HomeGujaratઆર્મી જવાને જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા

આર્મી જવાને જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક સ્થળોએ ખાના-ખરાબી સર્જાઈ છે.

અનેક સ્થળો પર ગામડાઓના કોઝ વે પરથી ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેના કારણે ગામડાઓ કપાઈ ચુક્યા છે. જો કે કેટલાક લોકો આવા વહેતા પાણીમાં પણ વાહનો લઈ જઈને ઘરે પહોંચવા માટેની ઉતાવળ કરતા હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામે બન્યો હતો.

કસાણ ગામના કોઝ વે પર નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક ઈકો ગાડીના ચાલકે પોતાની ગાડી કોઝ વે પર ચલાવી હતી. જો કે મધ રસ્તે અચાનક આ ગાડી બંધ પડી ગઈ હતી. ગાડી ધીરે ધીરે તણાવા લાગી હતી. જેમાં બેઠેલા પાંચ લોકો સમયસર બહાર તો નિકળી ગયા હતા. જો કે તેઓ કિનારે આવે તે પહેલા તણાવા લાગ્યા હતા. ત્રણ લોકો હેમખેમ બહાર નિકળી ગયા હતા. જો કે બે લોકો ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા.

જો કે મહિલા અને યુવાનને મોટી જાગધાર ગામના આર્મી જવાન વિશાલ ડોડિયાએ બંન્નેને બચાવ્યા હતા. આર્મી જવાન હાલ રજા પર હોવાથી તે ભગુડા ધામના દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે જ આ ઘટના બનતા તેણે જીવની પરવા કર્યા વગર જ નદીમાં કુદીને બે લોકોના જીવ બચાવ્યા હતા. આર્મી જવાનના દિલધડક રેસ્ક્યુના કારણે બે લોકોના જીવ બચી ગયા છે. જીવતા બચેલા બંન્ને લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાએ કહ્યું કે, તે ભાઈ અમારા માટે દેવદુત બનીને આવ્યા હતા. અમારો બંન્નેનો જીવ બચાવ્યો હતો.

સ્થળ પર જ હાજર મામલતદાર નિરવ પારિતોષે આર્મી જવાન વિશાલ ડોડિયાને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, આર્મી જવાન જ્યાં પણ હોય ક્યારે ઓફ ડયુટી નથી હોતો આ કહેવત છે પરંતુ વિશાલ ડોડિયાએ આ વાતને સાચી કરી બતાવી છે. આજે તેણે બે વ્યક્તિના જીવ બચાવીને જિલ્લા સહિત રાજ્ય અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ઈન્ડિયન આર્મી ગમે તેવી સ્થિતિમાં સામાન્ય નાગરિકની સાથે છે તે બાબતનો પરચો આપ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img