ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

Share this story

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતાં. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની ૭ બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાણંદ વિધાનસભા વિસ્તારના APMC સર્કલથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યાર બાદ કલોલ વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ સાબરમતી વિધાનસભા ક્ષેત્રના રાણીપ શાક માર્કેટથી રોડ શો શરૂ કર્યો હતો. જે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર, નારણપુરા વિધાનસભા ક્ષેત્ર અને અંતમાં વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમિત શાહે વેજલપુરમાં જ જાહેર સભા સંબોધી હતી.

અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, ૭મી તારીખે ગુજરાતમાં મતદાન છે. ૭મી તારીખે ૨૬એ ૨૬માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ ૧૦ વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ ૩૭૦ નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો :-