાયો હતો.

વિરાટે મેચની સૌથી વધુ ઈનિંગ્સ રમી હતી :

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં ભારતની આ પ્રથમ શ્રેણીની હાર છે. ODI શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં ફરી નંબર-1 ટીમ બની ગઈ છે.

આ પણ વાંચો :-

Adani Group પર મોટા ખુલાસા બાદ હિંડનબર્ગે ફોડયો વધુ એક ‘બોમ્બ’ ! આ વખતે કોનો વારો ? 

After the big disclosure on Adani Group

  • Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા.

Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Research Report) બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી (Gautam Adani) જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા. અદાણી દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં ટોપ 35થી પણ આઉટ થઈ ગયા હતા અને તેમના અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

રોકાણકારોને ભારે નુકસાન :

અદાણી ગ્રુપના શેરો ખરીદનારા રોકાણકારોને ભારે ભરખમ નુકસાન થયું. હવે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં 11માં નંબરે પહોંચી ગયા છે ત્યારે હિંડનબર્ગ રિસર્ચ તરફથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચે ‘વધુ એક મોટો ખુલાસો’ કરવાનો સંકેત આપ્યો છે.

ટ્વીટ વિશે ઉત્સુકતા :

હિંડનબર્ગ રિસર્ચે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી, ‘નવો રિપોર્ટ જલદી એક વધુ મોટો રિપોર્ટ.’ દુનિયાભરના શેર બજારમાં આ ટ્વીટને ખુબ ઉત્સુકતાથી જોવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આ વખતે હિંડનબર્ગ તરફથી થનારો ખુલાસો શું અમેરિકી બેંક વિશે હશે?

એક ભારતીય યૂઝરે હિંડનબર્ગના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે ‘આશા છે’ કે આ કોઈ બીજી ભારતીય કંપની વિશે નહીં હોય. યૂઝરે હિંડનબર્ગને આ વખતે કોઈ ચાઈનીઝ કંપની પર રિપોર્ટ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો :-

હવે હિમાલયમાં પણ આવી શકે છે સૌથી મોટો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

0

Now the biggest earthquake can also occur

  • દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીય્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના સીનિયર સાયન્ટિસ્ટે ચેતાવણી આપી છે કે હિમાલયમાં ગમે ત્યારે એક મોટો ભૂકંપ આવી શકે છે.

ઉત્તરી અફગાનિસ્તાનમાં (Northern Afghanistan) મંગળવારે રાત્રે 10.16 વાગ્યે આવેલા 6.6 તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હી (Delhi)-એનસીઆર ક્ષેત્ર સહિત ઉત્તરી ભારતમાં (Northern India) ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના ઝટકા તુર્કમેનિસ્તાન (Turkmenistan), કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, ચીન, અફગાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા.

આવી શકે છે હિમાલયમાં મોટો ભૂકંપ :

ભારતના ઘણા રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવવાના કારણે હડકંપ મચી ગયો હતો. દિલ્હી-એનસીઆરની સાથે સાથે પંજાબ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપથી લોકોમાં ભય છે. કેમ આવી રહ્યા છે ભૂકંપના ઝટકા? શું મોટો ભૂકંપ આવવાનો છે? તેના પર વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.

શું કહે છે વૈજ્ઞાનિક? 

ડૉ. પોલે જણાવ્યું કે અફગાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઉંડાઈ વધારે હતી. તમાટે તેની અસર ખૂબ મોટા વિસ્તારોમાં જોવા મળી. આપણે સિસ્મિક ઝોન 5માં છીએ કોઈ પણ ક્ષેત્રની ઓળખ નથી કરી શકતા. અવેયરનેસ અને સિવિલ એન્જિનિયરિંગથી જીવ બચાવી શકાય છે.

ભૂકંપથી પહેલા કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સથી એનર્જી રિલીઝ થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. કાલે મારા ઘરની લાઈટ્સ અને પંખા પણ 45 સેકન્ડ સુધી હલતા રહ્યા.

ભારતીય પ્લેટ દર વર્ષે 15-20 મીમી ચીનની તરફ ખસે છે :

હકીકતે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 મિલિમીટર તિબ્બતન પ્લેટની તરફ વધી રહી છે. આટલા મોટા જમીનના ટુકડા કોઈ અન્ય મોટા ટુકડાને ધકેલશે, તો ક્યાંકને ક્યાંક તો ઉર્જા સ્ટોર થશે.

