Home Blog Page 1107

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ભોજપુરીની ફેમસ એક્ટ્રેસ સહિત 3ની ધરપકડ

0

High profile sex racket

  • ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં ત્રણ મહિલાની ધરપકડ કરવામાં આવી અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

મુંબઈમાં (Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલ જ ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની (Aarti Mittal) સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે હવે ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની રોયલ પામ હોટલમાં (Royal Palm Hotel) ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે તેમાં ત્રણ મહિલા ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

વાત એમ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગને આ વિશે ખબર મળી હતી કે રોયલ પામ હોટલમાં એક મોટું સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને એ જ માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. એ સમયે ત્રણ મોડલને બચાવવામાં આવી છે અને સ ધંધામાં ધકેલવા માટે એક દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે એ સેકસ રેકેટના પર્દાફાશમાં ધરપકડ કરાયેલ મહિલા ભોજપુરી અભિનેત્રી છે.

જણાવી દઈએ કે પોલીસે ધરપકડ કરેલી ભોજપુરી અભિનેત્રી 24 વર્ષની છે અને આગળ મળતી માહિતી મુજબ આ કેસમાં પોલીસ વધુ એક આરોપીને શોધી રહી છે.

નોંધનીય છે કે પોલીસે દરોડો શુક્રવારે બપોરે પાડ્યો હતો અને એ સમયે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી મુજબ આરોપી મહિલા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેણે ભોજપુરી ફિલ્મ ‘લૈલા મજનૂ’ તેમજ વેબ સિરીઝ ‘જોમસ્ટિક બોક્સ’ અને ભોજપુરી કોમેડી એપિસોડ ‘બાપ નંબરી બેટા દસ નંબરી’માં કામ કર્યું છે. સાથે જ એ ભોજપુરી અભિનેત્રીએ હિન્દી અને પંજાબી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :-

મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી અને પછી…

0

Schoolgirls molested

  • અપડાઉન કરતા છાત્રો માર્કેટમાં થઈ સંસ્થાઓ પહોંચે છે. વિડિયો પરથી પોલીસ દોડી. કેટલાક વધુ સગીર આરોપી શખ્સોની શોધખોળ. સઘન પેટ્રોલીંગની જરૂર.

શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી (Super Market) પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં મોરબી (Morbi) એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે અને બે બાળ કિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે ગત તા. ૧૭ અને ૧૮ ના વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ આડા રાખીને અથવા તો આડા ઊભા રહીને તેની છેડતી કરવામાં આવતી હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થયા હતા. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને વિડિયોમાં દેખાતા શખ્સોને તાત્કાલિક ઉપાડી લેવામાં આવ્યા હતા.

હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે આરોપીઓ સામે જી.પી. એક્ટ કલમ ૧૧૦, ૧૧૧, ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રાહુલભાઈ મહેશભાઈ પટેલ (૧૯) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા (૨૦) રહે. ધૂનડા તાલુકો ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા અને અરુણભાઈ દોલતભાઈ જાદવ (૧૮) રહે. ધુનડા તાલુકો ટંકારાનો સમાવેશ થાય છે. જો કે બે બાળ કોશોર હોવાથી પોલીસે તેને કબજામાં લઈને પૂછપરછ કરીને તેના વાલીને સોપી દીધા હતા.

આ પણ વાંચો :-

Char Dham Yatra 2023 : આજથી ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે; બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ

0

Char Dham Yatra 2023

  • Chardham Yatra 2023 : મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને હાર પહેરાવીને આવકાર્યા હતા અને ચાર ધામોના દેવતાઓ- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રી યાત્રાની પૂર્ણાહુતિ માટે પ્રાર્થના કરી હતી.

