Home Blog Page 1081

અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો

0

Ambalal Patel 

  • Gujarat Weather Forecast : કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની અંબાલાલ પટેલનું અનુમાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડા જેવી સર્જાશે સ્થિતિ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત (Gujarat) બરાબરનું શેકાયું છે. ત્યારે હવે આ ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની આસ લગાવીને લોકો બેસી રહ્યાં છે. ત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે.

હાલ મોચા વાવાઝોડની અસરને પગલે આખુ ગુજરાત શેકાયુ હતું. કાળઝાળ ગરમી પડી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. ગરમીથી રાહત મેળવવા માંગતા લોકો માટે તેમની આ આગાહી રાહતના સમાચાર બની છે. તેઓએ કહ્યું કે આજથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. આજથી લઈને 18 મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે.

આ વિશે તેમણે વધુમાં જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ આવતા હોવાથી ગુજરાતમાં પણ આંધી વંટોળની સ્થિતિ સર્જાશે. અરબ દેશોથી આવતું ધૂળતટ છેક રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહીત ગુજરાતના કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સર્જશે. જે હવામાં ભેજ લઈને આવશે. મોકા ચક્રવાતની અસર સમાપ્ત થતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેને સાનુકૂળ હવામાન મળતા ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

22- 24 મે માં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની શક્યતા છે. 28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે. અરબસાગરના ચક્રવાત અબરસાગર વિસ્તરેલો હોવાથી તેનો માર્ગ ચારથી પાંચ પ્રકારનો હોઈ શકે છે. તેથી પશ્ચિમ કિનારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર થઈ શકે છે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અને કચ્છના ભાગોમાં અસર થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

‘ધ કેરલા સ્ટોરી’ એ તોડ્યો KGF 2નો રેકોર્ડ, 10મા દિવસે બોક્સ ઓફિસ પર કરી સૌથી વધુ કમાણી

The Kerala Story 

  • મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ બન્યો હતો.

લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની ‘ધ કાશ્મીર ફાઈલ્સ‘એ (The Kashmir Files) આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે ‘ધ કેરલા સ્ટોરી‘ (The Kerala Story) ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી  :

જણાવી દઈએ કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી‘માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ ‘ધ કેરલા સ્ટોરી‘ તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે. અદા શર્માની ફિલ્મને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર દિવસ મળ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ નું રવિવારનું કલેક્શન :

ફિલ્મનો થિયેટરોમાં રવિવાર 10મો દિવસ હતો. જ્યાં મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર આ ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ હતો. જણાવી દઈએ કે બીજા વીકએન્ડની શરૂઆતથી ‘ધ કેરલા સ્ટોરી‘એ મજબૂત ગતિ પકડી અને શુક્રવારે રૂ. 12.35 કરોડનું કલેક્શન કર્યું. જે પહેલા શુક્રવાર કરતાં ઘણું વધારે હતું.

શનિવારે ફિલ્મે 55% થી વધુનો ઉછાળો આપ્યો અને 19.5 કરોડ રૂપિયાની કમાણી કરી. બોક્સ ઓફિસનો અહેવાલ અંદાજ જણાવે છે કે ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર 23.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે બીજા વિકેન્ડમાં ફિલ્મનું કલેક્શન 55 કરોડ રૂપિયાથી વધુ છે. ‘ધ કેરલા સ્ટોરી‘ના પહેલા વીકએન્ડે 35.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 136 કરોડને પાર કરી ગયું છે.

આ પણ વાંચો :-

બાબા બાગેશ્વરનો લાગ્યો દરબાર, લાલુની દીકરીએ જાહેરમાં પર્ચી લગાવી, જાણો શું માગ્યું રોહિણી આચાર્યેએ.

0
Baba Bageshwar
  • લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ખાસ સિંગાપોરથી આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી.

પટનામાં હનુમંત કથાનું (Hanumant Katha) જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાના બીજા દિવસે નૌબતપુરના તારેત પાલી મઠ ખાતે સુંદરકાંડની કથા કરી રહ્યા છે. આવતીકાલે બાગેશ્વર બાબાનો (Bageshwar Baba) દરબાર યોજાશે.

આ અગાઉ RJDના લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya) ખાસ સિંગાપોરથી (Singapore) આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી. જેમાં બિહારની ભલાઈ અને નીતિશ કુમાર માટે કંઈક માંગ્યું છે.’

