Home Blog Page 1131

‘પાટીદારો ડોલર કમાવવામાં શૂરા’, આ મહેણું ગુજરાતી યુવકે USમાં ભાગ્યું !

Patidars start earning dollars

  • બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

ફરી એકવાર એક ગુજરાતના (Gujarat) યુવાને ગુજરાતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે. બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન (Hydrogen) વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં (Air pollution) મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

અમેરિકાના (America) લોસ એન્જેલસ શહેરમાં ત્રીજી માર્ચે એક ઐતિહાસિક ઘટના બની અને દુનિયામાં પ્રથમ વાર હાઈડ્રોજન ઇંધણથી વિમાન ચલાવવામાં આવ્યું અને આ સફળ પરીક્ષણ કર્યું. અમેરિકાની યુનિવર્સલ હાઈડ્રોજન કંપનીએ (Universal Hydrogen Company) અને આ વિમાન બનાવનાર કંપનીમાં કામ કરતી ટીમનો લીડર હતો એક ગુજરાતી.

જી હા ફેનિલ પટેલ નામનો મૂળ મહુવા તાલુકાના અનાવલ ગામનો પરંતુ બારડોલીમાં (Bardoli) પરિવાર સાથે રહેતો યુવાન વર્ષ 2015માં અમેરિકાની ધરતી પર પગ મુકનાર ફેનિલ પટેલ ખુબ જ સ્વછંદી યુવાન છે. પહેલેથી જ કંઇક કરી બતાવવાનો અને દેશને ગૌરવ અપાવવાનો અભિગમ હતો.

No description available.

કંપની ઘણા સમયથી હાઈડ્રોજન વિમાન બનાવવાનો વિચાર કરી રહી હતી અને આખરે કંપનીને વિમાન બનાવવામાં સફળતા પણ મળી. ફેનિલ પટેલની આગેવાનીમાં કંપનીએ એક હાઈડ્રોજન અને પેટ્રોલ બંનેથી ચાલતું એક વિમાન બનાવી લીધું અને ફેનીલના જન્મ દિવસે 3જી માર્ચના રોજ સફળ પરીક્ષણ પણ કરી લીધું. પરીક્ષણ બાદ હાલ આ વિમાન ટુંકા અંતર માટે બનવવામાં આવશે. હાઈડ્રોજનથી ચાલતા વિમાનથી વાયુ પ્રદુષણથી દુનિયાને ચોક્કસ ફાયદો થશે.

ગુજરાતીઓએ હંમેશા દેશમાં કે વિદેશમાં દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે અને પોતાની પ્રતિભા થાકી દેશ અને દુનિયામાં ડંકો વગાડતા આવ્યા છે. આવી જ રીતે ગુજરાતના એક ગામડાના નવ યુવાને વધુ એક વખત ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. હાઈડ્રોજનને ઇંધણ તરીકે વાપરવું એ દુનિયાના દરેક દેશનું સ્વપ્ન છે. અને દુનિયાના દેશો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકાની જે કંપનીને સફળતા મળી છે એ તેમાં મહદઅંશે ફાળો એક ગુજરાતીનો છે. ત્યારે દેશ સાથે સાથે પરિવારને પણ એટલો જ ગર્વ આ નવયુવાન પર છે.

ફેનિલ જેવા યુવાનો દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે છે ત્યારે આવા યુવાનો અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોઈ છે. ફેનિલ એ મેળવેલી સિદ્ધિ કોઈ નાની મોટી સિદ્ધિ નથી જયારે પણ ભવિષ્યમાં પ્રથમ હાઈડ્રોજન વિમાનની વાત થશે ત્યારે ગુજરાતના આ નવયુવાનનું નામ લોકોની જુબાને હશે. ત્યારે જેને નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી એવા ફેનીલના ભત્રીજા માટે પણ ફેનિલ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.