લગભગ છ મહિનાના અંતરાલ પછી અક્ષય તૃતીયાના અવસરે શનિવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Chief Minister Pushkar Singh Dhami) શુક્રવારે આ પવિત્ર યાત્રા પર જઈ રહેલા ભક્તોની બસોને લીલી ઝંડી બતાવી હતી. ગઢવાલ હિમાલયના ચારધામોમાંથી અન્ય બે ધામ કેદારનાથના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે ખુલશે.

ઋષિકેશમાં આયોજિત ‘ઋષિકેશથી ચારધામ યાત્રા – 2023’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને માળા પહેરાવીને આવકાર્યા હતા અને ગયા વર્ષની જેમ યાત્રા માટે ચાર ધામો- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રીની પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યું કે આ વખતે સરકાર દ્વારા ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે ‘હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા‘ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને ઉત્તરાખંડ માટે ‘ઉત્સવ’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવે છે જેના કારણે રોજગારીની તકો ઉભી થાય છે.

અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક ભક્તની યાત્રા સરળ અને 100% સુરક્ષિત હોય.

મુખ્યમંત્રીએ કહ્યું, “અમને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષની ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્ય સરકાર સુરક્ષિત ચારધામ યાત્રાને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. અમારો પ્રયાસ રહેશે કે યાત્રાની સમાપ્તિ પછી ઘરે પરત ફરતો દરેક ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં વિતાવેલા સમયની સોનેરી યાદો પાછી લઈ જાય.”

કોવિડ-19ના કારણે બે વર્ષના અંતરાલ બાદ ગયા વર્ષે સંપૂર્ણ રીતે શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્ય સરકાર આ વખતે આ સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.

દરમિયાન ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરને ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. હવન અને વૈદિક મંત્રોચ્ચાર પછી, ગંગોત્રીના દરવાજા શનિવારે બપોરે 12:35 વાગ્યે ખુલશે, જ્યારે યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

Bhavnagar : જાણો યુવરાજસિંહ સામે કઈ કઈ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ, કેટલી થઈ શકે છે સજા

0

Bhavnagar

  • આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.

આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Student leader Yuvraj Singh) ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમી કાંડમાં (Dummy stem) નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા. આ અંગે પોલીસે કહ્યું કે યુવરાજસિંહ (Yuvraj Singh) અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે.

આ મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવરાજની સાથે સાથે શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવરાજ અને તેમના સાથીઓ સામે કલમ 288,286 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કલમો અંગે વાત કરીએ 388 – વ્યક્તિને દબાણ કરીને પૈસા ઉઘારવાનો ગુન્હો સામેલ છે. આ કલમ હેઠળ આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે અને આ ગુન્હો બિનજામીનપાત્ર છે.

જ્યારે 120 B  – સ્વતંત્ર કલમ, ષડયંત્રની કલમ, આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે  અને આ કલમ પણ જામીનપાત્ર છે. નોંધનીય છે કે, પોલીસ ફરિયાદી બને એટલે કોર્ટમાં સમાધાનની શક્યતા રહેતી નથી.

આ પણ વાંચો :-

 

ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ

0

Dhoni suddenly

  • MS Dhoni News : શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે.

શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

ધોનીએ અચાનક આપ્યા નિવૃત્તિના સંકેત :

ચેન્નાઈમાં પ્રેક્ષકો તરફથી મળેલા પ્રેમથી ખુશ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે 2 વર્ષ બાદ અહીં દર્શકોને મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખાસ છે. સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યા બાદ ધોનીએ કહ્યું, ‘બીજું શું કહું. હવે બધુ કહી ચૂક્યો છું. આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીં રમવું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે.

પોતાના નિવેદન ક્રિકેટ જગતમાં મચાવી હલચલ :

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘બેટિંગ કરવાની વધુ તક નથી મળી. પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું પહેલા ફિલ્ડિંગમાં સંકોચ અનુભવતો હતો, કારણ કે મને લાગતું હતું કે વધારે ઝાકળ નહીં પડે. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો, ખાસ કરીને પથિરાનાએ પણ સારી બોલિંગ કરી.

