Home Blog Page 1122

900 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યો છે Redmi Note 12 5G ! માત્ર આ યૂઝર્સને મળશે લાભ

Redmi Note 12 5G is being
  • Xiaomi Fan Festival દરમિયાન Redmi Note 12 5G ને ખુબ સસ્તા ભાવ પર ખરીદી શકાય છે. જાણો તમે કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ.

Xiaomi Fan Festival નો આજે ત્રીજો દિવસ છે. આજે પણ ઘણા ફોન સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે. આ સેલ માત્ર કંપનીની વેબસાઇટ પર જ નહીં પરંતુ એમેઝોન (Amazon) પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અહીંથી તમને Redmi Note 12 5G ને ખુબ સસ્તી કિંમતે ખરીદી શકાશે. તેને તમે બધી ઓફર્સ બાદ માત્ર 900 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે આ ફોનને ખરીદવા ઈચ્છો છો તો અમે તમને આ ઓફર વિશે જણાવી રહ્યાં છીએ.

Redmi Note 12 5Gની કિંમત :

આ ફોનના 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 19999 રૂપિયાની જગ્યાએ 17999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. અહીં અમે તમને Amazon પર મળી રહેલી ઓફર્સની જાણકારી આપી રહ્યાં છીએ.

બેન્ક ઓફર્સ અને EMI :

આ ફોનને ખરીદવા માટે ICICI બેન્ક કાર્ડનું પેમેન્ટ કરવા પર 1000 રૂપિયા સુધીનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો HSBC Cashback કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. EMI ની સાથે ફોન ખરીદવા પર તમારે દર મહિને 860 રૂપિયા આપવા પડશે. આ સાથે No Cost EMI નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

એક્સચેન્જ ઓફર :

જો તમે જૂના ફોનને એક્સચેન્જ કરાવી શકો છો તો તમને 17099 રૂપિયા સુધીનું ઓફ આપવામાં આવશે. આ પૂરુ એક્સચેન્જ વેલ્યૂ મળવા પર તમને ફોન માત્ર 900 રૂપિયામાં મળી જશે.

આ પણ વાંચો :-

Allu Arjun Birthday : અલ્લુ અર્જુનની આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ એક જ નજરે

Allu Arjun Birthday
  • સાઉથનો સુપરસ્ટાર ‘પુષ્પા રાજ’ એટલે કે અલ્લુ અર્જુન 8મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે જ તેઓ કેવા પ્રકારની જીવનશૈલી જીવે છે.

અલ્લુ અર્જુન (Allu Arjun) ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. ‘પુષ્પા‘ પછી હવે તેને દેશભરમાં મજબૂત ફેન ફોલોઈંગ મળી ગયું છે. તમે જાણો છો કે તે કેવી રીતે ફિલ્મોમાં આવ્યો. કઈ ફિલ્મોમાં આવ્યો, પરંતુ શું તમે જાણો છો કે તે કરોડોની સંપત્તિના માલિક છે? તે દર મહિને કેટલી કમાણી કરે છે? તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે?

શું તમે જાણો છો કે તેમની પાસે હૈદરાબાદમાં (Hyderabad) 100 કરોડનું આલિશાન ઘર પણ છે! 8મી એપ્રિલે પોતાનો 41મો જન્મદિવસ ઉજવનાર અલ્લુ અર્જુનની (Allu Arjun) નેટવર્થ, મોંઘી કાર, પ્રોપર્ટી, પગારનો સંગ્રહ… અહીં બધું જાણો. આ સાથે અમે તમને અલ્લુના બે અદ્ભુત ગુણો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે ભાગ્યે જ જાણતા હોવ.

અલ્લુ અર્જુનની નેટ વર્થ :

માહિતી અનુસાર વર્ષ 2023માં અલ્લુ અર્જુન (Allu Arjun Networth)ની કુલ સંપત્તિ 370 કરોડથી વધુ છે. તેમની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે. તે દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તેણે વર્ષ 1985 માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2003માં તેણે ‘ગંગોત્રી‘થી ડેબ્યૂ કર્યું હતું.

અલ્લુ અર્જુન ફી :

અલ્લુ અર્જુન (Allu Arjun Per Movie Fee) તેની મોટાભાગની કમાણી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. તેઓ હૈદરાબાદમાં આવેલી ‘300 જ્યુબિલી’ નાઈટ ક્લબના પણ માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીજી બાજુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો તે તેના માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મોંઘીદાટ કારોનું કલેક્શન પણ છે.