બિહાર માટે તેઓએ માંગ્યું કે..

રોહિણી આચાર્યએ બાગેશ્વર સરકાર પાસે મહત્વની માંગણી કરતા હાલ ચર્ચામાં આવી છે. મોટી વાત એ છે કે સ્લિપમાં રોહિણીએ પોતાના માટે કે લાલુ યાદવના પરિવાર માટે કંઈ માંગ્યું નથી. રોહિણી પોતા કે પોતાના પરિવાર માટે નહીં. પરંતુ આચાર્યએ બાબા પાસે નીતિશ કુમાર માટે વધુમાં પુરા બિહાર માટે તેમણે બાબા સમક્ષ ખોળો પાથર્યો હતો સાથે સાથે બિહારની ભલાઈ માટે તેમણે બાબાને વિનંતી કરી હતી.

આ પણ વાંચો :-

કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો

Comedian Kapil Sharma
  • Anayra Sharma : કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા ત્રણ વર્ષની અને ખૂબ જ ક્યૂટ છે. હાલમાં જ એક ફેશન શોમાં તે પિતા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. જેનો ક્યૂટ વિડીયો ફેન્સના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. શું તમે આ વિડિયો જોયો ?

દેશના ટોચના કોમેડિયન અને ‘ધ કપિલ શર્મા શો‘ના (The Kapil Sharma Show) હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વભરમાં તેની ફેન ફોલોઈંગ છે. કપિલ શર્મા પરિણીત છે અને તેના બે બાળકો છે જે ખૂબ જ સુંદર છે. કપિલ શર્માની દીકરી અનાયરા શર્મા (Daughter Anaira Sharma) ત્રણ વર્ષની છે અને ફેન્સ હંમેશા તેના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે.

કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનાયરા સાથે રેમ્પ વોક કરતો જોવા મળી રહ્યો છે. કપિલ શર્માની દીકરીની ક્યૂટ રેમ્પ વોકએ સૌના દિલ જીતી લીધા છે અને તેનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા રેમ્પ વોક કરતી જોવા મળી અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જણાવી દઈએ કે આ અનુ રંજનની ‘બેટી ફાઉન્ડેશન’ની ઈવેન્ટ હતી જેમાં ઘણા સ્ટાર્સે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. તેમાં કપિલ શર્મા અને તેની દીકરી પણ સામેલ છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ અને અનાયરા બંનેએ કાળા કપડા પહેર્યા હતા અને ક્યૂટ રિતે પિતાનો હાથ પકડીને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અનાયરાએ દર્શકોને ફ્લાઈંગ કિસ પણ કરી અને ઉભા થઈને પોઝ પણ આપ્યા હતા. અનાયરાની ક્યૂટનેસએ બધાનું દિલ જીતી લીધું અને કપિલ શર્માએ તેની દીકરીને ‘મિસ યુનિવર્સ‘ કહી.

આ પણ વાંચો :-

5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી

0

A father traveled 200 km  

  • Man travels 200 km With Dead Body : છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું.

પશ્ચિમ બંગાળમાંથી (West Bengal) એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમારું કાળજું પણ કંપી જશે. અહીં એક પિતા પાસે એમ્બ્યુલન્સ (Ambulance) માટે ભાડું ન હોવાથી તેને બસમાં પોતાના પાંચ મહિનાના બાળકને ડેડબોડી લઈને મુસાફરી કરવી પડી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ડેડ બોડીને ઘર સુધી પહોંચાડવા માટે 8000 રૂપિયાની માંગણી કરી. ગરીબ પિતા પાસે એમ્બ્યુલન્સ માટે 8000 રૂપિયા ન હોવાથી તેણે દીકરાની બોડીને થેલામાં ભરી અને બસમાં મુસાફરી કરવી પડી.

સીલીગુડીથી કાઝિયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે પિતાએ જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કહ્યું તો તેણે 8000 રૂપિયાની માંગ કરી. આ રૂપિયા પિતા પાસે ન હતા તેથી તેણે હોસ્પિટલમાંથી પોતાના દીકરાની બોડીને થેલામાં ભરી અને 200 kmનું અંતર બસમાં કાપ્યું. હવે આ ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

મૃતક બાળકના પિતાનું જણાવવું છે કે છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું. જ્યારે તેણે કાજીયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નો સંપર્ક કર્યો તો તેણે 8000 રૂપિયા માંગ્યા છે તેની પાસે ન હતા.