આ પણ વાંચો :-

Radio Device : આ ડીવાઈસથી તમે 6 કિલોમીટર દૂર સુધી કરી શકશો વાતચીત ! રિચાર્જ કરવાની પણ જરૂર નથી

Radio Device 

  • Radio Device : જો તમે દૂર-દૂરના વિસ્તારમાં જઈ રહ્યા છો અને ત્યા નેટવર્ક પ્રોબ્લેમ હોય તો આ તમારા માટે એક બેસ્ટ કમ્યુનીકેશન ડીવાઈસ સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે નેટવર્કની ચિંતા કર્યા વિના સરળતાથી એકબીજા સાથે વાત કરી શકો છો.

Communication Device : જ્યારે તમે કામના સંબંધમાં અથવા કોઈ પ્રવાસના સંબંધમાં દૂર-દૂરના વિસ્તારોમાં જાઓ છો. ત્યારે તમને વારંવાર કોલ (Call) કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું કારણ ખરાબ નેટવર્ક છે. ખરેખર નેટવર્કના અભાવે તમે કોલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં બજારમાં ઉપલબ્ધ એક સસ્તું ડીવાઈસ (Affordable Device) તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે.

આ ઉપકરણને કારણે તમે સરળતાથી રિચાર્જ કર્યા વિના અને નેટવર્ક ટેન્શન વિના વાત કરી શકો છો અને તેની કિંમત એટલી ઓછી છે કે જેનો તમને વીશ્વાસ પણ નહીં થાય. જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને આ ડીવાઈસ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ…

આ ડીવાઈસ શું છે?

અમે તમને જે ડીવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ Baofeng BF-888S Walkie Talkie Two Way Radio 16CH 400-470MHZ Long Range WT01 Walkie Talkie છે અને તે વાસ્તવમાં એક રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસ છે.

આ ઉપકરણનો ઉપયોગ કરીને તમે 6 કિમીની રેન્જમાં કોઈપણ વ્યક્તિ સાથે સરળતાથી વાત કરી શકો છો. શરત માત્ર એટલી કે વાત કરનાર વ્યક્તિ પાસે પણ આ વોકી-ટોકી હોવી જોઈએ. આ વોકી-ટોકી ફ્લિપકાર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ ખરીદવું તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જાય છે.

જો આપણે આ વોકી-ટોકીની કિંમત વિશે વાત કરીએ તો ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ પરથી માત્ર 1,829 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત કોઈપણ સસ્તા ફીચર ફોન કરતા ઘણી કે ઓછી છે. જો તમે એડવેંચરના શોખીન છો તો તમારા માટે વોકી-ટોકી એક પરફેક્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

લખીને લઈ લો 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે…. આ મોટા નેતાએ કર્યો દાવો

0

Write it down PM Modi’s chair 

  • Tej Pratap Statement on PM Modi : મીડિયા સાથે વાત કરતા આ મોટા નેતાએ કહ્યું છે કે, ‘ભાજપનો આખા દેશમાંથી સફાયો થવો નિશ્ચિત છે. આ મારી ભવિષ્યવાણી છે કે નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં જે સિંહાસન પર બેઠા છે તે હલી જશે. મારા શબ્દો યાદ રાખજો..

બિહારના પર્યાવરણ મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના (Lalu Prasad) મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે દેશની રાજનીતિને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) જે સિંહાસન પર બેઠા છે તે સિંહાસન હલી જવાનું છે અને આવું થશે.

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના કેબિનેટ મંત્રી તેજ પ્રતાપે આગાહી કરી છે કે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં (Defamation cases) દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 2024માં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખુરશી પર બેસી રહ્યાં છે તે હલી જશે.

આરજેડી નેતા અને રાજ્યના પર્યાવરણ મંત્રીએ કહ્યું, ‘ભાજપ જાણે છે કે 2024માં તેમનો કેન્દ્રમાંથી સફાયો થઈ જશે. હું આગાહી કરી રહ્યો છું કે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી હલી જશે.

