સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના શરૂઆત ટ્રેન્ડ પછી પહેલું નિવેદન બહાર પાડ્યું છે. ટીએમસી પ્રમુખે તેમના કાર્યકરો માટે એક વીડિયો સંદેશો જાહેર કર્યો છે. પરિણામોમાં પાછળ રહ્યા પછી આ પ્રથમ નિવેદનમાં મમતાએ કહ્યું છે કે અમને મતગણતરી કેન્દ્ર પર રોકવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ કાઉન્ટિંગ એજન્ટો બૂથ ના છોડ કારણ કે મતગણતરીના ઘણા રાઉન્ડ બાકી છે.
મમતા બેનર્જીએ પોતાના સંદેશમાં કહ્યું કે આ ભાજપનો પ્લાન છે, હું ગઈકાલથી સાંભળી રહી છું કે ચૂંટણીમાં ભાજપ આગળ રહેશે. ઘણી જગ્યાએ મતગણતરી બંધ કરી દેવામાં આવી છે.
জরুরি বার্তা pic.twitter.com/Uc82oihwEL
— Mamata Banerjee (@MamataOfficial) May 4, 2026
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે કલ્યાણીમાં એવા મશીનો મળી આવ્યા છે જ્યાં મેચ થઇ નથી. કેન્દ્રીય દળો દ્વારા ટીએમસી પર ચારે બાજુથી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. એસઆઈઆર દ્વારા મત ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હજુ પણ આપણે 100 થી વધુ બેઠકો પર આગળ છીએ. પરંતુ આ બતાવવામાં આવી રહ્યું નથી. બધા ખોટા રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે પોતાની મરજીથી કામ કરી રહ્યું છે અને કેન્દ્રીય દળો પણ તેમની સાથે છે. પોલીસ પણ કેન્દ્રીય દળો સાથે મળીને કામ કરી રહી છે.
મમતા બેનર્જીએ ટીએમસી કાર્યકર્તાને અપીલ કરી કે હું પાર્ટીના કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. સૂર્યાસ્ત પછી તમે લોકો જીતી જશો. અત્યારે માત્ર 2-4 રાઉન્ડની ગણતરી કરવામાં આવે છે જ્યારે કુલ ગણતરી 14-18 રાઉન્ડ સુધી જાય છે અને અંતે અમે જીતીશું. કોઈએ ડરવાની જરૂર નથી.