VNSGU સુરત ખાતે ”શ્રી રામોત્સવ” અંતર્ગત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા

Share this story

અવધના રાજકુમાર અને સમગ્ર વિશ્વના હૃદય સમ્રાટ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે ૨૨ જાન્યુઆરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા શ્રી રામોત્સવ અંતર્ગત ૮:૩૦ કલાકે ભવ્ય રામ રથયાત્રા યોજાઈ હતી. આ રામ રથયાત્રાનું પ્રસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ નામના જયઘોષ સાથે શરૂ થયેલી આ ભવ્ય રામરથ યાત્રા કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા , કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે તેમજ દરેક ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને સેનેટ સભ્ય શ્રીઓ ના નેતૃત્વમાં પગપાળા કરવામાં આવી હતી. આ ભવ્ય રામ રથયાત્રામાં વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગો અને ૨૯ કોલેજના અંદાજીત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ રામ રથયાત્રા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલ થી શરૂ કરવામાં આવી હતી અને અણુવ્રત દ્વાર, સિટી લાઈટ ટાઉનશીપ, સરગમ શોપિંગ સેન્ટર, જાની ફરસાણ, સાયન્સ સેન્ટર થી અણુવ્રત દ્વાર ફરી વિશ્વવિદ્યાલયના કન્વેશન હોલ ખાતે જ સમાપન કરવામાં આવી હતી. આ રામ રથયાત્રામાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ, માતા સિતા, લક્ષ્મણ જી અને હનુમાન જી ની રૂપ વેશભૂષા ધારણ કરી હતી. સેંકડો વિદ્યાર્થીઓના સમૂહ ભગવાન શ્રીરામના ગીત અને ભજન પર ઝૂમતા-ગાતા રથ યાત્રાની શોભા ચાર ગણી કરી રહ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન તેઓ ભગવાન શ્રી રામના જયકારા કરતા જોવા મળ્યા હતા.

આ ભવ્ય રામરથ યાત્રામાં સેનેટ સભ્ય અને એજ્યુકેશન વિભાગના ડીન શ્રી ડો.પત્રલેખા બારડ, ડો.કે.સી. પોરીયા તેમજ અન્ય ગણમાન્ય સેનેટ સભ્યશ્રીઓ, સિન્ડિકેટ સભ્ય શ્રી સંજ્ય લાપસીવાલા, શ્રી કનુ ભરવાડ, શ્રી કિરણ ઘોઘારી , શ્રી ડો. કશ્યપ ખરચિયા, અને અન્ય ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રી ઓ , હિન્દુ અધ્યયન કેન્દ્રના ચેરમેન ડો.અર્પિત દવે , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડો.રેખાબેન ગઢવી, ડો.અદિતિ ભટ્ટ , કાયદાશાસ્ત્ર વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી યશોધરા ભટ્ટ , વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ , પ્રોફેસરો એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ વિદ્યાલય દ્વારા અલગ અલગ કમિટી બનાવવામાં આવી હતી. આ દરેક કમિટીના સભ્યોની અથાગ મહેનતને કારણે પણ વિશ્વવિદ્યાલય ખાતે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ થી ૨૨ જાન્યુઆરી,૨૦૨૪ સુધી યોજાયેલ શ્રીરામોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :-