HomeGujaratઆ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ...

આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ તસ્વીર

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Seeing this person CR Patil  

  • Viral Video : વડોદરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અનોખો અંદાજ. ભાજપના વરિષ્ઠ કાર્યકર એન.વી પટેલને વંદન કર્યા. કાર્યક્રમમાં આવતાની સાથે જ કર્યા વંદન.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) આજે વડોદરાની (Vadodara) મુલાકાતે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના તમામ એપિસોડના પ્રદર્શનનું સાંસદ રંજન ભટ્ટે (Ranjan Bhatte) આયોજન કર્યુ હતું. ત્યારે આ પ્રદર્શનમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વડોદરામાં સી.આર.પાટીલે વયોવૃદ્ધ કાર્યકરને વંદન કર્યા હતા. ભાજપના વરિષ્ઠ કાર્યકર એન વી પટેલને (N.V Patel) સીઆર પાટીલ પગે લાગ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વડોદરામાં PM મોદીના મન કી બાત કાર્યક્રમની પ્રદર્શનીનું આયોજન કરાયું છે. દેશમાં પ્રથમવાર 99 એપિસોડનું પ્રદર્શન યોજાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની ટીમે સમગ્ર પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. જેમાં મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રદર્શનીમાં PMના કાર્યક્રમના અંશોની માહિતી પણ અપાઈ છે.

ત્યારે આ પ્રદર્શનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના સંસ્કાર સામે આવ્યા હતા. વડોદરામાં સી આર પાટીલ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા એનવી પટેલને પગે લાગ્યા હતા. કાર્યક્રમમાં આવતાની સાથે જ સીઆર પાટીલ એનવી પટેલને પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે એન વી પટેલ વુડાના પૂર્વ ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર રહી ચૂક્યા છે. વરિષ્ઠ કાર્યકર્તાને પગે લાગતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે.

આ પ્રદર્શન વિશે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમની બે દિવસીય પ્રદર્શનીનું આયોજિત કરાયું છે. દેશમાં પહેલીવાર વડોદરામાં મન કી બાતના 99 એપિસોડની પ્રદર્શની યોજાઈ છે. મન કી બાતના પીએમ મોદીના 100માં એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શની યોજાઈ છે.

સમા વિસ્તારમાં આવેલ ઊર્મિ સ્કૂલમાં આયોજિત પ્રદર્શનીનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ ઉદઘાટન કર્યું હતુ. આ પ્રદર્શની તૈયાર કરવા માટે સાંસદ અને તેમની ટીમ 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. પ્રદર્શનીમાં પીએમ મોદીના મન કી બાતના 99 એપિસોડના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ સાથેની માહિતી મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img