આ પણ વાંચો :-

125cc ના આ 3 બાઈક ભલભલી સ્પોર્ટી બાઈકને મુકી દે છે પાછળ, જુઓ તસવીરો અને ફિચર્સ

These 3 125cc Bikes

  • Top-5 Sportiest 125cc Bikes : ભારતમાં ટુ-વ્હીલર્સનું વિશાળ બજાર છે. એન્ટ્રી લેવલની 100cc બાઈકથી લઈને સુપરબાઈક સુધી મોટરસાઈકલની વિશાળ શ્રેણી અહીં વેચાય છે.

જો કે એ નોંધવું યોગ્ય છે કે અત્યારે 125cc બાઈક સેગમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રાહકો માટે વિકલ્પોની કોઈ કમી નથી. ચાલો અમે તમને 125cc સેગમેન્ટમાં ટોપ-5 સ્પોર્ટી બાઈકો બતાવીએ.

TVS Raider : તે ભારતમાં સૌથી વધુ ફીચર લોડ 125cc મોટરસાયકલ છે. તે 124.8cc, સિંગલ-સિલિન્ડર, એર અને ઓઈલ-કૂલ્ડ, ફ્યુઅલ-ઈન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 11.2 Bhp અને 11.2 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 93,719 રૂપિયાથી શરૂ થાય છે.

Bajaj Pulsar 125/NS125 : બજાજ પલ્સર ભારતીય બજારમાં જાણીતું નામ છે અને તે હવે 125cc અવતારમાં પણ ઉપલબ્ધ છે. પલ્સર 125 અને NS125 સમાન એન્જિન સાથે આવે છે, જે 124.4cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે. તે 11.8 Bhp અને 11 Nm જનરેટ કરે છે. પલ્સર 125 સિરીઝની એક્સ-શોરૂમ કિંમત રૂ.89,254 થી શરૂ થાય છે.

KTM 125 Duke : KTM 125 Duke પણ આ સેગમેન્ટમાં પોતાનું નામ કમાઈ ચૂક્યું છે. તેની કિંમત રૂ. 1.78 લાખથી શરૂ થાય છે, તે 124.7cc, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન સાથે આવે છે, જે 14.3 bhp અને 12 Nm જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

આ પણ વાંચો :-

બાઈક અને ગાડી છોડો શું તમારે લોન પર લેવું છે એરોપ્લેન? જાણો કેટલામાં પડશે વિમાન

Ditch the bike and car Do

  • ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે.

હવાઈ જહાજ (Aeroplane)માં ફરવું હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો એવા પણ હોય છે જે પ્લેનમાં ફરવા સાથે ખુદનું પ્રાઈવેટ પ્લેન (Private plane) પણ ખરીદવાનું સપનું જોઈ છે. એવું કરવું થોડું મુશ્કેલ જરુર છે પણ નામુમકિન નથી. તમે પણ એરોપ્લેન (Airplane) માટે લોન લઈ શકો છો.

આવી રીતે નક્કી થાય છે એરોપ્લેનની કિંમતો :

પ્રાઈવેટ પ્લેન લેવા માટે સૌથી પહેલાં તેની કિંમતો જાણી લો. વિમાની કિંમત હવાઈ જહાજની કંપનીઓ સાઈઝ, બેસવાની ક્ષમતા, હાઈટેક ફિચર્સ, સુવિધાઓને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે. દુનિયામાં વિમાન બનાવવા વાળી સૌથી મોટી કંપની બોઈંગ છે. આ અમેરિકન કંપની સમગ્ર દુનિયામાં એરોપ્લેન સપ્લાઈ કરે છે.

કેટલામાં આવે છે એક એરક્રાફટ :

ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે. જોકે હેલીકોપ્ટર ખરીદવા માટે તમારે 10 કરોડ સુધીનો ખર્ચ થશે.

