Home Blog Page 1132

ગુજરાતની ફેમસ રેસ્ટોરન્ટનું બિલ વાયરલ… એક ગ્લાસ છાશના વસૂલાયા આટલાં રૂપિયા

0
Gujarat’s Famous Restaurant Bill Viral
  • Sankalp Hotel Bill Viral : કેવડિયા પાસે આવેલ સંકલ્પ હોટલની છાશનું બિલ વાયરલ. છાશના એક ગ્લાસનો ભાવ અધધ. રૂ. 200…

છાશએ (Buttermilk) ગુજરાતનું પીણુ છે. ગુજરાતની 90 ટકા વસ્તીનું ભોજન છાશ (Buttermilk) વગર અધૂરું છે. ઉનાળામાં તો ગુજરાતમાં (Gujarat) ઠેકઠેકાણે મફત છાશ વહેંચવાની પ્રવૃત્તિઓ થતી રહે છે. જ્યાં લોકો છાશની મફત લ્હાણી કરતા હોય એવા ગુજરાતમાં 200 રૂપિયાનો છાશનો ગ્લાસ વેચાય તો સો ટકા આશ્ચર્ય થાય.

ગુજરાતમાં સોશિયલ મીડિયા (Social media) પર હાલ એક હોટલનું બિલ વાયરલ થયું છે. જેમાં એક ગ્રાહક પાસેથી એક છાશના ગ્લાસના 200 રૂપિયા વસૂલાયા છે. સોશિયલ મીડિયામાં કેવડિયાની (Kevadiya) સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું (Sankalp Garden In Hotel) બિલ વાયરલ થયું છે જેમાં છાશના એક ગ્લાસનો ભાવ રૂ. 200 દર્શાવાયો છે.

સંકલ્પ હોટલનું બિલ વાયરલ :

ગુજરાતીઓ માટે છાશ અમૃત કહેવાય છે. ત્યારે સામાન્ય રીતે છાશનો ઓછામાં ઓછા 10 રૂપિયાનો ગ્લાસ હોય છે. પરંતું ગુજરાત ટુરિઝમનું ફેવરિટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સંકલ્પ ગાર્ડન ઈન હોટલ 200 રૂપિયામાં છાશનો એક ગ્લાસ આપી રહી છે. ત્યારે તમને પણ એવું થશે કે આખરે આ છાશું એવુ તો શુ છે કે તેનો 200 રૂપિયાનો ભાવ છે.

ગ્રાહકો પાસેથી ખિસ્સા ખંખેરતા હોટલ સંચાલકો તો ઘણા છે. પરંતું જો છાશના એક ગ્લાસના 200 રૂપિયા વસૂલવામા આવે તો સો ટકા આંચકો લાગે. આ બિલ હાલ સોશિયલ મીડિયા પર ન માત્ર વાયરલ થયું છે. પરંતું ચર્ચાના કેન્દ્રએ પણ ચઢ્યું છે.

કારણ કે ગ્રાહકે હોટલમાંથી છાશના 6 ગ્લાસનો ઓર્ડર આપ્યો હતો. જેમાં માત્ર 6 છાશનું બિલ 1200 રૂપિયા બન્યું છે. તે સિવાય અન્ય વસ્તુઓના અલગ. ફોર સ્ટાર ગણાતી આ હોટલમાં ચીઝ ઢોસા કરતા તો છાશ મોંઘી છે. ચીઝ ઢોંસાના 300 રૂપિયા અને છાશના એક ગ્લાસના 200 રૂપિયા કેટલા વાજબી ગણાય.

જોકે બિલ વાયરલ થતા હોટલ મેનેજર નીતિન શિવપુરીએ કહ્યું કે અમારી હોટેલ ફોર સ્ટાર છે. રૂ. 200ની છાશની ગુણવત્તા જુઓ. અન્ય હોટલોમાં પણ છાશનો આજ ભાવ વસૂલાય છે.

આ પણ વાંચો :-

શિકારી ખુદ યહા શિકાર હો ગયા : સગીરોને નચાવવામાં મહિલાઓને મજા આવવા લાગી, આ કિસ્સા વાંચી

The hunter himself went to the victim 

  • Female Rapists : અમેરિકાથી અકોલા સુધી સ્ત્રીઓ દ્વારા પુરુષ પર કરાયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સાઓ. આ તો ઊલટી ગંગા જેવો ઘાટ થયો. શિકારી ખુદ યહા શિકાર હો ગયા.

