Saturday, Sep 13, 2025

અનુરાગ ઠાકુરે દેશનાં યુવાનો માટે કરી જાહેરાત, MyBharat નામક પ્લેટફોર્મ બનશે

1 Min Read

મોદી કેબિનેટે યુવાનો માટે MyBharat નામક સંસ્થા બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં ૧૫થી ૧૯ વર્ષની વચ્ચેની ઉંમરનાં લગભગ ૪૦ કરોડ યુવાનો છે.  આ ભારતને મોટી તાકાત છે. આ યુવાનો માટે MyBharat નામક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ભારત યુવાનો પ્રતિ પોતાની જવાબદારીને સમજે છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે PM મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટમાં દુનિયાની સૌથી મોટી આબાદી યુવાનો માટે  MyBharat એટલે કે ‘મારો યુવા ભારત’ નામક પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ દરમિયાન પણ યુવાનોએ મોટું યોગદાન અને સહયોગ આપ્યો હતો. યુવાનોમાં સેવાભાવ અને કર્તવ્યબોધ હોય તેમજ આત્મનિર્ભર ભારત બનાવવાની લગન હોય તો આવનારાં ૨૫ વર્ષઓમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા બની શકે છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સ્વાસ્થ્ય, શિક્ષા, સ્વચ્છતા આ તમામ ક્ષેત્રમાં જો કોઈ યુવાને યોગદાન આપવું હશે તો આ પ્લેટફોર્મ મદદરૂપ બનશે. PMની ઈચ્છા છે કે દેશનાં કરોડો યુવાનો તેના સાથે જોડાય અને પોતાનું યોગદાન આપે.૩૧ ઑક્ટોબરનાં રોજ આ પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

.

Share This Article