દેશમાં ભાજપની તાનાશાહી :

તેજ પ્રતાપે કહ્યું કે ભાજપે દેશમાં સરમુખત્યારશાહીનો વિકલ્પ પસંદ કર્યો છે. જે રીતે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે તદ્દન ખોટું છે. ભાજપ તમામ વિપક્ષી નેતાઓની પાછળ પડી છે, પરંતુ જનતા તેમને યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપશે. લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપ અમારા પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી રહી છે અને પીછો કરી રહી છે.

તેઓ વિપક્ષી એકતાથી ડરે છે અને તેથી તેઓ વિપક્ષી છાવણીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદે કહ્યું કે, ભાજપ વિપક્ષી એકતાથી ડરે છે. તે જાણે છે કે 2024માં તેને સત્તા પરથી હટાવવામાં આવશે. એટલા માટે તેઓ રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

આ પણ વાંચો :-

Former Cuban President : એક કે બે નહીં 35 હજાર મહિલાઓ સાથે સંબંધો ધરાવતા હતા આ રાષ્ટ્રપતિ !

Former Cuban President
  • ફિદેલ કાસ્ત્રો (Fidel Castro)પોતાના દુશ્મનોની વિચારસણી કરતાં 2 ડગલાં આગળ રહેતા હતા. એકવાર તો ફિદેલ કાસ્ત્રોને મારવા માટે એક મહિલા તેમની ગર્લફ્રેન્ડ બની પરંતુ તે સફળ થઈ નહી. આવો ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro)ના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા વિશે જાણીએ.

દુનિયામાં એક એવા રાષ્ટ્રપતિ (President) પણ છે જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ હતા. આ ઉપરાંત તેમને 600 થી વધુ વખત મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પરંતુ દરેક વખતે બચી ગયા. દુશ્મન તેમનું કશું જ બગાડી શક્યા નહી. આ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ક્યૂબા (Cuba)ના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro) હતા.

ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોએ હંમેશા અમેરિકાની નીતિઓનો વિરોધ કર્યો. એટલું જ નહી તેમણે અમેરિકી રાષ્ટ્ર્પતિઓની મજાક પણ ઉડાવી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને લાંબા સમય સુધી ફિદેલ કાસ્ત્રોને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ હંમેશા ફેલ રહી.

ફિદેલ કાસ્ત્રો પર 600થી વધુ વખત હુમલા નિષ્ફળ રહ્યા. ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રી મહિલાઓ સાથે તેમના સંબંધ અને તેમની ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે. દુશ્મનોએ તેમને ઝેરી સિગરેટથી માંડીને વિસ્ફોટક સિગરેટ સુધી ન જાણે કેટલા મારવાના પ્રયત્નો કર્યા પરંતુ તે ક્યારેય સફળ રહ્યા નહી.

તમને જણાવી દઈએ કે ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926 મના રોજ ક્યૂબાના બિરાનમાં થયો હતો. તખ્તાપલટ કરીને ફિદેલ કાસ્ત્રોના હાથમાં ક્યૂબાની સત્તા આવી હતી. ફિદેલ કાસ્ત્રોને ક્મ્યુનિસ્ટ ક્યૂબાના જનક કહેવામાં આવે છે. વર્ષ 1959 માં ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં તખ્તાપલટ કર્યું હતું. ત્યારબાદથી તે સતત 2008 સુધી શાસન કરતા રહ્યા.

ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજારથી વધુ મહિલાઓ સાથે સંબંધ હતા. આ સિલસિલો લગભગ 4 દાયકા સુધી ચાલતો રહ્યો. ફિદેલ કાસ્ત્રો પોતાની તાનાશાહી માટે જાણિતા હતા. લગભગ 49 વર્ષ સુધી તેમણે ક્યૂબા પર રાજ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોને સત્તાની ચાવી પોતાના ભાઈને સોંપી દીધી હતી. 90 વર્ષની ઉંમરમાં 25 નવેમ્બરના દિવસે તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો :-

Sushmita Work : હાર્ટ સર્જરીથી રિક્વરી બાદ કામ પર પરત ફરી Sushmita Sen

Sushmita Work

  • ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો.