તાજેતરમાં ગુજરાતના (Gujarat) સુરત શહેરમાંથી ઉલટી ગંગા જેવો ઘાટ સર્જાયો હતો. એક સગીરને પ્રેમજાળમાં ફસાવી અડાજણની યુવતીએ તેનું શારીરિક શોષણ (Physical abuse) કર્યું હતું. સુરતના કતારગામના સગીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અડાજણની યુવતીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી 12 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.

યુવતીએ સગીરને અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. એક સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારે સગીરે રૂપિયા માંગ્યા તો તેણી અપશબ્દો બોલી ધાકધમકી આપતી હતી. ત્યારે યુવતી દ્વારા સગીર યુવક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આ ઘટનાએ બધાને ચોંકાવીને મૂકી દીધા હતા.

ત્યારે સવાલ એ છે કે સુરત જેવા અનેક કેસ વધી રહ્યા છે. અમેરિકાથી અમદાવાદ સુધી સ્ત્રીઓ દ્વારા પુરુષ પર કરાયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સાઓ વધી રહ્યાં છે. એક સમયે મહિલાઓ શિકાર થઈ રહી હતી. ત્યારે હવે પુરુષો શિકાર બની રહ્યાં છે. આવા કિસ્સાઓનુ લિસ્ટ લાંબુંલચક છે.

આ પણ વાંચો :-

ટ્રેનની દરેક સિટીમાં છૂપાયેલો છે એક છૂપો કોડ, જો આ સિટી વાગે તો સમજી જવું કે આગળ જોખમ છે

0

A hidden code is hidden  

  • Knowledge News : ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ગણાય છે. તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. આ દરમિયાન તમને ટ્રેનના હોર્નનો અવાજ પણ સાંભળ્યો હશે પરંતુ શું તમે જાણો છો કે અન્ય વાહનોથી અલગ ટ્રેનની સિટીનો પણ એક પોતાનો અલગ કોડ હોય છે?

ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં (Train) મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ગણાય છે. તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. આ દરમિયાન તમને ટ્રેનના હોર્નનો (Horn) અવાજ પણ સાંભળ્યો હશે.

પરંતુ શું તમે જાણો છો કે અન્ય વાહનોથી અલગ ટ્રેનની સિટીનો પણ એક પોતાનો અલગ કોડ હોય છે? રેલવે સિગ્નલ મુજબ અલગ અલગ પ્રકારની ટ્રેનની સિટી વગાડવામાં આવતી હોય છે અને તે સિટી સ્ટેશન પર હાજર લોકોને અલગ અલગ સંદેશ આપે છે. આવો જાણીએ ટ્રેનની સિટીનો શું અર્થ હોય છે.

નાની સિટી :

અત્રે જણાવવાનું કે જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની સિટી વગાડે છે જેનો અર્થ છે કે તેને કોઈ બીજા એન્જિનની મદદની જરૂર નથી.

એક નાની અને એક મોટી સિટી :

જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની અને એક લાંબી સિટી વગાડે તો તેનો અર્થ થાય છે કે તેને ટ્રેનની પાછળ લાગેલા એન્જિન પાસે મદદની જરૂર છે.

બે નાની સિટી :

જો ટ્રેન ઊભી હોય અને ડ્રાઈવર 2 નાની સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે તે ગાર્ડ પાસે ટ્રેનને ખોલવા માટે લિગ્નલ માંગી રહ્યો છે.

ત્રણ નાની સિટી :

જો તમે ટ્રેનની 3 નાની સિટી સાંભળી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનનો ડ્રાઈવર ગાર્ડને બ્રેક લગાવવા માટે સિગ્નલ આપી રહ્યો છે.

ચાર નાની સિટી :

ચાર નાની સિટીઓનો અર્થ છે કે આગળ રસ્તો ક્લિયર નથી. એટલે કે ટ્રેનનો ડ્રાઈવર ચાર નાની સિટીઓનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેને રસ્તો ક્લિયર કરવા માટે ગાર્ડની મદદ જોઈતી હોય છે.

