HomeNationalસુપ્રીમ કોર્ટમાં વધશે જજોની સંખ્યા, લોકસભામાં બિલ પાસ; 33થી વધીને થશે 37...

સુપ્રીમ કોર્ટમાં વધશે જજોની સંખ્યા, લોકસભામાં બિલ પાસ; 33થી વધીને થશે 37 ન્યાયાધીશ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

દેશની સર્વોચ્ચ અદાલત પર વધી રહેલા કેસોના ભાર વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. લોકસભાએ સોમવારે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ, 2026ને મંજૂરી આપી દીધી છે. આ બિલનો હેતુ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો છે.

આ બિલ દ્વારા સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) અધિનિયમ, 1956માં સુધારો કરવામાં આવશે. નવા પ્રાવધાન મુજબ મુખ્ય ન્યાયાધીશ (CJI) સિવાય સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા હાલની 33થી વધારીને 37 કરવામાં આવશે. આ ફેરફાર માટે અગાઉ મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વટહુકમ જાહેર કર્યો હતો, જેને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલ રજૂ કરતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં વધતા પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જજોની સંખ્યા વધવાથી કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને ન્યાય વ્યવસ્થા વધુ અસરકારક બનશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં મોટી સંખ્યામાં કેસો લાંબા સમયથી પેન્ડિંગ છે. 1 જાન્યુઆરી 2026 સુધીમાં અદાલતમાં 92 હજારથી વધુ કેસો બાકી હોવાનું જણાવાયું હતું. સરકારનું માનવું છે કે વધારાના જજોની નિમણૂકથી ખાસ કરીને જૂના કેસો અને બંધારણીય બેન્ચ સંબંધિત મામલાઓના ઝડપી ઉકેલમાં મદદ મળશે.

Subscribe

Latest stories

spot_img