Sunday, Sep 14, 2025

સુરતમાં મેટ્રો કામગીરી લઇ ને સોમવારે ૬ લાખ ઘરોમાં પાણી પુરવઠો બંધ રહેશે

1 Min Read

સુરતમાં આવતીકાલે એટલે કે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી નહીં મળે. મહત્વનું છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી કરાશે. જેને લઈ સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. વિગતો મુજબ સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો શરૂ થવાની છે. જેને લઈ હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવામાં આવશે. જેથી લાઇન શિફ્ટીંગની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં  પાણી પુરવઠો ખોરવાશે જેથી સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. મહત્વનું છે કે, લંબેહનુમાન રોડ લાભેશ્વર ભવન ખાતે સોમવારે પાણી કાપ રહેશે. સવારે ૪ કલાકથી રાત્રે ૧૧ કલાક સુધી કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Share This Article