HomeNationalChar Dham Yatra 2023 : આજથી ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે;...

Char Dham Yatra 2023 : આજથી ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે; બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

Char Dham Yatra 2023

  • Chardham Yatra 2023 : મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને હાર પહેરાવીને આવકાર્યા હતા અને ચાર ધામોના દેવતાઓ- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રી યાત્રાની પૂર્ણાહુતિ માટે પ્રાર્થના કરી હતી.

લગભગ છ મહિનાના અંતરાલ પછી અક્ષય તૃતીયાના અવસરે શનિવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Chief Minister Pushkar Singh Dhami) શુક્રવારે આ પવિત્ર યાત્રા પર જઈ રહેલા ભક્તોની બસોને લીલી ઝંડી બતાવી હતી. ગઢવાલ હિમાલયના ચારધામોમાંથી અન્ય બે ધામ કેદારનાથના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે ખુલશે.

ઋષિકેશમાં આયોજિત ‘ઋષિકેશથી ચારધામ યાત્રા – 2023’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને માળા પહેરાવીને આવકાર્યા હતા અને ગયા વર્ષની જેમ યાત્રા માટે ચાર ધામો- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રીની પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યું કે આ વખતે સરકાર દ્વારા ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે ‘હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા‘ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને ઉત્તરાખંડ માટે ‘ઉત્સવ’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવે છે જેના કારણે રોજગારીની તકો ઉભી થાય છે.

અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક ભક્તની યાત્રા સરળ અને 100% સુરક્ષિત હોય.

મુખ્યમંત્રીએ કહ્યું, “અમને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષની ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્ય સરકાર સુરક્ષિત ચારધામ યાત્રાને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. અમારો પ્રયાસ રહેશે કે યાત્રાની સમાપ્તિ પછી ઘરે પરત ફરતો દરેક ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં વિતાવેલા સમયની સોનેરી યાદો પાછી લઈ જાય.”

કોવિડ-19ના કારણે બે વર્ષના અંતરાલ બાદ ગયા વર્ષે સંપૂર્ણ રીતે શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્ય સરકાર આ વખતે આ સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.

દરમિયાન ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરને ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. હવન અને વૈદિક મંત્રોચ્ચાર પછી, ગંગોત્રીના દરવાજા શનિવારે બપોરે 12:35 વાગ્યે ખુલશે, જ્યારે યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img