Sushmita Sen Back On Work : બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને (Sushmita Sen) તાજેતરમાં જ હ્રદય રોગનો (Heart disease) હુમલો આવ્યો હતો અને તેની સર્જરી પણ થઈ હતી. વળી રિક્વરી બાદ હવે એક્ટ્રેસ કામ પર પરત ફરી છે. ગુરુવારે રાત્રે સુષ્મિતા સેનને મુંબઈમાં એક ડબિંગ સ્ટૂડિયોની (Dubbing studio) બહાર જોવામાં આવી હતી. એક્ટ્રેસે આ દરમિયાન પૈપરાજી માટે સ્માઈલ સાથે જબરદસ્ત પોઝ પણ આપ્યા હતા.

હાર્ટ એટેકથી રિક્વરી બાદ કામ પર પરત ફરી સુષ્મિતા સેન :

સુષ્મિતા સેન તાજેતરમાં જ પોતાની હિટ વેબ સીરીઝ ’આર્યા’ની અપકમિંગ સિઝન અને ફિલ્મ ‘તાલી’ના શૂટિંગમાં બિઝી છે. ‘તાલી’ ટ્રાન્સવૂમન ગૌરી સાવંતની બાયોપિક છે અને આમાં સુષ્મિતા સેન લીડ રોલમાં છે. ગુરુવારે મોડી રાત્રે સુષ્મિતા સેને આ પ્રોજેક્ટ માટે એક ડબિંગ સ્ટૂડિયોમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે નેવી બ્લૂ ટોપ અને સ્કાય બ્લૂ પેન્ટ પહેરીને હંમેશાની જેમ એકદમ સુંદર લાગી રહી છે. તેને ખુલ્લા વાળ અને કૂલ શેડસની સાથે પોતાની ઓવરઓલ સ્ટાઈલિશ લૂકને કમ્પલેટ કર્યો હતો.

ઠીક થયા બાદ સુષ્મિતા સેનએ રેમ્પ વોક કર્યુ હતું  :

સુષ્મિતા સેનને તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેને સ્ટેન્ટ પણ લગાવવામાં આવ્યું હતું. ઠીક થયા બાદ એક્ટ્રેસે આ મહિનાની શરૂઆતમાં એક ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યુ હતું. સુષ્મિતા સેન યલો કલરના લેંઘામાં એકદમ સુંદર લાગી રહી હતી અને રેમ્પ પર વોક કરતાં તેને પોતાની સ્માઈલથી ફેન્સનું દિલ જીતી લીધુ હતું.

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો. તે સમયે ફેન્સને અચાનક શોક્ડ લાગી ગયો હતો. બાદમાં એક્ટ્રેસની એન્જિન્યોપ્લાસ્ટી થઇ હતી અને આ તમામ વાત તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ પણ વાંચો :-

આ છે દેશના સૌથી ચર્ચિત માનહાનિ કેસ, જેમાં નેતાઓએ માંગી માફી બચાવી પોતાની ખુરશી

0

This is the most talked about defamation

  • India’s most talked Defamation Cases : દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી લીધી હતી.

હાલમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ થયેલા માનહાનિના કેસની (Defamation cases) ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાર વર્ષ જૂના આ કેસમાં દોશી સાબિત થતા રાહુલ ગાંધીને સજા પણ ફટકારવામાં આવી છે અને તેની સદસ્યતા પણ રદ થઈ ગઈ છે. જો કે દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.

પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી અને પોતાની ખુરશી બચાવી લીધી હતી. તો ચાલો તમને જણાવીએ દેશના એવા ચર્ચિત મનહાની કેસ વિશે જેમાં નેતાઓએ પોતાની ખુરશી બચાવવા માટે માફી માંગવી પડી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ :

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પૂર્વ નેતા આશુતોષ પર ભાજપના નેતા અરુણ જેટલીએ વર્ષ 2015માં 10 કરોડ રૂપિયાનો માનહની નો કેસ કર્યો હતો. આ કેસના ત્રણ વર્ષ પછી 2018માં અરવિંદ કેજરીવાલે આ કેસ બતાવવા માટે લેખિતમાં માફી માંગી હતી. અન્ય એક મામલે અરવિંદ કેજરીવાલ નીતિન ગડકરી અને કપિલ સિબલની માફી પણ માંગી ચૂક્યા છે.