આટલા વર્ષે હોય છે વિમાનની ઉમર :

એરોસેમ.કોમ વેબસાઈટના મુજબ એક વિમાનની ઉમર તેની ગુણવત્તા અને ક્ષમતાના આધારે નક્કી થાય છે. જે 20થી 36 વર્ષની હોય છે. તેવી જ રીતે હેલીકોપ્ટરની લાઈફલાઈન 10થી 15 વર્ષ સુધીની હોય છે.

એરપોર્ટ પર લેવી પડે છે પાર્કિંગ ફેસેલિટી :

આ વિમાનો અને હેલીકોપ્ટરને પાર્ક કરવા માટે તમારે એરપોર્ટ પર જગ્યા બૂક કરવાની હોય છે અને તમારે તેનો પાર્કિંગ ચાર્જ પણ આપવો પડે છે. જ્યારે પણ તમે તમારા પ્રાઈવેટ એરપ્લેન કે હેલીકોપ્ટરની યાત્રા કરો છો તો તેના માટે સંબંધિત એરપોર્ટને સુચના આપવી પડે છે. જે બાદ એર ટ્રાફિક કંટ્રોલ લેન્ડ કરવાની તમને પરવાનગી આપે છે.

વિમાન ખરીદવા મળે છે લોન :

પ્રાઈવેટ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે જો પૈસા ઓછા પડતા હોય તો ગાડી અને ઘરની જેમ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે પણ બેન્ક લોન આપે છે. દેશમાં ઘણા એવા બિઝનેસમેન છે, જેમણે લોન લઈને પ્રાઈવેટ જેટ અથવા તો હેલીકોપ્ટર ખરીદ્યા છે.

આ પણ વાંચો :-

22 એપ્રિલ 2023 આજનું રાશિફળ : વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરાવે, આ રાશિના જાતકો આજે તબિયત પણ સાચવજો, જુઓ રાશિ ભવિષ્ય

22 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકમાં વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવામાં મતભેદ સંભવે. આરગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભ
દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુન
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાનો યોગ બને છે.

કર્ક
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફતી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં સ્ત્રીવર્ગ તરફથી લાભ સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત બને. માન સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યા
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલા
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિક
ભાગીદારી તથા પત્નિસુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નાવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકર
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ સારૂં રહેશે. આંખ હાડકા નબળા થતા જણાય.

કુંભ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સાો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ નોકરી ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીન
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

5 મોંઘા ઘર ખરીદી શકાય તેટલી કિંમતનો નેકસેલ પહેરીને નીકળી દિગ્ગજ એક્ટ્રેસ, જ્વેલરી તાકતા રહ્યાં ફેન્સ

5 The legendary actress 

  • તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીની (South Industry) ખૂબ જ સુંદર અભિનેત્રી, સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu), એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત એક જબરદસ્ત ફેશનિસ્ટા પણ છે. જે તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે પોતાના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલનો અવારનવાર એક્સપેરિમેન્ટ (Experiment) કરતી રહે છે. તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં તેના આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સમંથાએ લંડનમાં પ્રિયંકા ચોપરાની આગામી સિરિઝ સિટાડેલના ગ્લોબલ પ્રીમિયરમાં Bulgariનો ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને ચંકી ડાયમંડ બ્રેસલેટ સાથે બ્લેક કો-ઓર્ડિનેટિંગ સેટ પહેરીને હાજરી આપી હતી.

ડાયમંડ જ્વેલરીના આ સેટે અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સાપના ડિઝાઈનવાળા ડાયમંડ જ્વેલરીની કિંમત કેટલી છે?

કહેવામાં આવી રહ્યું છે કે સામંથાના નેકપીસની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેના બ્રેસલેટની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે પ્રીમિયર ઈવેન્ટ માટે સામંથા દ્વારા પહેરવામાં આવેલ આઉટફિટની કિંમત 81,307 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પ્રીમિયરની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સામંથા રૂથ પ્રભુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શકુંતલમ‘માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે હવે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કુશીમાં કામ કરી રહી છ. જેમાં વિજય દેવરાકોંડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

પૈસા કમાવવા માટે ફિલ્મો ઉપરાંત સલમાન-શાહરૂખ સહિતના સિતારાઓ કરે છે આવું કામ !.

