HomePoliticsસંસદમાં રાહુલના નિવેદન પર રાજકીય તોફાન: રાજનાથ સિંહની માફીની માંગ, ‘ઓપરેશન સિંદૂર’...

સંસદમાં રાહુલના નિવેદન પર રાજકીય તોફાન: રાજનાથ સિંહની માફીની માંગ, ‘ઓપરેશન સિંદૂર’ ચર્ચામાં

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીના એક નિવેદનથી શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા. શાસક પક્ષના સાંસદોએ રાહુલના નિવેદનનો ભારે વિરોધ કર્યો, જેના કારણે ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર થયા.

તેમણે સરકાર પાસે 2023 ના મહિલા અનામત બિલને ફરીથી રજૂ કરવાની માંગ કરી, અને કહ્યું કે વિપક્ષ તેના તાત્કાલિક અમલીકરણને સંપૂર્ણ સમર્થન આપશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર અન્ય પછાત વર્ગો (OBC) ને સત્તા અને પ્રતિનિધિત્વ આપવાનું ટાળવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સરકારનો સાચો હેતુ હોય તેવું લાગે છે.

“છુપી શક્તિ” નો મુદ્દો ઉઠાવતા
રાહુલ ગાંધીએ કહ્યું, “મને બગીચાની વાર્તા પર પાછા જવા દો. દાદીએ કહ્યું, ‘સાંભળો, રાહુલ, હું ઇચ્છું છું કે તમે અંધારામાં જોવાનું શીખો. વાસ્તવિક શક્તિ અંધારામાં રહેલી છે.’ આ એક મહાન રાજકીય પાઠ છે. વાસ્તવિક શક્તિ ગુપ્ત રીતે કામ કરે છે, પોતાને દેખાડતી નથી. હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે બધા જાણે છે કે આપણા જાદુગરો અને ઉદ્યોગપતિઓ વચ્ચે ભાગીદારી છે.” આનાથી NDA સાંસદોમાં હોબાળો મચી ગયો. રાહુલે કહ્યું, “હું પીએમનું નામ નથી લઈ રહ્યો. મેં પીએમનો ઉલ્લેખ નથી કર્યો. સાહેબ, આ ભાગીદારી મજબૂત છે, પરંતુ તે છુપાયેલી છે. જાદુગરના ઇતિહાસમાં આ શક્તિ છુપાયેલી છે. તે અહીં આવ્યા ત્યારથી જ ચાલી રહી છે. ભાજપ જાણે છે કે આ બિલ પસાર થઈ શકતું નથી. તેઓ એટલા મૂર્ખ નથી. તેઓ તે જાણે છે. તેથી જ તેઓએ ચૂંટણી નકશો બદલવા માટે મહિલા અનામતનો આશરો લીધો. સત્ય એ છે કે જાદુગર પકડાઈ ગયો છે. ઓપરેશન સિંદૂર, નોટબંધીનો જાદુગર પકડાઈ ગયો છે.”

રાજનાથ સિંહે વ્યક્ત કરી કડક આપત્તિ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ મુદ્દાને પ્રધાનમંત્રી અને દેશની ગૌરવ સામેનું ગણાવ્યું. તેમણે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ કરવો અયોગ્ય છે અને તેની કડક નિંદા થવી જોઈએ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે જવાબદાર પદ પર બેઠેલા નેતાએ આવા શબ્દોથી દૂર રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી દેશના ચૂંટાયેલા નેતા છે અને તેમના પ્રત્યે સન્માન જાળવવું જરૂરી છે.

સ્પીકરે કાઢી નાખ્યા આપત્તિજનક શબ્દો
વિવાદ વધતા લોકસભા અધ્યક્ષે હસ્તક્ષેપ કર્યો અને રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશો કાર્યવાહીમાંથી દૂર કરવાની સૂચના આપી. રિજિજુએ કહ્યું કે તેમને સમગ્ર ભાષણથી આપત્તિ નથી, પરંતુ કેટલીક ટિપ્પણીઓ અયોગ્ય અને નિયમો વિરુદ્ધ છે.

ભાષણ નિયમ મુજબ આપવાનો આગ્રહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે પણ કહી રહ્યા છીએ કે ભાષણ નિયમોના આધારે આપો. વારંવાર પ્રધાનમંત્રીનો મજાક ઉડાવવો યોગ્ય નથી. પ્રધાનમંત્રી માત્ર તમારાં કે મારાં નથી, પરંતુ સમગ્ર દેશના છે. આ દરમિયાન રાહુલ ગાંધી ફરી બોલવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં સત્તારૂઢ પક્ષની અંદર જ ગુંચવણ છે. જોકે વધતા હોબાળા વચ્ચે સ્પીકરે તેમને બેસી જવા જણાવ્યું.

જાતિ જનગણના મુદ્દે પણ ઉઠાવ્યા પ્રશ્નો
સદનમાં બોલતા રાહુલ ગાંધીએ જાતિ જનગણના મુદ્દે પણ સરકારને ઘેરી. તેમણે કહ્યું કે માત્ર જાતિ જનગણના શરૂ કરવી પૂરતી નથી, પરંતુ તેનો ઉપયોગ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે થશે કે નહીં તે સ્પષ્ટ હોવું જોઈએ. તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે તે જાતિ જનગણનાને ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વથી અલગ રાખવાની યોજના બનાવી રહી છે, જે સામાજિક ન્યાયની ભાવનાના વિરુદ્ધ છે.

Subscribe

Latest stories

spot_img