દિગ્વિજય સિંહ :

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને ઉમા ભારતી વચ્ચેનો માનહનીનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2003 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉમા ભારતીય આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજયસિંહ જ્યારે સીએમ હતા ત્યારે તેમણે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જોકે આ મામલે પછી તેમણે માફી માંગવી પડી હતી.

અરવિંદ કેજરીવાલ :

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે વખત મનહાનિના કેસનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2013માં એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લઈને તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ મામલે શીલા દીક્ષિતના રાજનીતિ સચિવ પવન ખેડાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપરાધિક માનહાનીનો કેસ નોંધાવ્યો હતો.

લાલુ પ્રસાદ યાદવ :

વર્ષ 2013 માં આરજેડી પ્રમુખ લાલુ યાદવ વિરોધ જેડીયુ નેતાએ માનહાની નો કેસ નોંધાવ્યો હતો. લાલુ યાદવે 15 મેના રોજ પટનામાં એક રેલીને સંબોધિત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, સંજયસિંહ અને સંજય ઝાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે લાલુપ્રસાદ યાદવને માફી માંગવી પડી હતી.

આ પણ વાંચો :-

કેંદ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, DAમાં કર્યો આટલાં ટકાનો વધારો

0

Modi government

  • કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેંદ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે.

કેંદ્રીય કર્મચારીઓ (Central Staff) અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.  કેંદ્ર સરકારે  કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) ચાર ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થામાં હવે 38 ટકાના બદલે 42 ટકા  કરી દેવામાં આવ્યા છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે કેંદ્ર સરકારે કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત આપી છે.

મોદી સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. દર વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે જેથી તેમને મોંઘવારીથી રાહત મળી શકે.

38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યું

કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વર્તમાન 38 ટકાથી ચાર ટકા વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જારી કરાયેલ ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે.

મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગુ ગણવામાં આવશે :

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્શનરોના મોંઘવારી રાહતનો નિર્ણય 1 જાન્યુઆરી, 2023થી લાગુ ગણવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાના નિર્ણય બાદ સરકારની તિજોરી પર વાર્ષિક 12,815.60 કરોડનો બોજ પડશે. આ નિર્ણયથી 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

આ વધારો 7મા પગાર પંચની ભલામણોના આધારે નક્કી કરાયેલ ફોર્મ્યુલાના આધારે કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે મોંઘવારી રાહતમાં વર્ષમાં બે વાર સમીક્ષા કરીને વધારો કરે છે.

આ પણ વાંચો :-

મોબાઈલની જીદે ચડેલી બાળકી અડધીરાત્રે ઘરેથી નીકળી, હોટલમાં રૂમ રાખવા ગઈને

The girl, who is obsessed with her mobile phone

  • ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

ઘોરણ 5માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ (Misdemeanor) થયાની ઘટના સામે આવી છે. પિતાએ મોબાઇલ લઈ દેવાની ના પાડતા સગીરા ઘર છોડીને રાત્રીનાં સમયે નિકળી ગઈ હતી. રાજકોટની નામાંકિત હોટલ કે.કે.નાં કર્મચારી સગીરાને તિલક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગાંધીગ્રામ (Gandhigram) પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

આ ઘટનામાં સંડોવાયેલા આરોપીનું નામ ગૌતમ ચુડાસમા છે. ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પો

લીસનાં કહેવા મુજબ સગીરાનાં પિતાએ મોટાભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ દીધા હતા. જેથી સગીરાએ મોબાઈલની લેવાની જીદ પકડી હતી. પિતાએ ના પાડતા મોડીરાત્રે ઘરમાંથી એકટીવા અને પિતાનો મોબાઈલ લઈને નીકળી ગઈ હતી.

