Friday, Mar 20, 2026

Surat: VNSGU ખાતે શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

1 Min Read

VNSGU ખાતે ભારતીય જ્ઞાન પરંપરા શીખવતા શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં ભારતીય જ્ઞાન પરંપરા (BKS) વિશે ઊંડી સમજ વિકસાવવાનો અને તેને યુનિવર્સિટીના અભ્યાસક્રમ તથા શિક્ષણ પ્રક્રિયામાં અસરકારક રીતે સમાવવામાં મદદ કરવાનો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, BKS (ભારતીય નોલેજ સિસ્ટમ) ફક્ત ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ એક જીવંત ચેતના છે જે વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેમણે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય દર્શન, જીવન મૂલ્યો અને લોક શાણપણને અસરકારક રીતે સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી રમેશ દાન ગઢવીએ જણાવ્યું કે, BKSમાં નિર્દિષ્ટ લોકો, પ્રકૃતિ અને સમાજ વચ્ચેનું સંતુલન આજના વૈશ્વિક સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. તેમણે BKS સાથે સંકળાયેલા શિક્ષકો પાસેથી આ પરંપરાને શૈક્ષણિક શિસ્ત તેમજ સામાજિક ચેતના સાથે સાંકળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન આપતા હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, અભિગમનો અર્થ ફક્ત ભૌતિક પ્રગતિ જ નથી પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સંકલિત વિકાસ પણ છે. ભારતીય દ્રષ્ટિકોણમાં, સ્થાનિક જ્ઞાન, આદિવાસી અનુભવો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને વિકાસ આગળ વધવો જોઈએ.

Share This Article