ઈઝરાયલ સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો ગઈકાલે રાતે આખી રાત ચાલ્યો હોવાનું સામે આવ્યું છે.
ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે આખી રાત ચાલુ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ગાઝાના ડોક્ટરોએ આ વિશે માહિતી આપી હતી. જોકે સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણ દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી રોષમાં છે. આવું કરતાની સાથે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગુરુવારે ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, હમાસના પ્રવક્તાએ યુએસ રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હમાસ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો.