Dhoni suddenly
- MS Dhoni News : શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે.
શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.
ધોનીએ અચાનક આપ્યા નિવૃત્તિના સંકેત :
ચેન્નાઈમાં પ્રેક્ષકો તરફથી મળેલા પ્રેમથી ખુશ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે 2 વર્ષ બાદ અહીં દર્શકોને મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખાસ છે. સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યા બાદ ધોનીએ કહ્યું, ‘બીજું શું કહું. હવે બધુ કહી ચૂક્યો છું. આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીં રમવું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે.
પોતાના નિવેદન ક્રિકેટ જગતમાં મચાવી હલચલ :
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘બેટિંગ કરવાની વધુ તક નથી મળી. પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું પહેલા ફિલ્ડિંગમાં સંકોચ અનુભવતો હતો, કારણ કે મને લાગતું હતું કે વધારે ઝાકળ નહીં પડે. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો, ખાસ કરીને પથિરાનાએ પણ સારી બોલિંગ કરી.
આ પણ વાંચો :-