તિબ્બતની પ્લેટ ખરી નહીં શકે. માટે બન્ને પ્લેટોની વચ્ચે રહેલી ઉર્જા નિકળે છે. આ ઉર્જા નાના નાના ભૂકંપોના રૂપમાં નિકળે છે. તો તેનાથી ગભરાવવાની જરૂર નથી. જ્યારે ઝડપથી ઉર્જા નિકળે છે તો મોટો ભૂકંપ આવે છે.

આ પણ વાંચો :-

Whatsapp દ્વારા પણ તમારા પર રાખવામાં આવી રહી છે નજર, નજરથી બચવા આટલું કરો

You are also being watched

  • બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. જોકે, બદલાતી જતી ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. ઘણીવાર આ આધુનિક ટેકનોલોજી તમને મુશ્કેલીઓમાં મુકી શકે છે.

WhatsAppને સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ માનવામાં આવે છે. તમામ ટેક્સ્ટ, ચેટ અને વિડિયો (Chat and Video) કોલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર આધાર રાખે છે. જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તમે WhatsApp પર જે કંઈ કરો છો તેને અટકાવી શકાય છે અથવા તેનું નિરીક્ષણ કરી શકાય છે.

આ ઉપરાંત, તમારા ફોનમાં જે પણ બાયોમેટ્રિક સુરક્ષા છે (તમારા ફોન પર WhatsApp કેવી રીતે લોક કરવું) જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી સાથે એપ્લિકેશનને સુરક્ષિત કરીને WhatsAppને વધુ સુરક્ષિત બનાવવું શક્ય છે. જેના પછી ભલે તમારો ફોન કોઈના હાથમાં આવી જાય. પરંતુ તમારું વોટ્સએપ સુરક્ષિત રહેશે.

એન્ડ્રોઇડ પર વોટ્સએપને કેવી રીતે લોક કરવું :

તમે તમારા Android ફોનના ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરી શકો છો તેની ખાતરી કરવા માટે કે તમે જ એપ્લિકેશન ખોલી શકો. આ પગલાં અનુસરો :

પગલું -1. તમારા Android ઉપકરણ પર WhatsApp ખોલો.

પગલું -2. સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ત્રણ-બિંદુઓ મેનૂ પર ટેપ કરો અને પછી સેટિંગ્સ પર જાઓ.

પગલું -3. એકાઉન્ટ પર ટેબ કરો, ગોપનીયતા પર જાઓ અને સ્ક્રીનના તળિયે, ફિંગરપ્રિન્ટ લોકને ટેપ કરો.

પગલું -4. ફિંગરપ્રિન્ટ લોક સ્ક્રીન પર, બટનને જમણી તરફ સ્વાઇપ કરીને ફિંગરપ્રિન્ટ વડે અનલોક કરો ચાલુ કરો. તમારે ફોનમાં આંગળીઓમાંથી એક વડે સેન્સરને ટચ કરીને તમારી ફિંગરપ્રિન્ટની પુષ્ટિ કરવાની જરૂર છે.

પગલું -5. જ્યારે તમે એપ્લિકેશન બંધ કરો ત્યારે એપ્લિકેશનને ફરીથી દાખલ કરવા માટે કેટલી ઝડપથી ફેસ આઈડીની આવશ્યકતા છે તે પસંદ કરો. તમે 1 મિનિટ પછી અથવા 30 મિનિટ પછી તરત જ પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-

સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે મોટા ફેરફાર

0

If you are preparing for a government job

  • competitive exams gujarat : પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે?

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ભરતી માટેના એટલા પેપર ફૂટ્યા (Paper burst) છે કે ગુજરાત સરકારની છબી ખરડાઈ ગઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જાય છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓના (Student) અરમાનો પર પાણી ફરી વળે છે.

ત્યારે ફરી આવું ન થાય તે માટે ગુજરાત સરકાર (Gujarat Govt) હવે પાણી પહેલા પાળ બાંધવા નીકળી છે. પરીક્ષામાં પેપર ન ફૂટે તેવું મોડલ બનાવવા સરકારે તૈયારી આરંભી છે. સરકારી ભરતીની પરીક્ષા માટે હવે એક જ બોર્ડ બનાવવાની વિચારણા ચાલી રહી છે.