એક લાંબી અને એક નાની સિટી :

ડ્રાઈવર એક લાંબી અને એક નાની સિટી ત્યારે વગાડે છે જ્યારે તે ટ્રેનના ગાર્ડને બ્રેક રિલીઝ કરવા માટે સંકેત આપતો હોય. આ સાથે જ ડ્રાઈવરનો ઈશારો હોય છે કે સાઈડિંગમાં ટ્રેનને બેક કર્યા બાદ મેઈન લાઈન ક્લિયર છે.

બે લાંબી અને બે નાની સિટી :

ટ્રેનના ગાર્ડને પોતાની પાસે બોલાવવા માટે ડ્રાઈવર 2 લાંબી અને બે નાની સિટી વગાડે છે.

સતત સિટી વાગતી હોય

જો સતત સિટી વાગતી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનની આગળ જોખમ છે. બની શકે કે ડ્રાઈવરને રસ્તામાં કોઈ પ્રકારનું વિધ્ન દેખાતું હોય.

બે નાની અને એક લાંબી સિટી :

જો ટ્રેનનો ડ્રાઈવર બે નાની અને એક લાંબી સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે કાં તો કોઈ મુસાફરે ચેઈન પુલિંગ કર્યું છે અથવા તો ટ્રેનના ગાર્ડે જ ટ્રેનને રોકવાની કોશિશ કરી છે.

આ પણ વાંચો :-

કરાંચીની મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણ માટે ગાયું ‘કન્હૈયા’ ગીત, જુઓ વીડિયો

Muslim girl from Karachi sings

  • Muslim women Krishna song : સોશિયલ મીડિયા પર નીતનવા વીડિયો વાયરલ થતા રહે છે કેટલાક ડાન્સના તો કેટલાક કોઈની મદદના. અનેકવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાના વીડિયો પણ વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલ પાકિસ્તાની યુવતીનો કૃષ્ણભક્તિ સંલગ્ન વાયરલ થઈ રહ્યો છે.

થોડા દિવસ પહેલા ફરમાની નાઝ નામની મુસ્લિમ સિંગરે (Muslim Singer) હર હર શંભુ નામનું ગીત ગાયું હતું. શિવભક્તિ ગીત બાદ દેશભરમાં છવાયેલી ફરમાન નાઝે (Farman Naze) આગામી સફરમાં હરે-હરે કૃષ્ણા પર આધારિત નઝ્મ દુનિયા સામે રજૂ કરી. ભગવાન કૃષ્ણની સ્તુતિમાં ફિલ્માંકન કરાયેલા ભજન બાદ તેને કરોડો લોકોનો પ્રેમ ળ્યો અને તે સેલિબ્રિટી સિંગરની (Celebrity Singer) જેમ લોકપ્રિય બની ગઈ.

તેના વીડિયોએ સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું હતું. જો કે તેમાંથી કેટલાક વીડિયો પર આપત્તિ પણ જતાવવામાં આવી હતી તો કેટલાકે આ વીડિયોના ખુબ વખાણ પણ કર્યા. જો કે હવે એક પાકિસ્તાનના કરાચીની મુસ્લિમ યુવતીએ રમજાનમાં ભગવાન કૃષ્ણની શાનમાં એક ભજન ગાયું છે જે ખુબ વાયરલ થઈ રહ્યું છે.

કરાચીની કૃષ્ણભક્ત વજીહા અતહર !

આમ તો જાણીતા શાયર અલ્લામા ઈકબાલે રામના નામે એક નઝ્મ ‘એમામ એ હિંદ રામ’ લખીને ગંગા જમુની તહઝીબનો પરિચય આપ્યો હતો. શાયર એ મશરિકે પોતાની નઝ્મમાં રામની કલ્પના ઈમામ સાથે કરી. ભગવાન કૃષ્ણને લઈને પણ ઘણા સૂફી સંતો સાહિત્ય લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે.

આસ્થા અને પેશનના એક વધુ સારા તાલમેલની વાત કરીએ તો રમજાનના પવિત્ર મહિનામાં એક મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણને સમર્પિત ખુબસુરત પંક્તિઓ ગાઈ છે.

અત્રે જણાવવાનું કે વજીહા અતહર નકવીએ આ વીડિયોને રમજાન શરૂ થયાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વજીહા અતહર નક્વી મૂળ પાકિસ્તાનના કરાચીની રહીશ છે અને હાલ તે લંડનમાં રહીને મ્યૂઝિકમાં પીએચડી કરે છે.

