Home Blog Page 1082

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવાની અફવા કોણ ફેલાવે છે? ભૂતકાળમાં પણ ભાજપનાં અસંતુષ્ટોએ જ પોતીકી સરકારો ઉથલાવી હતી

  •  Chief Minister Bhupendra Patel
  • આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બેમાંથી કોણ સક્ષમ નહોતું? બન્‍ને શિ‌િક્ષત અને રાજકીય પીઢ હોવા ઉપરાંત સરકાર ચલાવવાનો લાંબો અનુભવ ધરાવતા હતા છતાં કોણે ઉથલાવ્યા હતા?
  • પાંજરું ભલે સોનાનું હોય પરંતુ આખરે એ કેદખાનું જ છે, પાંજરામાં પુરાયેલો પોપટ પોતાની ઈચ્છા મુજબ ગગનમાં વિહાર કરી શકતો નથી, ભાજપ નેતાગીરીનાં ‘અંકુશ’ હેઠળનો ભલભલો મુખ્યમંત્રી પણ સફળ થઈ શકશે નહીં.
  • એવી માન્યતા છે કે, વડાપ્રધાન મોદી રજુ થયેલી વાતની ખરાઈ કર્યા વગર જ નિર્ણય લેતા હોવાથી ભાજપનાં જ અસંતુષ્ટોએ એકપણ મુખ્યમંત્રીને સફળ થવા દીધા નથી

ગઇકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત બાદ કેટલાક અવળચંડા લોકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાઇ રહ્યા હોવાની અફવાઓ ફેલાવીને ગુજરાત સરકાર અને ગુજરાતના રાજકારણના શાંત વમળોમાં પથ્થરા ફેંકવાનું કામ કર્યું હતું. આમ પણ ગુજરાતની નવી સરકારની રચના અને શાંત અને વિનમ્ર સ્વભાવના ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મોવડી મંડળે યથા યોગ્ય નિર્ણય કર્યો હતો પરંતુ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં કેન્દ્રીય નેતૃત્વ થાપ ખાઈ ગયું હતું. પરિણામે સજ્જડ અને પૂર્ણ બહુમતની સરકાર હોવા છતા લોકોને સરકારની કામગીરીનો અહેસાસ થતો નથી. આ ઉપરાંત ભાજપની છાવણીમાં પોતે મંત્રીનો દાવો લઇને ફરતા કેટલાક એવા જાણીતા ચહેરાના નામ કપાઈ જવાથી હવે દુભાયેલા આવા ખુદ પક્ષના જ લોકો છાશવારે મુખ્યમંત્રી બદલાઈ રહ્યા હોવાની વાતો ફેલાવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘણા લાંબા સમયથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ થોડા થોડા દિવસે ચલાવવામાં આવે છે. અગાઉ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ મનસુખ માંડવિયાનું નામ ચલાવવામાં આવતું હતું. જોકે મનસુખ માંડવિયા પોતે પોતાનું નામ ચલાવે એવો તેમનો સ્વભાવ નથી વળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગનો હવાલો સંભાળવા ઉપરાંત સરકારમાં મહત્વના મંત્રી તરીકેનું સ્થાન ભોગવી રહ્યા હોવાથી મનસુખ માંડવિયા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે આતુર હોય એવું બની શકે નહીં અને તેમ છતાં થોડા થોડા દિવસે પાટીદાર આગેવાન તરીકેની તેમની ઓળખ ઊભી કરીને ચોક્કસ લોકો અથવા તો ખુદ મનસુખ માંડવિયાના ટેકેદારો નામ ચલાવતા હોવાની શકયતા બની શકે.

વળી આજે તો મનસુખ માંડવિયા ઉપરાંત ભીખુ દલસાણિયાનું નામ પણ ફરતું કરવામાં આવ્યું હતું. વળી ખુદ વડાપ્રધાન મોદીનો હવાલાનો ટાંકીને મેસેજ ફરતા કરાયા હતા. આ મેસેજમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે. મનસુખ માંડવિયા હાલ જાપાન પ્રવાસે છે તેમ છતાં પ્રવાસ ટુંકાવીને પાછા ફરવા માટે જણાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેર, કોઇ માને કે નહીં માને પરંતુ ગુજરાત ભાજપની છાવણીમાં બધુ જ યથા યોગ્ય નથી ગુજરાત સરકારનો સંપૂર્ણ વહિવટ, નિર્ણયો કેન્દ્ર કક્ષાએથી લેવામાં આવે છે. આ વાત પણ જગજાહેર છે. તેમ છતા ગુજરાત સરકાર અને ભાજપની છાવણીમાં કોઇક ખૂંણામાં સબડતો અસંતોષ થોડા થોડા દિવસે અફવાઓ બનીને ઉભરી આવે છે. અને ફળશ્રૃતિરૂપે સરકારમાં બેઠેલા મંત્રીઓના નૈતિક જુસ્સા ઉપર ખોટી અસરો પહોચાડે છે જ્યારે અધિકારીકક્ષાએ કામ કરવાની સ્પીડ તૂટી જાય છે.