વિધાનસભામાં પેપર લીકનો કાયદો પસાર કર્યા બાદ સરકાર હવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર તમામ વિભાગોમાં ભરતી કરવા માટે એક જ કોમન ટેસ્ટ લેવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલ વિવિધ સંવર્ગના સરકારી ભરતી માટે અલગ અલગ બોર્ડ છે. તેને બદલે તમામને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

આગામી સમયમાં સરકાર મોટાપાયે સરકારી વિભાગોમાં ભરતી કરવાીન છે. ત્યારે આ ભરતીઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવાનું પ્લાનિંગ છે.

આ માટે એક આયોજન એવું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ભરતી બોર્ડ અને અન્ય બાબતોનું એક જ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા જ દરેક પ્રકારની ભરતી પ્રક્રિયા યોજવામાં આવશે. આ ઉપરાંત હાલ એવુ છે કે, સરકારી ભરતીમાં જ્યા જગ્યા પડે ત્યાં પરીક્ષા લેવામા આવે છે, તેના બદલે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનુ પ્લાનિંગ છે. જ્યા જગ્યા ખાલી પડે ત્યાં તાત્કાલિક ભરાઈ જાય.

હાલ સરકારે વિવિધ પ્રકારના એક્સપર્ટસ પાસેથી માહિતી મંગાવી છે. તેમના સૂચનોના આધારે બોર્ડ બનાવવામાં આવશે. આ માટે પ્રેઝન્ટેશન પણ કરવામા આવશે. મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે.

આ પણ વાંચો :-

ફ્રિજ બોમ્બની જેમ ફૂટશે ! ભૂલથી પણ ના કરો આ ભૂલો 

The fridge will explode like a bomb

  • તમારે ઘરમાં રાખેલા રેફ્રિજરેટરની સાથે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે આવું ન કરો તો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારે આવી કોઈ સમસ્યામાં ન પડવું જોઈએ.

Refridgerator Blast : જો તમે બેદરકારીપૂર્વક ફ્રિજનો ઉપયોગ કરો છો તો તેમાં જોરથી વિસ્ફોટ થઈ શકે છે કારણ કે તેમાં કેટલાક ભાગો એવા હોય છે જેની સાથે બેદરકારી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ઘરમાં રાખેલા રેફ્રિજરેટરની (Refridgerator) સાથે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.

જો તમે આવું ન કરો તો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારે આવી કોઈ સમસ્યામાં ન પડવું જોઈએ તે ધ્યાનમાં રાખીને અમે તમારા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ.

આ ટીપ્સ સાથે સુરક્ષિત રહો :

1. રેફ્રિજરેટરનો ઉપયોગ ક્યારેય એવી જગ્યાએ ન કરવો જોઈએ જ્યાં વીજળીની વધઘટ થતી હોય. હકીકતમાં, જો આવું થાય, તો રેફ્રિજરેટરના કોમ્પ્રેસર પર દબાણ વધી શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે.

2. ક્યારેક એવું બને છે કે જ્યારે તમે રેફ્રિજરેટરમાં બરફને જામવા દો છો અને તે સતત જામતો રહે છે, આવી સ્થિતિમાં તમારે દર થોડા કલાકે રેફ્રિજરેટર ખોલવાની કોશિશ કરવી જોઈએ, તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે અને તમને રાહત મળશે. તાપમાન પણ વધારી દેવું જોઈએ.

3. જો રેફ્રિજરેટરમાં કોઈ ખામી હોય, ખાસ કરીને કોમ્પ્રેસરના ભાગમાં તો તમારે તેને કંપનીના જ સર્વિસ સેન્ટરમાં લઈ જવું જોઈએ, કારણ કે કંપનીના ઓરિજનલ ભાગોની ગેરંટી છે. જો તમે લોકલ સ્પાર્ટ્સનો ઉપયોગ કરો છો, તો તે કોમ્પ્રેસરમાં વિસ્ફોટનું કારણ બની શકે છે.

4. જો તમે લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં કોઈ પણ વસ્તુ ન રાખતા હોવ પરંતુ તે સતત ચાલતું હોય, તો તમારે તેને ખોલતા પહેલા અથવા તેમાં કંઈપણ મૂકતા પહેલા તેને બંધ કરી દેવું જોઈએ અને પછી તેને ચાલુ કરવું જોઈએ કારણ કે તેમાં કોઈ વિસ્ફોટ થશે નહીં.

5. રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે તેના તાપમાનને ક્યારેય પણ સૌથી નીચા સ્તરે ન લાવો, તેના કારણે રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને વધુ પડતું દબાણ આવશે અને તે ખૂબ જ ગરમ થઈ જાય છે અને તે ફાટવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો :-

5 કલાકથી ઓછી ઊંઘ લેનારા થઈ જાય સાવધાન, ગમે ત્યારે સ્વર્ગે સિધાવશો !

Those who sleep less than 5 hours beware

  • Disadvantages of sleeping less : દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે. આ સિવાય ઓછી ઊંઘને ​​કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

જે લોકો દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમણે તુરંત જ સાવચેતી રાખવી જોઈએ. આમ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (હૃદય સંબંધિત બીમારીઓ)નું જોખમ વધી જાય છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં (European Heart Journal) પ્રકાશિત થયેલો એક નવો અભ્યાસ સૂચવે છે કે દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે અને પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) ના વિકાસ તરફ દોરી જાય છે. આ સિવાય ઓછી ઊંઘને ​​કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

પેરિફેરલ આર્ટરી ડિસીઝ શું છે?

પેરિફેરલ આર્ટરી ડિસીઝ ત્યારે થાય છે જ્યારે હાથ અને પગની ધમનીઓમાં પ્લેક જમા થવાને કારણે સાંકડી થઈ જાય છે. તે એથરોસ્ક્લેરોસિસના મુખ્ય લક્ષણોમાંનું એક છે, જેમાં ચરબીના થર પગ અને હાથોમાં લોહીના પ્રવાહને અવરોધે છે. પેરિફેરલ આર્ટરી ડિસીઝના લક્ષણોમાં નીચેના પગમાં નિષ્ક્રિયતા અથવા શરદી, પગમાં નબળી નાડી, નિતંબમાં પીડાદાયક દર્દ, પગની ચામડીનો રંગ બદલવો, પગ પરના ચાંદા જે સંપૂર્ણપણે મટતા નથી અને પગ પર વાળ ખરવા જેવા લક્ષણો છે.

6.50 લાખ લોકો પર સંશોધન કરવામાં આવ્યું :

અભ્યાસ બે ભાગમાં વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં સંશોધકોએ 650,000 સહભાગીઓમાં પેરિફેરલ ધમની બિમારીના જોખમ સાથે ઊંઘની અવધિ અને દિવસના નિદ્રાના જોડાણને સમજવાની કોશિશ કરી. બીજા તબક્કામાં, તેઓએ કુદરતી રીતે આનુવંશિક માહિતીનો ઉપયોગ રેન્ડમાઇઝ્ડ નિયંત્રિત ટ્રાયલ કરવા માટે કર્યો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછા કલાકોની ઊંઘ 53,416 પુખ્તોમાં પેરિફેરલ ધમની બિમારીનું જોખમ વધારે છે. અભ્યાસના લેખક ડૉ. યુઆને જણાવ્યું હતું કે પરિણામો સૂચવે છે કે રાત્રે ઓછી ઊંઘ લેવાથી પેરિફેરલ આર્ટરી ડિસીઝ થવાની સંભાવના વધી શકે છે.

હાઈ બીપી અને ડાયાબિટીસનું જોખમ  :

આ સિવાય ઘણા વધુ અભ્યાસો દર્શાવે છે કે જે લોકો દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ અને મેદસ્વીતા થવાની શક્યતા વધુ હોય છે. આ સ્થિતિઓ હૃદય રોગ માટેના તમામ મુખ્ય જોખમી પરિબળો જવાબદાર છે.

અપૂરતી ઊંઘથી શરીરમાં બળતરા થઈ શકે છે, જે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી, હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ઊંઘને ​​પ્રાથમિકતા બનાવવી અને દરરોજ રાત્રે 7-8 કલાકની સારી ગુણવત્તાની ઊંઘનું લક્ષ્ય રાખવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :-

23 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના વિષ્ણુજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

23 March 2023, Today’s Horoscope

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક‍્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતીથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતી બરકરાર રહેશે. સંતાન સાથએ વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતી થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતી-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતીષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાચવવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્ર વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં. આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

સુપરસ્ટાર ખેલાડીથી ગુજરાત ટાઈટન્સ નારાજ : IPLની શરૂઆતની મેચ રમવાનો કર્યો ઈનકાર

0

Gujarat Titans upset

  • ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારાજ છે.