સોશિયલ મીડિયા પર હીટ થયો વીડિયો :

પાકિસ્તાનના કરાંચીની વજીહા અતહર નકવીએ 19મી સદીના ભારતના હૈદરાબાદ સાથે તાલુક રાખનારા નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મના મશહૂર કલામ ‘કન્હૈયા’ ગાયું છે. આ વિશિષ્ટ ઠુમરી, કન્હૈયા યાદ હૈ, ની રચના ભક્તિ પરંપરામાં નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મે 19મી સદીમાં કરી હતી.

કૃષ્ણભક્તિમાં ડૂબેલી યુવતીએ નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મનું મૂળ દીવાન પણ રજૂ કર્યું છે. તે પાતાના સિંગિંગમાં ખોવાઈને ભગવાનની સ્તુતિ કરી રહી છે. તેના વીડિયોમાં નવાબની તસવીર પણ જોવા મળી રહી ચે. યુવતી એક જૂના પુસ્તકમાંથી ગીત વાંચી રહી છે જે ઉર્દુમાં છે.

કૃષ્ણ માટે ગાયું સૌભાગ્ય :

નકવીએ એક યૂઝરને જવાબ આપતા કહ્યું કે કન્હૈયા ભગવાન કૃષ્ણને સમર્પિત ગીત છે. તે આપણા માટે પયગંભરની જેમ છે. જેમ કે દક્ષિણ એશિયાના ઈન્ડો-ફારસી સાહિત્યિક પરંપરામાં તેમના વિશે લખ્યું અને બતાવ્યું છે. મને પહેલીવાર તેને શીખવાનું અને ગાવાનું સૌભાગ્ય મળ્યું.

તેમનો આ વીડિયો લોકોના મન જીતી રહ્યું છે. 23 માર્ચના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને લગભગ એક લાખથી વધુ વખત જોવાયો છે. આ ખુબસુરત વીડિયો પર ફેન્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે. આ પ્રકારે અનેક ભાષાઓમાં પોતાના અવાજની ઓળખ કરાવનારી આ ગાયિકાની ખુબ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો :-

મને આત્મ*હત્યાના વિચારો આવતા હતા, રાહુલ ગાંધીએ મારો જીવ બચાવ્યો

0

Rahul Gandhi

  • કન્નડ અભિનેત્રી અને પૂર્વ લોકસભા સાંસદ દિવ્યા સ્પંદનાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધી અંગે એક ખુબ જ ઈમોશનલ વાત કરી હતી.

અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે તે પોતાના સંઘર્ષના ગાળામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હતા. આવા સમયે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તેમને ભાવનાત્મક સમર્થન આપ્યું હતું. કન્નડ ટીવી (Kannada TV) શોમાં તેણે આ ઈમોશનલ વાત શેર કરી હતી. તેણે કહ્યું કે પિતાના અવસાન બાદ પોતે ભાંગી પડી હતી. આત્મહત્યાના વારંવાર વિચારો આવતા હતા.

જો કે મારા પિતાને ગુમાવ્યાના બે અઠવાડીયા બાદ હું સંસદમાં હતી. જો કે ત્યાં કોઈને ઓળખતી પણ નહોતી. કંઇ ખબર પણ નહોતી કે સંસદમાં કાર્યવાહી કઈ રીતે થાય છે અને સમગ્ર વ્યવસ્થા કઇ રીતે ચાલે છે. જો કે તે સમયે રાહુલ ગાંધીએ તેને ખુબ જ સપોર્ટ કર્યો. દુખને કામમાં લગાવવા જણાવ્યું. મે સતત પોતાની જાતને વ્યસ્ત રાખીને તમામ કામ શીખી લીધું. માંડયાના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો તે મે સાચો ઠેરવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યા સ્પંદના કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ પણ રહી ચુકી છે.

