HomeSurat CitySurat: VNSGU ખાતે શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

Surat: VNSGU ખાતે શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

VNSGU ખાતે ભારતીય જ્ઞાન પરંપરા શીખવતા શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં ભારતીય જ્ઞાન પરંપરા (BKS) વિશે ઊંડી સમજ વિકસાવવાનો અને તેને યુનિવર્સિટીના અભ્યાસક્રમ તથા શિક્ષણ પ્રક્રિયામાં અસરકારક રીતે સમાવવામાં મદદ કરવાનો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, BKS (ભારતીય નોલેજ સિસ્ટમ) ફક્ત ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ એક જીવંત ચેતના છે જે વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેમણે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય દર્શન, જીવન મૂલ્યો અને લોક શાણપણને અસરકારક રીતે સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી રમેશ દાન ગઢવીએ જણાવ્યું કે, BKSમાં નિર્દિષ્ટ લોકો, પ્રકૃતિ અને સમાજ વચ્ચેનું સંતુલન આજના વૈશ્વિક સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. તેમણે BKS સાથે સંકળાયેલા શિક્ષકો પાસેથી આ પરંપરાને શૈક્ષણિક શિસ્ત તેમજ સામાજિક ચેતના સાથે સાંકળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન આપતા હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, અભિગમનો અર્થ ફક્ત ભૌતિક પ્રગતિ જ નથી પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સંકલિત વિકાસ પણ છે. ભારતીય દ્રષ્ટિકોણમાં, સ્થાનિક જ્ઞાન, આદિવાસી અનુભવો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને વિકાસ આગળ વધવો જોઈએ.

Subscribe

Latest stories

spot_img