સાળંગપુરમાં વિવાદ બાદ મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

Share this story
  • સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે.

સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિવાદ બાદથી મંદિરમાં પહોંચેલા મીડિયાના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વિવાદ બાદથી મીડિયામાં સતત હનુમાનજીની પ્રતિમા નીચેના ભીંત ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે. એવામાં હે મંદિરના પ્રશાસન દ્વારા પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં મીડિયાને વીડિયો કે બાઈટ માટે ન જવા માટે મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે. એવામાં હવે મીડિયા કર્મીઓમાં પણ રોષ ફેલાયેલો છે.

આ પણ વાંચો :-