Thursday, Oct 23, 2025

આજે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના ૧૦ અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે. જેને બનતા ૫ વર્ષ લાગશે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ ૪૩૨૦૦૦ વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ ૧ ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.

‘અગ્નિ પુરાણ’ના સોળમા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર ૬૪ કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે.

પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે તમારો આશીર્વાદ જળવાઈ રહેવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવા કામ કરતો રહું. જે સારા કામ રહી ગયા છે તે આવતી વખતે ચોક્કસ પૂરાં કરીશ. આડકતરી રીતે અગાઉની સરકાર સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાંક લોકો મારા માટે આ સારા કામ છોડી ગયા હતા જેને હવે હું પૂરાં કરી રહ્યો છું. કલ્કી ધામમાં વિષ્ણુના તમામ અવતારો બિરાજશે.

 

Share This Article