અલ્લુ અર્જુન પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તેની પાસે લગભગ 2.5 કરોડની રેન્જ રોવર વોગ છે. 7 કરોડની વેનિટી વાન છે. આ સિવાય BMW X5 80 લાખ રૂપિયામાં, Jaguar XJL રૂપિયા 1.20 કરોડ, Audi A7 રૂપિયા 86 લાખ છે. ઘર અને નાઇટ ક્લબ ઉપરાંત હૈદરાબાદમાં તેની ઓફિસ પણ છે.

અલ્લુ અર્જુનના ખાસ 2 ગુણો :

અલ્લુ અર્જુન એક બહેતરીન અભિનેતા છે. આ વાત બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે અલ્લુ ખૂબ જ સારો ડાન્સર પણ છે. હા, તે ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. આ ઉપરાંત તેની બીજી એક ગુણવત્તા છે. તે ચારકોલ કલાકાર પણ છે.

અલ્લુ અર્જુનની પત્ની અને બે બાળકો :

અંગત જીવનની વાત કરીએ તો અલ્લુએ વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો છે – અયાન અને અરહા. અરહા ‘શંકુતલમ‘ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે

0

This A To Z information of Junior Clerk  

  • Junior Clerk Exam Call Letter : પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા લેવામાં આવનાર છે. આવતી કાલે ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો આ જૂનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ગાંધીનગર જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકાર સજજ બની છે.

તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે :

જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે :

આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

દોડશે સ્પેશિયલ ટ્રેન :

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે.

આ પણ વાંચો :-

‘યોગ્ય કપડાં ન પહેરતી છોકરીઓ લાગે છે શૂર્પણખા’, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

0

‘Girls who don’t wear proper

  • બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર નીકળે છે કે થપ્પડ મારવાનું મન થાય.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તેમનો હનુમાન જ્યંતિનો (Hanuman Jyanti) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે. તેમણે કહ્યું કે કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે.

કૈલાશ વિજયવર્ગીયનની વિવાદાસ્પદ ટિપ્પણી :

જે વીડિયોમાં કૈલાશ કહે છે કે હું ક્યારેક જોઉં છું કે, ‘આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું. ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે, બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું.

છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનો સ્વરૂપ જ નથી દેખાતો. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો હું ચિંતિત છું.

આ પણ વાંચો :-

 

Post Office Schemes : આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ

0

Post Office Schemes

  • પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીને તમે નોકરી કર્યા વિના પણ ભવિષ્ય નિધિનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસમાં (Post Office) બચત ખાતું ખોલવા પર તમને 4 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે RD એકાઉન્ટ પર 6.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ :

આ સ્કીમ ખાતાધારકોને 5 વર્ષના સમયગાળામાં મહત્તમ 7.5 ટકા વ્યાજ મળે છે. તે જ સમયે, 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને ત્રણ વર્ષ માટે 7.00 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને  7.4 ટકાના દરે વ્યાજ મેળવી શકો છો. બીજી તરફ વરિષ્ઠ નાગરિક યોજનામાં (Senior Citizen Scheme) વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના :

તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ 8.00 ટકાના દરે વ્યાજનો લાભ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગ્રાહકોને 7.7 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

કિસાન વિકાસ પત્ર યોજના :

કિસાન વિકાસ પત્રમાં, 1 એપ્રિલ, 2023 થી ગ્રાહકોને ચક્રવૃદ્ધિના આધારે 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આમાં રોકાણ કરવાથી કુલ 9 વર્ષ અને 7 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

સરકારે શરૂ કરેલી નવી યોજના મહિલા સન્માન બચત યોજના હેઠળ તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓને કુલ 2 વર્ષમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજના હેઠળ કોઈપણ મહિલા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો :-

કંફ્યૂઝન કરો દૂર ! Indian toilet કે Western toilet બંનેમાંથી કયું સૌથી બેસ્ટ, આ છે જવાબ

Remove the confusion

  • Indian toilet or Western toilet : હવે મોટાભાગના ઘરોમાં અને સાર્વજનિક સ્થળો પર આ તમને જોવા મળશે. ઘરમાં ટોયલેટ સીટ લગાવતાં તમારા મગજમાં એ વિચાર જરૂર આવે છે કે કયુ કમોડ લગાવવું જોઈએ. ઘરમાં ટોયલેટ સીટ લગાવતી વખતે મગજમાં ઈન્ડીયન અથવા વેસ્ટર્ન ટોયલેટને લઈને એક કંફ્યૂજન તો જરૂર રહે છે. આ સમાચાર વાંચ્યા બાદ તમારું કંફ્યૂજન હંમેશા માટે દૂર થઈજશે.