પિતાના અવસાન બાદ તે ખુબ જ ડિપ્રેસ રહેવા લાગી હતી :

આત્મહત્યાના વિચારો અંગે પુછવામાં આવતા તેણે કહ્યું કે જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે રાહુલ ગાંધીએ તેમને ભાવનાત્મક રીતે ખુબ જ સપોર્ટ આપ્યો હતો. તેણે કહ્યું કે મે પણ પિતા ગુમાવ્યા છે તેથી તમારૂ દુખ હું સમજી શકુ છું. તેઓએ વારંવાર મને આશ્વસ્ત કરી. સ્પંદનાએ કહ્યું કે મારા જીવનમાં મારી જીવનમાં સૌથી વધારે મહત્વ મારા માતા પિતા બાદ રાહુલ ગાંધીનું છે. મને જ્યારે આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા ત્યારે રાહુલ ગાંધીએ મને આ ડિપ્રેશનમાંથી કાઢી હતી. તેઓ મને સતત ભાવનાત્મક રીતે ટેકો આપતા રહેતા હતા.

યુથ કોંગ્રેસમાં જોડાયા બાદ સડસડાટ પ્રગતી થઈ :

અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યા સ્પંદના 2012 માં યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. 2013 માં કર્ણાટકની માંડયા લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી હતી. જે તેઓ જીતી ગયા હતા. ગત્ત વર્ષે તેણે ફિલ્મોમાં પરત ફરવાની જાહેરાત કરી અને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ સ્થાપ્યું હતું.

કીર્તિદાન ગઢવીના ડાયરામાં ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ

0

First ever gold-silver coin

  • પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો.

ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ થવો સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં (Social media) રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના (Kirtidan Gadhavi) લોકડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી હતી. ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના (Gold and silver) સિક્કાનો વરસાદ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થવાનો વીડિયો વાયરલ થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો. આ જોઈને ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પહેલી વાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા ઉડાવ્યા હતા.

લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો.

એટલું ઓછું હોય તેમ કીર્તિદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો :-

‘મન હોય તો માળવે જવાય’, એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આ સુરતીએ વગાડયો ડંકો

0

‘Man hoy to malve jaye’, despite five

  • વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, “રૂલ-ઓફ-7” એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

મલેશિયા (Malaysia) ખાતે આયોજિત થનાર ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન (Full Ironman Triathlon) માટે પ્રેક્ટિસ દરમિયાન એક બાદ એક પાંચ ફ્રેક્ચર હોવા છતાં સુરતની મહિલા ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ આ ઇવેન્ટમાં ભાગ પણ લીધો અને આયર્નમેન ટ્રાયથ્લોનમાં (Ironman Triathlon) દસમો ક્રમ હાંસલ પણ કર્યો છે. એટલું જ નહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ 5 મહિનામાં 5 ઈવેન્ટ્સ જીત્યા છે.

આયર્ન-વુમન તરીકે ગુજરાતમાં પોતાની ઓળખ સ્થાપિત કરનાર સુરતના ડો. હેતલ તમાકુવાલા ભારતની 9 મહિલાઓમાંથી સંપૂર્ણ-આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર “પ્રથમ અને એકમાત્ર ડેન્ટીસ્ટ” છે. તમને આશ્ચર્ય થશે કે, તે શું છે. તે એક ઉચ્ચ-પ્રદર્શન સહનશક્તિની સ્પર્ધા છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: સમુદ્રમાં 3.8 કિ.મી. તરવું, 180 કિલોમીટર સાઈકલ અને 42 કિ.મી.ની દોડનો સમાવેશ થાય છે.

45 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના વિક્રમી સમય અને આંતરરાષ્ટ્રીય 10મા ક્રમ સાથે આ સ્પર્ધા પૂરી કરી શક્યા હતા. તે ગુજરાતની માત્ર 2જી મહિલા છે. જે 40 વર્ષથી વધુ ઉંમરની છે, જેણે આ ઇવેન્ટને પૂરી કરી છે. તેમણે 5-નવેમ્બર, 2022 ના રોજ મલેશિયાના સત્તાવાર ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી ખાતે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

આખો દિવસ ચાલનારી આ સ્પર્ધામાં બપોરના આકરા તડકાથી માંડીને દરિયાનું પાણી, જેલીફિશના ડંખ, ભેજવાળું વાતાવરણ, બદલાતી ઊંચાઈઓ અને ભારે પવનો સુધીનું બધું જ હોય છે. તેઓ 45 વર્ષના છે અને ફુલ-ટાઈમ ડેન્ટલ પ્રેક્ટિશનર, કુશળ કેનવાસ અને સ્કેચ આર્ટિસ્ટ અને બે બાળકોની માતા છે. તે દરરોજ સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિકસ કરે છે.

