HomeEntertainmentAmbani Ganesh Chaturthi 2026: રાધિકા અંબાણીની ગણેશ વંદના બની ચર્ચામાં, સલમાન ખાન-આલિયા...

Ambani Ganesh Chaturthi 2026: રાધિકા અંબાણીની ગણેશ વંદના બની ચર્ચામાં, સલમાન ખાન-આલિયા ભટ્ટ સહિત અનેક સેલેબ્સની ધમાકેદાર હાજરી

Date:

Related stories

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...

ગુજરાતમાં આગામી કલાકો અગત્યના! જાણો કયા 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગે આજે ફરી જોર પકડ્યું છે...
spot_img

અંબાણી પરિવારના એન્ટિલિયામાં ગણેશોત્સવની ભવ્યતા વચ્ચે એક દૃશ્યએ સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. કાલે યોજાયેલી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન રાધિકા મર્ચન્ટ અંબાણીએ ભગવાન ગણેશને સમર્પિત ભરતનાટ્યમ રજૂ કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા. પરંપરાગત ભારતીય કળા અને ભવ્ય ફેશનના સંગમરૂપ આ પરફોર્મન્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહ્યા હતા.

રાધિકા મર્ચન્ટ પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. ગણેશોત્સવના ખાસ અવસરે તેમણે ‘એકદંતાય વક્રતુણ્ડાય’ ભક્તિગીત પર ગણેશ વંદના રજૂ કરી હતી. તેમની આ રજૂઆતમાં શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ અને ભાવભંગિમા જોવા મળી હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

પરફોર્મન્સ માટે રાધિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કસ્ટમ ક્રિએશન પહેર્યું હતું. આ આઉટફિટ હાથથી વણાયેલા કાંજીવરમ સિલ્કથી તૈયાર કરવામાં આવ્યું હતું. જ્વેલ-પિંક રંગના કાપડ પર ગોલ્ડ ઝરીનું કામ કરવામાં આવ્યું હતું, જ્યારે એન્ટિક ગોલ્ડ મરોડી એમ્બ્રોઇડરી અને જરદોઝી વર્કથી આ લુકને વધુ શાહી બનાવવામાં આવ્યો હતો. નૃત્ય દરમિયાન સરળ મૂવમેન્ટ રહે તે માટે આઉટફિટને પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલુએટમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન એન્ટિલિયામાં ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એન્ટિલિયાને ગલગોટાના ફૂલો, લાઇટિંગ અને ઉત્સવની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. નીતા અંબાણી, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત પરિવારના સભ્યો ગણપતિ બાપ્પાના સ્વાગતમાં જોડાયા હતા.

ગણેશોત્સવમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પણ પહોંચી હતી. સલમાન ખાન, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, કેટરિના કૈફ-વિકી કૌશલ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર-સૈફ અલી ખાન, કાજોલ, જાહ્નવી કપૂર, માધુરી દીક્ષિત અને રેખા સહિત અનેક સેલેબ્સે બાપ્પાના દર્શન કર્યા હતા.

આ રીતે અંબાણી પરિવારની સપ્ટેમ્બર 2026ની ગણેશોત્સવ ઉજવણીમાં ભવ્ય સજાવટ અને સેલેબ્સની હાજરીની સાથે રાધિકાનું શાસ્ત્રીય નૃત્ય ખાસ આકર્ષણ બન્યું હતું.

Subscribe

Latest stories

spot_img