અત્રે કેટલીક સ્પષ્ટતા કરવી યોગ્ય નથી પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ કોઇકને કોઇક રીતે બંધાયેલા હોય એવી અનુભૂતી થઈ રહી છે. ખુદ ભૂપેન્દ્ર પટેલ નહીં સ્વીકારે પરંતુ જે લોકોને દેખાઇ રહ્યું છે જે લોકોને અનુભવાઈ રહ્યું છે એ જોતા ભૂપેન્દ્ર પટેલની હાલત સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી કહી શકાય. પાંજરુ ભલે સોનાનું છે પરંતુ આખરે એ કેદખાનું છે. કદાચ ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવે તો પણ આવનારો એક પણ મુખ્યમંત્રી નિર્ણય કરવા માટે સ્વતંત્ર નહીં હોય કારણ કે ‘અંકુશ’ને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગમે તેવો ‘મરદ’ પણ મુખ્યમંત્રી તરીકેની સફળ કામગીરી કરી નહીં શકે.

નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ મળ્યા હતા આનંદીબેન પટેલ વહિવટ કુશળ અને રાજકીય આટાપાટાને સમજવા માટે સક્ષમ હતા. વળી આનંદીબેન પટેલના મોટાભાગના નિર્ણયો લોકભોગ્ય હતા. કોઇ ખૂંણામાં પણ લોકોમાંથી આનંદીબેન પટેલની સરકાર સામે નારાજગી નહોતી તેમ છતાં આનંદીબેન પટેલની સરકારને ઉથલાવવામાં કોનો હાથ હતો? તે કહેવાની જરૂર નથી. આ અસંતુષ્ટોએ જ પાટીદાર યુવાનોને ગુમરાહ કરવાના પણ પ્રયાસો કરીને સળગતી રાજકીય આગમાં હાથ શેકી લેવાનો ધંધો કર્યો હતો. અને અંતે આનંદીબેન પટેલની સરકાર ઉથલાવીને જ રહ્યા હતા પરંતુ આશ્ચર્યજનક એ વાત હતી કે આનંદીબેનને ઉથલાવીને પોતે મુખ્યમંત્રી બની જશે એવું સપનું સાકાર થયું નહોતું અને અસંતુષ્ટો માટે આઘાતજનક કહી શકાય એ રીતે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા.

વિજય રૂપાણી પીઢ રાજકીય આગેવાન ભાજપના જ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંઘ પરિવાર સાથે નાતો ધરાવતા હોવાથી સરકાર ચલાવવામાં નબળા પુરવાર થયા નહોતા તેમ છતાં તેમની સામે જાતજાતના આક્ષેપો અને અફવાઓ ફેલાવીને વિજય રૂપાણીને મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરવાની ફરજ પાડી હતી. વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચેનો ગજગ્રાહ સમગ્ર ગુજરાતની જનતાએ જોયો હતો અને ત્યાર પછી ‘છપર ફાડી’ને આવેલા ભૂપેન્દ્ર પટેલની કઇ રીતે પસંદગી કરવામાં આવી હશે એ આજે પણ રહસ્ય છે.

સીધા સાદા અને ભગવાનના માણસ ભૂપેન્દ્ર પટેલ સરળ છે પરંતુ ‘અબુધ’ નથી તેઓ વાદવિવાદ કે ઘર્ષણથી હંમેશાં દૂર રહેવામાં માનનારા વ્યક્તિ છે. ભૂપેન્દ્ર પટેલને નજીકથી ઓળખનાર વ્યક્તિ બેધડક આવો અભિપ્રાય આપી શકે પરંતુ ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી પહેલાની પ્રથમ ટર્મમાં તેમના માથા ઉપર એક નહીં અનેક ‘અંકુશ’ મુકવામાં આવ્યા હતા. મતલબ કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્ર નહોતા બલ્કે સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી હાલત હતી.

ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે ‘આપ’ના ગુજરાતમાં પ્રવેશને પગલે ભાજપની છાવણીમાં ભરઊંઘમાંથી પણ જાગી જવાય એવું ડરામણું ચિત્ર હતું. પરંતુ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લઇને ૧૫૬ બેઠકો કબજે કરીને રાજકીય વિરોધીઓની આંખે અંધારા લાવી દીધા હતા. ઝળહળતા વિજય સાથે ગુજરાતની ગાદી ફરી ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપી હતી અને આ વખતે એવું કહેવાતું હતું કે ભૂપેન્દ્ર પટેલ ‘નિરકુંશ’ મુખ્યમંત્રી છે. તેઓ કોઇપણ નિર્ણય લેવા માટે મુકત છે પરંતુ હકીકતમાં એવું નથી. ભૂપેન્દ્ર પટેલ ઉપર કેટલા ‘અંકુશ’ હશે એ કદાચ ભૂપેન્દ્ર પટેલ જ કહી શકે અને પરિણામે ભૂપેન્દ્ર પટેલને ‘નબળા’ ચીતરવાનો દાવ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ શિ‌િક્ષત છે. સક્ષમ છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. ભૂતકાળમાં અનેક રાજકીયપદ ભોગવી ચૂકયા છે. મતલબ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે ‘સોબર’ હશે પરંતુ નિષ્ફળ હરગીજ નથી પરંતુ તેમનો સ્વભાવ ‘મોરચો’ માંડવાનો નહીં ‘સરેન્ડર’ થઈ જવાનો હોવાથી તેમને ઉથલાવીને ગાદીએ બેસવાની મહેચ્છા ધરાવતા લોકો છાશવારે અફવા ફેલાવતા હશે એવું ચોક્કસ માની શકાય.

એક એવી છાપ પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત સાંભળેલી વાતની ખરાઈ કર્યા વગર નિર્ણય લેતા હોવાથી તેમના ‘અંકુશ’ હેઠળનો કોઇપણ મુખ્યમંત્રી કદાપી પોતાની જાતને સફળ પુરવાર કરી શકશે નહીં અને છાશવારે ગુજરાતની સરકાર સામે અફવાઓ ફેલાતી રહેશે અને આ અફવાઓ જ સરવાળે સરકારને નિષ્ફળ પુરવાર માટે કારગત પુરવાર થશે.

ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં કારણ વગર ઘણા સક્ષમ મુખ્યમંત્રીઓ, મંત્રીઓને ઘરભેગા થતા જોયા છે. કારણ ‘અફવાઓ’ અને ‘વહેમ’ની દવા દુનિયામાં ક્યાંય પણ શોધાઇ નથી.

આ પણ વાંચો :-

૧૪ મે ૨૦૨૩નું રાશિફળ : નોકરીમાં પ્રમોશન, સંતાનપક્ષે ગુડ ન્યુઝ : કુંભ સહિત આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ, જુઓ રાશિફળ

Horoscope of 14 May 2023

મેષઃ
આર્થિક પાસુ મજબુત બનતાં આનંદ માં વધારો થાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. જુની ઉઘરાણી છુટી થાય. મિત્રોન સાથ સહકાર મળતો જણાય. નોકરી ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
નાણાંકીય દ્રષ્ટિએ દિવસ સારો છે. ‌પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યક્ષેત્રે અધુરા કાર્ય પુર્ણ થતા જણાય. નવી નોકરી મળી શકે અને ધંધામાં સફળતા મળે. ભાગ્ય સાથ આપતું જણાય.

મિથુનઃ
ગણત્રી પૂર્વક કાર્ય કરી શકાય. વાણીથી ધાર્યા કાર્ય કરી શકાય. ભાગ્યને બળે કાર્યમાં સફળતા અનુભવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્ય સારૂ રહે. જીવનસાથની તબિયતનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી સાચવવું. સંતાનની ચિંતા રહે.

કર્કઃ
સફળતા માટે મહેનત વધારે કરવી પડે. વાણી ઉપર કાબુ રાખવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોના સાથ સહકારથી કામ પાર પડતા જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. ભાગ્યનો સાથ મળતો નથી.

