HomeNationalઈઝરાઇલ-હમાસ યુદ્ધના કારણે ઉત્તર પ્રદેશમાં હાઇઍલર્ટ, CM યોગીએ આપ્યા કડક આદેશ

ઈઝરાઇલ-હમાસ યુદ્ધના કારણે ઉત્તર પ્રદેશમાં હાઇઍલર્ટ, CM યોગીએ આપ્યા કડક આદેશ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ઉત્તરપ્રદેશમાં ઈઝરાઇલ-હમાસ યુદ્ધ પર ભારત સરકારનાં સ્ટેન્ડની વિરોધમાં બોલનારા લોકોને ટાર્ગેટ કરતાં CM આદિત્યનાથ યોગીએ ઓફિસરોને સ્પષ્ટ આદેશો આપ્યાં કે ઈઝરાઇલ યુદ્ધમાં ભારત સરકારનાં વિચારોનાં વિરોધની કોઈપણ પ્રકારની ગતિવિધિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા હોય કે ધાર્મિક સ્થળ, ક્યાંયથી પણ કોઈપણ પ્રકારનાં ઉન્માદપૂર્ણ નિવેદનો જાહેર ન થવા જોઈએ. જો કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે તાત્કાલિક કડક પગલાંઓ લેવામાં આવશે.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ભારતે સતત પોતાનું સમર્થન ઈઝરાઇલને આપ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં ભારત સંપૂર્ણપણે ઈઝરાયલની સાથે છે. તો મંગળવારે ઈઝરાઇલનાં PM નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો હતો અને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

ઈઝરાઇલ અને હમાસનાં યુદ્ધની વચ્ચે ભારતમાં આ ઘટના સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શુક્રવારે જમ્મૂ-કાશ્મીરનાં બડગામમાં ઈઝરાઇલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં હતાં. આ નારેબાજી જુમાની નમાજ બાદ લગાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં અને પોતાના હાથમાં પોસ્ટર્સ પકડીને નારેબાજી કરવા લાગ્યાં હતાં. ઈઝરાઇલ-અમેરિકા વિરોધી નારાઓ સિવાય ધાર્મિક નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આ ઘટના બાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img