મારે એક નહીં ૫૦ પુરૂષો સાથે સંબંધ છે કહીં પત્નીએ ૭૫ વર્ષના વૃદ્ધ પતિને….

Share this story
  • અમદાવાદમાં છુટ્ટાછેડાઓનો ભાગ્યે જ કહી શકાય તેવો ચોંકાવનારો અને અવિશ્વસનીય કિસ્સો સામે આવ્યો છે. જેમાં ‘મારે એક નહીં ૫૦ પુરૂષો સાથે સંબંધ છે’ તેમ કહીં પત્નીએ વૃદ્ધ પતિને ઘરમાંથી કાઢી મૂક્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના રેર ઓફ ધી રેર કહી શકાય તેવા છુટ્ટાછેડાની વાત કરવામાં આવે તો ૭૫ વર્ષના લાલદાસ હરિયાણી (નામ બદલ્યું છે) અમદાવાદમાં આવેલ ડ્રાઈવ ઈન રોડ પરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહે છે. લાલદાસ હરિયાણી ટીબી, અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશર અને આર્થરાઈટીસ સહિતના રોગ ભોગવે છે. જે મૂળ જસદણના વતની અને વર્ષ ૧૯૬૯માં તેઓ જસદણથી અમદાવાદ આવ્યા હતા અને એ સમયે તેમને GIDCમાં ચોથા વર્ગના કર્મચારીની નોકરી મળી હતી.

વર્ષ ૧૯૭૮માં લાલદાસ હરિયાણી પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરેલુ ઝધડાઓ થતા હતા અને તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. વચ્ચે તેમણે ૨૦ વર્ષ દુરદર્શનના આકાશવાણી કાર્યક્રમમાં ગાયન પણ કર્યું હતુ. આ દરમિયાનવર્ષ ૧૯૮૦માં લાલદાસ હરિયાણીનો પરિચય પૂજા (નામ બદલ્યું છે) સાથે થયો હતો.

ત્યારબાદ લાલદાસ હરિયાણીએ પોતાની જ ઓફિસમાં પૂજાએ નોકરીએ પણ રખાવ્યા હતા. આ દરમિયાન લાલદાસ હરિયાણીએ હરિદાસના ઘર કંકાસનો ખ્યાલ આવતા પૂજાએ લાલદાસ હરિયાણીનું બ્રેઈનવોસ કર્યુ અને અધિકારીઓ સાથે સંબંધ સારા થઈ ગયા હોવાથી લાલદાસ હરિયાણીને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકીઓ આપી અને અંતે લાલદાસ હરિયાણીએ પહેલી પત્ની સાથે વર્ષ ૧૯૮૬માં છુટ્ટાછેડા લીધા હતા અને પૂજા સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પત્ની કહેતી કે તમારા નામે ફ્લેટ કે મિલકત લઈશું તો પ્રથમ પત્નીથી જે દિકરો પારસ હતો  તે ભાગ માગશે જેથી તેમણે ઈન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્ની નામે ખરીદ્યો હતો.

ઈન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્નીના નામે ખરીદ્યો

લગ્ન થયા બાદ લાલદાસ હરિયાણીની મહેસાણા બદલી થઈ હતી જેથી તેઓ અપડાઉન કરતા એ દરમિયાન પણ તેમને અડોસ પડોસના લોકો કહેતા કે તમે મહેસાણા જાવ છો ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે પણ તેઓએ દરકાર લીધી ન હતી. સમય જતા વર્ષ ૨૦૧૩માં હરિદાસ નિવૃત્ત થતા પત્ની પૂજાનો ત્રાસ શરૂ થયો અને નોકરની જેમ ઘરના લાલદાસ પાસે કામ કરાવતા હતા. વર્ષ ૨૦૨૧માં પૂજાએ બપોરે ૩ વાગ્યે તૈયાર થઈને ઘરની બહાર જતા અને મોડી રાત્રે પરત આવતા હતા. જેથી એક દિવસ લાલદાસે પુછ્યુ કે આટલા તૈયાર થઈને ક્યા જાવ છો તો પૂજાએ કહ્યું હતુ કે મારે ૫૦ લોકો સાથે સંબંધ છે. જેને લઇને લાલદાસ પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.

વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ :

આ હરકતથી લાલદાસ હરિયાણીએ પૂજાની ગેરહાજરીમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ ચેક કરતા અનેક પુરૂષો સાથે સંબંધો હોવાનું ખુલ્યુ હતુ. જેમાં અનેક અશ્લિલ ચેટો પણ જોવા મળી હતી. બાદમાં લાલદાસ હરિયાણીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

75 વર્ષીય હરિદાસએ અનૈતિક સંબંધોના પુરાવા રજૂ કર્યા  :

બાદમાં ૭૫ વર્ષના વૃદ્ધ લાલદાસ હરિયાણી આ તમામ બાબતોથી અંત્યંત નિરાશામાં હતા એવામાં ૨૦-૦૭-૨૦૨૩ના રોજ અડધી રાત્રે તેની પત્ની પૂજાએ ઘરની બહાર કાઢી મૂકતા લાલદાસ હરિયાણીએ વકીલની મદદથી અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી છે.

વૃદ્ધે ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે તેની બીજી પત્ની અને તેના ૧૦થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડયો છે અને  તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેની બીજી પત્ની હાલ ૬૮ વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્ની રોજ બપોરે તૈયાર થઈને ઘરની બહાર જતી રહે છે અને રાત્રે ૧૧.૩૦ – ૧૨ વાગે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે.. ૭૫ વર્ષીય લાલદાસ હરિયાણીએ કોર્ટ સમક્ષ અનૈતિક સંબંધોના પુરાવા પણ રજૂ કર્યા છે.

મિલકત આર્મીને ડોનેટ કરી દેશે :

વૃદ્ધ નિવૃત્ત થતાં તેમની ૫૦ લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી પાડનાર વૃદ્ધાએ થોડા દિવસ પહેલાં પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી લાલદાસ હરિયાણીએ કહ્યું હતુ કે તેઓ પોતાનો ફ્લેટ વહેચી તેની રકમ આવશે તો આર્મીને ડોનેટ કરી દેશે અથવા તો ક્યાય દાન કરી દેશે પણ તેમની પત્ની સાથે ફરતા લુખ્ખાઓના હાથમાં નહીં આવવા દે !

આ પણ વાંચો :-