સિંહઃ
મનના ખોટા વિચારો ઉપર કાબુ રાખવો. દિવસ દરમ્યાન આવક જળવાશે. પરિવારમાં વાદ-વિવાદ થી સાચવવું. જમણા હાથની કાળજી રાખવી. કાપડના ધંધામાં લાભ, નોકરીમાં સામાન્ય. સંતાનોથી અસંતોષ રહે. આરોગ્ય સાચવવું. માન-સન્માન સચવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. દિવસ દરમ્યાન શક્તિનો સંચાર થાય. આવકનું પાસુ મજબુત બને છે. પરિવારના સભ્યો વચ્ચે ઉગ્રતા ટાળવી. જમણા હાથની કાળજી રાખવી. નવા રોકાણો ટાળવા. સુખ શાંતિ ઓછા થતા જણાય. માતાની તબિયત સાચવવી.

તુલાઃ
કામકાજમાં વિઘ્નો આવે પરંતુ ભાગ્યને જોરે સફળતા મળે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો નું નિર્માણ થાય. આવક જળવાય. પરિવારના સભ્યો ની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. નવા રોકાણો ટાળવા. જુના રોકાણોમાંથી આવક મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃશ્ચિકઃ
દિવસ દરમ્યાન ઉગ્રતા અને નરમાશનો મિશ્ર અનુભવ થાય. આવક અંગે સંતોષ. પરિવારમાં આ‌નંદ ઉત્સાહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ફાયદાકારક રહે. માતા તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને.

ધનઃ
આવક આવતી અનુભવાય. ભાઇ બહેન વચ્ચે પ્રેમમાં વધારો થાય. પરિવારમાં અત્યંત પ્રસન્નતા ભર્યું વાતાવરણ રહે. નવા આયોજનો સફળ રીતે કરી શકાય. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધામાં લાભ. મકાન બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓ માટે ફાયદો.

મકરઃ
શારિરીક અને માનસિક તંદ‌ુરસ્તી અનુભવી શકાય. આવકમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. ભાઇ બહેનો સાથે પ્રેમભાવમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ. જુના રોકાણોથી ફાયદો મળે.

કુંભઃ
દિવસ દરમ્યાન પ્રસન્નતાનો અનુભવ થાય. જુના ગુરૂ, શિક્ષકો, મિત્રોને મળવાનો યોગ થાય. ગ્રહણ શક્તિ વધે. આવકમાં વધારો થતો જણાય. અનાજ એડમીનીસ્ટ્રેશન, સરકારી, સોની કામ કરતી વ્યક્તિઓ માટે ફાયદો અનુભવાય. પગના તળિયામાં દુઃખાવો થતો જણાય.

મીનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. માનસિક ઉચાટ રહે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. નવા રોકાણો ટાળવા. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થી રાહત અનુભવાય. હાડકાનો દુઃખાવો, આંખની સમસ્યા સતાવે. પત્નિ સાથે મનમેળ રહેશે.

આ પણ વાંચો :-

અદા શર્માએ આલિયાને પણ છોડી પાછળ, સૌથી વધારે કમાણી કરનાર ફિમેલ એક્ટ્રેસ વાળી ફિલ્મ બની ‘ધ કેરલ સ્ટોરી’

The Kerala Story
  • ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ત્યાં જ અદા શર્માએ આલિયા ભટ્ટ અને તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો રેકોર્ડ પણ બ્રેક કરી દીધો છે. જાણો 8 દિવસમાં ફિલ્મે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

સુદિપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ (The Kerala Story) બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ વર્કિંગ ડેઝમાં વર્ષની બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. ફિલ્મની સ્ટોરી 3 મહિલાઓ પર આધારિત છે. ધ કેરલ સ્ટોરીમાં અદા શર્મા લીડ રોલમાં છે. હવે અદા શર્માએ (Ada Sharma) આલિયા ભટ્ટને (Alia Bhatt) પાછળ છોડતા એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ ગયા અઠવાડીએ કમાણીના મામલામાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને પણ પાછળ છોડી દીધી છે. હવે ધ કેરલ સ્ટોરી અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનાર મહિલા એક્ટ્રેસ વાળી ફિલ્મ બની ગઈ છે.

૮૧.૩૬ કરોડનું કલેક્શન :

સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી ‘ધ કેરલ સ્ટોરી‘એ ૦૭ દિવસમાં ૮૧.૩૬ કરોડનું કલેક્શન કરી દીધુ હતું. જે આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠીવાડી’ને પછાડતા એક મહિલા-કેન્દ્રિત ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટુ શરૂઆતી સપ્તાહ રહ્યું છે. જોકે ફિલ્મને તેમની સ્ટોરી અને વિવાદના કારણે હેડલાઈન્સ મળી જેનો ફાયદો સિનેમાઘરોમાં જોવા મળી રહ્યો છે.