રૂલ-ઓફ-7

આયર્ન-મેનનું બિરુદ હાંસલ કરવું એ નિયમિત સઘન તાલીમ છે. 5 ફ્રેક્ચર જેમાં- જમણી હાંસડીનું ફ્રેક્ચર , નાકનું હાડકું ફ્રેક્ટચર, જમણા પગનું ફ્રેક્ચર, બે વાર હથેળીના હાડકાં ફ્રેક્ચર થયા છે. વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, “રૂલ-ઓફ-7” એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

આ પણ વાંચો :-

Viral Video : મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો, 2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત

0

Viral Video

  • Accident Viral Video : એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને જોખમી માર્ગ અકસ્માત વિશે સમાચાર નહીં આવ્યા હોય. આવા અકસ્માતોનું સૌથી સામાન્ય કારણ રોડ શિસ્ત અને રસ્તા પરના નિયમોનું પાલન ન કરવું છે.

એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીભર્યા ડ્રાઈવિંગ (Driving) અને ખતરનાક માર્ગ અકસ્માતો વિશે તમે સાંભળ્યું નહીં હોય. આ મામલે કેટલાક બેદરકાર બાઈકર્સ અને ડ્રાઈવરોનો પણ દોષ છે જેઓ જાણી જોઈને સલામતીના નિયમોનો ભંગ કરે છે અને તેમના અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ત્વરિત કાર્યવાહીથી કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય છે.

માર્ગ અકસ્માતમાં બે લોકોનો આબાદ બચાવ થયો  :

માત્ર બે સેકન્ડના વિલંબથી વ્યક્તિનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આ વાયરલ વીડિયોને @HasnaZarooriHai નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે અને અત્યાર સુધીમાં 70,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યસ્ત રોડ પર રસ્તાની બાજુમાં બે મિત્રો વાત કરતા સીધા ચાલી રહ્યા છે. થોડીક સેકન્ડો પછી પસાર થતી એક ટ્રક અથડાઈ અને કન્ટેનર આ બે માણસો પર પડવાનું હતું. જો કે, એક વ્યક્તિએ પોતાનો તો જીવ બચાવ્યો સાથે સાથે તેની સાથે ચાલતા વ્યક્તિનો પણ જીવ બચાવી લીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ વધુને વધુ વાયરલ થયો હતો. અત્યાર સુધી તેને લગભગ 78,000 વાર જોવામાં આવી છે. કોમેન્ટ બોક્સમાં નેટીઝન્સે માણસની ઝડપી અને સ્માર્ટ વિચાર માટે પ્રશંસા કરી. વાયરલ ફૂટેજ પર ઈન્ટરનેટે કેવી પ્રતિક્રિયા આપી તે અહીં છે.

એક યુઝરે લખ્યું, “વાહ! મને એ ગમ્યું કે પોતે ખુદ શોકમાં આવ્યા પછી પણ બંને ડ્રાઈવરને મદદ કરવા દોડ્યા. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, “મૃત્યુ અને જીવન સર્વશક્તિમાનના હાથમાં છે!” ત્રીજા યુઝરે લખ્યું કે, આવા મિત્રોને સલામ. આ વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

Recruitment 2023 : ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં છે નોકરીની બેસ્ટ તક, આ દિવસ પહેલાં કરી લો અરજી

0

Recruitment 2023

  • ​​OIL Recruitment 2023 : આ ભરતી અભિયાન દ્વારા 187 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઈટની મુલાકાત લઈને 25 એપ્રિલ પહેલાં અરજી કરી શકે છે.

તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડે (Oil India Limited) ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો અધિકૃત સાઈટ oil-india.com પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ (Candidates) આ ઝુંબેશ માટે છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 પહેલા અરજી કરવી જોઈએ.

આ ભરતી અભિયાન દ્વારા ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 187 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેડ 3ની 134 જગ્યાઓ, ગ્રેડ 5ની 43 જગ્યાઓ અને ગ્રેડ 7ની 10 જગ્યાઓ સામેલ છે. જે ઉમેદવારો આ ઝુંબેશ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર સૂચના દ્વારા પાત્રતા ચકાસી શકે છે.

​​OIL Recruitment 2023 : પસંદગી આ રીતે થશે :

પસંદગી પ્રક્રિયામાં કોમ્પ્યુટર-આધારિત કસોટીનો સમાવેશ થશે. જેમાં લાયકાત ગુણ SC/ST/બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (જ્યાં આરક્ષણ લાગુ હોય ત્યાં) માટે ઓછામાં ઓછા 40% ગુણ અને અન્યો માટે ઓછામાં ઓછા 50% ગુણ હશે. કોમ્પ્યુટર આધારિત કસોટીમાં કોઈ નેગેટીવ માર્કિંગ રહેશે નહીં. અંતિમ પસંદગી માત્ર CBTમાં મેળવેલા ગુણના આધારે મેરિટના ક્રમમાં કરવામાં આવશે.

OIL Recruitment 2023 : અરજી ફી આટલી ચૂકવવી પડશે

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. સામાન્ય/ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ભરતી ઝુંબેશ માટે રૂ. 200 ફી ચૂકવવાની રહેશે.જ્યારે SC/ST/EWS/બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને ઓનલાઇન અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઈન મોડ, ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ દ્વારા ઝુંબેશ માટે ચૂકવણી કરી શકે છે.

ઓઈલ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 :

ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 28 માર્ચ 2023
ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2023

આ પણ વાંચો :-

આડેધડ મોબાઈલ કાઢી QR કોડ સ્કેન ના કરી લો, આ ભૂલ તમારું એકાઉન્ટ ખાલી કરી દેશે

Don’t take out your mobile and scan

  • QR code scan scam : આજના ડિજિટલ યુગમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થાય છે. જો તમે પણ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો. તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરનારા લોકોની કમી નથી માત્ર એક ક્લિક અને મની ટ્રાન્સફર. પરંતુ QR કોડ દ્વારા પૈસાની લેવડદેવડ કરવી જેટલી સરળ છે. તેનો સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ. બદલાતા સમય સાથે લગભગ દરેક વ્યક્તિ પોતાનો સમય બચાવવાનો પ્રયાસ કરે છે અને ડિજિટલ પેમેન્ટ (Digital Payment) દ્વારા ઘણો સમય પણ બચે છે.

આજના ડિજિટલ યુગમાં પેમેન્ટ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. બિલની ચુકવણી, સામાનની ખરીદી અથવા ઓટો-કેબ સહિતની તમામ બાબતો માટે તમે QR કોડ સ્કેન (QR code scan) કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો.

જો તમે પણ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આવું નહીં કરો તો તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે. આજના ડિજિટલ યુગમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થાય છે. આજના સમયમાં, લોકોએ તેમના ખિસ્સામાં રોકડ રાખવાનું બંધ કરી દીધું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે.

Paytm અને Google Pay જેવી તમામ એપ્સ સાથે તમે તમારા સ્માર્ટફોનમાંથી માત્ર QR કોડ સ્કેન કરીને ગમે ત્યાં પેમેન્ટ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે આ રીતે કોડ સ્કેન કરવાથી તમે પેમેન્ટ કરતી વખતે પણ પૈસા ગુમાવી શકો છો? આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે QR કોડ સ્કેન કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

કઈ વેબસાઈટ QR કોડ લઈ રહી છે તેની નોંધ કરો :

QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરતી વખતે, કેટલીકવાર કોડ તમને અન્ય વેબસાઈટ પર લઈ જાય છે. આ વેબસાઈટ પર કંઈપણ કરતા પહેલા ચોક્કસપણે URL વાંચો કારણ કે કૌભાંડો સમાન માધ્યમો દ્વારા કરવામાં આવે છે.

QR કોડથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં

જો ક્યારેય QR કોડ સ્કેન કરવાથી તમે કોઈ એપ ડાઉનલોડ કરવા માટે કોઈ લિંક પર લઈ જાઓ છો, તો સાવચેત રહો અને એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર સિવાય કોઈપણ જગ્યાએથી કોઈપણ એપ ડાઉનલોડ કરશો નહીં.

મેલમાં આવેલ QR કોડથી બચો :

ઘણી વખત હેકર્સ તમારા મેઈલમાં ક્યૂઆર કોડ પણ મોકલી દે છે કે જો પેમેન્ટ ફેલ થઈ ગયું હોય તો અહીંથી પૂર્ણ કરો. આવા મેઇલ્સને ટાળો અને તેમાં આવતા QR કોડને સ્કેન ન કરો.

આ પણ વાંચો :-