ઘરેથી નીકળ્યા બાદ ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકીએ રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર ચક્કર લગાવ્યા બાદ કાલાવડ રોડ પર આવેલી કે.કે.હોટલમાં રૂમ બુકીંગ માટે પ્રયાસ કર્યા હતાં. હોટલના મેનેજરે રૂમ આપવાની ના પાડી દીધી હતી. હોટલનાં કર્મચારી ગૌતમ ચુડાસમા સગીરાને ઓળખતો હતો. જેથી તેને અન્ય હોટલમાં રૂમ અપાવશે તેવી લાલચ આપી હતી અને સગીરાને માલવીયા ચોકમાં આવેલી તીલક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો :-

Jaya Kishori ની ખૂબ સુરતી સામે દીપિકા-કેટરિના જેવી સુંદરીઓ પણ ફેલ, જોઈ લો તસવીરો

0

Beauties like Deepika-Katrina

  • Jaya Kishori : સુંદર શરીર અને સ્વચ્છ મનની માલકિન જયા કિશોરીને કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની સાદગી અને સુંદરતાના દિવાના છે.

તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થાય છે. તમે પણ જોઈ શકો છો જયા કિશોરીની સુંદર તસવીરો જેને જોઈને તમે પણ ખોવાઈ જશો. જે યુગમાં છોકરીઓ ગ્રૂમિંગ (Grooming) પર વધુ ધ્યાન આપે છે. એ ઉંમરે જયા કિશોરીએ (Jaya Kishori) ભગવાનની ભક્તિમાં પોતાની જાતને બદલી લીધી છે.

જયા કિશોરી એક પ્રખ્યાત વાર્તાકાર, પ્રેરક વક્તા અને ભજન ગાયિકા છે જેનું નામ હેડલાઇન્સમાં રહે છે. તે ઘણીવાર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમને આજના યુગની મીરાબાઈ પણ કહે છે.

Jaya kishori twitter handle gets blue tick motivational speaker shares good  news | Jaya Kishori: जया किशोरी ने फैंस को दी गुड न्यूज, एक को थैंक्यू भी  कहा, वजह जानकर खुश हो

બહુ ઓછા લોકો જાણે છે કે જયા કિશોરીનું અસલી નામ જયા શર્મા છે. તેમનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના સુજાનગઢ ગામમાં થયો હતો. લોકો તેમની વાતો ધ્યાનથી સાંભળતા નથી પરંતુ જયાજીની સાદગીના પણ દિવાના છે.

જયા કિશોરીની માતાનું નામ ગીતા દેવી હરિતપાલ અને પિતાનું નામ શિવશંકર શર્મા છે. જયા શર્માને ચેતના શર્મા નામની એક નાની બહેન પણ છે.

જયા કિશોરીએ બી.કોમના અભ્યાસની સાથે આધ્યાત્મિકતામાં પોતાનું મન સમર્પિત કર્યું હતું. જોકે, જયા કિશોરીની આધ્યાત્મિક યાત્રા 6-7 વર્ષની નાની ઉંમરે જ શરૂ થઈ ગઈ હતી.

Jaya kishori twitter handle gets blue tick motivational speaker shares good  news | Jaya Kishori: जया किशोरी ने फैंस को दी गुड न्यूज, एक को थैंक्यू भी  कहा, वजह जानकर खुश हो

જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે જયા કુશોરીને વર્ષ 2016માં આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય વર્ષ 2019માં આયોજિત ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ સર્વેમાં તેમને યુથ આઈકોન કહેવામાં આવ્યા હતા.

આ પછી જયા કિશોરીને વર્ષ 2021 માં મોટિવેશનલ સ્પીકર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. 27 વર્ષની જયા કિશોરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5.4 મિલિયન ફોલોઅર્સ છે.

આ પણ વાંચો :-