Apart from films 

  • ફિલ્મી સિતારાઓ માત્ર ફિલ્મો જ નહીં એ ઉપરાંત પણ અનેક કામો કરતા હોય છે. એમની કમાણીના સોર્સ પણ ઘણાં બધા હોય છે. તમે કામ જાણીને વિચારમાં પડી જશો.

Bollywood Stars : બોલિવુડ એકટર મોટા આલિશાન ઘરમાં રહેતા હોય છે. સિતારાઓની જીવનશૈલીને લોકો ફોલો કરવા માગતા હોય છે. તમને ખબર છે કે આવી જીવનશૈલી જીવવા માટે તેઓ કયા કયા કામ કરે છે.

અભિનયની સાથે સાથે આ કલાકારો જુદી જુદી ફિલ્ડમાં હાથ અજમાવતા હોય છે. ઘણા સફળ કલાકારો વ્યવસાયિક રીતે પણ ખૂબ સફળ છે. આ લોકો BUSINESSમાં કરોડો રૂપિયા કમાય છે. શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટીથી લઈને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં સામેલ છે.

1. શાહરૂખ ખાન :

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) ન માત્ર જબરદસ્ત અભિનેતા છે પરંતુ ખૂબ સફળ બિઝનેસમેન છે. શાહરૂખ IPLમાં ક્રિકેટ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના સહ માલિક છે. વર્ષ 2008માં શાહરૂખે અભિનેત્રી જૂહી ચાવલા સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) સહ સ્થાપના કરી હતી. શાહરૂખ-જૂહી ખૂબ સારા મિત્રો છે.

કરોડોના ટર્નઓવર સાથે KKR આઈપીએલની ધનિક ટીમોમાંથી એક છે. આ સાથે શાહરૂખ મોશન પિક્ચર પ્રોડકશન ફર્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના કો ચેરમેન પણ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નિર્માણ કંપની છે જે અન્ય સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને VFX અને એનિમેશન સેવા આપે છે.

2. શિલ્પા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રા સાથે જુદા જુદા બિઝનેસમાં જોડાયેલી છે. શિલ્પા મુંબઈમાં ‘મોનાર્કો કલબ’ની માલિક છે. તે સાથે સાથે LOSIS સ્પા અને સલૂન ચેઈનની પાર્ટનર છે. શિલ્પા અને તેનો પતિ રાજ કુંદ્રા IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક હતા પરંતુ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ ચુકાદો આપતા ફ્રેન્ચાઈઝી વેચી મારી.

3. અનુષ્કા શર્મા :

અનુષ્કા શર્માએ થોડા વર્ષો પહેલા ‘નુશ’ નામની ક્લોથની ચેઈન શરૂ કરી. આ સાથે અનુષ્કાએ તેના ભાઈની સાથે મળીને પ્રોડકશન હાઉસ શરૂ કર્યું. આ પ્રોડકશન હાઉસે ‘NH 10’, ‘ફિલ્લોરી’ અને ‘પરી’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. આ પ્રોડકશન હાઉસની વેબસિરીઝ ‘પાતાલ લોક’ લોકોને ખૂબ પસંદ આવી.

4. દીપિકા પાદુકોણે :

બોલિવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેને પોતાના ‘અપેરલ લાઈન ઓલ અબાઉટ યૂ’ ની મદદથી ઘણા રૂપિયા મળે છે. અભિનેત્રીએ MYNTRA સાથે મળીને વર્ષ 2015માં ‘ઓનલાઈન કલોથિંગ બિઝનેસ’ની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં દીપિકા અને વૈન હુસૈને મહિલાઓ માટે ફેશન લાઈન શરૂ કરી.

આ પણ વાંચો :-