ગાઝીયાબાદમાં કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો

Share this story

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. ગાઝીયાબાદથી અલીગઢ જતા સમયે કુમાર વિશ્વાસના કાફલા સાથે આ પ્રકારનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા કાર સવાર વ્યક્તિએ આજે બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે એ રીપોર્ટ મેળવી લીધી છે. આ ઘટના અંગેની જાણકારી કુમાર વિશ્વાસે ટ્વીટ દ્વારા આપી હતી.

આજે અલીગઢ જતા સમયે વસુંધરા સ્થિત ઘરેથી જયારે નીકળ્યો ત્યારે હિંડોનના કિનારે  એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ નીચે આવ્યા અને તે વ્યક્તિને પૂછપરછ માટે રોક્યો તો તેણે માત્ર યુપી પોલીસ કોન્સ્ટેબલ જ નહીં પરંતુ કેન્દ્રીય દળોના સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. આ અંગે પોલીસેને રીપોર્ટ સોંપી દીધો છે. હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-