ધ કેરલ સ્ટોરી ટોપ પર :

વાત કરીએ બોલિવુડની ૦૫ સૌથી મોટી મહિલા પ્રધાન ફિલ્મોની તો તેના માટે અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ ટોપ પર છે. પહેલા અઠવાડિયાની કમાણીના મામલામાં કેરલ સ્ટોરીએ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને પાછળ છોડી દીધી છે. આલિયા ભટ્ટની આ ફિલ્મે ૬૮.૮૨ કરોડની કમાણી કરી હતી.

ત્યાં જ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાએ ૬૧.૧૫ કરોડ કમાણી કરી હતી. કરિના કપૂરની ફિલ્મ વીરે દિ વેડિંગે ૫૬.૯૬ કરોડ કમાયા અને આલિયાની ફિલ્મ રાઝીએ ૫૯.૫૯ કરોડનું કલેક્શન કર્યું હતું.

જણાવી દઈએ કે ધ કેરલ સ્ટોરીની શુક્રવારની કમાણીની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી ૧૩ કરોડનું કલેક્શન કર્યું છે. વીક ડેઝમાં ફિલ્મની કમાણીમાં શાનદાર વધારે જોવા મળ્યો છે. આ રીતે ફિલ્મે અત્યાર સુધી કુલ ૯૩ કરોડની કમાણી કરી લીધી છે અને વીકેન્ડ પર ફિલ્મ ૧૩ કરોડના આંકડાને પાર કરી આગળ નિકળી જશે.

આ પણ વાંચો :-

VIDEO : સૂર્યાએ ‘નટરાજ સ્ટાઈલ’માં ફટકારી શાનદાર સિક્સ, સચિન તેંડુલકર પણ રહી ગયા દંગ

0

VIDEO 

  • સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં અલગ જ રંગમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિરૂદ્ધ 12 મેએ રમાયેલા આઈપીએલ મેચ નંબર 57માં તેમણે મોહમ્મદ શમીના વિરૂદ્ધ સિક્સ મારી. જેને જોઈ માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ ચોંકી ઉઠ્યા હતા. સચિના રિએક્શનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) વચ્ચે આઈપીએલની મેચ નંબર 57માં બેટિંગ અને બોલિંગની શાનદાર ઈનિંગ જોવા મળી. આ મેચમાં બાજી મુંબઈના (Mumbai) હાથમાં લાગી. જ્યાં રોહિત શર્મા એન્ડ કંપનીએ હાર્દિક પંડ્યાની (Hardik Pandya) ગુજરાતને 27 રનોથી મ્હાત આપી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 103 નોટની ઈનિંગ રમી. ત્યાં જ બોલિંગમાં ઉત્તરાખંડ (Uttarakhand) રૂડકી શહેરના રહેનાર આકાશ મધવાને ત્રણ વિકેટ મેળવી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૂર્યકુમારે ફક્ત 49 બોલમાં 103 રન માર્યા. તેમની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 6 સિક્સ શામેલ રહ્યા હતા. સૂર્યાએ પોતાની ઈનિંગમાં બન્ને ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમીના વિરૂદ્ધ જે શોર્ટ રમ્યો. તેને આ આઈપીએલનો સૌથી ચોંકાવનારો શોર કહેવામાં આવી શકે છે. સૂર્યાનો આ શોર્ટ થર્ડમેનની દિશામાં ગયો.

સૂર્યાના શોર્ટને લઈને લોકોએ આપ્યું રિએક્શન  :

સોશિયલ મીડિયા પર પણ સૂર્યકુમાર યાદવે આ શોર્ટને લઈને ઘણા લોકોને રિએક્શન આપ્યું છે. ખુદ મુંબઈના ડગઆઉટમાં બેઠેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે સૂર્યાના આ શોર્ટને કોપી કરતા જોવા મળ્યા.

બાદમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું પણ આ શોર્ટ પર રિએક્શન આવ્યું છે. સચિને આ ખાસ શોર્ટને લઈને એક ટ્વીટ કર્યું અને તેમાં સૂર્યકુમાર યાદવ અને ગેંદબાજ મોહમ્મદ શમીને ટેગ કર્યું. સચિને પોતાના ટ્વીટમાં લખ્યું- સૂર્યાએ આજે સાંજના આકાશને પ્રકાશિત કરી દીધુ. તેમણે સંપૂર્ણ ઈનિંગ વખતે ઘણા કમાલના શાર્ટ રમ્યા. પરંતુ જે સિક્સ તેમણે થર્ડમેનની દિશામાં લગાવ્યું તે એકદમ અલગ રહ્યું.

આ પણ વાંચો :-

બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘જય હનુમાન જ્ઞાનગુન સાગર…’, ભારતીયો સાથે વિદેશીઓએ હનુમાન ચાલીસાનાં પાઠ

Jai Hanuman Jnanagun Sagar…’

  • એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમા બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે.

તમે અત્યાર સુધી ભારતમાં હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ સાંભળ્યા હશે. પરતું આશ્ચર્યનજક વાત એ છે કે લંડનમાં હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોઇએ સપને પણ વિચાર્યું નહીં હોય કે લંડનની (London) પાર્લામેન્ટમાં (Parliament) હનુમાન ચાલીસાના પાઠ થશે અને ત્યાં હાજર રહેલા વિદેશી વ્યક્તિઓ પણ તેમાં જોડાશે.

રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી મહારાજે જ્યારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા ત્યારે કોઈ વ્યક્તિ પોતાને રોકી શક્યું નહીં. જ્યારે પાઠ શરૂ થયા ત્યારે ભારતીય લોકો પણ હાજર હતા અને તેની સાથે વિદેશી લોકો પણ ભક્તિમાં લિન્ન થયા હતા.

લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 31 હસ્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનારી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી સહિત રાજસ્થાનની અન્ય 6 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન સંસ્કૃતિ યુવા સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું.

સંસ્થાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, અમારું માથું ગર્વથી ઉપર રહે છે જ્યારે આપણા દેશની પ્રતિભાઓ વિદેશમાં જઇને દેશનું નામ રોશન કરે છે. સુરેશ મિશ્રાએ જણાવ્યું કે, છેલ્લા ૯ વર્ષમાં ૪૦૦ અપ્રવાસી ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા કરી ત્યાં કોંગ્રેસની કેવી છે હાલત, જાણી લો આવું છે રિઝલ્ટ

0

Wherever Rahul Gandhi  

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કર્ણાટકમાં ૨૧ દિવસ વિતાવ્યા અને ૩૦ એપ્રિલથી ૧૯ ઓક્ટોબર સુધી ભારત જોડો યાત્રા કરી હતી.

કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે અને કોંગ્રેસ (Congress) પાર્ટી પ્રારંભિક વલણોમાં આગળ છે. કોંગ્રેસના ઉદય વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Rahul Gandhi Bharat Jodo Yatra) ની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ એ તમામ સીટો પર સારો દેખાવ કરી રહી છે જ્યાંથી રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ૫૧ વિધાનસભા બેઠકો કવર કરી હતી :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દ્વારા કર્ણાટકની ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી 51 બેઠકો કવર કરી હતી અને કોંગ્રેસ ૩૨ બેઠકો પર આગળ છે. આ હિસાબે કોંગ્રેસને ૬૩ ટકા સીટો પર રાહુલ ગાંધીની મુલાકાતનો ફાયદો મળ્યો છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ પાર્ટી પણ ૧૯ બેઠકો પર પાછળ છે. જ્યાં રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો :-

આ આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ Photo Editor Apps મચાવી રહી છે ધૂમ

These artificial intelligence 

  • સામાન્ય રીતે જો તમને ફોટો એડિટિંગ ન આવડતું હોય તો ફોટો તમે બરાબર રીતે એડિટ કરી શકતા નથી. પરંતુ આ એપ્લિકેશન પ્રો લેવલનું એડિટિંગ સરળતાથી કરી આપે છે. આજે તમને આવી જ એપ્લિકેશન્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સામાન્ય ફોટાને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકો છો.

AI ટુલ્સ (AI Tools) માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તેનું સૌથી મુખ્ય કારણ છે કે આ ટુલ્સ નિર્ણય લેવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેવામાં હવે ફોટો એડિટિંગ માટે પણ AI એપ્સ ધમાલ મચાવી રહી છે. ફોટો એડીટીંગ (Photo editing) કરવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે. આ એપ્લિકેશન એટલી જોરદાર છે કે તમે ફોટો એડીટીંગ નહીં શીખ્યું હોય તો પણ ફોટોને સારી રીતે એડિટ કરી શકશો.

સામાન્ય રીતે જો તમને ફોટો એડિટિંગ ન આવડતું હોય તો ફોટો તમે બરાબર રીતે એડિટ કરી શકતા નથી પરંતુ આ એપ્લિકેશન પ્રો લેવલનું એડિટિંગ સરળતાથી કરી આપે છે. આજે તમને આવી જ એપ્લિકેશન્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સામાન્ય ફોટાને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકો છો અને તે પણ એક ક્લિકની મદદથી.

Pixelup :

આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપની મદદથી ફોટોને એન્હાન્સ કરી શકાય છે. અવતાર ક્રિએટ કરી શકાય છે. ફોટોને કલરાઈઝ કરી શકાય છે. ઉપરાંત તેમાં એનિમેશનનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને તમે સામાન્ય ફોટાને પણ દમદાર બનાવી શકો છો.

Picsart  :

આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ એપ દ્વારા યુઝર પોતાની ફોટોને જોરદાર રીતે એડિટ કરી શકે છે. આ એપ્લિકેશનની મદદથી નબળી ક્વોલિટીના ફોટાની ક્વોલિટી પણ સુધારી શકાય છે સાથે જ ફોટોમાં કાર્ટૂન પણ બનાવી શકાય છે અને તેમાં વિડીયો બનાવવાનું ઓપ્શન પણ મળે છે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારી એડીટીંગની ક્રિએટિવિટી દેખાડી શકો છો.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં જીતની દુવા ! પ્રિયંકા ગાંધીએ હનુમાન મંદિરની પૂજા, Video Viral

0

Victory in Karnataka 

  • Karnataka Election Result 2023 : કર્ણાટક ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ ઉત્સાહિત છે. કોંગ્રેસે રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે. ‘હું અજેય છું, મને ખૂબ વિશ્વાસ છે, હા, આજે હું અજેય છું.’

કર્ણાટક વિધાનસભા (Karnataka Election) માટે પડેલા મતોની ગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટી હેડક્વાર્ટરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) શિમલાના (Shimla) પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

મંદિરની મુલાકાતનો વીડિયો શેર કરતા પાર્ટીએ કહ્યું કે, “કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શિમલાના પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી અને દેશની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”

આના થોડા સમય પહેલા કોંગ્રેસે રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે. ‘હું અજેય છું, મને ખૂબ જ વિશ્વાસ છે, હા, આજે હું અજેય છું.’ સ્પષ્ટ છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામોને કારણે પાર્ટી ખૂબ જ ઉત્સાહિત છે.

કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ રાહુલ ગાંધીનો વીડિયો ભારત જોડો યાત્રાનો છે. 50 સેકન્ડના આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળી શકાય છે. આમાં એક પંક્તિ વારંવાર પુનરાવર્તિત થાય છે – હું આજે અજેય છું.

તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન બાદ આવેલા મોટાભાગના પોસ્ટ પોલ સર્વે (એક્ઝિટ પોલ)માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની આગાહી કરવામાં આવી હતી. મતગણતરી સાથે આ અંદાજ સાચો સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

મોબાઈલની જેમ હવે લાઈટબીલનું પણ થશે રિચાર્જ..

Prepaid Smart Electric Meter

  • Prepaid Smart Electric Meter: હવે મોબાઈલની જેમ થશે લાઈટનું રિચાર્જ, સરકાર દ્વારા અમલી થવા થઈ રહી છે એક નવા પ્રકારની જ વ્યવસ્થા. લોકોની સુખાકારીમાં વધારો કરવા લેવાયો છે આ નિર્ણય.

બદલાતા સમયની સાથે તમામ વ્યવસ્થાઓમાં બદલાવ આવી રહ્યો છે. ત્યારે સરકાર હવે લાઈટબીલની (Lightbill) વર્ષોથી ચાલી આવતી પ્રથાને પણ બદલવા માંગે છે. જેને કારણે ગ્રાહકો એટલે કે નાગરિકોને સીધો તેનો લાભ મળી શકે. કોઈપણ પ્રકારનું ચિટિંગ ન થાય. એટલું જ નહીં પણ તમારી જરૂરિયાત મુજબનો જ વીજ વપરાશ થાય અને તમને તેનું યોગ્ય મુલ્યાંકન કરવાન પણ અવસર મળે.