એમ્બ્યુલન્સ ન મળતા તેણે એક થેલામાં પોતાના પાંચ મહિનાના દીકરાની બોડી ભરી અને સીલીગુડી થી 200 કિલોમીટર દૂર આવેલા કાજીયાગંજ સુધી બસમાં મુસાફરી કરી. તેણે બસમાં સવાર કોઈને શંકા પણ ન જવા દીધી કે થેલામાં બોડી છે. આવું તેણે એટલા માટે કર્યું કે તેને ડર હતો કે જો કોઈને ખબર પડશે કે થેલામાં બોડી છે તો તેને બસમાંથી પણ ઉતારી દેવામાં આવશે.

મૃત બાળકના પિતાએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેને કહ્યું હતું કે ફ્રી એમ્બ્યુલન્સની સુવિધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે છે મૃતદેહને લઈ જવા માટે નહીં. મૃતદેહ ને લઈ જવો હોય તો તેને 8000 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો :-

 

CSK Next Captain : ન્યૂઝીલેન્ડમાં જન્મેલો આ ખેલાડી લેશે ધોનીનું સ્થાન ! બીજા ચાર જણા પણ છે રેસમાં

0

CSK Next Captain

  • ધોનીનું સ્થાન લઈ શકે છે આ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા ખેલાડી, આ 4 પણ છે કેપ્ટનશિપની રેસમાં છે. ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. 2008થી અત્યાર સુધી તેણે 247 IPL મેચોમાં 215 ઈનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે 136.01ની સ્ટ્રાઈક રેટથી 5076 રન બનાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ક્રિકેટની દુનિયામાં એક એવું નામ છે જેની ભારત જ નહીં પણ દુનિયાભરના દેશોમાં પ્રશંસા થાય છે. તેની કેપ્ટનશિપની, તેની કાબેલિયતની તેના સ્વભાવની અને રમત પ્રત્યે અને ખેલાડીઓ પ્રત્યેની તેમની ભાવનાની.

હવે આ ખેલાડીની જગ્યા તો કોઈ લઈ શકે તેમ નથી. જો કે તેમ છતાં વાત જ્યારે આઈપીએલની કરીએ તો એક સમયે તો ધોની પણ રિટાયર થવાનો છે. ત્યારે હવે સીએસકે ના નવા કેપ્ટન કોને બનાવવા તે મુદ્દો ચર્ચામાં છે. જાણીએ કે કોણ લઈ શકે છે ધોનીનું સ્થાન.

ધોનીનું સ્થાન લઈ શકે છે આ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા ખેલાડી, આ 4 પણ છે કેપ્ટનશિપની રેસમાં છે…ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. 2008થી અત્યાર સુધી તેણે 247 IPL મેચોમાં 215 ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે 136.01ની સ્ટ્રાઈક રેટથી 5076 રન બનાવ્યા છે.

આ વખતે CSK એ ઈંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને કેપ્ટન મહેન્દ્ર ધોની (16.25 કરોડ રૂપિયા) કરતા વધુ ચૂકવીને ટીમમાં ખરીદ્યો છે. ધોનીને આ વખતે 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સનું પૂરું નામ બેન્જામિન એન્ડ્ર્યુ સ્ટોક્સ છે.

તે 2019માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમનો ભાગ રહ્યો છે. કેપ્ટનના તમામ ગુણો ધરાવતા ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે કુલ 45 આઈપીએલ મેચોની 44 ઈનિંગ્સ રમી છે. બેને અત્યાર સુધીમાં IPLમાં બે સદી અને બે અડધી સદીની મદદથી 935 રન બનાવ્યા છે અને 6 વખત અણનમ રહ્યો છે. તે 2017થી આઈપીએલ સાથે જોડાયેલો છે.

પુણેમાં જન્મેલા જમણા હાથના બેટ્સમેન 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે 48 IPL મેચોની 47 ઇનિંગ્સમાં 134.25ના સ્ટ્રાઇક રેટથી 1615 રન બનાવ્યા છે. 2020 થી આ લીગનો ભાગ બન્યા બાદ તેણે એક સદી અને 12 અડધી સદી ફટકારી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ખૂબ જ શાંત સ્વભાવના ગાયકવાડ હાલમાં વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં ધોની બાદ CSK આગામી સિઝનમાં ઋતુરાજને કેપ્ટનશિપની જવાબદારી સોંપી શકે છે.