IPL 2023 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 ટીમોની ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં IPL 2023ની વર્તમાન વિજેતા ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ પોતાના જ એક સ્ટાર ખેલાડીથી નારાજ છે.

ગુજરાત ટાઈટન્સ આ ખેલાડીથી નારાજ :

જણાવી દઈએ કે આ વાતના એ ખેલાડીએ પોતે જ કહી છે અને એ ખેલાડી છે ડેવિડ મિલર. ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારજ છે કારણ કે મિલર IPLની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. જો કે આ પાછળનું કારણ એ છે આ સમયે તે પોતાના દેશ સાઉથ આફ્રિકાની ટીમ સાથે નેધરલેન્ડ સામે રમશે.

સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ  :

નોંધીનીય છે કે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 31 માર્ચે બેનોનીમાં અને 2 એપ્રિલે વાન્ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સની છે. જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સામે રમશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ મેચ અમદાવાદમાં રમાશે.

સાઉથ આફ્રિકા માટે મહત્વપૂર્ણ મેચ :

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ યોજવવાનું અને એ માટે સીધા ક્વોલિફાય થવા માટે સાઉથ આફ્રિકા માટે આ બે મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં મિલર માટે આ બંને મેચમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જ તે IPLની શરૂઆતની મેચમાં ભાગ લઈ શકશે નહીં.

આ વિશે મિલરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એ કારણે ગુજરાતની ટીમ તેમનાથી નારાજ છે. અમદાવાદમાં મેચ રમવી તે પણ IPLની પ્રથમ મેચ એક મોટી વાત છે પણ હું તેમાં ભાગ નહીં લઈ શકું.

આ પણ વાંચો :-

 

VIDEO : તાપસીનું ‘પન્નુ’ ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો હાર, વીડિયો જોઈને..

VIDEO: Taapsee’s ‘Pannu’ turned 

  • બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ વખતે માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરતાં લોકોને તેમાં માતાનું અપમાન લાગ્યું છે.

બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) તાપસી પન્નુએ (Taapsee Pannu) માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરીને વિવાદમાં આવી છે. ખુદ તાપસી પન્નએ ફોટો શેર કરતાં લોકોને તેમાં માતા લક્ષ્મીના (Mother Lakshmi) અપમાનની ભાવના લાગી છે.

તસવીર શેર કરતાં તાપસીએ લખ્યું, લાલ રંગ મને ક્યારે છોડશે  :

તાપસી પન્નુએ તેની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે ‘લેક્મે ફેશન વીક‘ ઈવેન્ટના છે. આ ફોટા અને વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “આ લાલ રંગ મને ક્યારે છોડશે. આટલે સુધી તો બધુ બરાબર હતું પરંતું ચાહકોએ જેવો તાપસીનો નેકલેસ જોયો કે તરત જ તે ટ્રોલ થવા લાગી હતી.

ખરેખર આ ફોટોમાં તાપસી માતા લક્ષ્મીના નેકલેસ સાથે રેડ ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બોલ્ડ અને હાઈ ડીપ નેક ડ્રેસની વચ્ચે મા લક્ષ્મીનો હાર લટકતો જોઈને યુઝર્સ ભડક્યા હતા. યૂઝર્સ તાપસી પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

લોકોએ તાપસીને કરી મૂકી ટ્રોલ  :

તાપસીની આ પોસ્ટ પર યૂઝરે લખ્યું કે તમને હિન્દુ ધર્મનું અપમાન કરતા શરમ આવવી જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે, “આ શું બકવાસ છે, આવા કપડાં પહેરીને ભગવાનને રિલેશનલ જ્વેલરીમાં આમંત્રિત કરવું યોગ્ય નથી. ત્રીજા યુઝરે લખ્યું, ‘આવા અશ્લીલ ડ્રેસ પર માતા લક્ષ્મીના ફોટો સાથે જ્વેલરી પહેરવી તેનું અપમાન છે.

આ પણ વાંચો :-