Disadvantage of western toilet : હાલના જમાનામાં ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ (western toilet)નો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. આ ટોયલેટ શીટના ઘણા ફાયદા છે. વેસ્ટર્ન ટોયલેટ ખાસકરીને તે લોકો માટે ખૂબ આરામદાયક હોય છે જેમને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉપયોગ સ્વસ્થ લોકો પણ કરે છે. આવો જાણીએ કે આ પ્રશ્નના જવાબ પર એક્સપર્ટ્સ શું વિચારે છે.

એક્સપર્ટ્સ આ ટોયલેટ સીટને ગણે છે સારી :

1. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરે છે તો તેના પંજાથી લઈને માથા સુધી આખી બોડીને જોર પડે છે પરંતુ વેસ્ટર્ન ટોયલેટમાં આરામદાયક સુવિધા હોય છે જેથી માણસ બિમાર થાય છે.

2. ઈન્ડીયન ટોયલેટમાં પેટ સાફ થવામાં 3 થી 3.5 મિનિટનો સમયનો લાગે છે જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે. ત્યારબાદ પણ તમારું પેટ બરોબર સાફ થતું નથી કારણ કે ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ અને પાચનતંત્ર પર દબાણ પડે છે. તેના લીધે પેટ જલદી સાફ થાય છે.

3. ઈન્ડીયન ટોયલેટની અપેક્સાએ વેસ્ટર્ન ટોયલેટમાં જવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે જેથી પેચિશ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે કારણ કે ટોયલેટ સીટ તમારી સ્કીનના સંપર્કમાં આવે છે અને સ્કીન કોન્ટેક્ટના કારણે કીટાણું તમને બિમાર કરે છે.

4. પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ માટે ઈન્ડીયન ટોયલેટ સારું ગણવામાં આવ્યું છે. તેના લીધે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધે છે. ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.

(Disclaimer : અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.  Gujarat Guardian તેની પુષ્ટિ નથી કરતું)

આ પણ વાંચો :-

મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા

0

A big relief in the midst of inflation

  • CNG Price : મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે.

મોંઘવારીના (Inflation) માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના (PNG) ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે. મહાનગર ગેસે પોતાના લાઈસન્સ્ડ એરિયામાં (Licensed Area) આ કાપ મૂક્યો છે.

એમજીએલએ આ પગલું ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ નેચરલ ગેસના ભાવ નિર્ધારણની નવી સિસ્ટમની જાહેરાત બાદ ઉઠાવ્યું છે. આ જાહેરાત બાદ સરકારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવની પણ જાહેરાત શુક્રવારે કરી. એમજીએલએ ફેબ્રુઆરીમાં પણ સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો કામ મૂક્યો હતો. આમ છતાં સીએનજીના ભાવ એપ્રિલ 2022ની સરખામણીમાં લગભગ 80 ટકા વધુ બનેલા છે.

ગ્રાહકોને થશે ફાયદો :

એમજીએલએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ ગેસના ભાવમાં કાપનો ફાયદો સીએનજી-પીએનજીના ગ્રાહકો સુધી પહોંચાડવાની ખુશી છે. આ  નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં આઠ રૂપિયાનો પ્રતિ કિલો અને પીએનજીમાં પાંચ રૂપિયા પ્રતિ ઘન મીટર સુધીનો કામ કરવામાં આવી રહ્યો છે.

હવે હશે આ ભાવ :

અડધી રાતથી પ્રભાવી થઈ રહેલા આ નિર્ણય બાદ સીએનજી 79 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 49 રૂપિયા પ્રતિ એસસીએમના ભાવ પર મળવા લાગશે. 1 એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા પર હશે. જો કે આ પ્રકારના દર 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે.

દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી 20 ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે.

આ પણ વાંચો :-

Mahindra XUV 400માં છે આ 3 ખામીઓ, ખરીદતા પહેલાં જાણી લો

Mahindra XUV 400 has these

  • મહિન્દ્રા XUV 400 : હાલમાં એસયુવી ગાડીઓનો જમાનો છે. પૈસાદાર હંમેશાં એસયુવી ગાડીને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે.  મહિન્દ્રાએ XUV 400માં 39.4kwh બેટરી પેક આપ્યો છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે (XUV400) એક જ ચાર્જ પર 456 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તે Mahindra XUV300 પર આધારિત છે.

Mahindra XUV400’s Negative Points : મહિન્દ્રાએ XUV400 માં 39.4kwhનો બેટરી પેક આપ્યો છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે (XUV400) એક જ ચાર્જ પર 456 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તે Mahindra XUV300 પર આધારિત છે. તમે તેને XUV300 નું ઈલેક્ટ્રિક વર્ઝન (Electric version) ગણી શકો છો. જો કે તે XUV300 કરતા તે 4.2 મીટર લાંબી છે જ્યારે XUV300 ની લંબાઈ 4 મીટર કરતા ઓછી છે. તે બજારમાં Tata Nexon EV Max સાથે સ્પર્ધા કરે છે. પરંતુ શું XUV 400 પરફેક્ટ છે? ચાલો તમને તેની 3 ખામીઓ વિશે જણાવીએ.

1- જૂની ડિઝાઈન :

જેમ કે અમે કહ્યું કે તે XUV300 પર આધારિત છે. આવી સ્થિતિમાં તેની ડિઝાઈન પણ લગભગ XUV300 જેવી જ છે. જે તમે પહેલાં જોયા હશે. જો કે કેટલાક સ્પેશિફિક ઈલેક્ટ્રિક ડિઝાઈન એલાઈમેન્ટ આપવામાં આવ્યા છે. તેને ઇલેક્ટ્રિક દેખાવા માટે વિવિધ જગ્યાએ કોપર ફિનિશ એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે. આગળનો ભાગ પણ XUV300 થી અલગ છે પરંતુ બાકીનો XUV300 જેવો જ છે.

2- સુવિધાઓનો અભાવ :

XUV400 ખૂબ ફીચર લોડ છે એમ કહી શકાય નહીં. તેમાં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ પણ ઉપલબ્ધ નથી, જ્યારે ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ હવે ઘણી કારમાં ઉપલબ્ધ છે. તે વેન્ટિલેટેડ સીટો પણ નથી જ્યારે તેની હરીફ Tata Nexon EV Maxને વેન્ટિલેટેડ સીટો (ફ્રન્ટ) મળે છે. XUV400 માં વાયરલેસ ચાર્જિંગ પણ ખૂટે છે.

3- પાછળના એસી વેન્ટ્સ :

XUV400ની કિંમત રૂ.15.99 લાખથી શરૂ થાય છે. આટલી કિંમતવાળી કારમાં ઓછામાં ઓછા પાછળના એસી વેન્ટની અપેક્ષા રાખવામાં આવે છે જ્યારે કારને પાછળના એસી વેન્ટ મળતા નથી.

આ છે સારી બાબતો :

એવું નથી કે કારમાં માત્ર ખામીઓ છે ફાયદા પણ છે. તેની મોટર એકદમ પાવરફુલ છે. બેટરી પેક મોટી છે. લંબાઈ 4.2 મીટર છે તેથી કારને વધુ જગ્યા મળે છે. તે સેગમેન્ટમાં શ્રેષ્ઠ બુટ સ્પેસ મેળવે છે.

આ પણ વાંચો :-

ક્યારેય રહેવા માટે ઘર નહોતું, આજે 6 આંકડામાં છે આવક…આવી છે Youtuber અદિતિની કહાની

0

Never had a house to live in

  • પ્રયાગરાજની રહેવાસી અદિતિ અગ્રવાલ આ દિવસોમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. અદિતિના યુટ્યુબ પર લગભગ 70 લાખ સબસ્ક્રાઈબર્સ છે. અદિતિને આ સફળતા 6 વર્ષમાં મળી છે. એક સમય હતો જ્યારે અદિતિના પરિવાર પાસે રહેવા માટે ઘર નહોતું. પરંતુ આજે યૂટ્યૂબે અદિતિને એટલી પ્રસિદ્ધિ અપાવી છે કે તેણે એક ફ્લેટ ખરીદી લીધો છે.