જમણા હાથના સિનિયર ખેલાડી અંબાતી રાયડુને આંતરરાષ્ટ્રીય ટીમ માટે રમવાનો અનુભવ છે. રાયડુએ 2010થી અત્યાર સુધી 200 IPL મેચોમાંથી 185માં બેટિંગ કરી છે.

અંબાતી રાયડુ જેણે અત્યાર સુધી 22 અડધી સદી અને એક સદીની મદદથી 4312 રન બનાવ્યા છે. તે ચેન્નાઈમાં જોડાયા ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. આંધ્રપ્રદેશના 37 વર્ષીય અંબાતી મહેન્દ્ર સિંહ ધોની લીગમાંથી નિવૃત્ત થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. આ વખતે CSKએ તેમાં 6.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મહારાષ્ટ્રનો 34 વર્ષીય ખેલાડી અજિંક્ય રહાણે CSK માટે કેપ્ટન તરીકે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. 2008 થી, તેણે 168 IPL મેચોની 156 ઇનિંગ્સમાં 122.91ના સ્ટ્રાઇક રેટથી કુલ 4340 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. તે દબાણ હેઠળ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

જેમ કે તેણે છેલ્લા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં કર્યું હતું. તેની કપ્તાની હેઠળ ભારત એડિલેડ ઓવલ ખાતે પિંક બોલ ટેસ્ટ મેચમાં માત્ર 36 રનમાં આઉટ થઈ ગયું હતું. જેના કારણે ધોની બાદ રહાણેના નામ પર વિચાર કરી શકાય છે.

ઈંગ્લેન્ડના 35 વર્ષીય ઓલરાઉન્ડર અને ડિમાન્ડિંગ પ્લેયર મોઈન અલીએ 2018માં આઈપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધી 56 મેચની 51 ઇનિંગ્સમાં 142.56ના સ્ટ્રાઇક રેટથી કુલ 1025 રન બનાવ્યા છે.

CSKએ 2021માં તેનું ચોથું IPL ટાઇટલ જીત્યું હતું. તે સમયે મોઈન અલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે ટીમે તેને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે બેટિંગ અને બોલિંગ બંનેથી ક્રિકેટ પ્રેમીઓ અને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેને આગામી કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચો :-

ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન

0

In this state of India

  • વિદેશી કંપનીઓ પોતાના કર્મચારીને ઓફિસ ટાઈમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું. પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે.

એવી ઘણી વિદેશી કંપનીઓ (foreign company) પોતાના કર્મચારીને ઓફિસ ટાઈમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું. પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું (Alcohol) સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. જે રાજ્યની વાત થઈ રહી છે તે રાજ્ય છે હરિયાણા.

નવી લીકર પોલિસી હેઠળ હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) કે પછી અન્ય કોઈપણ વિસ્તારની કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓને આલ્કોહોલ પીરસવાની અનુમતિ આપવામાં આવી છે. આ નવા નિયમ અનુસાર કોર્પોરેટ કર્મચારી એવા જ પદાર્થોનું સેવન કરી શકે છે જેમાં ઓછી માત્રામાં આલ્કોહોલ હોય જેમકે વાઈન અને બિયર.

નવી લીકર પોલિસી હેઠળ કોર્પોરેટ ઓફિસમાં ઓછામાં ઓછી 2000 વર્ગ ફૂટની કેન્ટીન હોવી જરૂરી છે. હરિયાણા કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી. જે અંતર્ગત પરમિટ ટેક્સ પણ લગાડવામાં આવ્યો છે. સરકારનું લક્ષ્ય પર્યાવરણ અને પશુ કલ્યાણ કોષ માટે 400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે. સાથે જ દેશી દારૂ અને આઈ એમ એફ એલ ના ઉત્પાદન ઉપરના શુલ્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્યમાં વાઈનરીને પ્રોત્સાહન આપવા માટે વાઈનરીના શુલ્ક ઓછા કરવામાં આવ્યા છે. નવી નીતિ અંતર્ગત એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પંચકુલામાં મનસાદેવીના મંદિરની આસપાસ અને પવિત્ર ક્ષેત્રો તેમજ ગુરુકુળ ચાલતા હોય તેવા વિસ્તારમાં દારૂના ઠેકા ખોલવામાં નહીં આવે.

