Wednesday, Nov 5, 2025

ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખીને તબક્કાવાર માર્ગ બંધ કરવાની માગણી

2 Min Read

સુરત શહેરમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં તેઓએ સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં વિકાસના કામના નામે જાહેરનામું બહાર પાડી રસ્તાઓ બંધ કરવા બાબતે રજૂઆત કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો અમોને માન્ય છે. પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય? હાલમાં છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલ્વે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે. તેમજ રામનગર ચાર રસ્તા થી સીમાડા નાકા કેનાલ રૉડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોક ચાલુ છે. સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે.

હાલમાં આ માર્ગ વરાછા પોલીસ સ્ટેશનથી મોહની ચાલ સુધી સંપૂર્ણ રીતે બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજ રેમ્પના નિર્માણને કારણે પી.પી. સાવણી સ્કૂલથી હીરાબાગ સુધી માર્ગ બદલવામાં આવ્યો છે. ઉપરાંત, પાણીની મુખ્ય લાઈનોમાં લીકેજને કારણે વરાછા વિસ્તારમાં સતત બેફામ ખોદકામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી પોદદાર સુધી 6 મહિના માટે માર્ગ બંધ કરવાનો આદેશ 16/02/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.

હાલમાં એફિલ ટાવર અને પોદદાર આર્કેડ પાસે ટ્રાફિક પોલીસ તૈનાત છે, જે ટ્રાફિક નિયંત્રિત કરવા અને જનતાને માર્ગ સંબંધિત માર્ગદર્શિકા આપવા માટે છે. પરંતુ તે બદલ, તેઓ હેલ્મેટના દંડ વસુલવામાં વ્યસ્ત રહે છે, જેનાથી ટ્રાફિક સમસ્યાઓ વધુ વધી રહી છે. ઉપરાંત, પ્રતિબંધિત સમયગાળામાં ભારે વાહનોને સંપૂર્ણપણે અટકાવી આદેશની અમલવારી કરવી જોઈએ.

Share This Article