પ્રયાગરાજની (Prayagraj) એક છોકરીની વાર્તા કંઈક આવી છે. ઘણા વર્ષોની મહેનતે તેને આજે એ તબક્કે લાવી દીધી છે કેતેની પાસે પોતાનો ફ્લેટ છે તેમજ લગભગ 70 લાખ ફોલોવર્સ છે. આજે અમે તમને અદિતિ અગ્રવાલ એટલે કે Crafter Aditi ની કહાણી જણાવીશું. જેના કૌશલ્યને YouTube દ્વારા નામ અને ખ્યાતિ મળી છે.

26 વર્ષની અદિતિ થોડા વર્ષો પહેલા જ લખનઉ શિફ્ટ થઈ છે. પહેલા તે પ્રયાગરાજમાં રહેતી હતી. તેણે પ્રયાગરાજની ગર્લ્સ હાઈસ્કૂલમાં અને પછી અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો. પિતાએ ઘણી ખાનગી નોકરીઓ કરી છે. અદિતિનો પરિવાર લગભગ 30 વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હતો. ક્યારેક તે એક રૂમના ફ્લેટમાં તો ક્યારેક બે રૂમના ફ્લેટમાં રહેતો હતો. 2021 માં અદિતિનો પરિવાર લખનૌ આવ્યો અને તેમના ફ્લેટમાં રહેવા લાગ્યો. અદિતિએ આ ફ્લેટ પોતાના પૈસાથી ખરીદ્યો છે.

No description available.

અદિતિની સફર 8મા ધોરણથી થઈ શરૂ 

વાસ્તવમાં અદિતિને નાનપણથી જ કાર્ડ બનાવવાનો શોખ હતો. ધોરણ 8 માં તેણે શિક્ષક દિવસ પર એક કાર્ડ બનાવ્યું. જેને જોઈને શિક્ષકો ખૂબ ખુશ થયા. આનાથી અદિતિને પ્રોત્સાહન મળ્યું અને કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 11મા ધોરણમાં અદિતિને કાર્ડનો ઓર્ડર મળ્યો અને તેના બદલામાં તેને 300 રૂપિયા મળ્યા. આ પ્રથમ આવક હતી. 12મા ધોરણમાં NIFTની પરીક્ષા આપી અને 205 રેન્ક મેળવ્યો. પરંતુ આર્થિક તંગીઓએ તેને કોલેજના થ્રેશોલ્ડ સુધી પહોંચવા દીધી નહીં.

ફેસબુક દ્વારા કાર્ડ વેચવાનું શરૂ કર્યું :

12મા બોર્ડ પછી અદિતિએ કાર્ડ બનાવવા અને વેચવાનું નક્કી કર્યું. 2015 માં તેણીએ ફેસબુક પર અદિતિ કાર્ડ ઝોન નામનું એક પેજ બનાવ્યું અને બીજા જ દિવસે તેને 800 રૂપિયાનો ઓર્ડર મળ્યો. આ પછી તેણે પ્રયાગરાજમાં કાર્ડ વેચવાનું શરૂ કર્યું. ઘણી વખત તે પોતે પણ કાર્ડ પહોંચાડવા જતી હતી. જો કે આ દરમિયાન તેને ઘણા ટોણા સાંભળવા મળ્યા. ઘણી વખત લોકોએ તેને ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું. પરંતુ અદિતિની હિંમત ન તુટી અને તેણે દેશના ઘણા શહેરોમાં કાર્ડ વેચવાનું શરૂ કર્યું.

No description available.

ભણતી વખતે youtube ચેનલ શરુ કરી :

2017માં અદિતિએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેના ગ્રેજ્યુએશન દરમિયાન તે દરરોજ એક વીડિયો અપલોડ કરતી હતી. તેની મોટી બહેન આમાં તેને મદદ કરતી. મોટી બહેન તેના મોબાઈલ ફોનથી વીડિયો રેકોર્ડ કરતી હતી અને તે તેને યુટ્યુબ પર અપલોડ કરતી હતી. જ્યારે 2000 લોકોએ વીડિયો જોયો તો તેને પ્રોત્સાહન મળ્યું. મધર્સ ડે અને ફાધર્સ ડે પર અદિતિએ બનાવેલો કાર્ડ મેકિંગ વીડિયો વાયરલ થયો હતો અને તેને 2 લાખથી વધુ લોકોએ જોયો હતો.