આલ્કોહોલની માાત્રા ઓછી હોય તેવા પદાર્થોનું વેચાણ વધારવા માટે રેડી ટૂ ડ્રિંક પદાર્થો અને બીયર પર માઈલ્ડ અને સુપર માઈલ્ડ શ્રેણીની વસ્તુઓના ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રિંકુ-નીતિશની તોફાની ઈનિંગ્સ, કોલકાતાએ ઘરઆંગણે CSKને હરાવ્યું, મેળવી જબરદસ્ત જીત

0

Rinku-Nitish’s storming innings

  • IPL 2023માં આજની મેચમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી 6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી.

ચેન્નાઈ (Chennai) ખાતે આવેલ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) ખાતે આજે IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. જેમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) 6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી. આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સએ (Chennai Super Kings) ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિણર્ય લીધો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના બેસ્ટમેનોએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 144 રન બનાવ્યા હતા.

નીતિશ રાણાએ પણ 44 બોલમાં 57 રન કર્યા :

બાદમાં 145 રનના ટાર્ગેટને પર કરવા ઉતરેલ કોલકતા નાઈટ રાઈડર્સની ટીમની પ્રથમ વિકેટ સસ્તામાં પાડી હતી. જેસન રોય 15 બોલમાં 12 રન કર્યા હતા તો ગુરબાજ માત્ર 1 રને આઉટ થયો હતો. વધુમાં વેંકટેશ અયયર પણ 9 રન કરી પરત ફર્યો હતો. બાદમાં નીતિશ રાણાં અને રીંકુ સિંહની જોડીએ મેચમાં પ્રાણ પુરી દીધા હતા. રીંકુ સિંહે 42 બોલમાં 54 રન કર્યા હતા. તો નીતિશ રાણાએ (Nitish Rana) પણ 44 બોલમાં 57 રન કર્યા હતાં. જેને છેલ્લાં બોલ પર ફોર મારી ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો :-

હવે યુઝર્સને મેસેજ Send કર્યા પછી પણ Edit કરવાની સુવિધા મળશે

Now users will

  • WhatsApp New Update : વોટ્સએપનો ઉપયોગ મોટા ભાગના લોકો દ્વારા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરવામાં આવે છે. વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એપમાં એક નવું ફીચર એડ કર્યું છે. આના ઉપયોગથી મેસેજમાં થતી ભૂલો સુધારી શકાશે.

મોટાભાગના લોકો WhatsAppનો ઉપયોગ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરે છે. WhatsApp એ મેસેજિંગ માટે વધુ અનુકૂળ એપ છે અને મેસેજ તરત જ રીસીવર સુધી પહોંચે છે. ઘણી વખત કેટલાક લોકો WhatsApp પર મેસેજ કરતી વખતે વધુ ભૂલો કરે છે. આવી સ્થિતિમાં આ મેસેજને ડીલીટ (Delete the message) કરી દેવાનો એકમાત્ર વિકલ્પ હતો. પરંતુ હવે જો વોટ્સએપ પર મેસેજ કરતી વખતે કોઈ ભૂલ થાય તો તમે તેને એડિટ કરી શકો છો.

whatsapp નું નવું ફીચર :

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ઝડપથી તેની પ્રોડક્ટ્સમાં ફેરફાર કરી રહી છે. ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં મેસેજ એડિટ કરવાની સુવિધા ઉમેરવામાં આવી છે. સંદેશ બદલવા માટે, તમારે ખૂણા પરના 3 બિંદુઓ પર ક્લિક કરવું પડશે.

આ પછી તમારે એડિટ મેસેજના ઓપ્શનમાં જઈને મેસેજ બદલવો પડશે. આ પછી મોકલેલ મેસેજ પણ તમારા અનુસાર બદલાઈ જશે. જો કે રીસીવર ચોક્કસપણે જાણશે કે તમે મેસેજ બદલ્યો છે. પરંતુ તે એ જાણી શકશે નહીં કે તમે મેસેજમાં શું ફેરફાર કર્યા છે.

મહત્વની વાત  :

આ સુવિધાની પણ ઘણી મર્યાદાઓ છે. જો તમે મલ્ટી-ડિવાઈસમાં સમાન વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમને એડિટ કરવાનો વિકલ્પ મળશે નહીં. સરળ ભાષામાં સમજીએ તો જો તમે એક ડિવાઈસમાંથી મેસેજ મોકલ્યો હોય અને પછી બીજા ડિવાઈસમાં તમારું WhatsApp લોગિન કર્યું હોય તો જો તમે બીજા ડિવાઈસથી લોગિન કરો તો આ મેસેજ એડિટ કરી શકાશે નહીં. તમને એ જ ડિવાઈસમાં મેસેજ એડિટ કરવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો :-

દિલ્હી પહોંચ્યો કર્ણાટકનો વરઘોડો ! શિવકુમાર કે સિદ્ધારમૈયા, કોના શિરે બાંધશે સાફો ?

0

The groom of Karnataka reached Delhi

  • Karnataka Upadates : કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીને ચૂંટવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, ડીકે શિવકુમારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન બનવાના સૌથી મોટા દાવેદાર સિદ્ધારમૈયાને તેમના જન્મદિવસનો પહેલો ભાવ ખવડાવ્યો હતો.

એન્ટી ઈનકમબન્સી અને બીજા ફેક્ટરને કારણે કર્ણાટકમાં (Karnataka) આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જ્યારે લોકોએ કોંગ્રેસને જંગીબહુમત અપાવીને જીતાડી છે. જોકે હવે કર્ણાટકમાં સીએમ કોને બનાવવા એ અંગે પેચ ફસાયેલો છે. શિવકુમાર (Shivakumar) કે સિદ્ધારમૈયા (Siddaramaiah), કોણ બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી ? જાણો શું થયું ધારાસભ્ય દળની બેઠકમાં.

હાલ કોંગ્રેસમાં ડીકે શિવકુમાર vs સિદ્ધારમૈયા એટલે કે કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વચ્ચે સખત હરિફાઈ ચાલી રહી છે. આ હરીફાઈ સીએમ પદ માટે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સિદ્ધારમૈયા 2024 સુધી મુખ્યમંત્રી પદ સંભાળી શકે છે. ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી પદ અને મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે. ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે.

કર્ણાટકમાં મોટી જીત બાદ મુખ્યમંત્રીની ચૂંટણી કોંગ્રેસ માટે એક નવું ટેન્શન બની ગયું છે. કારણ કે આ પદ માટે કર્ણાટક કોંગ્રેસના બે મજબૂત નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. બેંગલુરુમાં બંને નેતાઓના સમર્થકોના પોસ્ટરો અને સૂત્રોચ્ચારથી વાતાવરણ ગરમાયું છે. હાલ કોંગ્રેસના નિરીક્ષકોએ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે. હવે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ કર્ણાટકના નવા સીએમ કોણ હશે તે નક્કી કરવાનું છે. દરમિયાન આજે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હીમાં ખડગેને મળી શકે છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીને ચૂંટવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ડીકે શિવકુમારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન બનવાના સૌથી મોટા દાવેદાર સિદ્ધારમૈયાને તેમના જન્મદિવસનો પહેલો ભાવ ખવડાવ્યો હતો. . શું કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સિદ્ધારમૈયાને પહેલા મુખ્યમંત્રીની સીટ પર બેસાડશે? આ એક મોટો પ્રશ્ન છે.

આ પ્રશ્નો વચ્ચે, સૌથી પહેલા અમે તમને જણાવીએ છીએ કે બેંગલુરુમાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં શું થયું અને આ બેઠકમાંથી બહાર આવ્યા પછી કોંગ્રેસના નિરીક્ષકે શું માહિતી આપી. જે હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી હતી. બહાર હાજર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો પોતાના નેતાઓને મુખ્યમંત્રી બનાવવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ અંદર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ધારાસભ્ય દળની બેઠકમાં સાથે બેઠા હતા.

બેઠક દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, દીપક બાવરિયા અને ભંવર જિતેન્દ્ર સિંહે તમામ ધારાસભ્યો સાથે અલગ-અલગ વાતચીત કરી અને તેમનો અભિપ્રાય માંગ્યો. કોંગ્રેસ વિધાનસભા પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નવા નેતાની પસંદગી માટે અધિકૃત કરતો ઠરાવ પસાર કર્યો હતો. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ બેઠક પૂરી થયા બાદ આ માહિતી આપી હતી.

આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડનો આખરી નિર્ણય શું હશે? રેસમાં આગળ દેખાતા સિદ્ધારમૈયાના નામ પર મહોર લાગશે કે ડીકે શિવકુમારને જન્મદિવસની ભેટ મળશે તે એક-બે દિવસમાં નક્કી થશે?

આ પણ વાંચો :-