બિલ ભરવાની માથાકુટમાંથી પણ મુક્તિ મળે. આવા અનેક આશયોને ધ્યાને રાખીને સરકાર લાવવા જઈ રહી છે પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર (Pre-Paid Smart Electric Meter). ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આ વ્યવસ્થા અમલી બનાવવાની દિશામાં હાલ કામ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિમ અમલમાં મુકાઈ છે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર (A Revamped Distribution Sector) સ્કિમ અમલમાં મૂકાઈ રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે.

પહેલાં ફેઝમાં શું થશે?

પ્રથમ તબક્કામાં તમામ સરકારી વિભાગો, કચેરીઓ, બોર્ડ-નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટ૨ લગાવાશે. સૌરાષ્ટ્રથી શરૂઆત થવાની સંભાવના છે. સંભવતઃ રાજ્યના રાજકોટ શહેરથી આની શરૂઆત થઈ શકે છે.

ક્યારે થશે ગુજરાતમાં અમલ?

ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. જેને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં લગભગ પૂરી કરી દેવાશે. ગુજરાતમાં આ યોજનાના અમલ બાદ, વીજ-વપરાશ માટેના માસિક કે બે માસિક બીલ નહીં આવે પણ દરેક વીજ- ગ્રાહકે હાલ તેમના પ્રિ-પેઈડ મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે અને મોબાઈલ ફોનનો ચાર્જંગ પૂરું થઈ ગયા બાદ મોબાઈલ ફોન બંધ થઈ જાય છે.

તે રીતે જ હવેથી આ નવા પ્રિપેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાયા બાદ દરેક વીજ-ચાહકોએ તેમના વીજ મીટર રિચાર્જ કરાવવા પડશે. રિચાર્જ પૂરો થાય કે ફરીથી રિચાર્જ કરાવવો પડશે. એક જાણકારી મુજબ વીજ વિતરણ કંપની (ડિસકોન-DISCOM)એ ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેકટ્રીક મોટર લગાવવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ભારત સરકારને સોંપી દીધો છે.

આ પણ વાંચો :-

 

 

હું ટકલો થઈ ગયો હતો… અડધી રાતે ખૂબ રડયો : KKR ના સ્ટાર ખેલાડીએ સ્ટ્રગલના દિવસોનો કર્યો ખુલાસો

0

I was devastated

  • કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર બોલર સુયશ સુપ્રભ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે આ વર્ષે ઘણા બેટસમેનોને પરેશાન કર્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો છે.

IPLની 56મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. KKRના બોલર સુયશ શર્માએ (Suyesh Sharma) આ મેચમાં સારી ઈકોનોમી સાથે બોલિંગ કરી હતી. પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. સુયશના ઈન્ટરવ્યુનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે તમારા સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો છે.

હું 3 થી 5 વાગ્યા સુધી રડયો :

ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં સુયશે કહ્યું છે કે, ગયા વર્ષે જ્યારે મેં અંડર 19 ટ્રાયલ આપી હતી ત્યારે મારી પસંદગી કરવામાં આવી ન હતી. મેં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને પછી રાત્રે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે લિસ્ટ આવ્યું હતું. હું સૂઈ ગયો હતો અને પછી મારી આંખ ખુલી અને પછી હું 3 થી 5 વાગ્યા સુધી રડયો.

આ વર્ષે IPLમાં અત્યાર સુધીમાં 9 મેચમાં 10 વિકેટ ઝડપી :

તે પછી હું ઘરે ગયો અને મને ટાલ પડી ગઈ. હું પણ ચિંતિત હતો કે મારો શું વાંક હતો. હું પણ સારું કરી રહ્યો છું. હજુ પણ મારી સાથે આવું થઈ રહ્યું છે. તે પછી મેં વિચાર્યું હતું કે હું મારી કુશળતા સુધારીશ કે તે મને ઘરેથી લઈ જશે. મારા વાળ પણ વધી રહ્યા હતા અને હું મેચોમાં સારો દેખાવ કરી રહ્યો હતો. તેથી જ મેં મારા વાળ લાંબા રાખવાનું શરૂ કર્યું છે. સુયશ શર્મા આ વર્ષે IPLમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે કુલ 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની એવરેજ 35 રહી છે. તેણે આરસીબી સામે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-