બે વર્ષમાં બે બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો :

2018માં અદિતિની ચેનલને 1 લાખ સબસ્ક્રાઈબર્સ મળ્યા અને 2020 સુધીમાં આ આંકડો 2.60 લાખ સુધી પહોંચી ગયો. અદિતિ જે કાર્ડ્સ ઓનલાઈન વેચતી હતી. તે તેને બનાવવાના વીડિયો અપલોડ કરતી હતી. આ રીતે તે બંને બાજુથી કમાતી હતી. દરમિયાન અદિતિએ ઘર ખરીદવાનો પ્લાન બનાવ્યો. 2020માં જ અદિતિએ લખનૌમાં બે બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો હતો. પરંતુ શિફ્ટ થાય તે પહેલા જ કોરોનાનું મોજું આવી ગયું હતું. ઘર ખરીદતી વખતે તે ભાગી ગઈ અને ચેનલનો ગ્રોથ અટકી ગયો.

માત્ર 15 દિવસમાં 10 લાખ સબ્સ્ક્રાઈબર્સ :

અદિતિની ચેનલ પણ કોરોના વેવ દરમિયાન સ્થગિત થઈ ગઈ હતી. 2.60 લાખ સબસ્ક્રાઈબર હતા જે 2.54 લાખ થયા. જ્યારે વીડિયો અપલોડ કરવામાં આવ્યો ત્યારે કોઈ જોઈ રહ્યું ન હતું. આ પછી તે ડિપ્રેશનમાં જતી રહી. અને પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. તેના માતા-પિતાના કહેવાથી તે મિત્રો સાથે ફરવા પણ ગઈ હતી, પરંતુ પરત આવતા જ તે ઉદાસ થઈ ગઈ હતી. માતાએ ફરીથી પ્રોત્સાહન આપ્યું અને એકવાર અદિતિએ દરરોજ વીડિયો અપલોડ કરવાનું નક્કી કર્યું. તેણે શોર્ટ્સનો વીડિયો અપલોડ કર્યો. તેનો એક વીડિયો વાયરલ થયો અને 15 દિવસમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ.

No description available.

70 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે :

એટલે કે અદિતિની યુટ્યુબ ચેનલ ક્રાફ્ટર અદિતિએ ફરીથી ચાલવાનું શરૂ કર્યું. તેણે આગામી 20 દિવસમાં ગ્રાહકોની સંખ્યા વધારીને 20 લાખ કરી દીધી. 2023 સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યા 70 લાખની નજીક પહોંચી ગઈ છે. YouTube એ અદિતિના કૌશલ્યની પ્રશંસા કરી અને તેને ઊંચાઈ પર લઈ ગઈ. યુટ્યુબની પ્રગતિએ માત્ર અદિતિ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું. અદિતિ કહે છે કે આજે 10માંથી એક વ્યક્તિ મને ઓળખે છે… મારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

હવે પ્રાઈસ ટેગ જોવાની જરૂર નથી :

પોતાની સફળતા પર અદિતિએ કહે છે કે એક સમયે અમે એક બેડરૂમમાં ભાડા પર રહેતા હતા, આજે અમારી પાસે બે બેડરૂમનો ફ્લેટ છે. કાર ખરીદી છે. મારી બહેનના ડેસ્ટિનેશન વેડિંગ કરાવ્યા છે. થોડા દિવસોમાં માતા-પિતા હું તેને વિદેશમાં પણ લઈ જઈશ. મને આ બધું YouTube પરથી મળ્યું છે.

આ પણ વાંચો :-

08 એપ્રિલ 2023 આજનું રાશિફળ : મોસાળપક્ષે ચિંતા, માનસિક અસ્વસ્થતા, હિસાબી કામકાજમાં સાવધાની: કઇ-કઇ રાશિના જાતકોએ આજે સાવધ રહેવું !

08 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષ
આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ. ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્ર‌ગતિ થાય, માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા, સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આર્થિક પાસુ મજબુત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-